Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોગ્ય નિર્ણય નહીં થાય તો કરાશે લડતઃ
જામનગર તા. ર૯: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની એક જ શાળાના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરવામાં આવી હતી. આ મુદ્દે શિક્ષક સંઘ દ્વારા ફેર વિચારણાની માગણી સાથે ઉચ્ચ શક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા, જામનગરના મહામંત્રી રાકેશભાઈ માકડિયા, ઉપપ્રમુખ કે.વી. વાળા, અરવિંદ પટેલ, મંત્રી સંજય મેસિયા, સંજય ચાંદ્રા અને કારોબારી ટીમ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી, વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલને રૂબરૂ મળ્યા હતાં અને શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકોની કરાયેલી બદલી અંગે ફેરવિચારણા કરવા માગણી અને રજૂઆત કરી હતી, અને જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેમ પણ ચિમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial