Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈએ પાણીમાં ઝેરી પદાર્થ નાખ્યો કે પાણીનું ઝેરી પ્રદૂષણ?... તપાસ કરો...
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા પાલિકા વિસ્તારમાં એક સમયની શાન સમાન ઘી નદી કે જે હાલ પાણી કરતા ગાંડી વેલથી ભરેલો વધુ છે, તેમાં બે-ત્રણ દિવસ દરમિયાન કોઈએ ઝેરી પદાર્થ પાણીમાં નાખ્યો હોય કે અત્યંત પ્રદૂષિત કચરો નદીમાં આવતા કાંઠા પર રહેતા અને આ નદીનું પાણી પીતા દસેક બગલા ટોટોડી જેવા પંખીઓના મૃતયુ થયા તથા તેમના મૃતદેહો ગંધાતી સ્થિતિ કાંઠા પર પડ્યા હોય, ગંદકી સાથે તીવ્ર વાસથી નજીકના વિસ્તારના લોકો પરેશાનીમાં મૂકાઈ ગયા છે.
પાલિકા વોર્ડ-૧ ના સદસ્યના પ્રતિનિધિ નીલેશભાઈ પતાણીએ આ બાબતે તાકીદે કાર્યવાહીની માગણી કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ ઘી નદીમાં જ્યારે પાણીથી ભરપૂર રહેતી ત્યારે લોકો અહીં નહાવા તરતા શીખવા, નજીકના ગરીબ લોકો કપડા ધોવા આવતા પણ ગાંડીવેલથી ભરાયેલી આ નીમાં હવે પાણી કરતા ગાંડી વેલ વધુ હોય, નાહવા તથા તરવાનું તો ઠીક પણ ગંદુ ગંધાનું પાણી હવે લોકોને કપડા ધોવામાં પણ ઉપયોગ ના થતું હોય, આવું ગં પાણી પીવાથી પશુઓ પણ બીમાર પડતા હોય તથા ગાંદીવેલના પાણીમાં ફસાઈ જતા હોય, તાકીદે પગલાં લેવા માગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial