Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ર૧ સપ્ટેમ્બરે યોજાશે પદયાત્રા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧ઃ જામનગર શહેરમાં સૌ પ્રથમ વખત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ર૧-૯-ર૦રપ ના સવારે ૭-૪પ વાગ્યે તેજપ્રકાશ ઉપાશ્રયથી ધર્મ ધ્વજ સાથે જૈન અગ્રણીઓની સાથે પદયાત્રા પ્રસ્થાન કરશે, જેનું સંચાલન કન્યા મંડળના જૈન શ્રાવિકા દ્વારા કરવામાં આવશે. પદયાત્રા દરમિયાન રસ્તા ઉપર રંગોળી દોરી સુશોભીત કરવામાં આવશે. પદયાત્રા કામદાર વાડી થઈ, સુભાષ બ્રિજ થઈને ત્રિ-મંદિર પહોંચશે.

આ પદયાત્રા દરમિયાન વિવિધ દાતાઓ દ્વારા સન્માન કરવામાં આવશે. ત્રિ-મંદિરમાં સિમંધર સ્વામીના સાનિધ્યમાં મહેશભાઈ શેઠ તથા પ્રદીપભાઈ ગઢવીના ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. સંઘ દ્વારા દરેક પદયાત્રીનું સન્માન કરવામાં આવશે.

આ પદયાત્રામાં જોડાવા માટેના પાસ તા. ૧૬/૯ થી તા. ૧૮/૯ સુધીમાં મેળવી લેવાના રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh