Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવા
જામનગર તા.૧૨: ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલિત ૪૬ દિગ્વિજય પ્લોટમાં આવેલ ઓશવાળ સ્કૂલમાં શિક્ષકો વિધાર્થીઓને વધુ સારી તેમજ આધુનિક પદ્ધતિ દ્વારા શિક્ષણ આપી શકે તે હેતુથી તા. ૨/૮/૨૦૨૫ના ફેકલ્ટી ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામર પ્રોફેસર અજય શાહ તેમજ દિશા શાહના નેતૃત્વમાં શાળાના તમામ સ્ટાફને ફેકલ્ટી ડેવલપમેન્ટ અંગે ટ્રેનીંગ આપવામાં આવેલ. ટ્રેનીંગ બાદ તમામ સ્ટાફને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ તકે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ વહીવટી સમિતિના માનદમંત્રી રીતેશભાઈ ધનાણી, ઓશવાળ સ્કૂલ સંચાલન સમિતિના કન્વીનર દીપેનભાઈ શાહ, કો.કન્વીનર રાહુલભાઈ શાહ, માનદ મંત્રી યતિનભાઈ શાહ, સહમંત્રી જયભાઈ મારું, ખજાનચી સંદીપભાઈ શાહ તેમજ સભ્ય મુકેશભાઈ દોઢીયા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સીપાલ આકાશ શર્મા તેમજ વાઈસ પ્રિન્સીપાલ નેહા સુરાણી તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial