Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તપાસ પૂર્ણ થતા પહેલા પ્રાર્થમિક રિપોર્ટ દુર્ભાગ્યપૂર્ણ ગણાવીઃ
અમદાવાદ તા. રરઃ અમદાવાદની વિમાન દુર્ઘટનાના મુદ્દે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવાના મુદ્દે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હોવાનું જાણવા મળે છે.
સુપ્રિમ કોર્ટે આજે રર સપ્ટેમ્બરના અમદાવાદ પલેન ક્રેશ મામલે સુનાવણી દરમિયાન પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટે એર ઈન્ડિયા ફ્લાઈટ એ-૧૧૭૧ ના ક્રેશ માટે પાયલટને જવાબદાર ઠેરવવાના આરોપને કમનસીબી ગણાવ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો હતો. જેમાં મીડિયાએ પાયલટને જવાબદાર ઠેરવ્યો હતો.
સુપ્રિમ કોર્ટે આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ગુપ્તતા જાળવવા મહત્ત્વ આપ્યું હતું, તેમજ સ્વતંત્ર તપાસની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટીસ મોકલી હતી.
સુપ્રિમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે. ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટમાં ૧ર જૂન, ર૦રપ ના અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં ર૬૦ લોકો માર્યા ગયા હતાં, જેની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧ ની ભયનાક દુર્ઘટનામાં ર૬૦ થી વધુ લોકોના મોત થયા હતાં. આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ખામીઓનો ચોંકાવનારો પુરાવો હતો, જેને લીધે મૃતકોના પરિવારોએ હવે અમેરિકા સ્થિત વિમાન નિર્માતા કંપની 'બોઈંગ' અને વિમાનના પાર્ટસ બનાવતી કંપની 'હનીવેલ' સામે કાનૂની મુકદ્દમો દાખલ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial