Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં અપવાદ સિવાય ધંધા-રોજગાર ચોવીસેય કલાક ધમધમશેઃ બજારો રહેશે ખુલ્લી

રાજ્ય સરકારે જાહેર કર્યો પરિપત્રઃ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. રઃ મહારાષ્ટ્રમાં હવે દુકાનો ર૪ કલાક ખુલ્લી રહી શકશે. ત્યાંની રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય જાહેર કરતો પરિપત્ર કર્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે, દુકાનો, હોટલો અને અન્ય સંસ્થાઓ હવે ર૪ કલાક ખુલ્લા રાખી શકશે. રાજ્યના ઉદ્યોગ, ઊર્જા, શ્રમ અને ખાણ વિભાગે આ નિર્ણયના અસરકારક અમલીકરણ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યમાં મોટાભાગની દુકાનો અને વ્યવસાયો હવે ચોવીસ કલાક ખુલ્લા રહી શકે છે.

સરકારની જાહેરાત મુજબ દારૂની દુકાનો, બાર પરમિટ રૂમ, હુકક્કા પાર્લર અને કન્ટ્રી બારને આ મામલે અપવાદ રહેશે. ચોવીસ કલાક ખુલ્લા રહેતા વ્યવસાયોને દરેક કર્મચારીને સતત ર૪ કલાકનો વિક ઓફ આપવો ફરજિયાત રહેશે. આ નિયમ મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, ર૦૧૭ નો ભાગ છે.

કાયદાની કલમ ૧૧ હેઠળ, રાજ્ય સરકારને કોઈ એક વિસ્તાર અથવા કેટલાક વિસ્તારો માટે દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અથવા મોલના ખુલવાનો અને બંધ થવાનો સમય નક્કી કરવાનો અધિકાર છે. સરકારે નિયમનો યોગ્ય અમલ થાય એ માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગોને સૂચના આપી છે. સરકારને આશા છે કે આ પગલાંથી વ્યાપારિક પ્રવૃત્તિને વેગ મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh