Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પંથકમાં ર૦૦ થી વધુ ગણેશસ્થાપનઃ અત્યાર સુધીમાં અડધોઅડધ પ્રતિમાઓનું વિસર્જન

આરતી, અન્નકોટ, દાંડીયારાસ, અબીલ-ગુલાલની છોળો સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ગણેશ ચતુર્થીના દિને ર૦૦ થી વધુ જગ્યાએ શહેર તથા ગ્રામ્ય પંથકમાં ગણપતિ સ્થાપન સાથે ઉત્સવ યોજાયો હતો. તા. ૩૧-૮-ર૦રપ ના અડધા ઉપરાંતના ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખંભાળીયામાં ઘી નદીમાં તથા નજીકના ડેમ તળાવમાં ચેકડેમોમાં ગણેશજીનું વિસર્જન કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં. ઢોલ-નગારા સાથે ગણપતિજીની પ્રતિમાને ભવ્ય રીતે અબીલ-ગુલાલની છોળો ઉડાડતા અને બેન્ડવાઝા તથા ડીજે સાથે કેટલાક ગણેશ ઉત્સવવાળા નીકળતા ઠેરઠેર રંગોની છોળોથી રોડ રંગાઈ ગયા હતાં, તો પ્રતિમાને ભાવપૂર્ણ વિદાય આપતા આગળ યુવકો-યુવતીઓ દાંડીયારાસની મોજ માણતા નીકળ્યા હતાં. રામનાથના રાજા ગણેશજીને શાસ્ત્રોક્ત રીતે પંડિતજી દ્વારા ઉત્થાપન કરાવીને ખાસ વાહનમાં દ્વારકા લઈ જઈને ગોમતીજીમાં વિસર્જન કરાયું હતું. જેમાં પણ રામનાથ સોસાયટી યુવક મંડળના યુવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આગલા દિવસે રામનાથના રાજાનો ફ્રૂટનો અન્નકોટ યોજાયો હતો. મહાઆરતીમાં ભાવિકો ઉમટ્યા હતાં. અનેક વ્યક્તિગત ઘરોમાં સ્થાપન કરેલ ભાવિકો દ્વારા પણ નદી-તળાવમાં વિસર્જન થયું હતું. જેમાં પણ ભાવિકો પરિવારજનો સાથે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh