Advertisement
Author: નોબત સમાચાર

ગાય નિભાવ ખર્ચ રાહત યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત ૨.૦ પોર્ટલમાં ૧૭ સપ્ટે. સુધી અરજી કરે

અત્યાર સુધી લાભ લીધો ન હોય તેવા ખેડૂતો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: દ્વારકા જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.

જિલ્લામાં  પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે *દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ તા. ૧૭-૯-૨૦૨૫ સુધી ઓપન કરવામાં આવેલુ છે.

જે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોય તેઓએ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવાની રહેશે તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh