Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજી માર્ચને મંગળવારે
દ્વારકા તા. ૩: દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર થશે.
દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.૩જી માર્ચ, ૨૦૨૬ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂરી ફેરફાર થશે. તા.૩જી માર્ચે મંગળા આરતી સવારે ૪ કલાકે થશે. મંગળા દર્શન સવારે ૪ થી ૫:૩૦ સુધી, શ્રીજીના સ્નાન અભિષેક પૂજા સવારે પઃ૩૦ થી ૬, ૬ થી ૭ સુધી દર્શન ખૂલ્લા, સ્નાન ભોગ સવારે ૭ કલાકે, શૃંગાર ભોગ સવારે ૭:૪૫ કલાકે, શ્રૃંગાર આરતી સવારે ૮ કલાકે, ગ્વાલ ભોગ સવારે ૮:૩૦ કલાકે, રાજભોગ સવારે ૯:૩૦ કલાકે દર્શન બંધ સવારે ૧૦:૩૦ થી ૧૧ સુધી રહેશે.
શ્રીજીનો ફૂલડોલ ઉત્સવ બપોરે ૧૧ થી ૧૨ કલાક સુધી યોજાશે. બપોરે ૧૨ થી રાત્રે ૮ કલાક સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. રાત્રે ૮ કલાકે શ્રીજીના ઉત્થાપન દર્શન, રાત્રે ૯:૩૦ કલાકે સંધ્યા આરતી, રાત્રે ૧૦:૩૦ કલાકે શયન આરતી તથા રાત્રે ૧૧ કલાકે દર્શન બંધ થશે તેમ મંદિરના વારાદાર પૂજારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial