Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ૧૪ વર્ષનો રેકોર્ડ તોડીને રિટેલ ફૂગાવાનો દર ૦.૨૫ ટકાઃ કેન્દ્ર સરકારનો દાવો

મોંઘવારી દર ઘટવા છતાં આમજનતાને રાહત કેમ નહીં? ચર્ચા

                                                                                                                                                                                                      

   નવી દિલ્હી તા. ૧૩: કેન્દ્રના દાવા મુજબ દેશમાં રિટેલ ફૂગાવાનો દર ૧૪ વર્ષનો રેકોર્ડ તોડીને ૦.૨૫ ટકાના નિચલા સ્તરે પહોંચ્યો છે, તો બીજી તરફ આમ જનતાને આમ છતાં રાહત કેમ થતી નથી. તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૫માં દેશનો રિટેલ ફૂગાવાનો દર ઘટીને ૦.૨૫% વિક્રમી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ દર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની હાલની સિરીઝમાં અત્યાર સુધીનો સૌથી ઓછો નોંધાયો છે. એટલે કે જાન્યુઆરી ૨૦૧૨થી આજ સુધીનો આ સૌથી નીચો ફૂગાવો દર છે. જુલાઈ ૨૦૨૫માં રિટેલ ફૂગાવાનો દર ગગડીને ૧.૫૫% પર પહોંચી ગયો હતો. જે જૂન ૨૦૧૨ પછીનો સૌથી નોચી સ્તર છે. એટલે કે મોંઘવારી ૧૪ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

સરકારના મતે આ ઘટાડો થવા પાછળ મુખ્યત્વે જીએસટી દરોમાં અને ખાદ્ય પદાર્થોના ભાવોમાં થયેલો ઘટાડો જવાબદાર છે. વધુમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ફૂગાવાનો દર ઘણો ઊંચો હતો, તેથી તેની સામે સરખામણી કરવાથી (જેને બેઝ ઈફેક્ટ કહેવાય છે) આ વર્ષનો આંકડો ઘણો ઓછો દેખાય છે તેમ છતાં લોકોને તેમના ઘરેલું બજેટમાં કોઈ રાહત મળી રહી નથી. આ ઘણાં કારણો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh