Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હત્યાના ગુન્હામાં થઈ હતી આજીવન કેદઃ
જામનગર તા. ૨: ભાણવડના શિવા ગામના એક યુવાનને વર્ષ ૧૯૯૬માં હત્યાના એક ગુન્હામાં આજીવન કેદની સજા થઈ હતી. તેઓને ટીબીની બીમારી વળગ્યા પછી કેદી વોર્ડમાં સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના જેતશીભાઈ લખમણભાઈ કનારા (ઉ.વ.પર) સામે વર્ષ ૧૯૯૬માં હત્યાનો એક ગુન્હો ભાણવડ પોલીસ મથકમાં નોંધાયો હતો. ત્યારપછી આ કેસ ચાલી જતા જામનગરની સેશન્સ કોર્ટે વર્ષ ૧૯૯૮માં જેતશીભાઈને આજીવન કેદની સજા ફટકારી હતી.
જામનગરની જિલ્લા જેલમાં સજા કાપી રહેલા જેતશીભાઈને થોડા સમયથી ટીબીની બીમારી વળગી હતી. તેની સારવાર આપવામાં આવી રહી હતી. જેમાં ગઈ તા.૧૯ના દિને જેતશીભાઈની તબીયત લથડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ભીખાભાઈ લખમણભાઈ કનારાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial