Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તીરૂવનંતપુરમ્માં વડાપ્રધાનના હસ્તે લોન વિતરણઃ જિવંત પ્રસારણ
જામનગર તા. ૨૯: જામનગરના ટાઉનહોલમાં પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે લોનનાચેકનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાનના આ યોજના તથા ક્રેડિટ કાર્ડ શુભારંભના કાર્યક્રમનું જિવંત પ્રસારણ પણ કરાયું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તા. ર૩-૧-ર૦ર૬ નાભારત સરકારી પીએમ સ્વનિધિ યોજના અન્વયે એક લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ શુભ આરંભ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તીરૂવનંતપુરમ્ કેરળમાં યોજાનાર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વિગેરે જેવા કાર્યક્રમનું આયોજન ગઈકાલે સવારે જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ (સેલાર) માં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર ડી.એ. ઝાલા, શાસક પક્ષનાનેતા આશિષભાઈ જોષી, શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી તથા અન્ય પદાધિકારીઆ-અધિકારીઓ અને સ્ટાફ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ લોન રૂ।. ૧પ,૦૦૦ ના પ, બીજી લોન રૂ।. રપ,૦૦૦ ના પ તથા ત્રીજી લોન રૂ।. પ૦,૦૦૦ ના પ લાભાર્થીઓને લોન સહાય ચેક સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતાં તેમજ ગુજરાત ગ્રામીણ બેંકના ચીફ મેનેજર સંદીપ તન્ના દ્વારા લાભાર્થીઓને રૂ।. ૩૦,૦૦૦ ના કેશ ક્રેડિટ કાર્ડ વિશે તેમજ પીએમ સ્વનિધિ ર.૦ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ પછી વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને તીરૂવનંતપુરમ્ કેરળના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારના શહેરી ફેરિયાઓ પીએમ સ્વનિધિનો વધુમાં વધુ લાભ લેવા અને તે માટે જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગનો સંપર્કકવા જામનગર મહાનગરપાલિકા દ્વા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial