Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનથી ૧૮ કિ.મી. નીચે કેન્દ્રબિન્દુ
જામનગર તા. ર૬: જામનગરના લાલપુરમાં ગઈકાલે બપોરે ૧-પ૯ વાગ્યે ૩ ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના લાલપુરમાં ગઈકાલે બપોરે ૧-પ૯ વાગ્યે ધરતીકંપ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩ ની નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિન્દુ લાલપુરથી ૩૩ કિ.મી. દૂર અને જમીનથી ૧૮ કિ.મી. નીચે નોંધાયું હતું. આ ભૂકંપ લાલપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. ધરતીકંપના કારણે ઘરના બારી-દરવાજા ધ્રુજી ગયા હતાં તેમજ વાસણો ખખડી ઊઠ્યા હતાં. ભૂકંપના કારણે ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં વધારે ભય જોવા મળ્યો હતો. ભૂકંપથી કોઈ નુક્સાની થવા પામી ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial