Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશના શ્રીધામમાં પણ વિશેષ ઉજવણી થઈઃ
દ્વારકા શારદાપીઠ જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી ૬૭ મા જન્મોત્સવ નિમિત્તે દ્વારકા શારદાપીઠમાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮-૩૦ કલાકે શારદાપીઠ ગુરુગાદી પર ભગવાન શ્રી ચંદ્રમૌલિશ્વરને રૂદ્રાભિષેક કરાયા પછી શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બાદમાં શંકરાચાર્ય મહારાજની પાદૂકાના પૂજન તથા સંતોના આશીર્વાદ સહઉત્સવ ઉજવાયો હતો. શંકરાચાર્ય સદાનંદજી મહારાજ દ્વારા હાલમાં મધ્યપ્રદેશના નરસિંહપુરમાં પરમહંસી ગંગા આશ્રમ-શ્રીધામમાં ચાતુર્માસ્ય વ્રતાનુષ્ઠાન ચાલી રહ્યા છે, ત્યારે શ્રીધામમાં પણ બ્રહ્મચારી નારાયણાનંદજી સહિત સંતો-મહંતો દ્વારા પૂ. શંકરાચાર્યજીની ચરણવંદના, માલ્યાર્પણ સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial