Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટી પલંગમાં રાખેલા સાડા ત્રણસો ગ્રામ સોનાના દાગીના ગાયબઃ
જામનગર તા. ૧૮: જામનગર નજીકના મેઘપર ગામમાં આવેલા એક મકાનમાં પંદરેક દિવસ પહેલા ઘૂસી ગયેલા તસ્કરે પેટી પલંગમાં જુદી જુદી થેલીઓમાં રાખવામાં આવેલા રૂપિયા બાવીશ લાખના સોનાના દાગીનાની ચોરી કરી લીધી છે.પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામમાં વસવાટ કરતા અને ટ્રેક્ટર ચલાવવાનો વ્યવસાય કરતા કિશોરસિંહ કેશુભાઈ જાડેજા નામના આ સામેના મકાનમાં પંદરેક દિવસ પહેલા કોઈ તસ્કર ઘૂસી ગયો હતો.
આ તસ્કરે મકાનમાં ખાખાખોળા કરીને એક પેટી પલંગમાં રાખવામાં આવેલી જુદી જુદી થેલીઓ શોધી કાઢી હતી. તે થેલીઓમાં રાખવામાં આવેલા સોનાના ૩૫૦ ગ્રામ વજનના સોનાના દાગીના તસ્કરને મળી આવ્યા હતા.
અંદાજે રૂપિયા બાવીશ લાખની કિંમતના ઉપરોક્ત દાગીના ચોરી કરી લઈ તસ્કર નાસી ગયો હતો.આ બાબતની જાણ થયા પછી કિશોરસિંહે ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ પી.ટી. જયસ્વાલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial