Advertisement
Author: નોબત સમાચાર

પીંડારામાં આહિર સમાજ દ્વારા તારીખ ૨૯ માર્ચથી પૂ. ગીરીબાપુની શિવકથાઃ પિતૃતર્પણઃ બ્રહ્મચોર્યાસી

નવ દિવસના ધર્મોત્સવના પ્રારંભે દ્વારકા-નાગેશ્વરમાં ધ્વજારોહણ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૭: દ્વારકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્રમાં આહિર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહૃાો છે આહિરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતના આહિરોનો આ ધર્મપ્રસંગ આહિર સમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહિર સમાજે તૈયારીઓની કમરકસી છે.

તા. ૨૯ માર્ચથી ૬ એપ્રીલ સુધી નવ દિવસ ચાલનારા આ ધર્મ મહોત્સવનો પ્રારંભ જગત મંદીર દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લીંગના મંદીર શીખરો પર નૂતન ધ્વજારોહણથી થશે, આ ધર્મ મહોત્સવમા પીંડારામાં વિખ્યાત કથાકાર પ.પૂ. ગીરીબાપુની શિવમહાપૂરાણની ૮૩૫મી કથા બંન્ને સત્રમાં યોજાશે સાથોસાથ પીંડારાતીર્થ જે પિતૃતર્પણના કાર્ય માટે પૌરાણીક મહત્ત્વ ધરાવે છે એ પિતૃતર્પણની વિધિ નવ દિવસ સમગ્ર આહિર સમાજના લાભાર્થે વિનામૂલ્યે યોજાઈ રહી છે સમસ્ત જીવમાત્રના કલ્યાણ અને વિશ્વશાંતિની મંગલ મનોકામના સાથે મહાવિષ્ણુયાગ અને ભાગવતજીના પાઠનું પણ નવ દિવસીય આયોજન આ ધર્મ મહોત્સવમાં થયેલ છે દરરોજ અંદાજીત દોઢથી બે લાખ ભાવિક ભક્તો જે ધર્મ મહોત્સવમાં પધારવાના હોય તેના ભોજનની વ્યવસ્થાઓ આહિર સમાજ દ્વારા ઊભી કરાયેલ છે મહર્ષિ દુર્વાષામુનિ આશ્રમ સ્થળે યોજાનાર આ ધર્મ મહોત્સવમા બ્રહ્મ અને ઋષીઓ પ્રત્યે આહિર સમાજનો કૃતજ્ઞભાવ દર્શાવતી બ્રહ્મચોર્યાસી તથા સાધુ સમાજની ૧૫ જેટલી દીકરીઓના સમૂહલગ્ન પણ આ પ્રસંગે યોજાશે.

ધર્મમહોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમો જેમા તા. ૩૦ માર્ચ અને ૨ એપ્રિલે ભવ્ય લોકડાયરાઓ યોજાનાર છે જેમાં અનુક્રમે રાજભા ગઢવી, બીરજુ બારોટ, ગોપાલ સાધુ તથા માયાભાઈ આહિર, દેવરાજ ગઢવી, પરસોત્તમ પરી, શૈલેષ મારાજ જેવા ખ્યાતનામ કલાકારો સ્ટેજ શોભાવશે.

આ ઉપરાંત તા. ૫ એપ્રિલની સાંજે ભવ્ય મહારાસની ઝાંખી જેમાં ભાવેશ આહિર, માલદે આહિર તથા ક્રિષ્ના આહિર જેવા લોક ગાયકો કૃષ્ણ પરંપરાના રાસગરબાની રમઝટ બોલાવશે

મહર્ષિ દુર્વાષામુનિની પૌરાણીક કથાઓ સાથે જોડાયેલ આ પવિત્ર તીર્થક્ષેત્રમાં યોજાનાર આ ધર્મમહોત્સવનો લાભ લેવા સર્વે સાધુસંતો મહંતો તથા સર્વે ભાવિકભક્તોને શ્રી અખીલ ભારતીય યદુવંશી આહિર સમાજ તરફથી હૃદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh