Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતાના કારણે
ખંભાળીયા તા. ૭: ખંભાળીયામાં બજારમાં આવેલ શાક માર્કેટ કે જ્યાં પાલિકા તથા ખાનગી એમ બે શાક માર્કેટ આવેલા છે. જ્યાં રોજ સવારથી સાંજ સુધી હજારો લોકો શાકભાજી લેવા જાય છે.
આ શાક માર્કેટના દરવાજાની બાજુમાં જ સતત ગંદકી કચરાના ઢગલા સાથે રોજ બગડેલા શાકભાજીના ઢગલા પણ શાકભાજીવાળા કરતા હોય, ત્યાં ખાવા માટે ગાય, ખૂંટીયા આવતા હોય તેમની બાજુમાંથી શાક માર્કેટમાં જવા જોખમી રીતે લોકો જાય છે. તો અહીં ખૂંટીયા બાઝતા અનેક વખત લોકોના વાહનો તથા લોકો પણ ઈજાગ્રસ્ત થાય છે.
અગાઉ પાલિકા દ્વારા કડક પગલા રૂપે મુકાદમ રાખીને સડેલા શાકભાજી નાખનારા સામે દંડાત્મક પણા આકરી કામગીરી કરતા બંધ થયું હતું. હવે ગંદકીના ઢગલા, કચરા, સળેલા શાકભાજી તથા ત્યાં જ બાજુમાં મુતરડી ના હોય, લઘુશંકા કરતા લોકોને કારણે શાક માર્કેટ જે સ્વચ્છ સ્થળ હોવું જોઈએ, તે ગંદકીના ઢગલાથી ભરેલું, રખડેલા પશુઓની છાવણીવાળુ તથા ત્યાંથી નીકળતા નાક બંધ કરવું પડે તેવી સ્થિતિવાળું છે. રોજ ફરિયાદ કરવા છતાં પાલિકા સફાઈ તંત્ર સાફ તો કરી જાય છે, પણ બીજા દિવસે પાછું જેમનું તેમ જ થઈ જતું હોય, કડક પગલાં લેવા તથા જરૂર પડયે મુકાદમ દ્વારા ચેકીંગ, સી.સી.ટી.વી. રાખવા દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તહેવારોમાં આવી ગંદકી ટીકાપાત્ર થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial