Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનના કાર્યક્રમ માટે એસ.ટી. બસ ફાળવી દેવાતા મુસાફરો પરેશાન

સડોદરની બસ સેવા બંધ કરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઃ

                                                                                                                                                                                                      

સડોદર તા. ર૦: જામજોધપુરના સડોદર ગામની બસ સેવા બે-ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવતા ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે મુશકેલી નડી છે. વડાપ્રધાનના ભાવનગરના કાર્યક્રમાં એસ.ટી.ની બસો મોકલી દેવાતા આ સમસ્યા સર્જાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ તા. ર૦ ના ભાવનગરની મુલાકાતે આવ્યા છે. પરિણામે માનવ મેદની એકત્ર કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી એસ.ટી. ની બસો ફાળવી દેવામાં આવી છે.

જામજોધપુરના સડોદર ગામથી આવન-જાવન કરતી જામનગર-ગણગોર અને જામનગર-માત્રાબીડ બસ રૂટ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. પરિણામે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

ફક્ત આ બન્ને બસમાં જ ૩પ વિદ્યાર્થી અપડાઉન કરે છે. મળતી માહિતી મુજબ જામનગર ડિવિઝનમાંથી કુલ ૭૦ બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh