Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રીજીને શૃંગાર- સંધ્યા આરતીમાં અબીલ-ગુલાલના છાંટણા

                                                                                                                                                                                                      

વસંત પંચમીથી વસંત ઋતુના આગમન સાથે દ્વારકાધીશજીને શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી સમયે ફુલડોલ ઉત્સવ સુધી ગાલના ભાગમાં પૂજારી દ્વારા અબીલ-ગુલાલથી શ્રીજીને ખેલાવવામાં આવી રહ્યાં છે. વસંત ઋતુથી લઈ ફાગણ હોળાષ્ટક સુધી ભગવાન દ્વારકાધીશને અબીલ-ગુલાલથી પૂજારી પરિવાર દ્વારા ખેલાવાતા હોય જેનો લાભ બન્ને આરતીમાં ઉપસ્થિત ભાવિકોને થાય છે. આગામી સપ્તાહમાં હોળાષ્ટક બેસવા સાથે શ્રીજી ફુલડોલ ઉત્સવ સુધી શ્વેત વાઘા અને અબીલ-ગુલાલની પોટલી તથા કેસુડાના રંગ ભરેલી પીચકારી સાથે સવાર-સાંજ આરતી સમયે ભાવિકો સંગ રંગે રંગાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh