Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફુડ શાખા દ્વારા ર૦ જેટલા પાણી વિતરકો સહિત
જામનગર તા. ૧૯: મકરસંક્રાંતિ તહેવારને અનુલક્ષીને રાજ્ય સરકારની ડ્રાઈવ અંતર્ગત તથા મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્ય ચીજો, પાણીના નમૂના લેવામાં આવ્યા હતાં, અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
સુભાષ માર્કેટ, લંઘાવાડના ઢાળિયો, રણજીત રોડ, ગ્રેઈન માર્કેટ, જુના રેલવે સ્ટેશન વિસ્તાર દિગ્વિજય પ્લોટ, હવાઈચોક, વિકાસ ગૃહ રોડ, જી.જી. હોસ્પિટલ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ચિક્કીના ૧ર, તલ-રાજગરાના લાડું ૬, દેસી ગોળના ૪, ફાફડાના છ, જલેબીનાં-૩, તેલના-૩, બેસનના ચાર, ઊંધિયાના બે મળી કુલ ૪૦ નમૂના લેવાયા હતાં, અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં.
સંભવિત રોગચાળાને અનુલક્ષીને લુઝ ડીન્કીંગ વોટર, આઈસ ફેક્ટરી વિગેરે સ્થળેથી પાણીના ર૦ નમૂના લેવાયા હતાં. બેકટોરિયલો જીકલ તપાસ માટે ઢીંચડાની લેબમાં મોકલાયા છે.
ગત્ તા. ૧૮ ના નાગનાથ ગેઈટ વિસ્તારમાં હઝરતપીર દાજીશા ડાડાની જગ્યામાં આયોજીત ઉર્ષના મેળામાં ન્યાઝના કાર્યક્રમમાંથી મીઠા ભાતની તપાસણી કરવામાં આવી હતી, અને હાઈજૈનિક કન્ડીશન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial