Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ચાર પેઢીમાં સ્ટેટ જીએસટીના દરોડા

તપાસ પૂર્ણ થયે વેરાચોરીનો ચોક્કસ આંકડો બહાર આવશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જી.એસ.ટી. વિભાગ છેલ્લા કેટલાક સમયથી વધુ સક્રિય થયો હોવાનું જાણવા મળે છે. સમયાંતરે જામનગરમાં આ વિભાગના દરોડાની કાર્યવાહી ચાલતી જોવા મળે છે.

તાજેતરમાં સ્ટેટ જી.એસ.ટી.ની ટીમે જામનગરમાં ચારેક પેઢીમાં દરોડા પાડ્યા હતાં. મળતી માહિતી મુજબ બોગસ બિલીંગ કૌભાંડ અન્વયે અગાઉ સાતેક વેપારીને ઝડપી લેવાયા હતાં.

જામનગરમાં સ્ટેટ જી.એસ.ટી. વિભાગની ટીમે જયભવાની કાસ્ટીંગ, અલનુર મેટલ, ચારભુજા ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય એક પેઢીમાં દરોડા પાડ્યા હતાં અને ખરીદ-વેંચાણના દસ્તાવેજોની ચકાસણી કરી હતી, અને જાણ વગરના કેટલા માલસામાનનું વેંચાણ થયું? તે અંગે ચકાસણી કરી હતી. હવે આ બાબતે તપાસના અંતે ચોક્કસ રકમનો આંક જાણી શકાશે જે કેટલી રકમની વેરા ચોરી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh