Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ મહિના પહેલાં કરાયો હતો હુમલોઃ
જામનગર તા. ૨૯: જામનગરના લંઘાવાડના ઢાળીયા પાસે છ મહિના પહેલાં કેટલાક વ્યક્તિઓ પર છરી-કોશથી હુમલો થયો હતો. તે ગુન્હામાં ચાર આરોપી જેલહવાલે થયા હતા. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી છે.
જામનગરના લંઘાવાડના ઢાળીયા પાસે ગઈ તા.ર-૭-રપની રાત્રે ઈકબાલ પીરભાઈ સહિતના વ્યક્તિઓ મોહર્રમના તહેવારને અનુલક્ષીને ફાળો લેવા માટે બેઠા હતા ત્યારે જમાતના પૂર્વ સેક્રેટરી અખ્તર ઈસ્માઈલ ઉર્ફે મુનીયો બાદશાહ, મોઈનુદ્દીન તથા બે અજાણ્યા શખ્સે ત્યાં આવી હુમલો કર્યાે હતો.
આ વેળાએ મુનીયાએ છરી કાઢી હતી અને પોતાની પાસે રહેલી કોશ ટેબલ પર ઘા કરી હતી. આ હુમલામાં અનવર હુસેનને ઈજા થઈ હતી. હાજી મહંમદને છરી વાગી ગઈ હતી. પોલીસે ઈકબાલ પીરભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હામાં અફ્રીદી અજીઝ શેખ, વસીમ સુલેમાન દરવાજા, અખ્તર ઉર્ફે મુનીયા બાદશાહ, મોઈન સલીમ ચનાની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલોને ગ્રાહ્ય રાખી નકારી કાઢી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ એફ.ઓ. ચરીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial