Advertisement
Author: નોબત સમાચાર

કૃષિ-રાહત પેકેજને આપ્યો આવકાર

પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલે સરકારના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: કમોસમી વરસાદથી થયેલ નુક્સાન સામે ખેડૂતોને મદદરૂપ થવા રૂ. ૧૦ હજાર કરોડના ઐતિહાસિક રાહત પેકેજને આવકારતા રાજયના પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે આવકાર આપ્યો છે.

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપણા જણાવ્યું કે, રાજ્ય સરકારે તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોના ખેત પાકોને થયેલ નુક્સાનમાં રાહત મળે અને તેઓને મદદરૂપ થઈ શકાય તે હેતુથી ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લીધો છે અને રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજથી ખેડૂતોને નુક્સાની સામે ખૂબ મદદ મળી રહેશે.

બે હેક્ટરની મર્યાદમાં હેક્ટર દીઠ રર હજારની સહાય પિયત કે બિનપિયત જમીન ધ્યાને લીધા વિના ચૂકવવાનો નિર્ણય ખરેખર આવકારદાયક છે. ઉપરાંત સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને ખેડૂતોને જણસી વેંચાણમાં આર્થિક નુક્સાની ન જાય તેની પણ કાળજી લીધી છે.

આ ખરીદીથી ખેડૂતોને ઘણો ફાયદો થશે તેમ જણાવી તેમણે ખેડૂતોના હિતમાં લીધેલા અતિ મહત્ત્વના આ પગલાંઓ બદલ સરકારને અભિનંદન આપ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh