Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી જૂન મહિના સુધી કડક પગલાં સામે સ્ટેઃ
જામનગર તા.ર૯ : જામનગરની રંગમતી નદીકાંઠે વસવાટ કરતા કેટલાક આસામીઓને દસ દિવસ પહેલાં સાત દિવસની મુદ્દત આપતી નોટીસ જામ્યુકો દ્વારા અપાઈ હતી. જેમાં તેઓના રહેણાંક ખાલી કરી આપવા તાકીદ કરાઈ હતી. તે નોટીસને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા હાલમાં હિટવેવની સ્થિતિ જોતા જુન મહિનાની તા.૬ સુધી કડક પગલાં ન ભરવા હાઈકોર્ટે જામ્યુકોને હુકમ કર્યાે છે.
જામનગરની રંગમતી નદીના કાંંઠે રહેતા કેટલાક આસામીઓને થોડા દિવસ પહેલાં જામનગર મહાનગર પાલિકા દ્વારા તેઓના દબાણ દૂર કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. તે નોટીસને નદીના કાંઠે રહેતા રમેશભાઈ જીવાભાઈ મકવાણા નામના આસામીએ હાઈકોર્ટમાં પડકારી હતી.
તે અરજી અન્વયે બંને પક્ષ દ્વારા દલીલો રજૂ કરાઈ હતી જેમાં રમેશભાઈ મકવાણા તરફથી દલીલ કરાઈ હતી કે તેઓ નદીના કાંઠે છેલ્લા પચ્ચીસેક વર્ષથી પાકુ મકાન બનાવીને વસવાટ કરે છે. તેઓના ભાઈઓ ઉપરાંત અન્ય આસામીઓ પણ ત્યાં રહે છે. હાલમાં હિટવેવની પરિસ્થિતિ જોતા જો તેઓના મકાન પાડી નાખવામાં આવે તો ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.
જામનગર મહાનગર પાલિકાએ ગઈ તા.૧૮ના દિને આ આસામીઓને મુંબઈ મ્યુનિસિપલ એક્ટની કલમ ૪૭૮ (ર) હેઠળ નોટીસ પાઠવી સાત દિવસમાં દબાણ ખાલી કરવા તાકીદ કરી હતી. હાઈકોર્ટે રમેશભાઈ વગેરે તરફથી રજૂ થયેલી દલીલોને ધ્યાને લઈ આગામી તા.૬ જુન સુધી કડક પગલાં ન ભરવા માટે હુકમ કર્યાે છે. અરજદાર તરફે વકીલ એસ.ઓ. નોયડા અને મેહુલ એસ. પાડલીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial