Advertisement
Author: નોબત સમાચાર

પિતળના ભંગારના વ્યવસાયી સામે રૂ.૯૬.૯૯ લાખના ચેક પરતની રાવ

અન્ય એક વેપારી સામે પચ્ચીસ લાખના ચેક પરતની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના પિતળના ભંગારના એક વેપારી સામે રૂ.૯૬ લાખ ૯૯ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ છે. ઉપરાંત જામનગરની એક પેઢીએ રાજકોટની પેઢીના ડાયરેક્ટર સામે રૂ.રપ લાખના ચેક પરતની રાવ કરી છે.

જામનગરમાં પિતળના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલી પેઢી હૈદ્રી મેટલના પ્રોપરાઈટર જાવેદ બશીરભાઈ ખફીએ રૂ.૪ કરોડ ૪૬ લાખનો ભંગાર રંજનાબેન બી. જૈનની પેઢી પાસેથી ખરીદ્યા પછી તેઓએ રૂ.૯૬ લાખ ૯૯ હજાર ચૂકવવાના બાકી હતા. તે રકમની ચૂકવણી માટે જાવેદ ખફીએ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફર્યા છે. અદાલતમાં રંજનાબેન જૈન દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. આરોપીને હાજર થવા હુકમ કરાયો છે.

રાજકોટના પિતળના ભંગારના વ્યવસાયી પાર્થ અશ્વિનભાઈ નાદપરાએ જામનગરની રૂદ્ર ઈમ્પેક્સ નામની પેઢી પાસેથી ભંગારની ડિલિવરી સામે રૂ.રપ લાખ એડવાન્સ મેળવ્યા હતા. તે પછી સમજૂતી મુજબનો માલ ન મોકલવામાં આવતા એડવાન્સ રકમ પરત માંગવામાં આવી હતી. તે માટે બે ચેક આપવામાં આવ્યા હતા. તે બેંકમાંથી પરત ફરતા રૂદ્ર ઈમ્પેક્સ દ્વારા જામનગરની અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh