Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે મહારાષ્ટ્રથી દેશની રાજધાની સુધી ચોમાસાના આગમન અને મેઘવૃષ્ટિ ઉપરાંત સૌથી વધુ ચર્ચા શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સંભવિત વિલીનીકરણની થઈ રહી હતી અને આ પ્રકારનો દાવો ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એનસીપી (શરદ પવાર) ના નેતાઓ દ્વારા જ કરાયો હોવાનું કહેવાય છે. આ વખતે વિલીનીકરણની ગુપ્ત વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું તથા આખરી સમજુતિ સાથે શરદ પવાર અને સોનિયા ગાંધીની સહમતિ હોવાનો દાવો પણ પાર્ટીના અંતરંગ વર્તુળોને સાંકળીને કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના એક કોંગી નેતાએ પણ વિલય અંગે હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કર્યા પછી આ દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનો આશાવાદ જાગ્યો છે.
લગભગ અઢી દાયકા પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિદ્રોહ કરીને શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવર સહિતના નેતાઓએ નેશનલ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. તે પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારની એનસીપીનો દબદબો રહ્યો હતો. આ એનસીપીમાં પણ વિભાજન થયું અને અજિત પવારનું જુથ અલગ થઈ ગયું, જેનું ભાજપ અને શિવસેનાના બળવાખોર જુથ સાથે ગઠબંધન રચાયું. બીજી તરફ શિવસેનામાં પણ વિભાજન થયું અને એકનાથ શિંદેના જુથે બળવો કર્યો. મોટાભાગના ફંટાયેલા જનપ્રતિનિધિઓ વિદ્રોહી જુથોમાં જતા રહેતા તેઓના જુથની એનસીપી તથા શિવસેનાને મૂળ પક્ષો ગણવામાં આવ્યા અને ચૂંટણીપ્રતીકો બળવાખોર જુથોને ફાળવાયા. તે પછી મહારાષ્ટ્રમાં બાકી રહેલી શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે મળીને મેળવેલી મહારાષ્ટ્રની સત્તા પણ ગઈ અને ભાજપ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ગઠબંધનની સરકાર રચાઈ.
મહારાષ્ટ્રમાં તે પછી મહાવિકાસ અઘાડીની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ રચાઈ અને અભૂતપૂર્વ સમીકરણો રચાયા તથા અજબ-ગજબની ઘટનાઓ બની. મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમો બની રહ્યા હતાં તેની વ્યાપકઅસરો રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી રહી હતી. મહારાષ્ટ્રમાં તો રાજનૈતિક ઉઠાપટક થતી રહી હતી, પરંતુ સંસદમાં પણ આ ઘટનાક્રમોનો સીધો લાભ એનડીએને થઈ રહ્યો હતો. કોંગ્રેસ તથા વિપક્ષો ભારતીય જનતા પક્ષ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા હતાં, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તથા રાષ્ટ્રીય નેતાગીરી વચ્ચે પણ મત-મતાંતરો સપાટી પર આવ્યા હતાં. તે પછી આ જ પદ્ધતિથી અન્ય રાજ્યોમાં પણ સમીકરણો બદલાયા હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં પણ આંતરિક મતભેદો હોવાની વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન એક હવાઈ દુર્ઘટનાએ ફરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.
વિમાન દુર્ઘટનામાં અજીત પવાર દિવંગત થયા પછી તેના સ્થાને તેઓના પત્ની સુનિત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા, તે પહેલા શરદ પવાર અને સદ્ગત અજીત પવારની એનસીપીના પુનઃ જોડાણની વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી સમીકરણો ફરી બદલાયા અનેે હવે શરદ પવારની એનસીપીના કોંગ્રેસમાં વિલીનીકરણની વાતો ફરીથી થવા લાગી છે અને હવે સ્થાનિક નેેતાઓ દ્વારા ઉભય પક્ષે પુષ્ટિ થવાના અહેવાલો પછી એવું મનાય છે કે ટૂંક સમયમાં શરદ પવારની એેનસીપીનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિધિવત વિલીનીકરણ થઈ જશે.
જો કે, શરદ પવારની એનસીપીમાં પણ બે ગ્રુપ છે. એક જુથ એવું માને છે કે રાજ્યકક્ષાએ ફ્રેન્ડલીફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ એનસીપી (શરદ પવાર) દ્વારા એનડીએને સમર્થન આપવું જોઈએ, કારણ કે કેન્દ્ર, રાજ્ય અને બીએમસીમાં હવે એનડીએનું જ શાસન હોવાથી લોકોના કામો કરવા તથા અપેક્ષાઓ સંતોષવા માટે (ભલે બહાર રહીને પણ) એનડીએને સમર્થન આપવું જોઈએ. આ જુથ પૈકીના કેટલાક નેતાઓ તો રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક સ્તરે પણ એનડીએ તરફી રાજનીતિ કરવી જોઈએ, તેવું માનતા હોવાનું કહેવાય છે. કદાચ આ કારણે જ વિલંબ થઈ રહ્યો હશે, જો કે અંતિમ નિર્ણય તો શરદ પવારનો જ હશે, તેથી આ વિલીનીકરણની સંભાવનાઓ વધુ મજબૂત છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વાતો જો હકીકતમાં બદલે, તો કોંગ્રેસ માટે તો ઉત્તમ તક હશે જ, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિ પણ કરવટ બદલશે...
આ પહેલા પ. બંગાળમાં કારમી હાર થયા પછી આસમાનમાં ઊડતા મમતા બેનરજી જમીન પર આવી ગયા, ત્યારે ખુદ સોનિયા ગાંધીએ મમતા બેનરજીને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસની વિલીનીકરણ કરી નાખે, તો તેણીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાશે. આ પ્રકારની વાતો વહેતી થઈ, ત્યારે મમતા બેનરજી અને ભત્રીજો અભિષેક બેનરજી દિલ્હીની મુલાકાતે પણ આવ્યા હતાં. તે પછી એવું બહાર આવ્યું કે મમતા બેનરજીએ કોંગ્રેસમાં વિલીનીકરણ પછી તેણીને તથા તેના ભત્રીજાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં અન્ય મહત્ત્વપૂર્ણ પદોની માંગણી કરી હતી. તે પછી આ વાત અટકી ગઈ છે, પરંતુ તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલીનીકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું નથી, અને આ વાત ગમે ત્યારે આગળ વધી શકે છે.
ભૂતકાળમાં રાજીવ ગાંધીના નિધન પછી જ્યારે કોંગ્રેસના ઘણાં દિગ્ગજો કોંગ્રેસ છોડવા લાગ્યા હતાં, ત્યારે સોનિયા ગાંધીએે પોતાનો રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય પડતો મૂકીને કોંગ્રેસની કમાન્ડ સંભાળી. તે પછી કોંગ્રેસ મજબૂત બની અને પ્રારંભિક પડકારો પછી કેન્દ્રમાં યુપીએની સરકાર રચીને દસ વર્ષ શાસન પણ કર્યું હતું. તેવી જ રીતે કોંગ્રેસ પુનઃ મજબૂત બનીને મજબૂત વિપક્ષ બન્યા પછી ઈતિહાસ દોહરાવી પણ શકે છે.
અત્યારે સંસદમાં એનડીએ ઘણું જ મજબૂત છે, અને હવે રાજ્યસભામાં પણ તોતિંગ બહુમતી મળી છે, તથા અધિકત્તમ રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે, ત્યારે કેન્દ્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે પૂર્તતા દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જ કરી શકે તેમ છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ, પરંતુ હવે શું થાય છે તે જોવું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈવી પોલિસી જાહેર કરી છે. આ ઈલેક્ટ્રીક વાહન નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે, તે ઉપરાંત કેટલીક છૂટછાટો તથા પ્રોત્સાહનો પણ જાહેર કરાયા છે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસકોન્ફરન્સ યોજીને કરી હતી. આ બહુહેતુક નવી નીતિને આવકાર પણ મળી રહ્યો છે, તો કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં આ પ્રયોગ સફળ થાય અને વ્યાપક (જંગી) પબ્લિક રિસ્પોન્સ મળે, તો અન્ય રાજ્ય સરકારો પણ તેના આધારે પોતપોતાના રાજ્યોમાં આ પ્રકારની નવી યોજનાઓ બનાવશે. પોલિસીઓ ઘડશે અને લોકોને ઈવીના માર્ગે વાળવા માટે તેના ઉમદા ઉદ્દેશ્યો સમજાવી શકશે ખરી? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, અને કેટલાક તર્કો પણ પડઘાઈ રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જાહેર કર્યા મુજબ આ નવી પોલિસી પહેલી જુલાઈથી જ લાગુ થઈ જશે અને ૩૧ મી માર્ચ ર૦૩૦ સુધી અમલમાં રહેશે. આ નવી નીતિના મુખ્ય ઉદ્દેશ્યોમાં પર્યાવરણની સુરક્ષા, હવાઈ પ્રદૂષણમાં ઘટાડો અને પરિવહનના ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલ-સીએનજી પરની નિર્ભરતા ઘટાડવાના હોઈ શકે છે.
આ પોલિસી અંતર્ગત દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ફોરવ્હીલર્સ ઈલેક્ટ્રીક વાહનોમાં માતબર સબસિડી અપાશે. રૂ।. ૩૦ લાખ સુધીની એક્સ શો-રૂમ ઈલેક્ટ્રીક કારો પર લાગતી રજિસ્ટ્રેશન ફી તથા રોડ ટેક્સમાં સંપૂર્ણ માફી અપાશે. દ્વિચક્રીય વાહનો, જેવા કે સ્કુટર, બાઈક વગેરેની ખરીદી પર પહેલા વર્ષે રૂ।. ૩૦ હજાર, બીજા વર્ષે રૂ।. ર૦ હજાર અને ત્રીજા વર્ષે રૂ।. ૧૦ હજારની સબસિડી આપવાની જોગવાઈ કરાઈ છે. ત્રિચક્રીય વાહનો એટલે કે ઓટોરિક્ષા/ઈ-રિક્ષા પર પહેલા વર્ષે રૂ।. પ૦ હજાર સુધીની સબસિડી અપાશે, તેવું જાહેર કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત સંબંધિત વિભાગ દ્વારા પરિપત્રિત પણ કરાશે.
આ નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધે અને જુના વાહનોનો ભંગાર પણ વેંચાઈ જાય તે માટે એક્સચેઈન્જની વ્યવસ્થા પણ અમલી બનશે, તેવા સંકેતો છે. જાણકારોના અભિપ્રાયો મુજબ જુના વાહનો સ્ક્રેપમાં આપીને નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર રૂ।. પ૦૦૦ થી લઈને રૂ।. એક લાખ સુધીનું વિશેષ ઈન્સેન્ટિવ અપાશે.
આ પ્રકારની નવી નીતિ અમલી બને, ત્યારે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી નક્કી કરી લેવું ઘણું જ જરૂરી હોય છે. જ્યારે સીએનજી આધારિત વાહનોનો પ્રચાર-પ્રસાર વધારાયો હતો, ત્યારે એક તરફ માર્કેટમાં સીએનજી (ગેસ સંચાલિત) વાહનો માર્કેટમાં આવી ગયા હતાં, તો બીજી તરફ ગેસ ભરાવવા વાહનચાલકોને કેટલાક કિલોમીટર દૂર જવું પડતું હતું, કારણ કે ગેસ આધારિત વાહનોમાં ગેસ ભરવાની વ્યવસ્થા માટે ગેસફિલીંગ સ્ટેશનો (ગેસના પંપો) શરૂ કરવાના નવા નીતિ-નિયમો અમલી બનવામાં વાર લાગી હતી. હજુ પણ કેટલાક સ્થળે આ સમસ્યા છે, તેથી આ અનુભવના સંદર્ભે એવા સવાલો ઊઠી રહ્યા છે કે, આ નવી પોલિસીના અમલીકરણ માટે આ જ સમસ્યા તો ઊભી નહીં થાય ને? ઈલેક્ટ્રીક વાહનો ચાર્જીંગ માટેનું નેટવર્ક પર્યાપ્ત અને ફૂલપ્રૂફ તો હશે ને? ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સિસ્ટમમાં અવરોધ તો નહીં આવે ને? તેવી આશંકાઓ પણ ઊઠી રહી છે.
આ અંગે એવું જણાવાઈ રહ્યું છે કે આ યોજના ફૂલપ્રૂફ જ હશે, અને તમામ સંભાવનાઓ વિચારીને તેના નિવારણની વ્યવસ્થાઓ પણ થશે. રાજ્ય સરકાર આવતા ચાર વર્ષમાં આ યોજના પાછળ રૂ।. ૧પ હજાર કરોડનું રોકાણ કરશે. પહેલી જાન્યુ. ર૯ર૭ માં માત્ર ઈલેક્ટ્રીક ત્રિચક્રીય વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે, અને વર્ષ ર૦ર૮ ના એપ્રિલથી માત્ર દ્વિચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે. તેનો મતલબ એવો થાય કે આગામી પહેલી જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજી આધારિત ઓટોરિક્ષા વગેરે ત્રિચક્રીય વાહનોનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, તેવી જ રીતે એપ્રિલ ર૦ર૮ થી આ પ્રકારના દ્વિચક્રીય વાહનો એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ આધારિત સ્કુટર, બાઈક વગેરેનું રજિસ્ટ્રેશન જ નહીં થાય. આ પ્રકારના કડક નિર્ણયો પણ પર્યાવરણ સુરક્ષા, ઈંધણબચત તથા પર્યાવરણ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવાયા છે.
આ નવી પોલિસીમાં પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ અને ઈંધણબચત જેવા ઉદ્દેશ્યોને વિપક્ષી વર્તુળોએ પણ આવકાર આપ્યો છે, પરંતુ આ રીતે અચાનક જ ઈલેક્ટ્રીક વાહનોની નવી નીતિ લાગુ કરી દેવાથી ગરીબ-મધ્યમ વર્ગિય વાહનચાલકો અને ગિગ વર્કર્સ, ડિલિવરી બોય વગેરેને આર્થિક ફટકો પડશે, તેવી દહેશત પણ બતાવાઈ રહી છે.
ઈલેક્ટ્રીક વાહનોના સમયોચિત ચાર્જીંગ, બેટરીઓ ખરાબ થઈ જવાની સમસ્યા તથા બિનઉપયોગી થઈ ગયેલી બેટરીઓના સુરક્ષિત યોગ્ય નિકાલનો પ્રશ્ન ઊભો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વિના તથા તમામ વ્યવસ્થાઓની પ્રયોગાત્મક સફળતા સાથે પર્યાપ્ત વ્યાપક્તા વધાર્યા વિના સીધેસીધા જ એક-બે વર્ષમાં આ પ્રકારના કડક નિયમનો લાગુ કરી લેવા હિતાવહ કે વ્યવહારૂ નહીં હોવાના મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે. તેની સામે એવો જવાબ પણ અપાઈ રહ્યો છે કે પર્યાવરણની સુરક્ષા, જીવસૃષ્ટિ પર ખતરો ઊભો કરી રહેલું હવાઈ પ્રદૂષણ અને પ્રવર્તમાન સમયમાં ડીઝલ-પેટ્રોલ-ગેસ જેવા ઈંધણ પરની નિર્ભરતા વગેરે ઘટાડવા માટે આ પ્રકારની થોડીઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવામાં સૌએ સહભાગી બનવું જોઈએ, અને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઊઠવું જોઈએ.
એકંદરે એવું કહી શકાય કે તબક્કાવાર વર્ષ ર૦ર૭ સુધીમાં દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનોનું નવું રજિસ્ટ્રેશન બંધ કરવાથી આગામી એક દાયકા સુધીમાં હવાઈ પ્રદૂષણ ઘણું ઘટી શકે અને પ્રોત્સાહક યોજનાઓ થકી બહુચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ પણ વધતો રહે તો માત્ર પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની સુરક્ષા જ નહીં, પરંતુ જીવસૃષ્ટિને પણ નૈસર્ગિક નવજીવન આપી શકાય, તેમ હોવાથી જે આશંકાઓ ઊઠી રહી છે તેનો ઉકેલ લાવીને પણ આ પ્રકારની પોલિસી દિલ્હીની જેમ અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે.
ગુજરાત રાજ્ય દ્વારા પણ વર્ષ ર૦ર૧ માં ઈવી અંગે પોલિસી બની હતી, હવે આ પ્રકારની પોલિસી અપનાવવાની પહેલ ભાજપ શાસિત રાજ્યો ઝડપથી કરશે, તથા વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વતનના રાજ્ય ગુજરાતમાં પણ દિલ્હીની નવી યોજનાનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરીને એ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ઉદાર પ્રોત્સાહનો જાહેર કરાશે, તેવી આશા સેવાઈ રહી છે, જો કે દિલ્હી નાનું રાજ્ય અને દેશની રાજધાની છે, તથા ત્યાં હવાઈ પ્રદૂષણની સર્વાધિક સમસ્યા છે, તેથી ત્યાં આ પ્રકારની પોલિસી તત્કાળ અમલી બની શકે, તેવી દલીલ થઈ રહી છે, પરંતુ આખા ગુજરાતને લક્ષ્ય બનાવીને પ્રાયોરિટીમાં અમદાવાદ સહિતના વધુ હવાઈ પ્રદૂષણ તથા વાહનો ધરાવતા શહેરો-જિલ્લાઓમાં પ્રયોગાત્મક પ્રારંભ તો થઈ જ શકે ને? ભૂપેન્દ્રભાઈ વિચારશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ ગુજરાત સહિત ડ્રગ્સનો જથ્થો ઠેર ઠેરથી પકડાઈ રહ્યો છે, અને ગુજરાતમાં ડ્રગ્સ એડિક્સ વધી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે મોટાભાગે ડ્રગ્સના બંધાણીઓ કોલજિયનો બનતા હોવાની વાતોએ ચિંતા વધારી દીધી છે, તો બીજી તરફ કુમળી વયથી જ તમાકુના વિવિધ પ્રકારોનું સેવન કરતા બાળકોની સંખ્યા વધી રહી છે અને કન્યાઓ તથા મહિલાઓ પણ તમાકુના વ્યસનમાં વધુને વધુ સંખ્યામાં લપેટાઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે, ત્યારે વાલીઓ, સમાજ અને સામાજિક-ધાર્મિક-સંગઠનાત્મક અને સંસ્થાકીય આગેવાનોએ જાગવાની જરૂર છે.
ગુજરાતમાં ઠેર-ઠેર વધી રહેલી આ બદીની ચર્ચા શરૂ થઈ છે. તે પહેલા આ ચર્ચા રાષ્ટ્રીય કક્ષાએ શરૂ થઈ હતી અને કેન્દ્ર સરકારે રાજ્યોને ઉદ્દેશીને આ અંગેની એડવાઈઝરી પણ ભૂતકાળમાં જાહેર કરી હતી.
તમામ શેક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, ટ્યુશન ક્લાસીઝ, સંશોધન કેન્દ્રો, કૌશલ્યવર્ધન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો અને બાલમંદિરથી આઈઆઈએમ, આઈઆઈટી તથા સાયન્ટિસ્ટ ક્ષેત્રોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની શાખાઓ, પ્રયગશાળાઓને સાંકળીને આખા શિક્ષણ ક્ષેત્ર (ટોટલ એજ્યુકેશન સેક્ટર) ને તમાકુ અને ડ્રગ્સમુક્ત કરવાની આ પહેલને માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવમાં પંચાયતથી પાર્લામેન્ટ અને આંગણવાડીથી કેન્દ્રિય સચિવાલય તથા એમ્બેસી સુધી ચૂસ્તપણે અમલી બનાવવાની જરૂર છે.
આ પહેલનો પ્રારંભ કેન્દ્ર અને રાજ્યોના શિક્ષણ વિભાગના તમામ કાર્યાલયો, સચિવાલય, જિલ્લા તંત્રો, તાલુકા તંત્રો અને તમામ સરકારી કચેરીઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગૃહવિભાગથી શરૂ કરીને તમામ મહેકમોમાં ટોપ ટુ બોટમ અમલ કરીને પછી તેને છેક ગ્રામ્યસ્તર સુધી વિસ્તારવાથી જ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ અને ડ્રગ્સમુક્ત સમાજની આશા રાખી શકાશે.
કેન્દ્ર સરકારની એડવાઈઝરીમાં તો તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્દેશ્યને અગ્રતા અપાઈ હતી, પરંતુ તમાકુમુક્ત અને ડ્રગ્સ મુક્ત સમાજના ઉદ્દેશ્ય સાથે દેશવ્યાપી જનઆંદોલન શરૂ થવું જોઈએ, અને આ ચળવળ અવિરત ચાલતી રહેવી જોઈએ.
ટી.ઓ. એફઈઆઈ એટલે કે તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના મેન્યુઅલનો કડક અમલ કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ભૂતકાળમાં એડવાઈઝ આપી હતી. તેનો કેટલો અમલ થાય છે અને તેના હકારાત્મક કેવા પરિણામો છે, તેનો સ્ટડી થઈ રહ્યો છે.
ગ્લોબલ યુથ ટોબેકનો રિપોર્ટ કોરોનાકાળ પહેલા જાહેર થયો અને તેના ડેટા સામે આવ્યા પછી આ પ્રકારની એડવાઈઝરીઓ કેટલીક વિશ્વકક્ષાની સંસ્થાઓ તથા કેટલાક દેશોએ પણ પોતાના દેશોમાં જાહેર કરી હતી. એ રિપોર્ટમાં ભારતીય બાળકોમાં તમાકુના વ્યસનીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાનું બહાર આવ્યું હતું. આજે વર્ષો વિતી ગયા પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી અને આંકડાઓ વધતા જ રહ્યા છે.
ભારતમાં ૧૩ થી ૧પ વર્ષના વયજુથમાં તે સમયે સાડાઆઠ ટકા બાળકો તમાકુના વ્યસનીઓ હોવાનું જાહર થયું હતું, જે સંખ્યા અત્યારે કદાચ દોઢી કે ડબલ થઈ ગઈ હશે, કારણ કે તે સર્વે થયો તેને સાતેક વર્ષ થઈ ગયા છે. તે સમયે એવા તારણો રજૂ થયા હતાં કે ભારતમાં સાડાપાંચ હજારથી વધુ બાળકો દરરોજ તમાકુના વ્યસની બની રહ્યા છે. આ ગણતરી મુજબ અત્યારે તો દેશમાં કરોડો બાળકો વિવિધ તમાકુ પ્રોડક્ટ્સના વ્યસની થઈ ગયા હોવા જોઈએ. માત્ર તમાકુ જ નહીં, ડ્રગ્સના બંધાણીઓ પણ ઝડપભેર વધી રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ધૂમ્રપાનને લઈને બીજા ચિંતાજનક અને ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતાં. દેશમાં જીવનભર ધૂમ્રપાન કરનારા વ્યસનીઓ પૈકીના પપ (પંચાવન) ટકા લોકોએ ર૦ વર્ષની ઉંમર થતા પહેલા જ ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દીધુ હોય છે. ધૂમ્રપાન પછી યુવાવર્ગ ખૂબ જ ઝડપથી અને સરળતાથી ડ્રગ્સનું સેવન કરવા તરફ વળી જાય છે, તેવા તારણો પણ નીકળ્યા છે.
તમાકુનું સતત સેવન કરવાથી જીવનું જોખમ ઊભું થાય છે. તમાકુની આદતના કારણે મોઢું, ગળું, અન્નનળી, મૂત્રાશય, કિડની, સ્વાદુપીંડ અને સર્વિક્સ સહિતના કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાનથી ફેંફસાનું કેન્સર, હાર્ટએટેક, સ્ટ્રોક અને શ્વાસના દર્દોનું જોખમ વધે છે. પેટની લાઈનીંગને. નુક્સાન પહોંચે છે, કબજિયાત વધે છે, જે અનેક અન્ય બીમારીઓને જન્મ આપે છે. આંખ, કાન, બેલેન્સ અને ગેસ્ટ્રોલાઈઝની ગંભીર બીમારીઓ પણ આ કારણે ઉદ્ભવી શકે છે.
એવું નથી કે વ્યસનો છોડી શકાતા જ નથી, તમાકુ છોડી શકાય છે, આ માટે દૃઢ સંકલ્પ લેવો પડે અને જીવનભર બીડી-સિગારેટ પીતા હોય કે તમાકુવાળા પાન-માવા-ગુટ્ખા ખાધા હોય, તેને બધાને ક્યાં કેન્સર થાય છે? તેવા પ્રકારની દલીલો-તર્કોને સૌ પ્રથમ દિલોદિમાગમાંથી હટાવી દેવા પડે. તે પછી ખૂબ જ મક્કમ રહીને તમાકુને તિલાંજલિ આપી દેવી પડે, અને તે પછી કઈપણ સંજોગોમાં આદત ફરી લાગુ ન પડે તે માટે સ્વયં જ દૃઢ રહેવું પડે.
તમાકુ છોડી દીધા પછી કોઈપણ વ્યક્તિ ગમે તેટલો આગ્રહ કરે, મગજ કામ કરતું નથી, ડાયજેસ્ટીંગ પ્રોબ્લેમ થાય છે, તે પ્રકારની વિટંબણાઓ ઉદ્ભવે કે પછી થોડા દિવસો કે મહિનાઓ માટે સુસ્તી અનુભવાય કે અપચા જેવું રહે, તો પણ જો તમાકુનું સેવન રજમાત્ર પણ પુનઃ શરૂ થાય નહીં, તો તેનાથી કાયમી છૂટકારો મળી જાય છે, અને જીવ પરનું સંભવિત જોખમ પણ ટળી જાય છે, તે હકીકત છે.
હમણાંથી ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સનો જંગી જથ્થો પકડાય છે. તમાકુ જેટલું જ ખતરનાક ડ્રગ્સનું સેવન છે. ડ્રગ્સનું વ્યસન ખૂબ જ મોંઘુ, ખતરનાક અને શારીરિક-માનસિક તમામ ક્ષમતાઓનો વિનાશ કરનારૂ હોય છે. તેનાથી તો દૂર જ રહેવું સારૂ અને કોઈના આંધળા અનુકરણ કે પછી ટેન્શનો હળવા કરવા માટે શરાબના વ્યસનમાંથી ડ્રગ્સ તરફ વળ જવાથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. ટૂંકમાં તમાકુ હોય કે શરાબ, કે પછી ડ્રગ્સ હોય, તે બધા વ્યસનોનો અંજામ ખૂબ જ ખરાબ આવી શકે છે, અને સારો અંજામ ક્યારેય આવતો જ નથી.
ગુજરાતમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો પકડાતો હોવાથી ડ્રગ્સ માફિયાઓમાં પણ ફફડાટ હશે, કારણ કે પાકિસ્તાન સાથેની જમીન બોર્ડર તદ્ન બંધ થયા પછીથી પંજાબ-હરિયાણાના માર્ગે મોકલાતા ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘૂસાડવા માટે જુના જમાનામાં સ્મગલીંગ માટે ઉપયોગમાં લેવાતા માર્ગોનો ઉપયોગ થઈ રહ્યો હોય, અને ગુજરાતમાંથી ડ્રગ્સને દેશભરમાં મોકલાઈ રહ્યો હોય તો તે ખતરનાક છે, અને ગુજરાતની ભાવીપેઢીને બરબાદ કરીને ખોટા માર્ગે વાળનાર છે. આ કારણે હવે આ મુદ્દે સમાજ અને પબ્લિકે જાગૃત રહીંને એજન્સીઓને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં મદદરૂપ થવા અને યુવા વર્ગ પર નજર રાખીને ડ્રગ્સના આડે ચડતા અટકાવવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ધમાકેદાર શાળા પ્રવેશોત્સવ મનાવાયા. રાજ્યભરમાં મંત્રી-મહાનુભાવો-સચિવો તથા જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના પદાધિકારીઓ-આગેવાનો ગામડાઓ સુધી પહોંચ્યા અને પહેલેથી કરેલા સર્વે મુજબ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને આધ્યાત્મિક શિક્ષણમાં પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને મોજમસ્તીભર્યા માહોલમાં સ્કૂલોમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન કેટલાક દાતાઓએ ઉદાર દિલે દાન આપ્યું, તે ગ્રામજનો-સ્થાનિક આગેવાનોએ કાર્યક્રમોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. વર્ષ ર૦૦૩ થી ચાલી આવતી આ સરકારી પરંપરા નિભાવાઈ ગઈ અને હવે આખુ તંત્ર પોતપોતાની મૂળ ચીજો તફ વળ્યું હશે, અને વીક એન્ડ તથા તાજિયાની રજાઓ પછી સરકારી કચેરીઓમાં પહેલાની જેમ જ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપલબ્ધ રહેશે, તેવું માની શકાય.
આ વખતે પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કેટલીક ક્ષતિઓ સપાટી પર આવી ગઈ, તો કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની ખૂટતી જરૂરિયાતો કે વહીવટી-ટેકનિકલ સમસ્યાઓ પણ નજરે પડી. આ કાર્યક્રમોમાં મોટાભાગે શાસક પક્ષના નેતાઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોવાથી આ પ્રકારની ક્ષતિઓ કે સમસ્યાઓ પર ઢાંકપીછોડો થઈ શકે, પરંતુ કેટલાક સ્થળે રાજનીતિને બાજુ પર મૂકીને, આ કાર્યક્રમોમાં શિક્ષણ જેવા પવિત્ર કાર્ય તથા ભાવિ પેઢીની બુનિયાદ મજબૂત કરવાના ઉદ્દેશ્યો સામેલ હોવાથી વિપક્ષના નેતાઓ, પદાધિકારીઓ પણ જોડાયા હોય, ત્યાં ઢાંકપીછોડા થઈ શકતો હોતો નથી, અને પોલંપોલ બહાર આવી જતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક જાગૃત નાગરિકો પણ મોબાઈલ સેલફોનમાં રેકોર્ડીંગ કરીને શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો, સમસ્યાઓ કે ખામીઓને પ્રકાશમાં લાવવાનો સંનિષ્ઠ અને પવિત્ર પ્રયાસ કરતા હોવાથી પણ હવે બધી વાત પર ઢાંકપીછોડો કરવો મુશ્કેલ છે.
આ કારણે જ એક સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં. હાલારની એક પ્રાથમિક શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ તો ઉજવાયો, પરંતુ એવું બહાર આવ્યું કે એ પ્રાથમિક શાળામાં તો ચારેય શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એ પછી પ્રેસ-મીડિયામાં આ વાત છવાઈ ગઈ અને સોશિયલ મીડિયાની પાંખો આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ સત્ય બહાર એટલા માટે આવ્યું કે ત્યાં વિપક્ષના ધારાસભ્ય હાજર હતાં. આ જ રીતે શિક્ષકો, સુવિધા કે બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી ઘણાં સ્થળે હશે, તો પણ બધી જગ્યાએ વિપક્ષના નેતાઓ કે સંનિષ્ઠ જાગૃત અગ્રણીઓની હાજરી નહીં હોય, કે પછી તેઓથી વાસ્તવિક્તા છૂપાયેલી રાખવામાં સફળતા મળી હશે. ઘણી સરકારી શાળાઓ ખૂબ જ સુંદર કામ કરે છે, શિક્ષકો ઉત્સાહી છે અને સ્થાનિક સહયોગ તથા ગ્રામજનો-દાતાઓની હૂંફ તથા અદ્યતન સાધન-સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી હોય છે, તેની નોંધ પણ લેવાવી જ જોઈએ.
ગુજરાતમાં વર્ષ ર૦ર૪-રપ માં જિલ્લાવાર શિક્ષકોની જગ્યાઓ તથા તેની સામે ખાલી જગ્યાઓના આંકડાઓ મુજબ જામનગર જિલ્લામાં ૬૬૩ સરકારી પ્રાથમિક શાળાઓ ધોરણ ૧ થી ૮ ના ર૮૬૧ શિક્ષકો છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૮૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮ માં ર૪૭૬ શિક્ષકો છે. તેવી જ રીતે જામનગર મહાનગરમાં ૪૪ સ્કૂલોમાં ૩૯૯ શિક્ષકો છે. રાજ્યના આંકડાઓ મુજબ રાજ્યમાં લગભગ ૩ર હજાર સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં ૧૯ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૧ હજાર જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પછી બીજા તબક્કામાં ૩ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ભરવાની છે. રાજ્યમાં ૧૬૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વર્ષ ર૦ર૪-રપ માં બજેટસત્રમાં તત્કાલિન શિક્ષણ મંત્રીએ આ આંકડાઓ આપ્યા પછી કેટલીક ભરતી પ્રક્રિયાઓ થઈ, અને કેટલીક પ્રક્રિયાઓ ચાલી રહી છે, તેમ છતાં કેટલીક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય, ત્યાં કેવી સ્થિતિ હશે, અને તેને રજા પર જવું પડે, ત્યારે બાળકોના શિક્ષણનું શું થતું હશે, તે સમજી શકાય તેવું છે.
આંકડાઓ મુજબ વર્તમાન પ્રક્રિયા દરમિયાન ૧૧ હજાર તથા ૩૯૦૦ થી વધુ શિક્ષકોની ભરતી પછી પણ ૪ થી પ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે, જેમાં છાપરે ચડેલી એક પણ શિક્ષક વગરની હાલારની સરકારી પ્રાથમિક સ્કૂલ પણ સામેલ હશે ને?
ગુજરાતમાં વિપક્ષી નેતાઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તથા ખાનગી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના મુદ્દે સરકારને ઘેરતા હોય છે. વિપક્ષના નેતાઓ ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની સેવાઓ લેવાતી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ પણ કરતા હોય છે. રાજ્યની વિધાનસભામાં પણ દોઢ હજારથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાની ચર્ચા થઈ હતી. જ્ઞાનસહાયક જેવી શોષણપદ્ધતિ બંધ કરીને નિયમિત પૂરા પગારથી કાયમી શિક્ષકની નિમણૂક કરવા તથા અત્યારે ફરજો બજાવી રહેલા કરાર આધારિત જ્ઞાનસહાયકોને કાયમી કરવાની માંગણી પણ વિપક્ષો દ્વારા થઈ છે.
શાળા પ્રવેશોત્સવો દરમિયાન જ કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈમારતોની સ્થિતિ, વાયરીંગ અને જર્જરિત સંકુલો જોવા મળ્યા હશે, અને દર વર્ષની જેમ પ્રિ-મોન્સુન સાવચેતીના પગલાં લેવાની ફોર્માલિટી પણ પૂરી કરવાની હશે, તેથી રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સરકારી શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં વરસાદી સિઝનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવા ઉદ્દેશ્ય સાથે કેટલીક સૂચનાઓ પણ અપાઈ રહી છે. આ અંગે જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓ કડક નિરીક્ષણ કરશે તેમ જાહેર થયું છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે જર્જરિત ઓરડાઓમાં કે સ્કૂલોમાં અભ્યાસવર્ગો કે અન્ય કાર્યક્રમો નહીં ચલાવવા, મેદાન, છત તથા વરસાદી પાણી ભરાતા હોય, તેવા સ્થળોની સફાઈ કરીને સેઈફ સ્ટેજ નક્કી કરવા, ઈલેક્ટ્રીક વાયરીંગ તથા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોની પ્રિ-મોન્સુન ચકાસણી કરી લેવા તથા ખુલ્લા વાયરો, નબળી સ્વીચો કે ખામીયુક્ત અર્થીંગ, જોખમી વીજલાઈનોની તત્કાળ મરામત કરીને આઈએસએસ પ્રમાણિત વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા, ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિ માટે ઈમરજન્સી પ્રોટોકોલ નક્કી કરવા અને જરૂર પડ્યે વિદ્યાર્થીઓના તત્કાળ સ્થળાંતરની વ્યવસ્થા રાખવા આ ગાઈડલાઈન્સ દ્વારા તાકીદ કરાઈ છે. આમાં ક્યાંય ક્ષતિ રહેશે, તો જિલ્લા કક્ષાના બન્ને શિક્ષણાધિકારીઓની જવાબદારી ગણી શકાય, તેવી ગાઈડલાઈન્સ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધવિરામ પછી કાયમી શાંતિ સ્થપાશે, તેવા આશાવાદ વચ્ચે બન્ને દેશો વચ્ચે હજુ પણ અવિશ્વાસનું વાતાવરણ છે, અને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, જો કે ઈઝરાયલ દ્વારા હુમલા ચાલુ રહ્યા હોવાથી આ પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ રહે તે સ્વાભાવિક પણ છે, પરંતુ અનિશ્ચિતતાઓ હજુ પણ છવાયેલી હોવાથી ઈંધણનો પુરવઠો જાળવવાના પ્રયાસો બધા દેશોએ ચાલુ રાખ્યા છે. ભારતમાં દોઢેક મહિના ચાલે તેવો પુરવઠો હોવા ઉપરાંત હવે નવો પુરવઠો આવવા લાગ્યો હોવાથી આપણાં દેશને બહુ વાંધો આવે તેવું નથી, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ભારત સરકારે યુદ્ધ સમયે લીધેલા કેટલાક કડક નિર્ણયોની પનર્વિચારણા કરીને કેટલીક છૂટછાટો કરવાની દિશામાં પહેલું કદમ ઊઠાવ્યું છે અનેે એલપીજી સંદર્ભે લદાયેલા કેટલાક અંકુશો હટાવી લેવામાં આવ્યા છે. કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (નોન-ડોમેસ્ટિક) હેતુઓ માટે સરકારે યુદ્ધ સમયે કેટલાક અંકુશો મૂક્યા હતાં અને બલ્ક ખરીદી-વેંચાણ તદ્ન બંધ કરાયું હતું. હવે તેમાં પ૦ ટકા સુધીની છૂટછાટ અપાઈ છે. હવે સી-૩ અને સી-૪ નો ઉપયોગ ફરીથી વધી શકે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ઘરેલુ રાંધણગેસની પ્રાયોરિટી યથાવત્ રહેશે અને તેના ભાવોમાં કોઈ વધારો થશે નહીં, જો કે જે લોકો પાઈપલાઈનથી ગેસ મેળવતા હોય, એવા પીએનજીના ગ્રાહકોને એલપીજી કનેક્શન નહીં મળે, એ નિયમ યુદ્ધ પછી લાગુ કરાયો હતો તે યથાવત્ રખાયો છે, અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.
હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ક્રૂડ ઓઈલના બેરલના ભાવ, જે ૧ર૦ ડોલર સુધી પહોંચી ગયા હતાં, તેમાં ર૦ ટકાથી ૪ર ટકા સુધીનો ઘટાડો થયો છે, અને ગઈકાલ સુધીમાં ૭ર ડોલર સુધી પહોંચી ગયા છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં હજુ ઘટાડો કરાયો નથી, જેની લોકો રાહ જોઈ રહ્યા હતાં. આવું થવાના કારણો પણ અપાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો ઘટી ગયા હોવા છતાં પહેલાથી ખરીદેલું ક્રૂડ જે રસ્તામાં હોય તથા જેનો સોદો થઈ ગયો હોય, તેના ભાવો મૂળ ખરીદકિંમત મુજબ જ રહે, તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, લેબરચાર્જ, કરવેરા, ઘસારો વગેરે ઉમેરાતા ક્રૂડના ભાવોની ખરીદકિંમત વધી જાય. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે ભાવો જાળવી રાખવા જ્યારે ક્રૂડનું બેરલ રૂ।. ૧૦૦ થી ૧ર૦ વચ્ચે હતું, ત્યારે એક્સાઈઝ ડ્યુટી શૂન્ય સુધી ઘટાડી હતી, તેને સરભર કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે સરકારે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત આપી નહીં હોય તેમ મનાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવો પર જ માર્કેટ, ટ્રાવેલીંગ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરનો આધાર હોવાથી જો થોડો-ઘણો પણ ભાવઘટાડો થાય, તો તેની અસરો આ તમામ સેક્ટર્સ પર થતા લોકોને ઘણી રાહત થાય તેમ છે, તેથી સરકારે ઈંધણના ભાવોમાં ઘટાડો થાય તેવો નિર્ણય લેવો જ જોઈએ. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા માટે પેટ્રોલિયમ પેદાશો મોંઘા જ રાખવાની નીતિ અપનાવાઈ રહી હોય, તો પણ પહેલા મુસાફરીથી લઈને કાર્ગો સુધીના પરિવહન માટે પર્યાપ્ત ઈલેક્ટ્રીક વાહનો ઉપલબ્ધ થઈ જતા સુધી સરકારે રાહ જોવી જોઈએ અને ક્રૂડ આધારિત ઈંધણના ભાવો ઘટાડવાનું કદમ ઝડપભેર ઊઠાવવું જોઈએ, તેવા મંતવ્યો હકીકતલક્ષી ગણાય. જો પબ્લિકને ક્રૂડના ઘટતા ભાવોનો લાભ નહીં મળે તો મોંઘવારી ફાટી નીકળશે તથા અલનીનોની અસરથી જો વર્ષ નબળું જશે, તો સ્થિતિ બેકાબૂ બની જશે, તેવી આશંકાઓમાં વજુદ છે. આજે નહીં તો કાલે, કેન્દ્ર સરકાર ઈંધણના ભાવોમાં રાહત આપશે, તેવી આશા રાખીને બેઠેલી પ્રજાને જો નિરાશા સાંપડશે, તો તેના પડઘા આગામી વિવિધ ચૂંટણીમાં દેશવ્યાપી ધોરણે પડી શકે છે.
ગઈકાલે ભારતીય જનતા પક્ષ રપ મી જૂન-૧૯૭પ માં લદાયેલી કટોકટીની વરસી મનાવી રહ્યો હતો, ત્યારે વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનની ચોરી, ઈંધણના ભાવ તથા તાજેતરના અગ્નિકાંડો તથા બિહારના એન્કાઉન્ટરના મુદ્દે ભાજપ પર તડાપીટ બોલાવી રહ્યા હતાં. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એલપીજી પરથી અંકુશો ઊઠ્યા પછી હવે સરકાર કેવા કદમ ઊઠાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
હોર્મુઝ સ્ટ્રેટને લઈને સતત વિરોધાભાસી સમાચારો આવી રહ્યા છે. એક તરફ યુનો દ્વારા અમેરિકાના સહયોગથી ઓમાનના દરિયામાંથી નવો રૂટ એક્ટિવેટ કર્યા પછી ઈરાને ત્યાંથી પસાર થતા જ્હાજો મિસાઈલની રેન્જમાં હોવાનું જણાવી હુમલાની ગંભીર અને ગર્ભિત ધમકી આપ્યા પછી એવું પ્રતીત થાય છે કે હોર્મુઝ સંકટ ગમે ત્યારે ફરીથી સર્જાઈ શકે છે. આ સંજોગોમાં સરકારે ભવિષ્યને ધ્યાને લઈને રણનીતિ નવેસરથી નક્કી કરવી પડે તેમ છે. તો બીજી તરફ મોંઘવારીથી પીડાતી પ્રજાએ સંકટના સમયે સરકારને સતત સહયોગ આપ્યા પછી હવે જો બધું બરાબર હોય તો ક્રૂડના ભાવમાં થયેલા જંગી ઘટાડાના કારણે પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં થવાપાત્ર ઘટાડાનો મહત્તમ લાભ કંપનીઓને નહીં, પરંતુ ગ્રાહકો (જનતા) ને મળે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો એવું નહીં થાય તો જનતામાં આક્રોશ વધશે, અને કોંગ્રેસની 'ગૂંજ' તથા વિપક્ષોની ફોજ દિલ્હી (કેન્દ્ર સરકાર) ને રાજકીય રીતે ઘેરી વળશે, તે નક્કી છે. આશા રાખીએ કે એકાદ અઠવાડિયામાં દેશવાસીઓને 'રાહત'ના સમાચાર મળે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભીમ અગિયારસ છે, જેને નિર્જલા એકાદશી પણ કહે છે. આ વખતે અધિક (પરસોત્તમ) મહિનો પ્રથમ જયેષ્ઠ (જેઠ) મહિનામાં હતો, તેથી ભીમ અગિયારસ એક મહિનો મોડી થઈ છે. ભીમ ભૂખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહીં હોવાથી વ્યાસજીએ જેઠ સુદ-એકાદશીના દિવસે જળ ગ્રહણ કર્યા વગર એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીઓના વ્રતનું ફળ મળશે, તેવી સલાહ આપી હતી. આ નિર્જલા વ્રત ભીમે કર્યું હતું, તેથી આ એકાદશીને ભીમ અગિયારસ અથવા નિર્જલા એકાદશી કહેવાય છે, તેવી કથા છે. ઘણાં લોકો આ એકાદશીને પાંડવ પૂર્ણિમા અથવા પાંડવી પૂનમ પણ કહે છે. આ વ્રત કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, અને વર્ષની મોટી અગિયારસ અથવા મોક્ષદાયિની એકાદશી પણ કહેવાય છે.
જુના જમાનાથી એેવું કહેવાય છે કે ભીમ અગિયારસથી અષાઢી બીજ વચ્ચે શ્રીકાર વર્ષા થાય છે. ભીમ અગિયારસના દિવસે અમીછાંટણા થાય છે, તેને શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પછી ખેડૂતોએ ખરીફ સિઝન માટે કરેલા પરિશ્રમની ફલશ્રૂતિ મેળવવાનો અવસર જેઠ મહિનામાં ભીમ અગિયારસથી શરૂ થાય છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાય અને સાર્વત્રિક શ્રીકાર વર્ષા થાય, તવી આશા સ્વાભાવિક રીતે જ સૌ કોઈ રાખે છે.
ગઈકાલે આવેલ ફોરકાસ્ટ મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી ૭ દિવસમાં ભારે પવન અને વરસાદ સાથે વરસાદ થશે. મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ગઈકાલે જ ર૪ કલાકમાં દસ-બાર ઈંચ વરસાદ થઈ ગયો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ થયા પછી એકાદ-બે અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતો હોય છે. આ વખતે ચોમાસું મોડું થતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વિલંબથી આવશે, પરંતુ આ વર્ષે અલનીનોની કેટલીક અસર થશે, તે અંગે મતમતાંરો છે.
એવું કહેવાય છે કે અલનીનોની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે અને તેની માઠી અસરો હાલાર સહિત ગુજરાતના ચાર-પાંચ જિલ્લામાં થઈ શકે છે. તે ઉપરાંત પ્રાચીન વર્ષા વિજ્ઞાન તથા કુદરતી બદલાવ પરથી થતી આગાહીઓ સાથે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા હોવાના દાવો કરીને નબળા ચોમાસાની આગાહીઓ થઈ રહી છે. આ સંજોગોમાં લોકોને તદ્ન સચોટ અને વાસ્તવિક જાણકારી મળતી રહે અને હકીકતે જો નબળા ચોમાસાની સંભાવનાઓ હોય તો લોકોને તથા ખેડૂતોને સમયોચિત રીતે માહિતગાર કરીને તેને મદદરૂપ થવાનો માસ્ટરપ્લાન પણ અત્યારથી જ વિચારી લેવો જોઈએ. અલનીનોની બહુ અસર ન થાય, અથવા અરબી સમુદ્રમાં પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાયપોલ અલનીનોની વિપરીત અસરોનેે અટકાવી શકે છે અને દુષ્કાળની સંભાવનાઓને પણ મહદ્અંશે ઘટાડી શકે છે, તેથી આજે એકાદશીના પવિત્ર પર્વે એેવું પ્રાર્થીએ કે સારો વરસાદ થાય, અને અલનીનોનો કાળો પડછાયો ન પડે. વર્ષ સારૂ જાય અને ધનધાન્યની ઉણપ રહે નહીં.
આમ છતાં, બદલતા ઋતુચક્ર, સંભાવનાઓ તથા ફોરકાસ્ટને ધ્યાને લઈને આગમચેતી રાખવી જરૂરી છે. જુના જમાનાની જેમ અત્યારે ટાંચા સાધનો તથા ઢીલી સંચાર વ્યવસ્થા નથી. આજના ઈન્ટરનેટ યુગમાં હજારો કિલોમીટર દૂર દરિયામાં થતી ઘટનાઓની રજેરજ માહિતી મોકલી પણ શકાય છે, અને નિહાળી પણ શકાય છે, તેથી મોસમ પર બાજ નજર રાખીને સાયન્ટિસ્ટો, તંત્રો અને સરકાર તમામ જરૂરી આગોતરા કદમ પણ ઊઠાવી શકે છે, અને જરૂર પડ્યે કરકસરના કદમ પણ ઊઠાવી શકે છે. આ માટે પ્રવર્તમાન ઉપલબ્ધ જળરાશિ તથા ભૂગર્ભ સપાટીની સમીક્ષા કરીને અત્યારથી જ કેટલાક અંકુશો મૂકવાનું વિચારી શકાય છે, અને તે દિશામાં કદાચ કેટલાક તંત્રોએ કદમ ઊઠાવવાનું શરૂ પણ કરી દીધું છે.
કેન્દ્ર સરકારે દેશના ૩૧પ થી વધુ સૌથી વધુ એવા જિલ્લાઓ અલગ તારવ્યા છે, તેમાં પણ સિંચાઈની સુવિધાઓ ઘણી જ ઓછી હોય, તેવા જિલ્લાઓને પ્રાયોરિટીમાં રાખ્યા છે. આ જિલ્લાઓમાં પાણીની કરકસર અને બચત માટે જરૂર પડ્યે કડક કદમ ઊઠાવવાની તૈયારી પણ રખાઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે.
અલ્પવૃષ્ટિની સ્થિતિમાં દાળ, તેલિબિયાનું અનાજ-કઠોળના વિકલ્પે અથવા મહત્તમ વાવેતર કરવામાં ખેડૂતોને મદદરૂપ થવા, પશુધનને નિભાવવા તથા લોકોને પીવાનું પાણી પૂરૃં પાડવા માટે પ્લાન એ, બી, સી, બનાવીને તેનો અમલ કરાવવાનું માઈક્રો પ્લાનિંગ કરવું પણ આવશ્યક છે. તે ઉપરાંત અનાજ, કઠોળ અને આવશ્યક ચીજવસ્તુઓનો બંફરસ્ટોક તથા ઘાસચારાનો વિપુલ જથ્થો સંગ્રહી રાખવા જેવા કદમ ઊઠાવવા પણ જરૂરી છે. આ તમામ બાબતો કેન્દ્ર સરકારના માસ્ટ પ્લાનમાં હશે જ, તેવી આશા રાખીએ...
ગુજરાતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી અને હાલારમાં ચોમાનું મોડું પડ્યું છે, ત્યારે અલનીનોની આશંકાને લઈને સ્થાનિક તંત્રો પણ એલર્ટ થઈ ગયા છે. જામનગર સહિતના ૧૦ શહેરોમાં આંશિક 'નળબંધી' થઈ રહી છે અને જ્યાં દૈનિક જળવિતરણ થતું હતું, ત્યાં હવે એકાંતરા જળવિતરણ થશે, તેવું જાહેર થયું છે. તે ઉપરાંત કેટલાક નગરો તથા ગ્રામ વિસ્તારોમાં તો ચાર-પાંચ દિવસ કે અઠવાડિયે પાણી પુરવઠો અપાતો હોવાની રાવ પણ ઊઠી રહી છે. જો વરસાદ વધુ ખેંચાય, તો પ્રવર્તમાન નળબંધીમાં વધારો પણ થઈ શકે છે.
જો આગામી સમયને સુરક્ષિત રાખવા માટે વર્તમાનમાં થોડી કરકસર કરવી પડે, કે તકલીફ ભોગવવી પડે, તો નાગરિકોએ સહયોગ પૂરો પાડવો જોઈએ, જે આપણું કર્તવ્ય છે, પરંતુ પીવાના પાણી પર કાપ મૂકવાની સાથે સાથે વિવિધ કામો માટે ભૂગર્ભમાંથી દરરોજ વિપુલ જળરાશિ ખેંચતા લોકો પર 'જળબંધી' કરવી જરૂરી છે. તે પણ ન ભૂલવું જોઈએ. આજે નિર્જલા એકાદશીના દિવસે પ્રભુને પ્રાર્થીએ કે પુષ્કળ વરસાદ વરસાવીને અલનીનોને અટકાવી દ્યે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપની સ્નેહાળ સ્મૃતિઓ... પ્રેરણાનું ઝરણું...
માધવાણી પરિવાર અને 'નોબત' પરિવારના માતૃતુલ્ય અને 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના જીવનસંગિની સ્વ. ઉર્મિલાબન માધવાણીની આજે પુણ્યતિથિ છે. આજે તેઓની સ્નેહાળ સ્મૃતિઓ વધુ તાજી થઈ છે, અને અમને સૌને તેની પ્રેરણાદાયી હૂંફની અનુભૂતિ આજે પણ થઈ રહી છે.
વર્ષ ર૦૧૯ ની ર૪ મી જૂનનો એ દિવસ અમારા માટે આઘાતજનક હતો, જ્યારે આપ અમને બધાને છોડીને અનંતયાત્રાએ નીકળી ગયા હતાં. આપે હંમેશાં અમનેે સૌનેે પ્રેમાળ પથદર્શન સાથે હૂંફાળુ વાત્સલ્ય આપ્યું હતું. આપની મમતાળું હૂંફ, નિખાલસ સ્વભાવ, શાંત મનોવૃત્તિ અને જીવનના પડકારો સામે ઝઝુમવાની તાકાત અમારા માટે હંમેશાં પ્રેરણાદાયી રહેશે. આપનું સદાચાર, સંસ્કાર અને સાદગીભર્યું જીવન અમારા બધા માટે હંમેશાં અનુકરણીય બન્યું છે.
માતૃત્વની શિતળ છાયા ગુમાવ્યા પછી ક્યારેય પુનઃ મળતી નથી. આપ અમારા બધાના માતૃતૃલ્ય હતાં. આપની અણધારી વિદાય હતી, પરંતુ ઈશ્વરની આ ઘટમાળ પાસે પામર મનુષ્યનું કાંઈ ચાલતું નથી. જન્મ-મરણ ઈશ્વરને આધીન હોય છે, તેથી આપ અનંતયાત્રાએ નીકળી ગયા પછી આપની ખોટ આજ સુધી પૂરી શકાઈ નથી.
આપની પ્રેરણાદાયી સ્મૃતિઓ તથા માતૃત્વના શિતળ છાંયડાને સ્મરીને આજે પણ અમને બધાને જીવનના સંઘર્ષો સામે લડવાની તથા સર્વજનહિતાય, સર્વજનસુખાય જીવવાની તથા સૌને મદદરૂપ થવાની પ્રેરણા મળે છે.
આપના રાશીર્વાદ હંમેશાં અમારા પર વરસતા રહે અને વૈકુંઠમાંથી પણ અમારા બધા પર આપની અમી દૃષ્ટિ રહે તેવી શ્રીજીને પ્રાર્થના સાથે અમે બધા ખૂબ જ ભાવપૂર્વક આપને સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
જામનગર
તા. ર૪-૦૬-ર૦ર૬
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
એક તરફ સામાન્ય જનતામાં હંમેશાં એક કોમન ફરિયાદ સંભળાતી હોય છે કે સરકારી-અર્ધ સરકારી કચેરીઓ-બોર્ડ-નિગમોમાં કોઈપણ કામ મોટાભાગે પૈસા આપ્યા વિના થતું જ નથી, તો બીજી તરફ સરકાર પારદર્શક વહીવટનો દાવો કરતી રહે છે. ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન માટે જ ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. અને સિસ્ટમ પણ હવે ટ્રાન્સપરન્ટ અને ડિજિટલાઈઝેશન સાથે અદ્યતન થઈ રહી હોવાનું જણાવાય છે. આ વિરોધાભાસી મંતવ્યો-દાવાઓ વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરોએ જાહેર જનતાને ભ્રષ્ટાચારી તંત્રો અંગે જાણકારી આપવાનો અનુરોધ કર્યા પછી વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો એક વધુ વખત 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.
બન્યું છે એવું કે આણંદના એક પૂર્વ આર.એ.સી.ની સામે ચાલી રહેલી એક તપાસ પછી એસીબી દ્વારા તેણી સામે ગૂન્હો નોંધવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે તેણીએ પોતાના અને પોતાના પરિવારના નામે વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો તેણીની આવક કરતા ઘણી વધુ છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ દરમ્યાન તેણીના આવક-ખર્ચ વચ્ચે ઘણી બધી વિસંગતતા સામે આવી હોવાનો દાવો પણ કરાયો છે. આ ડિફરન્સ આ અધિકારીએ કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. તેણીએ આ માલ-મિલકતો સત્તાનો દુરૂપયોગ દ્વારા આર્થિક લાભ મેળવીને વસાવી હોવાનો આરોપ મુકાયો છે, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જુદી જુદી કલમો હેઠળ ગૂન્હો નોંધ્યા પછી જાહેર જનતાને એવો અનુરોધ કરાયો છે કે તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સહયોગ આપે અને કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારી ભ્રષ્ટાચાર આચરીને ગેરકાયદેસર રીતે સંપત્તિઓ ખરીદતા હોય કે મિલકતો વસાવતા હોય તો તેની જાણ એસીબીને તત્કાળ કરે.
આ વિવાદાસ્પદ કેસ સાથે સંકળાયેલા મહિલા અધિકારી સામે અન્ય કેટલાક કેસો પણ થયા હતા અને સજા થઈ હતી, હવે તેણીની મિલકતને લઈને એસીબી દ્વારા કેસ થયો હોવાના અખબારી અને પ્રેસ મીડિયાના અહેવાલો ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ માટે બોધપાઠરૂપ છે અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યા છે.
તાજેતરમાં જ એસીબીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓને એન્ટિકરપ્શન એકટ હેઠળ દબોચ્યા છે અને લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. આ અધિકારીઓની સંપત્તિ પણ આવક કરતા ઘણી જ વધુ નીકળી હતી. એસીબીએ સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલને રૂ।. ૩૦ લાખની લાંચ લેવાના કેસમાં દબોચ્યા. તેથી ખાતાની ક્રેડેટિબિલિટી વધી હતી. તે ઉપરાંત જમીનની કોઈ ફાઈલના નિકાલ માટે એક ડેપ્યુટી મામલતદાર, જપ્ત કરેલા વાહનને છોડાવવા માટે જીએસટીના એક અધિકારી દ્વારા રૂ।. ૧૦ લાખ લેતા ઝડપાયા હોવાના રાજ્યના જુદા જુદા સ્થળે નોંંધાયેલા ગૂન્હા જોતા ભ્રષ્ટાચાર પણ હવે "મોંઘો" થઈ ગયો હોવાનું તારણ નીકળે છે.
વર્ષ ૨૦૨૫ના એક રિપોર્ટ મુજબ બે વર્ષમાં એસીબીએ રાજયમાં ભ્રષ્ટાચાર વિરોધી ૨૧૩થી વધુ ગૂન્હાઓ નોંધીને ૩૧૦ ભ્રષ્ટાચારીઓને દબોચી લીધા હતા. જેમાં વર્ગ-૧ના ૧૩ તથા વર્ગ-૨ના ૩૫ અધિકરીઓ સામેલ છે. સૌથી વધુ કેસ ગૃહ-મહેસુલ અને પંચાયત વિભાગમાં નોંધાયા છે.
તાજેતરમાં મોટી ખાવડી પાસેથી પીજીવીસીએલના કર્મચારીઓ પકડાયા હતા, જેની સામે રૂ।. ૮૦ હજારની લાંચ લેવાનો આરોપ મુકાયો છે. તે પહેલા કલ્યાણપુરના હરિપરમાં તો સરપંચના પરિવારજનો જ લાંચ કેસમાં પકડાયા હતા. આ પ્રકારના દૃષ્ટાંતો ચોતરફ ચાલી રહેલા ભૂંડા ભ્રષ્ટાચારના છે.
જો કે, આ દૃષ્ટાંતો તો પકડાયેલા ભ્રષ્ટાચારીઓના છે. આઈસબર્ગની જેમ આ પકડાયેલા કેસો કરતા અનેકગણો ભ્રષ્ટાચાર ઉધઈની જેમ જનતાને કોતરી રહ્યો છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જરૂરી પૂરાવા અને સરકારી ખાતા સામે બાથ ભીડવાની હિંમતના અભાવે ઘણી વખત ભ્રષ્ટાચારીઓની ફરિયાદ કાં તો થતી જ નથી અને કાં તો પૂરવાર થતી નથી, તેથી જ આ ભોરીંગ વધુ ને વધુ ભરડો લઈ રહ્યો છે.
એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા છટકાં ગોઠવાય, આરોપીઓ રંગે હાથ પકડાય અને તે સમયે તેની વ્યાપક પબ્લિસિટી થાય, તેથી લાંચમાં પકડયેલા અધિકારી-કર્મચારીઓની આબરૂ જાય કે સમાજમાં નીચાજોણું થાય તેથી લાંચ-રૂશ્વતના રવાડે નહીં ચડવા વડીલો સલાહ આપતા અને અધિકારી-કર્મચારીઓ પણ આ પ્રકારની સંભાવનાઓથી ડરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ પ્રકારની શરમ-સંકોચ રહ્યા નથી અને પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કાનૂની લડત લડીને ઘણાં લાંચ રૂશ્વતના આરોપીઓ વર્ષો સુધી કેસ ચાલ્યા પછી નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી એક નવી ચર્ચાએ પણ ઊઠી છે કે છટકું ગોઠવીને પૂરતા પૂરાવા સાથે રંગેહાથ સ્વયં લાંચ લેતા અધિકારીઓ-કર્મચારીઓ નિર્દોષ છૂટવા જ ન જોઈએ. આ સંદર્ભેે એસીબીના થતા કેસોમાં કેટલાને સજા થાય છે, અને કેટલા નિર્દોષ છૂટે છે, તેની ચર્ચા સાથે સવાલો પણ ઉઠતા રહે છે કે આ માટે "સિસ્ટમ" જવાબદાર છે ? કોણ જવાબદાર છે ?
ભ્રષ્ટાચારના કારણે માનવજિંદગીઓ પણ હોમાતી હોય છે. સુરતનો તક્ષશીલા અગ્નિકાંડ હોય, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, કે પછી ગઈકાલનો લખનૌનો અગ્નિકાંડ હોય, આ બધા અગ્નિકાંડોમાં હોમાયેલી જિંદગીઓ પાછળ ભ્રષ્ટ રીતિ-નીતિ તથા લાંચિયા અધિકારીઓ જ જવાબદાર ગણાય ને ?
એક કરચોરીના કેસમાં રૂ।. ૨૦ લાખની લાંચની માંગણી કરવાના આક્ષેપ હેઠળ આણંદના ઈન્કમ ટેકસના એક ઉચ્ચ અધિકારી તથા એક એડવોકેટને સીબીઆઈ દ્વારા રંગેહાથ પકડાયા હતા. આ કેસમાં એટલા સચોટ પૂરાવા એકત્રિત કરાયા હતા કે સ્પેશિયલ કોર્ટે આ બંનેને સજા ફટકારી હતી. ઈન્કમ ટેકસના તે સમયના ૨૩ વર્ષ પહેલાના ડેપ્યુટી ડાયરેકટર કક્ષાના ઉચ્ચ અધિકારી અને તેની મદદ કરનાર એડવોક્ેટને અનુક્રમે બે વર્ષ તથા એક વર્ષની સજા ફટકારાઈ હતી. આ ચૂકાદા સામે થયેલી અપીલમાં હાઈકોર્ટે આ સજા યથાવત રાખી છે. આ દૃષ્ટાંત મજબૂત પૂરાવા હોય તો દાયકાઓ પછી પણ અપરાધીઓ છુટી શકતા નથી. આ પ્રકારના સોલીડ કેસમાં લાંચિયાઓને છટકબારી મળતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વર્ષે ચોમાસું અટવાઈ ગયું અને ગરમી વધી ગઈ તેથી ગુજરાતીઓ પરેશાન છે. રાજ્યમાં ગરમી અસહ્ય બની રહી છે અને તેમાં હવે ભેજનું ૩૦ થી ૬૦ ટકા સુધીનું પ્રમાણ ઉમેરાતા બફારો પણ વધ્યો છે. આ કારણે માર્કેટમાં એરકન્ડીશન્ડ મશીનોનું પ્રમાણ વધ્યું છે, તેથી વીજ પુરવઠાની માંગ પણ વધી છે. આ જ કારણે વીજલાઈનો પર દબાણ વધતા વીજળીના ધાંધિયા પણ વધ્યા છે અને નાના-મોટા વીજફોલ્ટ વધી જતા વીજકંપનીની ટીમોની હડિયાપટ્ટી પણ વધી છે.
કેરળમાં ચોમાસાના આગમન પછી જે ગતિથી ચોમાસું આગળ વધતું હોય, તેમાં આ વખતે બદલાવ આવ્યો છે. ચોમાસાની ઉત્તરીય સીમા અત્યારે હૈદ્રાબાદ, સોલાપુર, રાંચી થઈને પસાર થઈ રહી છે. ઉત્તર ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. આ કારણેે દક્ષિણ ઉત્તર તરફથી પટ્ટીમાં વરસાદની એક્ટિવિટી વધી છે. હવામાન ખાતાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ઉ. ગુજરાતથી પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીની પટ્ટીમાં સપાટીથી પ.૮ કિ.મી.ની ઊંચાઈ પર રચાયેલી ટ્રફ લાઈન અને નીચલા સ્તરે ફૂંકાઈ રહેલા દક્ષિણ-પશ્ચિમ પવનોના કારણે ગઈકાલે સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનને માઠી અસર પહોંચવા છતાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે, અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ તા. ર૮ થી જૂન સુધીમાં પડી શકે છે.
હવામાન ખાતાએ ર૮ મી જૂન સુધીની કરેલી છૂટાછવાયા, મધ્યમ વરસાદની આગાહીમાં મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નામ છે, પરંતુ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં માત્ર હળવા વરસાદનું અનુમાન કરાયું છે. તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની સંભાવના દર્શાવાઈ છે. આમ, એક તરફ ચોમાસાના આગમનના કારણે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી વહેલી થશે, તેવી શક્યતા જણાવાઈ રહી છે, તો બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ જિલ્લાઓ બાકાત રહેતા ચિંતા પણ વધી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમી ગતિથી આગળ વધીને આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચશે, તેવી આગાહી છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમનની કોઈ ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નથી. અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે, તે પ્રિ-મોન્સુન એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. આમ, મોડું થતું ચોમાસું, અલનીનોની અસરો અને રાજ્યના જળાશયોમાં ખૂટી રહેલો જળરાશિ ચિંતાજનક છે, તેથી રાજ્ય સરકારે 'સબ સલામત'ની રાબેતામુજબની રેકર્ડ વગાડવાના બદલે સમયોચિત કદમ ઊઠાવવા જોઈએ.
ગઈકાલે ર૧ મી જૂને યોગ દિવસ ઉજવાયો અને જામનગર-હાલાર સહિત ઠેેર ઠેર યોગશિબિરો યોજાઈ. યોગાના કાર્યક્રમો દરમિયાન એકત્રિત થતા લોકોમાં પણ ખેંચાયેલું ચોમાસું, અલનીનોની અસર અને જળાશયોમાં ઉપલબ્ધ જળસંગ્રહની જ સર્વાધિક ચિંતા વ્યક્ત થઈ રહેલી જોવા મળી રહી હતી. લોકો જામનગરમાં તો પહેલા વરસાદી ઝાપટાંમાં જ શહેરમાં થયેલા જળભરાવને યાદ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની ટીકા કરી રહ્યા હતાં, ત્યારે કેટલાક લોકો વ્યંગમાં એવું કહેતા પણ સંભળાયા હતાં કે ચોમાસું મોડું આવવાનું હોવાથી તંત્રોને ક્ષતિ સુધારવા અને બાકી રહી ગયેલી પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની તક મળી ગઈ છે, તો કેટલાક લોકો નિંભર તંત્રો આ કુદરતે આપેલી તકનો લાભ નહીં ઊઠાવે, તો મહાનગરની 'મહાદશા' કેવી હશે? તેવો સવાલ પણ ઊઠાવી રહ્યા હતાં. સામાન્ય જનતાની આ લાગણીઓ અને ચિંતાઓની અસર હંમેશાં ઉજવણીઓના મૂડમાં રહેતા શાસકો-પ્રશાસકો સુધી પહોંચી હશે કે કેમ? તે તો રામ જાણે, પરંતુ દેશમાં ફરીથી એક વખત અયોધ્યાના રામમંદિરનો મુદ્દો જુદા સ્વરૂપે ફરીથી 'ટોક ઓફ ધ નેશન' બન્યો છે, તેની થોડી ઘણી ચર્ચા પણ થતી જોવા મળી હતી. અયોધ્યાના રામમંદિરમાં ગોલખચોરીના મુદ્દે રચાયેલી એસઆઈટી આજે યુ.પી.ને પ્રાથમિક રિપોર્ટ આપશે, તેવા અહેવાલો વચ્ચે દેશભરના પ્રત્યેક ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓને મંદિર માટે કરેલા દાન પર 'તરાપ' મારતા, દર્શન માટે ઊંચો ચાર્જ વસૂલતા કે પ્રસાદમાં ઘાલમેલ કરતા પરિબળોને સાંકળીને કોઈ કડક કાયદા બનવા જોઈએ, તેવા જન-પ્રત્યાઘાતો પણ સંભળાઈ રહ્યા હતાં, જો કે સર્વાધિક ચિંતા અલ્પવૃષ્ટિ અને સંભવિત દુષ્કાળની જ થઈ રહી છે.
આવી ચિંતા વ્યક્ત થઈ રહી હોય, તે સ્વાભાવિક છે, કારણ કે ચોમાસાની અનિશ્ચિતતાઓ સાથે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં ર૦ ટકા જેટલો જળસંગ્રહ ઓછો હોવાના અહેવાલો પછી અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં માત્ર સિંચાઈ નહીં, પરંતુ લોકોનો પીવાના પાણી તથા પશુ-પંખીઓના નિભાવનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. અત્યારે તો સૌની યોજના અને નર્મદા યોજનાનો સહારો છે, પરંતુ જો દુષ્કાળ પડે તો અણકલ્પ્ય સ્થિતિ ઊભી થાય અને દાયકાઓ પહેલા ઊભા થતા દૃશ્યો ફરીથી જોવા મળે, તેવી સંભાવના નકારી શકાય નહીં.
અહેવાલો મુજબ સૌરાષ્ટ્રમાં ૧૪૦ થી વધુ ડેમોમાં અત્યારે માત્ર ર૭.૪૦ ટકા જ જળસંગ્રહ છે. આખા રાજ્યની વાત કરીએ, તો રાજ્યમાં ર૦૦ થી વધુ ડેમોમાં પણ ૩૬.૯૪ ટકા જ જળસંગ્રહ છે, જેના પર આખા રાજ્યનો આધાર છે, તે નર્મદા ડેમમાં પણ ૬પ ટકાની આજુબાજુ જળસંગ્રહ છે. ગયા વર્ષે તો આ જ સમયગાળામાં પ્રિ-મોન્સુનના ભારે વરસાદ અને તે પછી ચોમાસાની એન્ટ્રી થતા ડેમોમાં પ૦ ટકા જેટલો જળસંગ્રહ થયો હતો, જ્યારે આ વર્ષે તો હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અડધો ડઝન જિલ્લાઓમાં ઘણાં ડેમોમાં શુન્ય જળરાશિ હોવાથી સૂકાઈ ગયા છે, અને મેદાનો જેવા બની ગયા છે, જ્યારે ૧૧૦ જેટલા ડેમોમાં માત્ર ર૦ ટકા કે તેથી ઓછું જ પાણી બચ્યું છે.
જળસંગ્રહની રાજ્યની કુલ ૮.૯૧ લાખ એમસીએફટી જેટલી ક્ષમતા છે, તેમાં સૌરાષ્ટ્રની ૯૧ હજારથી વધુ એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ તેમાંથી અત્યારે નર્મદા સહિત ૪.ર૪ લાખ એમસીએફટી જળસંગ્રહ છે. તેથી જો ભીષણ દુષ્કાળ પડે તો આ જળસંગ્રહ પણ ઓછો પડે તેમ હોવાથી ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા અત્યારથી જ આગમચેતીના પગલાં લેવા જરૂરી છે.
જો કે, ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાં ગત્ વર્ષે આ સમયગાળામાં હતો, તેનાથી સવાયો જળસંગ્રહ હોવાથી રાજ્ય માટે રાહતરૂપ છે, પરંતુ જું કહેવાઈ રહ્યું છે, તે મુજબ અલનીનોની વિપરીત અસરો સર્વાધિક હાલાર સહિત સૌરાષ્ટ્રના ચાર-પાંચ જિલ્લાઓને થવાની હોય તો તેના પર ધ્યાન કેન્દ્રિત (ફોકસ) કરીને પાણીની બચત, કરકસર અને ખાસ કરીને ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા નવા બોર કરવા તથા પ્રવર્તમાન બોરમાંથી ખૂબ જ મોટો જથ્થો ઉલેચવા પર સંતોષકારક વરસાદ થતા સુધી અંકુશો મૂકવાની જરૂર જણાય છે.
ટૂંકમાં, આ વર્ષે અલનીનોની વિપરીત અસર થાય, વરસાદ ઓછો પડે, દુષ્કાળ કે અછત જેવી સ્થિતિ ઉપસ્થિત થાય અથવા હાલાર સહિત કેટલાક જિલ્લાઓમાં વધુ વિષમ સ્થિતિ ઊભી થાય, તો તેના માટે અલાયદો માસ્ટર પ્લાન અત્યારથી જ તૈયાર રાખવાની જરૂર છે, અને ઉપરાંત આગામી વર્ષ માટે તમામ લોકો તથા પશુધન માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, ખેતીની સિંચાઈને અગ્રતા આપીને અન્ય હેતુઓ માટે જંગી જળ વપરાશ પર હાલતુરંત અંકુશો મૂકવાની તાતિ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આ સંદર્ભે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું એકચક્રીય શાસન રહ્યું છે, પરંતુ વર્ષ ર૦ર૭ ની ચૂંટણીમાં આ વખતે માત્ર કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહી છે, અને આ વર્ષે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ રાજ્યવ્યાપી માઈક્રો પ્લાનીંગ અમલમાં મૂકી દીધું હોય તેવા સંકેતો છે.
ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં હોદ્દાઓની જાણે લ્હાણી કરી છે. આ પહેલા પણ રાજ્યવ્યાપી નિમણૂકો થઈ હતી. ગઈકાલે જાહેર થયેલી યાદી મુજબ રાજ્યમાં ૧ર નવા ઉપપ્રમુખો અને ૧૪ સંગઠનમંત્રીઓ ઉપરાંત યુવા, મહિલા અને વિદ્યાર્થી મોરચાઓના નવા પ્રમુખો નિમાયા છે. આ નિમણૂકોમાં જ્ઞાતિ-જાતિ, વર્ગ અને પ્રદેશનું સંતુલન બેસાડવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. ભૂતકાળમાં યુવા આંદોલનો સાથે જોડાયેલા કેટલાક યુવાનેતાઓને આ નિમણૂકોમાં પણ સ્થાન મળ્યું છે, અને પરીક્ષાઓમાં ગરબડ, પેપરલીક અને સરકારી ભરતીઓના મુદ્દે અવારનવાર અવાજ ઊઠાવનાર યુવરાજસિંહ જાડેજાનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં ઓનલાઈન ઉભરેલી કોકરોચ પાર્ટીને પણ 'આપ'નું મૂક સમર્થન હોય તેમ જણાય છે. તાજેતરમાં 'આપ'ના સાંસદ સંજયસિંહે કરેલા કેટલાક નિવેદનો પણ ગુજરાતમાં પડઘાઈ રહ્યા છે.
આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીના પરાજ્યનો બદલો ગુજરાતમાં લેવા કમર કસી રહી હોય તેમ જણાય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવર્તમાન શાસન સામેની ત્રણ દાયકાની એન્ટી ઈન્કમ્બન્સીનો લાભ લેવા અને કોંગ્રેસનો વિકલ્પ બનીને શક્તિશાળી વિપક્ષ બનવા અથવા ભાજપને પછાડીને ગુજરાતમાં પંજાબની જેમ સરકાર રચવાના સપના જોઈ રહી હોવાથી તેને અનુરૂપ તૈયારીઓ અત્યારથી જ આદરી દીધી હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપીને જો વર્ષ ર૦ર૭ માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢી શકે, તો તેનો ફાયદો આગામી ચૂંટણીઓમાં થઈ શકે છે. દિલ્હીમાં સત્તા પાછી મેળવવી અને પંજાબમાં સત્તા જાળવી રાખવાના પડકારો વચ્ચે આમ આદમી પાર્ટી અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ પડેલા ભંગાણ પછી હવે અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસો કરી રહી છે. આ સંજોગોમાં જો ગુજરાતમાં કમ-સે-કમ મુખ્ય વિપક્ષ બની શકે, તો પણ સર્વાઈવ કરવામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રુસ્ટર ડોઝ મળે તેમ છે. આ કારણે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી માત્ર ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસને પણ ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીને ભાજપનું ત્યાં બહું ઉપજતું નહી હોવાથી સૌથી વધુ ફાઈટ કોંગ્રેસ જ આપવાની છે, તેથી ગુજરાતમાં કોંગ્રેસને પડકારીને 'આપ' એક કાંકરે બે નિશાન સાધવાના પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે.
કોંગ્રેસે તાજેતરમાં ખેડૂતોના પ્રશ્ને અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રેલી અમદાવાદથી નીકળી, પરંતુ ઓગણજ સુધી જ પહોંચી અને ત્યાં સભામાં ફેરવાઈ ગઈ. ઓગણજમાં ભાજપ સરકાર વિરોધી દેખાવો થયા અને તીખા-તમતમતા ભાષણો પણ થયા. આ રેલીને સરકાર (ભાજપ) ના ઈશારે ઓગણજમાં જ રોકી દેવાઈ હોવાનો આક્ષેપ પણ થયો હતો.
હવે આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે માત્ર પબ્લિસિટી સ્ટંટ જ કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા માત્ર ડ્રામેબાજી જ કરી હતી. હકીકતે કોંગ્રેસે આ રેલી માટે ગાંધીનગર સુધી જવાની મંજુરી જ લીધી નહોતી, પરંતુ માત્ર ઓગણજ સુધીની જ મંજુરી માંગી હતી, પરંતુ ગાંધીનગર કૂચના બહાને ખેડૂતોને અંધારામાં રાખીને ખેડૂતોની પરેશાનીઓનો રાજકીય લાભ લેવાનો જ પ્રયાસ થયો હતો, તે પ્રકારના પ્રેસ-મીડિયાના અહેવાલો પછી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
ગઈકાલથી થઈ રહેલી રાજ્યવ્યાપી ચર્ચા મુજબ આમ આદમી પાર્ટીએ ગઈકાલે પડકાર ફેંક્યો હતો કે જો કોંગ્રેસે ગાંધીનગર સુધીની રેલીની મંજુરી માંગી હોય અને તેને નામંજુર કરીને ઓગણજ સુધીની જ મંજુરી અપાઈ હોય, તો કોંગ્રેસ પોલીસના જવાબનો પત્ર જાહેર કરે. પોલીસે હકીકતે પહેલેથી જ કથિત રીતે ૧૪ મી જૂને જ અમદાવાદના ઓગણજ સુધીની જ મંજુરી આપવા છતાં કોંગ્રેસે ખેડૂતોને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોર્યા હતાં.
બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ તરીકે કામ કરતી હોવાના વારંવાર આક્ષેપો કરતી રહે છે, અને આ વખતે પણ 'આપ'ના કાર્યકરોએ ખેડૂતોની રેલીમાં ઘૂસણખોરી કરીને ખેડૂતોને ઉશ્કેર્યા હતાં. જો કોંગ્રેસના નેતાઓએ શાણપણ દાખવીને કંટ્રોલ ન કર્યો હોત તો લાઠીચાર્જ થયો હોત અને કડદાકાંડ જેવો ઘાટ સર્જયો હોવાનો દાવો કરીને કોંગ્રેસે તે તરફ જ અંગુલીનિર્દેશ કર્યો છે.
આ દૃષ્ટાંત જોતા એવું લાગે છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરેપૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને ત્રિપાંખિયા જંગમાં ભાજપને પડકારશે.
આમ આદમી પાર્ટીને ભાજપે રાષ્ટ્રીયકક્ષાએ તોડી નાંખી છે, અને સંસદમાં મોટો ઝટકો આપ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ આમ આદમી પાર્ટી ભાજપને ફાયદો થાય, તેવા પ્રયાસો કરતી હોય તો તેને રાજનીતિમાં બધું ય ચાલે, તેવી માન્યતાની ફલશ્રૂતિ જ ગણવી પડે. આપણાં દેશમાં રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા અભિગમો હોય, તેેમાં કોઈ નવાઈ નથી, ઘણાં પ્રાદેશિક પક્ષો રાજ્યકક્ષાએ ફ્રેન્ડલી ફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ પરસ્પર તાલમેળ જાળવતી હોય છે. કેટલાક રાજકીય પક્ષો કેન્દ્રમાં સામસામે હોય, પણ રાજ્યમાં સહિયારૂ શાસન ચલાવતા હોય કે ગઠબંધનમાં સાથીદારો હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો છે.
વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઔદ્યોગિક ઘરાનાઓ તથા તેની સાથે સંકળાયેલા જાહેર જીવનમાં પ્રતિષ્ઠિત કેટલાક મહાનુભાવો-ઉદ્યોગપતિઓ કે રાષ્ટ્રીય કક્ષાએ જનપ્રતિનિધિત્વ કરતા વ્યક્તિવિશેષો ઉપરાંત કેટલાક જ્ઞાતિ સમાજોમાં રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા સુધીના હોદ્દાઓ ધરાવતા હાલારના મહાનુભાવો પણ માત્ર ફંડીંગ કે બેક ગ્રાઉન્ડ સપોર્ટના બદલે પ્રત્યક્ષ રીતે મેદાનમાં ઉતરે અને વિવિધ રાજકીય પક્ષોમાંથી ચૂંટણીમાં ઝંપલાવે, તેવા સંકેતો મળી રહ્યા છે. જો તેવું થશે તો સૌરાષ્ટ્રના રાજકીય સિમરણો બદલાઈ જશે.
છેલ્લે... ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એેજીએમમાં મુકેશભાઈ અંબાણીએ જિયોના આઈપીઓ ઉપરાંત એ.આઈ.ના યુઝર્સ નહીં, પણ મેનયુફેક્ચર બનવાની સાથે આગળ વધવાનો સંકેત આપતા જામનગર હવે એ.આઈ.ના ક્ષેત્રે પણ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે, તેના સંદર્ભે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં વાદળછાયા વાતાવરણ પછી ગઈકાલે પોણાઈંચ જેવો વરસાદ પડ્યોઅને થોડા સમય માટે ઠંડક પ્રસરી, માહોલ બદલાયો અને આહ્લાદક વાતાવરણના કારણે મજા પડી ગઈ, પરંતુ થોડા સમયમાં જ તડકો તપવા લાગ્યો. જામનગરની જેમ જ હાલારમાં કેટલાક સ્થળે હળવા ઝાપટા પડ્યા. આ પ્રિ-મોન્સુન વરસાદ હતો, અને ચોમાસું હજુ બાકી છે, ત્યાં જ પ્રારંભિક વરસાદે ગાઈ-વગાડીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી.
જામનગરમાં ખડકાયેલા વિકાસના માચડાઓ પર આ પ્રારંભિક વરસાદ પછી ગંદકી અને બદબુનું આવરણ ચડી ગયુંઅને સોહામણા સંકુલોમાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. આ કારણે લોકોમાં પહેલા વરસાદની આવેલી પ્રારંભિક ખુશી તો જાણે હવામાં જ ઊડી ગઈ.
ગઈકાલે પોણા ઈંચના ઝાપટા પછી જે સ્થિતિ જોવા મળી, તેમાં વિકાસના કામોની અણઘડતા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. જામનગર મહાનગરપાલિકાનું પ્રવેશ દ્વાર, મહાનગરપાલિકા પાસેથી ભીડભંજન મહાદેવના મંદિરના સામેનો તળાવની પાળ તરફનો માર્ગ, જિલ્લા અદાલતનું પટાંગણ, લાલબંગલો સંકુલ, ટાઉનહોલ, અપના બજાર, પંચેશ્વર ટાવર તરફનો માર્ગ, ગ્રેઈન માર્કેટ, ત્રણદરવાજા, ધરારનગર, ડી.કે.વી., હાપા રોડ તથા ઘણાં સોસાયટી વિસ્તારોમાં થયેલો જળભરાવ થોડા સમય માટે તો એવો દેખાતો હતો, જાણે કે આખું નગર જ ગટર બની ગયું હોય!
જામનગરને છોટીકાશી પણ કહે છે. છોટીકાશી એટલે મંદિરોની નગરી. આ ધર્મનગરી એક સમયે સુંદર રજવાડીનગર પણ હતું. આ મહાનગરમાં આજે પણ રૂડો-રૂપાળો ઓવરબ્રિજ અને નવનિર્મિત ભૂજિયો કોઠો, લાખેણું લાખોટા તળાવ અને રળ્યામણા સર્કલો ઊભા કરાયા છે, પરંતુ સોનાની થાળીના લોઢાની મેખની જેમ અણઘડ ગટર વ્યવસ્થા, સ્વચ્છતાના નામે માત્ર ડ્રામેબાજી અને તુંડમિજાજી માનસિક્તાના કારણે પહેલા વરસાદે જ ગંદી દુર્દશા જોવા મળી હતી.
જાનગરમાં વરસાદી પાણીના નિકાલ અને વપરાતી ડ્રેનેજ લાઈન અને ગટર જાણે નરક હોય, તેવા દૃશ્યો ઊભા થયા હતાં. નગરમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી તથા કચરાના ઢગલા ભળી જતા જામનગર જહન્નમ બની ગયું હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં. જિલ્લા તંત્રના હાર્દ સમા વિસ્તારો તથા લાલબંગલા સર્કલમાં આવેલી જામ્યુકો સહિતની કચેરીના પ્રાંગણમાં જ સ્કુટર-બાઈકના અડધા વ્હીલ ડૂબી જાય તેવા પાણી ભરાઈ જતા સ્વયં અધિકારી-કર્મચારીઓ પણ હાલાકી ભોગવી રહેલા દેખાયા હતાં. આ કારણે થોડા કલાકો માટે કેટલીક કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. નાગનાથ ગેઈટ પાસેના મહેશ્વરી વાસ વિસ્તારોમાં તો કેનાલ અને ગટરના ગંધાતા પાણીએ દોઝખના દૃશ્યો ખડા કરી દીધા હતાં. આ તમામ દૃશ્યો નપાવટ પ્રિ-મોન્સુન કામગીરી અને તે પહેલા અણઘડ રીતે નિર્માણ થયેલા કે રિપેર કરાયેલા માર્ગોમાં રખાયેલી બેદરકારી કે પછી આચરાયેલા સંભવિત ભ્રષ્ટાચારની ગવાહી પૂરે છે. લોકો સવાલો ઊઠાવી રહ્યા છે કેે કરોડોના ખર્ચે વિકાસના માચડા ખડકતા સત્તાધીશોને મૂળભૂત જરૂરિયાતો કે બુનિયાદી જન-જરૂરિયાતોની ખબર જ નહીં હોયકે પછી આંખ આડા કાન કરાતા હશે? તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...
એવું કહેવાય છે કે, જામનગરમાં હજુ પ્રિ-મોન્સુન કામગીરી ચાલી જ રહી છે, તેવામાં વરસાદી ઝાટું પડી જતા આવું થયું છે. જો એવું જ હોય તો પ્રિ-મોન્સુન કામગીરીના સમયગાળા તથા પ્રારંભિક ટાઈમીંગ અંગે પણ પૂનર્વિચાર કરવો જ પડે, કારણ કે મે-જૂનમાં પ્રિ-મોન્સુન વરસાદી ઝાપટાઓની શક્યતાઓ રહેતી જ હોય છે. હવે, જાગ્યા ત્યારથી સવારની જેમ જામનગર મહાનગરપાલિકાના તંત્રો નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્ય્વસ્થાઓનુ પુનઃનિરીક્ષણ કરીને જરૂરી સુધારા-વધારા કરે તથા નગરમાં ખડકાયેલા તથા છૂપાયેલા ઉકરડાઓ અને કચરાના પથારાઓને તાત્કાલિક હટાવે, તે અત્યંત જરૂરી છે.
જામનગરની જેમ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ઓખા, રાવલ, ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર સહિતના તાલુકાઓમાં પણ પ્રથમ વરસાદી ઝાટપા પછી આ જ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. ઠેર-ઠેરથી આ પ્રકારના દૃશ્યો પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટી રહ્યા છે, તેથી સમગ્ર હાલારમાં પહેલા વરસાદે પ્રિ-મોન્સુન કામગીરીની પોલંપોલ તો ખોલી જ નાંખી છે અને શાસન-પ્રશાસન અંગે એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે 'કાગળા તો બધે જ કાળા...'
જ્યાં સુધી આપણી બુનિયાદી વ્યવસ્થાઓ નહીં સુધરે ત્યાં સુધી યુપીઆઈ કે એ.આઈ.ના ક્ષેત્રે દેશની સિદ્ધિઓના ગુણગાન ફિક્કા જ લાગે. વિકાસની સાથે જો લોક-કલ્યાણ કે સામાન્ય જનતાની સુખાકારીની ચિંતા નહીં જોવાય, તો તે વિકાસ અધુરો ગણાય. સામાન્ય લોકોની જિંદગીને સરખી, સુવિધામય અને પોષણક્ષમ બનાવવા માટે નક્કર પ્રયાસો થવા પણ જરૂરી છે. ખોખલા હાડપીંજરોને સોના-ચાંદીના આભૂષણો પહેરાવીને તેને સમૃદ્ધ મનુષ્ય તરીકે રજૂ કરવામાં આવે, તો તેમાં જીવ આવી જવાનો નથી.... માત્ર આભાસ જ ઊભો થવાનો છે!
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ પહેલા વરસાદે જ જલભરાવ થયો. દેશની રાજધાની દિલ્હીમાં તો બારે ય માસ હવે કોઈને કોઈ વિટંબણા ઊભી થતી જ રહે છે. એક તરફ તૂટેલી કે તોડેલી પાર્ટીઓના નેતાઓ સંસદના આંટાફેરા લગાવી રહ્યા છે, તો બીજી તરફ વાયુ-પ્રદૂષણથી કાયમી પીડાતું દિલ્હી પણ ઘણી વખત વરસાદ-વાવાઝોડા અને બદલાતી મોસમનું શિકાર થતું રહ્યું છે. નગરથી નેશન સુધી ચોમાસાના ઈન્તેજાર વચ્ચે પ્રિ-મોન્સુનથી ઊભી થતી બદબુ અન ગંદકી ઘણું ઘણું કહી જાય છે...
હાલારની હાલાકી અને નગરમાં નર્કાગાર જેવી સ્થિતિ માટે આત્મનિરીક્ષણ કરવું પડે તેમ છે. શાસકો-પ્રશાસકો તો આ સ્થિતિ માટે જવાબદાર છે જ... પરંતુ જન-સામાન્યની પણ સહિયારી જવાબદારી છે. નાગરિકોનું પણ કર્તવ્ય છે કે જાહેર સ્વચ્છતા જળવાય અને તંત્રો દ્વારા થતી વિકાસ પ્રક્રિયાને વેગ મળે, તેમાં સક્રિય સહયોગ આપે. પહેલા વરસાદે ઘણા સ્થળે ખૂણે-ખાચરેથી ફેંકાયેલો કચરો કે છોડાયેલા ગંદા પાણી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. પબ્લિક ન્યુસન્સ અથવા જાહેર અડચણો ફેલાવતા તત્ત્વોને અટકાવવા પડશે. એપાર્ટમેન્ટ, મહોલ્લા, સોસાયટીઓના સંચાલકો, સ્થાનિક અગ્રણીઓ તથા વોર્ડ-કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો સુધીના ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ આ જવાબદારી ઊઠાવવી પડશે.
છેલ્લે... આપણાં હાલારના ગૌરવ અને માત્ર ઔદ્યોગિક નહીં, પણ સામાજિક-સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રહેલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી એવા આપણા પરિમલભાઈ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યા છે અને ઝારખંડ વિધાનસભામાંથી ચૂંટણી લડીને પુનઃ સાંસદ બન્યા છે, તેને સમગ્ર હાલાર અને સમાજ તરફથી હાર્દિક અભિનંદન પાઠવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજના ઈન્ટરનેટ યુગમાં 'ડિજિટલ'નો દબદબો જોવા મળી રહ્યો છે. આજે ભારત જેવા બહુવર્ગીય દેશમાં શાકભાજી કે રિક્ષાભાડું પણ 'ડિજિટલ' ટેકનોલોજીના માધ્યમથી ચૂકવાય છે અને મોટા-મોટા વ્યાપાર-વ્યવસાયોના જંગી પેમેન્ટ પણ ડિજિટલી થાય છે. હવે તો 'ડિજિટલ' ટેકનોલોજીનો દબદબો એટલો વધ્યો છે કે, આંતરરાષ્ટ્રીય કરારો પણ ડિજિટલી થવા લાગ્યા છે, અને વિવિધ દેશોના સામૂહિક પ્રસ્તાવો ય ડિજિટલી રજૂ થવા લાગ્યા છે.
તાજેતરમાં જ ભારતે સ્લોવાકિયા સાથે ડિજિટલ ટેકનોલોજીના ઉપામાંગનો વ્યાપ વધારવા મહત્ત્વપૂર્ણ ડિજિટલ એમ.ઓ.યુ. કર્યા છે. તે પહેલા દ. કોરિયા સાથે પણ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિઓને સાંકળવા અને વ્યાપ વધારવાના એમ.ઓ.યુ. થયા હતાં. તે ઉપરાંત દેશમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી ઈઆર નેટ અને સેમી-કન્ડક્ટર લેબોરેટરી જેવા સંગઠનો સાથે ડિજિટલ એમ.ઓ.યુ. થયા છે.
આ પ્રકારની સમજુતિઓ, કરારો અથવા તો મેમોરેન્ડમ (ઈરાદાપત્રો) માં ઈલેક્ટ્રોનિક ઢબે હસ્તાક્ષર થતા હોય છે, જે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેને જુદા જુદા દેશોએ વૈધાનિક માન્યતા આપેલી હોય છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર (સહી) એ આઈ.ટી. એક્ટ-ર૦૦૦ હેઠળ માન્યતા મળી છે. તે ઉપરાંત ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડિયા સ્ટેકને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારવા માટે ર૩ દેશો સાથે સમજુતિઓ કરી છે. આ જ રીતે દુનિયાના દેશોને ડિજિટલ ટેકનોલોજી માટે પરસ્પર સમજુતિઓ કરી છે.
આ પ્રકારના એક ડિજિટલ એમ.ઓ.યુ. ગઈકાલે અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓ દ્વારા થયા છે, જેમાં ૧૪ મુદ્દા પર અમેરિકા-ઈરાન સહમત થયા છે, તથા યુદ્ધ બંધ કરીને ૬૦ દિવસમાં અંતિમ શાંતિ સમજુતિ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો છે.
ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો જી-સેવનની બેઠકમાં હતાં અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષિય વાતચીત અને પત્રકાર પરિષદ યોજાઈ, તેને લઈને આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બીજી તરફ પહેલા નિર્ધારિત કર્યા મુજબ રૂબરૂમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ઈરાનના સર્વોચ્ચ નેતાઓ જે એમ.ઓ.યુ.માં સહી કરવાના હતા, તેના બદલે બન્ને દેશો (અમેરિકા અને ઈરાન) ના રાષ્ટ્રપતિઓ દ્વારા શાંતિ સમજુતિ પર 'ડિજિટલ' હસ્તાક્ષર કરાયા છે, જેને વૈધાનિક માન્યતા મળેલી છે. આ હસ્તાક્ષર થયા પછી બન્ને દેશો તેનો અમલ કરવા બંધાયેલા છે, અને એક પણ પક્ષ (દેશ) તેનો ભંગ કરે તો આ એમઓયુ ખતરામાં પડી શકે છે.
જો કે, ટ્રમ્પ બોલે કાંઈક, કરે કાંઈક અને વિચારે કાંઈક જુદુ, તેથી જે એમઓયુ થયા છે, તેને જ આંતરરાષ્ટ્રીય ધરાધોરણો મુજબ માન્ય ગણવા પડે, પરંતુ ગઈકાલે ટ્રમ્પે ફરીથી કહ્યું કે ઈરાન સમજુતિનું પાલન નહીં કરે અથવા ચાલાકી કરશે તો અમેરિકા ફરીથી બોમ્બ વરસાવશે. બીજી તરફ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટ ૬૦ દિવસ માટે ખોલ્યું હોવાની વાતો વહેતી કરી, તે પછી એવી આશંકાઓ ઊઠી રહી છે કે આ 'ડિજિટલ' એમ.ઓ.યુ.નું 'અસ્સલ' અમલીકરણ થશે ખરૂ?
આ અંગે વિરોધાભાસી પ્રત્યાઘાતો અને મંતવ્યો સામે આવી રહ્યા છે. જે મુદ્દાઓ પર સહમતી થઈ છે અને હવે પછી જે મુદ્દા ચર્ચાવાના છે, તેમાં તો બહું વાંધો નહીં આવે, પરંતુ ઈઝરાયલ સખણું નહીં રહે અને હીઝબુલ્લાના બહાને લેબેનોન પર કે હમાસ પર હુમલાના નામે ગાઝા પર હુમલા કરશે, તો અવરોધ પણ આવી શકે છે, તેવું ઘણાં વશ્વિક વિશ્લેષકો કહે છે. બીજી તરફ વૈશ્વિક પ્રવાહો, યુદ્ધો અને પશ્ચિમ-મધ્યમ પૂર્વમાં ચાલતા ડિપ્લોમેટિક પ્રવાહોના જાણકારો સહિત મોટાભાગના વિશ્લષકો અવું માને છે કે ઈઝરાયલ અમેરિકાનું હકીકતે નહીં માને તો ટ્રમ્પ તેને અલગ પાડી દેશે અને સહયોગ પણ નહીં આપે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે હવે ફરીથી પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની શક્યતાઓ નહીંવત્ છે.
નેતન્યાહૂને ઘરઆંગણે આવી રહેલી ચૂંટણીઓમાં પરાજય કે ખુરસી ગુમાવવાનો ભય રહે છે, તેથી ઈઝરાયલની વાયડાઈ અથવા અમેરિકા-ઈઝરાયલની ગુપ્ત મીલીભગતના કારણે જો ઈઝરાયલના હુમલા ચાલુ રહે, અને ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો કરે તો તેવા સંજોગોમાં આ હંગામી એમ.ઓ.યુ. નિષ્ફળ જાય તેમ છે. બીજી તરફ અમેરિકાની મિલીભગત નહીં હોય તો ઈરાન-ઈઝરાયલના સંભવિત ભાવિ સંઘર્ષમાં હવે અમેરિકા હસ્તક્ષેપ નહીં કરે અને મદદ નહીં કરે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. આ 'ઈફ એન્ડ બટ'ની શક્યતાઓ વચ્ચે અત્યારે તો યુદ્ધ બંધ થયું અને એક-બે દિવસમાં હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી જશે, તેને જ આ એમ.ઓ.યુ.ની ફલશ્રૂતિ ગણવી પડે તેમ છે.
ભારતે પણ ટ્રમ્પની ડબલ ઢોલકી વગાડવા તથા 'મૂખ મેં રામ, બગલ મેં છૂરા'ની કહેવત મુજબ બેવડા ધોરણ અપનાવવાની મનોવૃત્તિને પારખીને માત્ર ને માત્ર ભારતના હિતો તથા ભારતીય સુરક્ષાને કેન્દ્રમાં રાખીને જ કદમ ઊઠાવવા પડે અને રણનીતિ અપનાવવી પડે તેમ છે, કારણ કે ટ્રમ્પનો ભરોસો તો તેના ઘનિષ્ઠ મિત્રદેશો પણ કરે તેમ નથી. આ પ્રકારની દ્વિપક્ષિય વાટાઘાટોમાં કોઈ દેશ કે તેના વડાની વ્યક્તિગત પ્રશંસા થાય, તેથી ફૂલાઈ જવાના બદલે મિત્રદેશ તરીકે ભારતની પડખે હોવાનો દાવો કરતા અન્ય દેશની મનોવૃત્તિ પારખવી પડે તેમ છે, અને તેમાં ભારત પારંગત છે. ટ્રમ્પે મીઠી-મીઠી વાતો કરી, તે જ સમયે 'ઈન્ડો-પેસિફિક' એપમાંથી 'ઈન્ડો' કાઢી નાંખવું, તે કદમ ઘણું જ સૂચક છે, તેથી સાવધાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં એક તરફ વડાપ્રધાનના ૧ર વર્ષના શાસનકાળના સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણીઓ થઈ રહી છે, તે બીજી તરફ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ થઈ રહી છે. આ ઝાકઝમાળ વચ્ચે રાજ્યમાં વિવિધ મુદ્દે આંદોલનોની મોસમ પણ ચાલી રહી હોય તેમ જણાય છે. મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની વીજલાઈનો માટે ખેડૂતોના ખેતરોમાં ઊભા કરાતા હાઈવોલ્ટેજ વીજસ્તંભોની સામે આક્રોશ જાગ્યો છે, તો ખેડૂતોના વિવિધ પ્રશ્નોને સાંકળીને કોંગ્રેસેે તાજેતરમાં જ અમદાવાદથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેને ગાંધીનગર જવા દેવામાં આવી નહોતી, અને ઓગણ જ પાસે જ અટકાવી દેવામાં આવી હતી. આ કારણે રાજ્યમાં ખેડૂતવર્ગ રાજ્ય સરકારથી નારાજ હોવાનો વિપક્ષનો દાવો ચર્ચાના કેન્દ્રમાં છે.
રાજ્યમાં વર્ષ ર૦૦૩ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો પ્રારંભ થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીક નરેન્દ્રભાઈએ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના નાના નાના ગામડાઓમાં જઈને એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય, તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી, અને કન્યાઓની કેળવણીને પ્રોત્સાહિત કરવાનું અભિયાન પણ આદર્યું હતું. તે સમયે જે જુસ્સો, સંવેદનશીલતા અને સમયબદ્ધતા જોવા મળી હતી, તેવી હવે કદાચ રહીં નથી. બીજી તરફ શાળા પ્રવેશોત્સવને 'તાયફો' ગણાવતા વિપક્ષી નેતાઓ ઘણી વખત વ્યંગાત્મક આલોચનાઓ પણ કરતા હોય છે. આ મહોત્સવ દરમિયાન એક તરફ શિક્ષકો (ગુરુજનો) ની અગત્યતા સમજાવીને આદર-સન્માન અપાતું હોય છે, પરંતુ બીજી તરફ અત્યારે રાજ્યના અનુભવી અને વયસ્ક-વરિષ્ઠ શિક્ષકોનો એક વર્ગ ઘણો જ નારાજ છે, અને ખેડૂતો પછી હવે એ આદરણીય ગુરુજનો પણ રાજ્ય સરકાર સામે આંદોલન આદરવાના છે.
અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને મહત્તમ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, ત્યારે શાળા-પ્રવેશોત્સવો દરમિયાન બાળકોના આરોગ્ય અને પાણી-છાંયડા-પરિવહન માટે વિશેષ કાળજી રખાય, તે જરૂરી છે. વલસાડના મલાવ ગામમાં વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન બે બાળકો ચક્કર ખાઈને પડી ગયા પછી પણ પૂરતી રાળજી નહીં લેવાઈ હોવાની તથા ળાળકોને જે ઘેટાં-બકરાની જેમ લવાયા હોવાની જે ફરિયાદ ઊઠી છે, તેના જેવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટના શાળ-પ્રવેશોત્સવો દરમિયાન માત્ર જામનગર કે હાલાર જ નહીં, સમગ્ર રાજ્યમાં ન બને, તે માટે સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીમંડળે ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ કાર્યક્રમોમાં રાજ્યના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સાથે મંત્રીઓ-મહાનુભાવો પણ જોડાવાના છે. જો આ પ્રકારની કોઈ ઘટના બનશે, તો તેનું લાંછન ત્યાં ઉપસ્થિત મહાનુભાવોને પણ લાગશે, તેથી વિશેષ સાવધાની જરૂરી છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના શિક્ષણ ક્ષેત્રના કેટલાક સંગઠનોએ આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ત્રણ દિવસ સુધી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે, અને જામનગર સહિત તા. ૧૭ થી ર૦ જૂન સુધી જે મુદ્દે વિરોધ-પ્રદર્શનો આદર્યા છે, અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે, તે મુદ્દો પણ ગુરુજનો (શિક્ષકો) ના આત્મ સન્માન અને કારકિર્દી સાથે સંકળાયેલો છે. કદાચ આ આંદોલનની સંભાવનાઓને ધ્યાને લઈને જ શિક્ષણ વિભાગે શાળા-પ્રવેશોત્સવની તારીખો બદલી નાંખી હશે!
બીજી તરફ ટેટ પરીક્ષા પાસ કરવાના મુદ્દે વર્ષ ર૦૧૦ પહેલા નિયુક્ત થયેલા હજારો વરિષ્ઠ શિક્ષકોમાં આક્રોશ છે, એવી રજૂઆત કરવામાં આવી રહી છે કે ટેટનો નિયમ વર્ષ ર૦૧૦ માં આવ્યો, પરંતુ તે પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને પણ ટેટની પરીક્ષા પાસ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની રાવ સાથે એ અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોય તો તે યોગ્ય નથી.
રાજકોટના પ્રા. શિક્ષક સંઘે તો કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર લખીે આ મુદ્દે તત્કાળ હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે, અને સુપ્રિમ કોર્ટના આદેશના સંદર્ભે એક્સન લેવાય તો સંખ્યાંબધ શિક્ષકોની નોકરી પર સંકટ આવશે, જેથી તેની ડાયરેક્ટ અસરો શિક્ષણ કાર્ય ઉપર પણ પડશે, જેથી બાળકોનું હિત જોખમાશે, તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હકીકતે સુપ્રિમ કોર્ટના એક ચૂકાદા પછી શિક્ષકોને ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરાયું છે, અનેે તે માટે ૩૧ મી ઓગસ્ટ ર૦ર૮ સુધીની મુદ્ત અપાઈ છે. ટેટની પરીક્ષાઓ લેવાય છે અને તેની લાયકાત હોય તો જ નોકરીમાં ચાલુ રહી શકાય, કે પ્રમોશનને પાત્ર બની શકાય, તેવો નિર્ણય થયા પછી દાયકાઓ પહેલા જે શિક્ષકો નોકરીમાં જોડાયા હતાં, અને તે સમયની લાયકાત પૂરવાર કરી હતી, તેઓને શિક્ષણ અધિકાર અધિનિયમ ર૦૦૯ હેઠળ ફરીથી નવી લાયકાત મેળવવા પરીક્ષા આપવી પડે, તે અન્યાયકર્તા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષકોએ જુના શિક્ષકો માટે પણ 'ટેટ' ફરજિયાત કરાવવાના મુદ્દે પુનઃ વિચાર કરીને કોઈ રસ્તો કાઢવા રજૂઆત કરી છે. આ માટે રાજ્ય સરકારો અને હિતધારકો, શિક્ષક સંઘો અને સંગઠનો તથા શિક્ષણ અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને ઉકેલ લાવવો જરૂરી છે. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ શિક્ષકની નોકરી જોખમાય નહીં અને પ્રમોશનો અટકે નહીં.
આ નિયમો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાથી લાંબા સમયથી સેવારત શિક્ષકોને માટે ટેટના વિકલ્પે બીજી કોઈ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી જરૂરી છે. પુરસ્કારો, એવોર્ડ કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મેળવેલા વયસ્ક અને વરિષ્ઠ અનુભવી શિક્ષકોની સેવાઓની સુરક્ષા માટે નીતિગત તથા કાનૂની પગલાં પણ જરૂર પડ્યે લેવા પડે, તો લેવા જોઈએ. આ માટે કોઈને કોઈ વચલો રસ્તો કાઢવા કેન્દ્રિય શિક્ષણ વિભાગ સુધી થયેલી રજૂઆતો છતાં કોઈ રિસ્પોન્સ નહીં મળે તો આ આંદોલન વધુ ગતિ પકડશે, તેવા સંકેતો છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય, તેની સાથે સાથે કોઈપણ વરિષ્ઠ, વયષ્ક, અનુભવી શ્રેષ્ઠ શિક્ષકની નોકરી છીનવાઈ ન જાય, તેવા સંનિષ્ઠ સરકારી પ્રયાસો પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતિ થઈ ગઈ અને શુક્રવારે હસ્તાક્ષર થવાના છે, તેથી ઈંધણની અછતની સંભવિત સ્થિતિ દૂર થઈ ગઈ છે. હજુ હોર્મુઝ સ્ટ્રેટ વાસ્તવમાં ખુલી જાય અને ઈઝરાયલ દ્વારા લેબનોન સ્થિત હીઝબુલ્લા પર થતા હૂમલા બંધ થઈ જાય, અથવા અમેરિકા-ઈરાન સમજૂતિમાં ત્યાંનો મુદ્દો સામેલ નહીં હોવાથી તેને અવગણવામાં આવે, તો જ બે મહિના માટે થયેલી કામચલાઉ સમજૂતિ કાયમી બની શકે છે. હવે તો માત્ર ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, તેવી બાહેંધરીથી જ ચલાવી લેવું પડશે, અને યુરેનિયમનો જથ્થો કબજે કરવા તથા ઈરાનમાં પોતાની કઠપૂતળી સરકાર રચવાના ટ્રમ્પના ઓરતાં અધૂરા જ રહી જશે, તેમ જણાય છે.
આ સમજૂતિના જાહેર થયેલા ૧૪ મુદ્દા જોતાં તો ઈરાનનો હાથ ઊંચો રહ્યો હોય તેવું લાગે છે. ઈરાનને યુદ્ધમાં થયેલા નુકસાન સામે વળતર અથવા મદદ, સીઝ કરેલા ફંડ પૈકી અડધું તરત જ રિલીઝ કરવું, અમેરિકી નાકાબંધી હટાવવી, ઈરાન સામેના તમામ પ્રતિબંધો હટાવવા, સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ નહીં, ૩૦૦ અબજ ડોલરનો ઈરાનમાં રિકન્સ્ટ્રકશનનો પ્લાન વગેરે ઉપરાંત ઈરાને બાકીના મુદ્દે વાટાઘાટો શરૂ કરવા માટે પણ જે ત્રણ શરતો રાખી છે, તે જોતાં ઈરાનનું પલડું ભારે રહ્યું છે, અને ટ્રમ્પે ઈરાનના તેલક્ષેત્રો હડપ કરી લેવા અથવા ત્યાં પાકિસ્તાન જેવા જીહજુરિયા શાસકોને બેસાડીને પરોક્ષ રીતે વેનેઝુએલા ફેઈમ પોતાની હકુમત ચલાવવાના જે સપનાં જોયા હતા, તેનાથી તદૃન વિપરીત અંજામ આવ્યો છે. એવું કહી શકાય કે ઈઝરાયલ-ઈરાનના યુદ્ધને હાઈજેક કરીને અમેરિકાએ પોતાના શિરે લઈ લીધું તે બૂમરેંગ પૂરવાર થયું છે. ફૂટબોલની ભાષામાં એવું કહી શકાય કે આ કદમ લઈને અમેરિકાએ સેલ્ફગોલ કરી લીધો છે એટલે કે વિરોધી ટીમના બદલે પોતાને જ નુકસાન કરી દીધુ છે. ક્રિકેટની ભાષામાં કહી શકાય કે પ્રારંભમાં ઈરાનની અગ્રીમ હરોળના નેતાઓ અને સૈન્ય અધિકારીઓને મારી નાંખીને ફટકાબાજી પછી ટ્રમ્પ પછીથી હિટવિકેટ થઈ ગયા છે અને તેની ટીમ પણ હારી ગઈ છે.
બીજી તરફ ઈરાનને પણ આ યુદ્ધમાં ઘણું નુકસાન થયું છે. હવે ઈરાનના રિકન્સ્ટ્રકશન માટેની પ્રક્રિયા કાંઈ રાતોરાત થઈ જવાની નથી અને હજુ તો અંતિમ શાંતિ સમજૂતિ ૬૦ દિવસ પછી થવાની છે, ત્યારે અત્યારે ઈરાનને બેઠું કરીને અમેરિકાની સેનાએ કરેલા જંગી નુકસાન પછી પુનઃ ધમધમતુ કરવામાં વર્ષો લાગી જવાના છે. બીજી તરફ ઈરાને અમેરિકાના લશ્કરી મથકો પર આક્રમણ કરવા માટે પોતાની આજુબાજુના મુસ્લિમ દેશોમાં પણ હૂમલા કરવા પડયા, તેથી પડોશી દેશો સાથે વધુ વણસેલા સંબંધો પુનઃ ઠીક કરવામાં વાર લાગશે, એટલું જ નહીં, ક્ષેત્રિય અસહયોગનો સામનો પણ ઈરાનને કરવો પડશે, આમ છતાં, ઈરાને અમેરિકા સામે બાથ ભીડીને મહાસત્તાની હવા કાઢી નાંખી છે, તે પ્રકારનું ગૌરવ ઈરાન લઈ શકે છે. જો કે, આને ટ્રમ્પે ચોખવટ કરી છે કે અમેરિકા ૩૦૦ મિલિયન ડોલરનું વળતર આપશે, તે ફેક ન્યૂઝ છે અને ઈરાન પરમાણુ હથિયાર નહીં રાખવા સંમત થયું જ છે. અંતિમ સમજૂતિ હજુ બાકી છે.
ઈરાનમાં પણ આ શાંતિ સમજૂતિ સામે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા વર્તુળો અને જૂથો ઉપરાંત આમજનતા પણ નારાજ છે અને ઈરાનમાં ઠેર-ઠેર લોકો પ્રવર્તમાન શાસકો સામે સડકો પર ઉતર્યા છે, તેથી આ ચળવળ જો લાંબી ચાલશે, તો ઈરાનને થાળે પડવામાં મોટી અડચણ ઊભી થવાની છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિએ તો તાજેતરમાં રાજીનામાની પેશકશ કરી હતી, તથા ઈરાનની સેના ત્યાંની સરકારના કંટ્રોલમાં નહીં હોવાની જે સ્થિતિ ઊભી થઈ હતી, તે જોતાં ત્યાંની સેના અને સરકાર વચ્ચે તાલમેલ બેસાડવાનો પડકાર પણ ઈરાન સામે રહેશે.
આ બધા તથ્યો અને સંભાવનાઓ જોતા હજુ અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં કોણ જીત્યુ કે કોણ હાર્યુ, તે નકકી થઈ શકે તેમ નથી. હકીકતે આ યુદ્ધમાં કોઈ જીત્યું નથી, પરંતુ બંને દેશો હાર્યા છે, પરંતુ નેતન્યાહુનો હાથ ઊંચો રહ્યો છે, અને ઈરાન-અમેરિકાની શાંતિ સમજૂતિમાંથી ઈઝરાયલને અલગ રાખીને નેતન્યાહુએ છેલ્લા બોલે સિક્સર મારી દીધી હોય, તેમ જણાય છે. તેથી અત્યારે તો આ સમજૂતિ ફ્રી પબ્લિક એન્ટરટેઈનમેન્ટ જેવી છાપ ઊભી કરી રહી છે.
હવે આજે ટ્રમ્પ-મોદીની સંભવિત મુલાકાતની ચર્ચા વચ્ચે દેશમાં મોદી સરકારની વિદેશનીતિ પર વિપક્ષો પ્રહારો કરી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે કોંગ્રેસની કિસાન-ટ્રેકટર રેલીને અટકાવી દેવાના મુદ્દે પણ રાજકારણ ગરમાયુ છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ સહિતના હાલારના નેતાઓ પણ એ રેલીમાં જોડાયા હોવાથી હાલારમાં પણ તેના પડઘા પડ્યા છે. કેટલાક વિશ્લેષકોના મંતવ્યો એવા છે કે ખેડૂતોના મુદ્દે કદાચ રાજ્ય સરકાર સેલ્ફ ગોલ કરી રહી છે. બીજી તરફ કથિત રીતે ઉચ્ચારાયેલા "જંત્રુ-બંત્રુ" જેવા શબ્દ પ્રયોગોની થઈ રહેલી ટીકા પણ "હિટ વિકેટ" જેવી જ છે.
એવું નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ સેલ્ફ ગોલ કરે કે હિટ વિકેટ થાય, તેવા કદમ ઉઠાવે છે, પરંતુ આપણાં દેશમાં કેન્દ્ર-રાજય સરકારો દ્વારા લેવાતા કેટલાક નિર્ણયો પણ ઘણી વખત એવા જ હોય છે.
હમણાંથી ઉજવણીઓનો સીલસીલો ચાલી રહ્યો છે અને ગામડાઓ અને શહેરોમાં ઠેર-ઠેર વિવિધ પ્રકારની ઉજવણીઓ ચાલી રહી છે. આ પ્રકારના કાર્યક્રમો દરમ્યાન પણ ઘણી વખત સેલ્ફ ગોલ કે હિટ વિકેટ જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. જામનગરમાં પણ એક ઓડિટોરિયમમાં યોજાયેલા એક સંમેલનમાં જામ્યુકોના નવા પદાધિકારીઓની બેઠક વ્યવસ્થામાં ગરબડ થઈ ગઈ અને તે પછી જે કાંઈ બન્યુ, તે રમુજ સાથે અચંબો ઊભો કરનારૂ હોવાની ચર્ચા થઈ રહી છે. આ સંમેલનનું આયોજન કરનારા લોકો માટે આ સંમેલન જ સેલ્ફ ગોલ અથવા હિટ વિકેટ જેવું પૂરવાર થયું હશે. જો કે, પછીથી ડેમેજ કંટ્રોલના સફળ પ્રયાસોથયા, પરંતુ કેમેરાની આંખે ચડેલા આ દૃશ્યોએ તો "ટોક ઓફ ધ ટાઉન" બની જ ગયા હશે ને ? ફ્રી પબ્લિક એન્ટરટેઈનમેન્ટ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આખી દુનિયા જેની અત્યંત આતૂરતાથી રાહ જોઈ રહી હતી, તે સમાચાર આજે આવ્યા છે અને ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ સમજુતિનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તથા ઈરાનના રાષ્ટ્રપતિ અને સંસદના અધ્યક્ષ આવતા ટૂંક સમયમાં જીનીવામાં હસ્તાક્ષર કરશે, તેવા અહેવાલોએ વિશ્વ સમુદાયમાં નવો આશાવાદ જગાવ્યો છે. અવાર-નવાર 'ડીલ' ફાયનલ થઈ હોવાના અહેવાલો પછી ક્યાંક ને ક્યાંક અવરોધ આવતો હતો તેથી સમજુતી અટકી જતી હતી, તેથી સવાલ એ ઊઠી રહ્યો છે કે જે સમયમર્યાદા નક્કી થઈ છે, તે દરમિયાન ઈઝરાયલના હુમલાઓ કે અન્ય કારણે કોઈ અવરોધ તો નહીં આવે ને? અંતે ફાયનલ થયેલી આ ડીલ ક્યાંક તૂટી નહીં જાય ને? આ ડીલ સફળ થાય તો તેનો શ્રેય કોને જશે? બન્ને પક્ષો વિજયનો દાવો કરશે, પણ હકીકતમાં કૌન જીતા... કૌન હારા?
એવા અહેવાલો છે કે આ સમજુતિ મુજબ અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશો તથા સંલગ્ન પ્રોડક્ટ્સ પર લાદેલા તમામ પ્રતિબંધો હટી જશે. ઈરાનને નાણાકીય સંસાધનોનો એક્સેસ પાછો મળશે. આગામી બે મહિના (૬૦ દિવસ) સુધી અમેરિકાએ ઈરાનના ર૪ અબજ ડોલર મુક્ત કરવા અંગે વાટાઘાટો થશે, પરંતુ તે પહેલા જ ૧ર અબજ ડોલર રીલીઝ કરી દેવાશે. અમેરિકા અને તેના સાથીદાર દેશો યુદ્ધથી ઈરાનને થયેલું નુક્સાન ભરપાઈ કરવા માટે અંદાજે ૩૦૦ અબજ ડોલરની યોજનાઓ બનાવશે. અત્યારે લેબેનોન સહિત તમામ મોરચે તત્કાળ યુદ્ધવિરામ થશે. અમેરિકા તેની નાકાબંધી હટાવી લેશે. ઈરાનની આંતરિક બાબતોમાં કોઈ બહારનો દેશ (અમેરિકા) હસ્તક્ષેપ નહીં કરે. અમેરિકાનું સૈન્ય પાછું ખેંચાશે.
સૌથી મોટા સમાચાર એ છે કે કોમર્શિયલ દરિયાઈ પરિવહન માટે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલી નંખાશે, અને ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવાનું વચન દોહરાવશે. આગામી બે મહિના સુધી વાટાઘાટો થાય, ત્યાં સુધી અમેરિકા કોઈ નવા આર્થિક પ્રતિબંધો નહીં લગાવે કે મિડલ ઈસ્ટમાં સૈન્ય તાકાત નહીં વધારે. આ માટે યુનોની સુરક્ષા પરિષદ આખરી કરારને મંજુરી આપશે. આ સમજુતિ પર દેખરેખ રાખવા યુએનએસસી દ્વારા વિશેષ પ્રબન્ધો કરાશે અને મોનિટરીંગ સિસ્ટમ અમલી બનાવાશે.
સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ પણ છે કે ઈરાનનો મિસાઈલ આ ડીલનો ભાગ નહીં હોય, બીજી તરફ અમેરિકા અને ઈરાને બન્નેએ પોતાનો વિજય થયો હોવાનો દાવો કર્યો છે. ઈરાને અમેરિકા સામે પોતાની જીત થઈ હોવાનો દાવો કર્યો તેની સામે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પણ અમેરિકાનો વિજય થયો હોવાનું જણાવી કહ્યું કે, ઈરાન હવે યુરેનિયમ નહીં રાખી શકે. આમ વિરોધાભાસી અહેવાલો છતાં આખરે આ સમજુતિ થઈ જ જશે, અને હસ્તાક્ષર પણ થઈ જશે, તેવું સ્પષ્ટ જણાય છે, જો કે તે પછી શું થશે, તેની અટકળો થઈ રહી છે, પરંતુ હોર્મુઝ ખુલી જતા ભારત સહિતના દુનિયાના ઘણાં દેશોને રાહત થશે. બીજી તરફ અમેરિકાએ યુદ્ધ સમયે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની આપેલી છૂટ પાછી ખેંચાઈ જશે, તો ભારત સહિતના રશિયાના મિત્રદેશો માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ સર્જાશે.
ઈઝરાયલ દ્વારા લેબેનોન પર થતા હુમલા અટકાવવા ટ્રમ્પે ધમકાવ્યા પછી પણ નેતન્યાહૂ દ્વારા હુમલા ચાલુ રખાતા એક અનિશ્ચિતા ઊભી થઈ છે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે સમજુતિ પર હસ્તાક્ષર પછી કદાચ આગામી ૬૦ દિવસ સુધી નેતન્યાહૂ લેબેનોન પર હુમલા ન કરે, પરંતુ હિઝબુલ્લા પર આક્રમણના નામે તંગદિલી ચાલુ રહે કે પછી હમાસ પર હુમલા કરે, તેવી પ્રબળ શક્યતાઓ છે, કારણ કે યુદ્ધ સમાપ્ત થઈ તો ઘરઆંગણાની રાજનીતિને કારણે નેતન્યાહુને સત્તાનું સિંહાસન ગુમાવવું પડે તેમ હોવાથી તેઓ કોઈને કોઈ દિશામાં યુદ્ધ જેવી સ્થિતિ ચાલુ જ રાખશે, અને તેની અસરો ઈરાન-અમેરિકાની સમજુતિ પર પડી શકે છે. ટ્રમ્પ એક તરફ નેતન્યાહુને તતડાવે, બૈરૂત પર હુમલાઓને વખોડે, અને લેબેનોન સાથે શાંતિ સમજુતિ કરવા છતાં હિઝબુલ્લા-હમાસ પર હુમલાઓના નામે નેતન્યાહુ હુમલા ચાલુ રાખે, તેથી કોઈ ચતૂરાઈપૂર્વકની બેવડી ચાલ ઈઝરાયલ-અમેરિકા સાથે મળીને ચાલી રહ્યા હોય, તેવી આશંકા પણ ખોટી નથી.
બીજી તરફ હવે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનું દબાણ વધશે. આખી દુનિયા આ યુદ્ધ પણ સમાપ્ત થાય તેવું ઈચ્છશે, કારણ કે આ બહાને અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે તો ફરીથી નવું ક્રાઈસીસ શરૂ થશે.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામને યુરોપના દેશો, કતાર સહિતના ખાડીના દેશો તથા પાકિસ્તાન સહિતના એશિયાના કેટલાક દેશોએ તરત જ આવકાર આપ્યો છે, પરંતુ રશિયા અને ચીનની પ્રારંભિક ચૂપકીદી પણ ઘણી જ સૂચક છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિના વિશ્લેષકોના પ્રારંભિક પ્રત્યાઘાતોનું તારણ કાઢીએ, તો હકીકતે અમેરિકાને આ સમજુતિ કરવી પડી, તે સ્થિતિ દુનિયાની મહાસત્તા ગણાવતા અમેરિકા અને તેના તુંડમિજાજી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે જબરો ફટકો પડ્યો છે. અમેરિકાને ખાડીના દેશોમાં 'રક્ષક' માનતા દેશો હવે સમજી ગયા છે કે અમેરિકાની કઈ કઈ નબળાઈઓ અને મર્યાદાઓ છે, તો બીજી તરફ ખાડીના દેશો-મીડલ ઈસ્ટમાં હવે ઈરાનનું વર્ચસ્વ વધશે, કારણ કે આ યુદ્ધ શરૂ કર્યું, ત્યારે અમેરિકાને ઈરાક અને વેનેઝુએલાની જેમ જ ઈરાનને 'હસ્તગત' કરવાનો મનસુબો હતો, પરંતુ સ્થિતિ તેનાથી વિપરીત થઈ અને ખાડીના દેશોમાં સ્થાપિત અમેરિકાના સૈન્ય મથકો ઈરાને તબાહ કરી નાંખ્યા. આ યુદ્ધે દુનિયાને એ પણ સમજાવ્યું છે કે માત્ર સમૃદ્ધ હોવાથી કે સૈન્ય શક્તિ સર્વાધિક હોવાથી જ યુદ્ધો જીતી શકાતા નથી, પરંતુ ભૌગોલિક, સામરિક અને વ્યૂહાત્મક વાસ્તવિક્તાઓ પણ લક્ષ્યમાં લેવી પડતી હોય છે. યુદ્ધમાં તુમાખી કે તનાશાહી ચાલતી નથી.
હજુ આ સમજુતિની જાહેરાત જ થઈ છે, ત્યાં ક્રૂડના ભાવમાં કડાકો બોલ્યો અને ગ્લોબલ માર્કેટ્સ પર જે પોઝિટિવ પ્રભાવ પપડ્યો તે નોંધનિય છે. આ સમજુતિથી એ પણ પ્રતિપાદિત થયું છે કે અમેરિકાથી દબાવાની જરૂર નથી. રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો 'અમેરિકાના આજ્ઞાંકિત બનીને હા...જી... કરવાની જરૂર નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત હાલારમાં જુલાઈ સુધી પીવાના પાણીનો પુરવઠો જળવાઈ રહેશે અને તે દરમ્યાન ચોમાસુ બેસી ગયા પછી વાવણીલાયક વરસાદ પણ થઈ જશે, તેવા આશાવાદ વચ્ચે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો, આગાહીઓ તથા સંભાવનાઓ જોતા આવતુ વર્ષ પડકારરૂપ રહેવાના સંકેતો પણ મળી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને સુપર અલનીનોની દશેહત અકળાવી રહી છે, અને આ અંગે જે અનુમાનો તથા આશંકાઓ પ્રેસ-મીડિયા અને હવામાન નિષ્ણાતો તથા વિવિધ ખાનગી એજન્સીઓ દ્વારા વ્યક્ત થતી હતી, તેનું હવે કન્ફર્મેશન થઈ ગયું છે, અને હવે સત્તાવાર રીતે જાહેર કરાયુ છે કે પેસિફિકના પાણી ગરમ થતા સર્જાયેલા સુપર અલનીનોની માઠી અસર ભારત સહિતના દેશોને થવાની છે.
નેશનલ ઓસિયેનિક એન્ડ એસ્મોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) નામની અમેરિકાની સાયન્ટિફિક અને રેગ્યુલેટરી ઓથોરિટીના રિપોર્ટ મુજબ પ્રશાંત મહાસાગરમાં અસાધારણ રીતે તાપમાન વધવા લાગતા અલનીનોની અધિકૃત શરૂઆત થઈ ચૂકી છે, અને તે વર્ષ-૨૦૨૬માં (ચાલુ વર્ષે જ) સુપર અલનીનોમાં બદલવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ કારણે ભારત સહિત દુનિયાભરમાં ભીષણ ગરમી અને નબળા ચોમાસાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ ઉપરાંત વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(ડબલ્યુ.એમ.ઓ.)ના જુદા જુદા રિપોર્ટો પણ જણાવે છે કે પૂર્વ પ્રશાંત મહાસાગરનું તાપમાન ઝડપભેર વધી રહ્યું છે. આ વૃદ્ધિ બે અંશ સેન્ટિગ્રેડથી વધી શકે છે. જે સુપર અલનીનોની દસ્તક હશે. સુપર અલનીનોની આ બોર્ડર છે, જ્યાંથી મહા અલનીનોનો પ્રારંભ ગણાય છે. વર્ષ ૧૯૭૮માં જે રીતે વિશ્વભરમાં મહા અલનીનોએ દુષ્કાળ, જળસંકટ એન બેરોજગારીના કારણે હાહાકાર મચાવ્યો હતો, તેવી જ સ્થિતિ આ વર્ષે સર્જાઈ શકે છે. આ ઉપરાંત હીટવેવના કારણે પબ્લિક હેલ્થ પર પણ ગંભીર ખતરો ઊભો થઈ શકે છે.
જો કે, કેટલાક હવામાન ક્ષેત્રના સાયન્ટિસ્ટોએ પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડિપોલ્સ એટલેકે પોઝિટિવ આઈઓડીની આશા છે. આ સ્થિતિને ઈન્ડિયન અલનીનો પણ કહેવાય છે. આ સ્થિતિ ઊભી થાય તો સુપર અલનીનોનો પ્રભાવ કેટલાક અંશે ઘટી શકે છે.
એનઓઅએની આગાહી મુજબ વર્ષ ૨૦૨૬ના મે થી જુલાઈ વચ્ચે અલનીનો વિકસીત થવાની ૮૨ ટકા સંભાવના જણાવાઈ હતી, અને તેની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલો પછી ભારત સહિત દુનિયાભરમાં આ અંગે ચિંતા જાગી છે. ભારત સરકાર દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય નીતિપંથની બેઠકમાં સ્વયં વડાપ્રધાને આ મુદ્દે વિશેષ ચિંતા વ્યકત કરીને કેટલાક દિશા-નિર્દેશો આપ્યા હોવાના અહેવાલો જોતા ભારતને પણ આ સુપર અલનીનોની માઠી અસર થવાની છે, ત્યારે જેટલો વરસાદ પડે, તેનું ટીપેટીપું સંગ્રહ કરીને તથા ખેતી, સિંચાઈ, પશુપાલન, પાણી પુરવઠો અને ખાદ્યાનને લઈને અત્યારથી જ ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય એન રાષ્ટ્રીય કક્ષા સુધીનું ફ્રેમવર્ક તૈયાર કરીને માઈક્રોપ્લાનીંગ કરવાની જરૂર છે.
એક તરફ ઈરાન-અમેરિકા, રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હીઝબુલ્લા/હમાસના યુદ્ધો તથા પાકિસ્તાનમાં આંતર ગૃહ યુદ્ધો અને અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે સરહદી છમકલાઓ ઉપરાંત આતંકી ઘટનાઓના કારણે દારૂગોળાના ઉપયોગથી પર્યાવરણ બદલી રહ્યું છે, અને કલાઈમેટ ચેઈન્જ થઈ રહ્યું છે, તેવામાં સુપર અલનીનોના કારણે ધરતી પર વિનાશ વેરાય અને સમગ્ર જીવસૃષ્ટિ પર ખતરો ઊભો થાય, તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. સુપર અલનીનોની અધિકૃત જાહેરાત પછી હવે દુનિયાના બધા દેશોએ યુદ્ધો અને દારૂગોળાનો અયોગ્ય ઉપયોગ થતો હોય તેવી તમામ પ્રવૃત્તિઓ તત્કાળ અટકાવી દેવી જોઈએ.
શાસ્ત્રોમાં પ્રલય (કયામત) જેવા ઉલ્લેખો છે, તેવી સ્થિતિ ઊભી થાય, તે પહેલા પૃથ્વીવાસીઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે સુપર અલનીનો કે કલાઈમેટ ચેઈન્જ કોઈ ચોક્કસ દેશ કે વૈશ્વિક જૂથ નહીં, પરંતુ આખી પૃથ્વી પર વસવાટ કરતી માનવી સહિતના જીવસૃષ્ટિને બરબાદ કરી શકે છે.
હમણાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા ખૂબ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)ને એક અવસર તરીકે સ્વીકારવાની વાત કરે છે, અને આ અદ્યતન ટેકનોલોજીનો સહાયક તરીકે ઉપયોગ કરવાની સલાહો પણ કેટલાક બુદ્ધિજીવીઓ આપી રહ્યા છે, અને તેમાં વજુદ છે. પરંતુ પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સંજોગો તથા ખાસ કરીને સુપર અલનીનોની આહટના સમયે એ.આઈ.નું વિસ્તરણ કદાચ દુષ્કાળમાં અધિક માસ જેવું બની રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ રહે છે.
એવું કહેવાય છે કે એ.આઈ. ટેકનોલોજીમાં પુષ્કળ ઊર્જા અને પાણીની જરૂર પડતી હોય છે. અને જંગી પાણી પુરવઠાનો આ માટે અત્યારે જ ઉપયોગ થઈ રહ્યો હોવાના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ સુપર નીનોના કારણે ચોમાસુ નબળુ જતા પીવાના પાણીની પણ તીવ્ર તંગી ઊભી થવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે. આ સ્થિતિમાં જો લોકોને પાણીનું ટીપેટીપું બચાવવાની સલાહ આપીએ અને બીજી તરફ અદ્યતન ટેકનોલોજીમાં પાણીનો જંગી પુરવઠો વાપરીએ તો તે તર્ક સંગત પણ નથી અને નૈતિક પણ નથી. આ માટે દરિયાનું પાણી મીઠું કરીને વાપરવાની દલીલ થતી હોય છે, પરંતુ એવો સવાલ પણ ઊઠે છે કે એ જ ટેકનોલોજી વાપરીને દુષ્કાળ જેવા સંજોગોમાં લોકોની પીવાનું પાણી પ્રાયોરિટીમાં પૂરૃં પાડવું જોઈએ, કારણ કે લોકતંત્રનું હિત સર્વોપરિ ગણાય..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણો દેશ આઝાદ થયો, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને દેશના ર૦ થી વધુ રાજ્યોમાં પણ કોંગ્રેસનું જ શાસન હતું. તે સમયે વિપક્ષમાં મુખ્યત્વે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સામ્યવાદી), સોશ્યાલિસ્ટ પાર્ટી (સમાજવાદી), કિસાન મજદુર પ્રજા પાર્ટી, ભારતીય જનસંઘ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન સહિતના પક્ષો હતાં, જો કે વર્ષ ૧૯પ૧-પર ની પહેલી લોકસભા ચૂંટણી વખતે પ૩ જેટલા રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને નોંધપાત્ર સંખ્યામાં અપક્ષો પણ ચૂંટાયા હતાં.
તે પછી વર્ષ ૧૯૮૮-૮૯ સુધી દેશમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું, પરંતુ કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ વધ્યું. વર્ષ ૧૯૬૯ મં સિન્ડિકેટ-ઈન્ડિકેટના જમાનામાં કોંગ્રેસના ભાગલા પડ્યા અને શાસક-સંસ્થા કોંગ્રેસના સ્વરૂપમાં કોંગ્રેસ વહેંચાઈ ગઈ, અને તે પછી કોંગ્રેસમાંથી છૂટા પડીને કેટલાક નાના-નાના પક્ષો સ્થપાતા રહ્યા. કોંગ્રેસનું છેલ્લું સૌથી મોટું વિભાજન, જ્યારે યુપીએ ગઠબંધનની સરકાર રચાવાની હતી, ત્યારે સોનિય ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિવાદ થયો, ત્યારે થયું હતું અને શરદ પવાર, પી.એ. સંગ્મા વગેરે દિગ્ગજોએ કોંગ્રેસ છોડીને નેશનલ કોંગ્રેસ પાર્ટી સ્થાપી હતી, અને તેમાં કોંગ્રેસના ઘણાં દિગ્ગજો જોડાયા હતાં. આ પાર્ટીએ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને જોરદાર ટક્કર આપી હતી.
મહારાષ્ટ્રની વિધાનસભાની ગત્ ચૂંટણી પછી ઓપરેશન લોટ્સથી ઓળખાતા રાજકીય એજન્ડાની ખૂબ ચર્ચા થઈ હતી. તે પછી એનસીપી અને શિવસેનામાં પણ વિભાજનો થયા હતાં. એનસીપીના સર્વેસર્વા શરદ પવારના ભત્રીજા સ્વ. અજીત પવારના નેતૃત્વમાં વિદ્રોહ થયો અને એનસીપીના બે ભાગલા પડી ગયા. અજીત પવારનું જુથ ભાજપ અને શિવસેનાના બાગી જુથ સાથે જોડાયું અને મહારાષ્ટ્રમાં સતતા હાંસલ કરી તે પછી શરદ પવાર જુથની એનસીપી ત્યાં વિપક્ષમાં છે. આ દરમિયાન અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયા પછી તે જુથનું નેતૃત્વ સ્વ. અજીત પવારના પત્ની સુનેત્રા પવારે સંભાળ્યું, અને તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
અજીત પવારના નિધન પછી તેના ગ્રુપનું શરદ પવારના જુથમાં વિલીનીકરણ અથવા મૂળ એનસીપીના બન્ને જુથના એકીકરણના પ્રયાસો પણ થયા હતાં, પરંતુ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા પછી ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું હતું, અને શરદ પવારનું જુથ વિપક્ષમાં યથાવત્ રહ્યું હતું.
પ. બંગાળમાં મમતા બેનરજીની સત્તા ગઈ, તે પછી તૃણમુલ કોંગ્રેસમાં બળવો થયો અથવા કરાવાયો, તે પણ તૃણમુલ કોંગ્રેસનું મૂળ પાર્ટી કોંગ્રેસમાં વિલીનીકરણ કરવાની વાતો વહેતી થઈ અને સોનિયા ગાંધી સાથે મમતા બેનરજીની સૂચક મુલાકાત, સોનિયા ગાંધીએ મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તથા તેના ચર્ચાસ્પદ બનેલા ભત્રીજા અભિષેક બેનરજીને મહાસચિવને સમકક્ષ હોદ્દા આપવાની કરેલી ઓફર તથા રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે થયેલી લાંબી ચર્ચા પછી એ લગભગ નક્કી મનાતું હતું કે કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસનું વિલીનીકરણ થઈ જશે, પરંતુ તે પછી અભિષેક બેનરજીએ મમતાને રાજ્યસભામાં મોકલીને ત્યાં તેને ખડગેની જગ્યાએ વિપક્ષના નેતાનું પદ આપવાની માંગણી કરી હોવાના અહેવાલો આવ્યા, અને તે પછી કોંગ્રેસના નેતા કે. વેણુગોપાલે આ તમામ વાતો જ પાયાવિહોણી હોવાનું જણાવતા તૃણમુલ કોંગ્રેસનું કોંગ્રેસમાં વિલીનીકરણ થવાની વાતો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેવું લાગ્યું અને મમતા-અભિષેક પણ દિલ્હીથી કોલકાતા પરત ચાલ્યા જતા આખી વાત સમેટાઈ ગઈ.
જો કે, રાજનીતિમાં બહારથી દેખાય, તેવું જ હોતું નથી અને 'બેકડોર' એટલે કે પડદા પાછળથી જે ગતિવિધિઓ ચાલતી હોય તે જાહેર થતી હોતી નથી.
મહારાષ્ટ્ર શિવસેનાના એક નેતાએ એવું સૂચન કર્યું કે ભૂતકાળમાં કોંગ્રેસમાંથી છૂટા પડેલા હોય, તેવા પક્ષોએ કોંગ્રેસમાં વિલીન થઈ જવું જોઈએ. આ નિવેદન પછી તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાજકીય કોંગ્રેસમાં વિલીનીકરણની સંભાવનાઓ હજુ પણ જિવંત છે અને બેકડોર ચર્ચાઓ-ગુફ્તેગો ચાલી રહી છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જ્યારે શરદ પવાર જુથ અને અજીત પવાર જુથ વચ્ચે એક્તા ન સધાય, તો શરદ પવાર જુથની એનસીપી કોંગ્રેસમાં ભળી જાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે.
હકીકતે, કોંગ્રેસને મજબૂત બનાવીને જ રાષ્ટ્રીય કક્ષાએ મોદી સરકારને પડકાર આપી શકાય તેમ છે, કારણ કે રાષ્ટ્રવ્યાપી અને સૌથી જુની પાર્ટી કોંગ્રેસ જ છે. કોંગ્રેસના ભોગે કેટલાક રાજ્યોમાં મજબૂત બનેલા પ્રાદેશિક પક્ષો પૈકી મૂળ કોંગ્રેસી ગોત્રની રાજકીય પાર્ટીઓ જો કોંગ્રેસમાં ભળી જાય, તો રાષ્ટ્રીય કક્ષાએ પણ એક મજબૂત વિરોધ પક્ષ ઊભો થઈ શકે અને કેટલાક રાજ્યોના સમીકરણો પણ બદલી જાય, તેવી ગણતરીથી થઈ રહેલી આ નવી હિલચાલે એનડીએ અને મોદી સરકારની ઊંઘ ઊડાડી દીધી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, અને એવું થાય તો ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસના નેતૃત્વમાં ફરી મજબૂત બને તથા ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્યોમાં સત્તા પણ મેળવી શકે, તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે.
પંજાબમાં અકાલીદળ નબળું પડતા ત્યાં આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પણ મજબૂત બનશે, તેવી શક્યતા છે. તમિલનાડુ અને કેરળમાં કોંગ્રેસ સત્તામાં ભાગીદાર છે. તે ઉપરાંત હિમાચલપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે, અને સત્તામાં છે, ત્યારે રાજ્યોમાં નબળા પડી રહેલા પ્રાદેશિક રાજકીય પક્ષોનો સીધો રાજકીય ફાયદો કોંગ્રેસને થઈ રહ્યો હોવાના વ્યક્ત થઈ રહેલા તર્કોમાં પણ વજુદ છે.
એક અભિપ્રાય એવો છે કે કોંગ્રેસે ગઠબંધનની રાજનીતીમાં ઘણો ભોગ આપ્યો છે, અને કેટલાક પ્રાદેશિક પક્ષો કે નવા રચાયેલા રાજકીય પક્ષો કોંગ્રેસના ભોગે જશક્તિશાળી બન્યા છે, ત્યારે કોંગ્રેસે હવે કાં તો 'એકલો જાને રે...'ની નીતિ અપનાવી જોઈએ, અથવા સન્માનજનક બેઠકો મેળવીને જ ગઠબંધન કે ચૂંટણી પહેલાની સમજુતિઓ કરવી જોઈએ, જો કે ભાજપ અને એનડીએના વર્તુળો આ બધા કોન્સેપ્ટ તથા સંભાવનાઓનું શેખચલીના સપના ગણાવી રહ્યા છે, પણ....?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી શરૂ થયા પછી ઈંધણની અછતની વિશ્વવ્યાપી સમસ્યા ઝડપથી ખતમ થાય, તેમ જણાતું નથી, ત્યારે ઈંધણનું સ્વરૂપ બદલવા તથા પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો વધુ તેજ બનાવવા પડશે અને તેના સંદર્ભે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવો, કારપુલીંગ અને સાર્વજનિક વાહનોમાં સ્થાનિક મુસાફરી સહિતનો પ્રવાસ કરવાનો આગ્રહ રાખવાની ઝુંબેશ પણ હવે ટોપ ટુ બોટમ શાસકો અને તંત્રોએ સ્વયં અપનાવીને દૃષ્ટાંત બેસાડવું પડશે, જેના કારણે સામાન્ય જનતાને પણ પ્રેરણા મળશે અને ખાનગી ટુ વ્હીલર્સ, કાર અને અન્ય પેટ્રોલ-ડીઝલ-ગેસ આધારિત વાહનો ઓછા દોડશે. હવે સરકારી-અર્ધસરકારી અને પબ્લિક પરિવહનમાં પણ વધુમાં વધુ ઈલેક્ટ્રીક વાહનો દોડાવવાનો સમય પાકી ગયો છે, તેથી ક્રમશઃ ઈલેક્ટ્રીક વાહનોનો મહત્તમ અને સહિયારો ઉપયોગ કરીને પેટ્રોલ-ડીઝલ-ગેસની ડિમાન્ડ ઘટાડીને આ વૈશ્વિક અને રાષ્ટ્રીય કૃત્રિમ આફત સામે સૌએ સાથે મળીને જ લડવું પડશે, અને તેની આગેવાની નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓએ જ લેવી પડશે.
ગઈકાલે સમાચાર આવ્યા કે જામનગરમાં ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવાની છે અને તેની ટ્રાયલ હાપાથી ગાંધીનગર વચ્ચે લેવામાં આવી છે. અત્યારે કેટલાક રૂટો પર જે સિટી બસો ચાલે છે, તેના સ્થાને તો સિટીબસો આવી જશે, પરંતુ તે ઉપરાંત પણ જામનગરથી નજીકના ગામડાઓ તથા ચોતરફ વિક્સેલા સોસાયટી વિસ્તારોને સાંકળીને આ બસસેવા ચલાવવી પડશે અને પ્રારંભમાં સિટીબસો તરફ લોકોને વાળવા માટે જુદા જુદા રાહતભર્યા પ્રયોગો પણ કરવા પડશે. એટલું જ નહીં, નેતાગણ તથા અધિકારી-કર્મચારીઓએ પોતે પણ સિટીબસમાં જ પ્રવાસ કરીને પ્રવર્તમાન સંજોગોમાં પ્રેરણાત્મક દૃષ્ટાંત બેસાડવું જોઈએ. આ માટે વડાપ્રધાનના શાસનગાળાના ૧ર વર્ષની ઉજવણી સાથે સાંકળીને તમામ સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તથા નેતાગણ પણ કમ-સે-કમ વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે ઈંધણની સમસ્યા ચાલે, ત્યાં સુધી આ ઈલેક્ટ્રીક સિટીબસોમાં જ મહત્તમ મુસાફરી કરવાનો આગ્રહ રાખે.
વડાપ્રધાન તરીકે ૧ર વર્ષ અને તે પહેલા મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ મળીને નરેન્દ્રભાઈએ અઢી દાયકાના શાસન દરમિયાન જે ઝુંબેશો ચલાવી, તેનો પ્રારંભ પોતે કર્યો છે. દૃષ્ટાંત તરીકે સ્વચ્છતા અભિયાન આદર્યું, તો પોતે જ સફાઈ રાખવાને પ્રાધાન્ય આપવા લાગ્યા હતાં. તેવી જ રીતે જુદી જુદી ઝુંબેશો સ્વયંથી શરૂ કરીને સરકાર અને સંગઠનના હોદ્દેદારો, નેતાઓ તથા કાર્યકરોથી લઈને સમાજના જુદા જુદા વર્ગોને પણ તેમાં જોડતા રહ્યા છે. આ જ રીતે જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, કમિશનર, કલેક્ટર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ, સભ્યો, સરકારી-અર્ધસરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ જો ઈલેક્ટ્રીક સિટીબસોમાં જ મહત્તમ સ્થાનિક પ્રવાસ કરવાનો આગ્રહ રાખે. એટલું જ નહીં, નગરના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તથા વ્યાપારી પેઢીઓ પણ જો પોતાના સ્ટાફ અને કામદારો-શ્રમિકોને ઈલેક્ટ્રીક સિટીબસોની મુસાફરી કરવા પ્રેરણા આપે, અને પોતે પણ અનુસરે, તો ઈલેક્ટ્રીક સિટીબસો ખાલી દોડવાના બદલે ભરચક્ક દોડશે.
જો આ ઈલેક્ટ્રીક સિટીબસો નિયમિત દોડશે અને સતત ઉપલબ્ધ થતી રહેશે, અને ઠેર-ઠેર સિટીબસ સ્ટેન્ડો ઉપરાંત વ્યવહારૂ અભિગમ દાખવીને વિવેકી સ્ટાફ દ્વારા મુસાફરોને ચડવા-ઉતરવાની સગવડ આપશે, તો સિટીબસો પહેલાની જેમ જ સફળતાપૂર્વક સારા પરિણામો એકંદરે હાંસલ કરી શકશે. આ માટે પ્રારંભિક સમયમાં થોડી ધીરજ રાખવી જરૂરી ફેરફારો કરતા રહેવા તૈયાર રહેવું પડશે.
જો જામનગર મહાનગરપાલિકા મહિલાઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો વિગેરે માટે પ્રારંભમાં નિઃશુલ્ક અથવા ટોકન દરે સિટીબસમાં પ્રવાસની સુવિધા આપશે અને શ્રમિકો, દરરોજ પ્રવાસ કરતા નોકરિયાતો અને નાના વ્યવસાયિકોને કન્સેશન આપશે. એટલું જ નહીં, છૂટાની માથાકુટ ના થાય તે રીતે મિનિમમ ટિકિટનો દર ઓછો રાખશે, તો આ બસ સેવા સફળ થશે. પ્રારંભમાં બધા લોકો માટે નિઃશુલ્ક સેવા આપીને મહત્તમ લોકોને સિટીબસ તરફ વાળીને પ્રવર્તમન સમયમાં પેટ્રોલ-ડીઝલની મહત્તમ બચત કરવાનો પ્રયોગ પણ કરવા જેવો ખરો...
જેવી રીતે શ્રમયજ્ઞો, વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વદેશીની ઝુંબેશ, વોકલ ટુ લોકલ, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો ચાલે છે, તેવી જ રીતે 'ચાલો, સિટીબસમાં જ પ્રવાસ કરીએ' જેવી ઝુંબેશ ચલાવીને નેતાગણ અને આગેવાનો, મહિલા અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓ સ્વયં દરરોજ સિટીબસનો ઉપયોગ કરશે, તો આ અભિયાન બહુહેતુક પૂરવાર થશે.
બીજી તરફ જેવી રીતે સીએનજી આધારિત ઓટોરિક્ષા અને રિક્ષાછકડાઓની સંખ્યા વધારીને ડીઝલ આધારિત વાહનો ઘટાડાયા, તેવી જ રીતે હવે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધારવાનો અભિગમ પણ અપનાવવો અત્યંત જરૂરી છે. રિક્ષાચાલકોના હિતો પણ જળવાય, ઈલેક્ટ્રીક સિટીબસોનો ઉપયોગ પણ વધે અને ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગોને તેનો આર્થિક ફાયદો તો થાય જ, પરંતુ પર્યાવરણ સુધરે તથા હાલના સંજોગોમાં ઈંધણની ક્રાઈસીસ ચાલી રહી છે, ત્યારે સાર્વજનિક વાહનોનો સામૂહિક પ્રયોગ 'મોટા માણસો' સહિત બધા કરતા થાય, તો આ કોન્સેપ્ટ બહુહેતુક પૂરવાર થવાનો છે. જો તેમ નહીં થાય તો દળી દળીને ઢાંકણીમાં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે સહન ન થાય એવી ગરમી પડી રહી છે અને તાપમાન જુના રેકોર્ડ તોડી રહ્યું છે. વયોવૃદ્ધ અને પ્રૌઢ વયજુથના લોકોએ તો ભૂતકાળમાં પ્રચંડ ગરમી, દુષ્કાળો અન સતત અલ્પવૃષ્ટિ તથા અનાવૃષ્ટિનો અનુભવ કર્યો છે, પરંતુ નવી પેઢીએ આ બધા વર્ણનો અભ્યાસ દરમિયાન કે પછી ઈતિહાસના સ્ટડી અથવા જનરલ નોલેજના વાચનમાંથી જ મેળવ્યા હશે. ઘણાં આઝાદીકાળના વડીલો છપ્પનિયા દુષ્કાળની કપરી સ્થિતિની વાતો કરતા હોય છે, તો પચાસ-પંચાવન વર્ષની ઉંમરના લોકો તેના બાળપણ કે યુવાવયે અનુભવેલી દુષ્કાળની સ્થિતિના અનુભવો વર્ણવતા હોય છે. આ કપરાકાળને પણ પાછળ છોડે, તેવી સુપર અલનીનોની સ્થિતિ આવી રહી છે, જેને લઈને વૈજ્ઞાનિકો 'એન્વાયરમેન્ટ બોમ્બ' જેવી વોર્નિંગ આપી રહ્યા છે, તેથી સરકાર, સમાજ અને ખાસ કરીને આકાશી ખેતી તથા જળઆધારિત ઉદ્યોગ-ધંધા કરતા લોકોએ સાવધાન થઈ જવું જરૂરી છે, અને અત્યારથી જ કપરાકાળનો સામનો કરવાની તૈયારીઓ આદરવી જરૂરી છે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા ચાલુ (જૂન) મહિના માટે જાહેર કરેલા રિપોર્ટે આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ રિપોર્ટમાં હવામાન મોડેલનું અપડેટ્સ અપાયું છે. આ વૈશ્વિક મોડેલ મુજબ પેસિફિક મહાસાગરમાં રચાઈ રહેલા વિનાશક 'સુપર અલનીનો'ના કારણે ચાલુ વર્ષ (ર૦ર૬) ના અંત સુધીમાં પેસિફિક મહાસાગરનું તાપમાન પ્લસ ૩ થી ૪ અંશ સન્ટિગ્રેડ સુધી વધી શકે છે. આ અપડેટ્સ તો ત્યાં સુધીના સંકેતો આપે છે કે પેરૂ અને ઈકવેડોરના દરિયાઈ વિસ્તારોમાં તાપમાન પ્લસ પાંચ અંશ સેન્ટિગ્રેડ સુધી વધી શકે છે. તેનો અર્થ એવો થાય કે જ્યાં હાલમાં મહત્તમ ૪૦ થી ૪પ અંશ સેન્ટિગ્રેડ તાપમાન પહોંચતું હોય ત્યાં પ૦ થી પપ અંશ સેન્ટિગ્રેડ સુધી તાપમાન પહોંચી શકે છે. એવું કહેવાય છે કે આટલું ઊંચુ તાપમાન પૃથ્વી પરના મહત્તમ લોકો સહન કરી શકે તેમ નથી, જો કે દરિયામાં વધતું તાપમાન જમીન પર વસવાટ કરતા લોકોને સીધુ અસર ન કરે તો પણ તેની અસરો માનવી અને સમગ્ર પ્રાણીસૃષ્ટિ માટે અસહ્ય બની શકે છે.
અવનીનો એક નેચરલ હવામાન પ્રક્રિયા છે, જેમાં વિષુવવૃતિય પટ્ટામાં આવેલા પેસિફિક મહાસાગરનું પાણી અસાધારણ રીતે ગરમ થઈ નબળા થઈ જતા પવનો ઉલટી તરફ ફૂંકાવા લાગે છે. ગરમ પવનો અને ઠંડા-ગરમ દરિયાઈ પ્રવાહોના કારણે પૃથ્વી પરના વાયુમંડળનું કુદરતી ચક્ર ખોરવાઈ જાય છે, તેથી ભારત જેવા દક્ષિણ-પશ્ચિમ મોન્સુન પર આધારિત અને કૃષિપ્રધાન ઈકોનોમી દેશમાં માઠી અસરો પડે છે. તેમાં પણ આ વખતે જ્યારે સુપર અલનીનોની પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, ત્યારે આગામી ચોમાસાના ઉત્તરાર્ધ એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાત સહિતના પાંચેક રાજ્યોમાં અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાતા દુષ્કાળ પડી શકે છે. અછત-અર્થઅછત કે દુષ્કાળ જેવી સ્થિતિના કારણે ખેતી પાકો નિષ્ફળ ગયા પછી મોંઘવારી માઝા મૂકી શકે છે. ચોમાસું નિષ્ફળ ગયા પછી આવતો (આગામી) શિયાળો પણ ગરમ રહે અને વર્ષ ર૦ર૭ ના પ્રારંભે અભૂતપૂર્વ હીટવેવનું કારણે જળાશયોનું થોડું-ઘણું બચેલું પાણી પણ ખૂટી શકે છે.
બીજી તરફ પેસિફિક અને આટલાન્ટિક મહાસાગરોના તાપમાન વચ્ચે મોટો તફાવત સર્જાતા દુનિયાના કેટલાક દેશોમાં વાવાઝોડા ફૂંકાય, જંગલોમાં દાવાનળ અને કેટલાક દેશોમાં પાણીની તીવ્ર તંગી સર્જાય તો દુનિયાના કેટલાક ભાગોમાં તેનાથી વિપરીત અતિવૃષ્ટિ અને ભારે પૂર પણ વિનાશ વેરી શકે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓની વૈશ્વિક સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા દુષ્કાળમાં અધિકમાસ જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, અને આખું વિશ્વ કદાચ મહામંદીના ખપ્પરમાં હોમાઈ શકે છે.
આ ભયાનક સ્થીતિ ટળી જાય, અને કુદરતી રીતે જ સુપર અલનીનોની અસરો ઓછી થઈ જાય, તેવું ઈચ્છીએ. આ પહેલા વર્ષ ૧૯૮ર-૮૩, વર્ષ ૧૯૯૭-૯૮ અને વર્ષ ર૦૧પ-૧૬ માં સુપર અલનીનોની સ્થિતિ ભારત સહિત દુનિયાના દેશોએ અનુભવી જ છે, પરંતુ આ વખતે યુદ્ધોના કારણે હવામાન પર થયેલી અસર, ગ્લોબલ વોર્મિંગ તથા તેની ફલશ્રુતિ સ્વરૂપે ક્લાઈમેટ ચેઈન્જ જેવા નવા પડકારો ઊભા થયા છે, ત્યારે સરકારે કે જનતાએ આ વખતે ગાફેલ રહેવા જેવું નથી. આ પહેલા પણ અલનીનો અને સુપર અલનીનોનો સામનો આપણે બધાએ કર્યો જ છે, તેના અનુભવે આગામી પડકારોનો પણ મક્કમતાથી સામનો કરવો જ પડે તેમ છે, કારણકે તેનો વિકલ્પ માત્રને માત્ર વિનાશ જ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જળસંરક્ષણ, ખાદ્યચીજોનો બફર સ્ટોક, ઓછા પાણીથી પુષ્કળ પરિણામો આપતા પાકો તરફ ખેડૂતોને વાળવા અને પાણી પહેલા પાળ બાંધવાના તમામ કદમ ઊઠાવવા અત્યારથી જ શ્રેણીબદ્ધ, આયોજનબદ્ધ અને સમયબદ્ધ પગલાં લેવા જોઈએ. આવી રહેલા કપરાકાળને લઈને અપાતી આ પ્રકારની ચેતવણીઓથી ગભરાવાની કે હતાશ થવાની પણ જરૂર નથી. આપણાં દેશે છપ્પનિયા દુષ્કાળથી લઈને આઝાદી પછીના પણ ડઝનેક આફતકાળનો સામનો કર્યો છે. તે સમયે તો ટાંચા સાધનો હતાં, જળસંગ્રહના સાધનો ઓછા હતાં અને સંચાર-વ્યવસ્થા મર્યાદિત હતી. આજની ઈન્ટરનેટ યુગમાં ઝડપી કોમ્યુનિકેશન, જળસંચય, જળસંગ્રહ, જળબચત, ખાદ્યાન્ન બચત અને પ્લાનિંગ અને આગમચેતી સાથેની ખેતી સહિતના તમામ કદમ ઊઠાવીને સુપર અલનીનોને 'સુપર' લડત આપી શકાય તેમ છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ત્યાં એક ગુજરાતી કહેવત ઘણી જ પ્રચલીત છે, જેમાં કહેવાયું છે કે, લાકડાના લાડુ, ખાય તે પણ પસ્તાય અને ખાય નહીં, તે પણ પસ્તાય... મતલબ કે લાકડાના લાડુ ખાવા જાય, તેના દાંત તૂટી જાય કે ખાઈ શકે જ નહીં, તેમ તેને એમ થાય કે આવું મેં કેમ કર્યું?
બીજી તરફ લાકડાના લાડુ ખાવામાં અચકાય, તેને એમ થાય કે મેં લાડવાનો સ્વાદ માણવાની તક ગુમાવી. હકીકતે આ એક વ્યંગાત્મક કહેવત છે, જે મોટાભાગે લગ્ન કરવા કે નહીં કરવાના પરિપ્રેક્ષ્યમાં વપરાય છે. આ સાથે જ લગ્ન નહીં કરનાર, અથવા એકલા રહેનાર કેટલાક મહાનુભાવો મુખ્યમંત્રી, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હોવાના દૃષ્ટાંતો પણ અપાતા હોય છે.
તેવી જ રીતે જ્યારે કોઈ શાસક, હોદ્દેદાર કે સત્તાધિકારી પોતાને સત્ત જ ન હોય તેવા હુકમો ચલાવે, અથવા પોતાની મર્યાદા અથવા નીતિ-નિયમોને અવગણીને કોઈ મનસ્વી નિર્ણયો કરે ત્યારે એવું કહેવામાં આવતું હોય કે, 'તેઓ તો લાકડાની તલવાર ચલાવે છે...!'
ઘણી સરકારો, શાસકો અને અધિકારી-પદાધિકારીઓ આ પ્રકારની લાકડાની તલવાર ચલાવતા હોય છે. રાજાશાહી કે સુલતાનશાહી ચાલતી હોય, ત્યાં રાજા, રાણી, નવાબ કે સુલતાન પાસે એકાધિકાર હોઈ શકે, પરંતુ લોકતાંત્રિક દેશોમાં લિખિત બંધારણ અથવા બ્રિટનની જેમ કાનૂન આધારિત નિર્ણયો લેવા રાજા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે દેશના વડા બંધાયેલા હોય છે અને જ્યારે બંધારણ કે પ્રસ્થાપિત નિયમ-કાયદા વિરૂદ્ધ કોઈ સત્તાધીશો મનસ્વી રીતે નિર્ણયો લેવા લાગે, આદેશો દેવા લાગે કે એક્સન લેવા લાગે, ત્યારે એવું કહી શકાય કે તેઓ લાકડાની તલવાર ચલાવી રહ્યા છે...
આવી જ લાકડાની તલવાર ચલાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને ગોટે ચડાવી રહ્યા છે. તેઓએ દુનિયાના દેશો પર જે ટેરિફ નાંખ્યો હતો, જે અમેરિકાના બંધારણને અનુરૂપ નહીં હોવાથી અમેરિકાની સર્વોચ્ચ અદાલતે તેને ગેરકાયદે ઠરાવ્યો હતો, જેથી ટ્રમ્પની લાકડાની તલવાર મ્યાન થઈ હતી અને ટેરિફ લાદવાની સત્તાની મર્યાદામાં રહીને નવા નિયમો કરાયા હતાં, જો કે કાયદાની છટકબારીઓ શોધીને તેઓ નવા નવા ટેરિફદરો માટે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ એક વખત તો તેને પરોઠના પગલાં ભરવા જ પડ્યા હતાં.
આવી જ પછડાટ ટ્રમ્પને ફરીથી લાગી છે. ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઈમિગ્રેશન પર આધારિત માઈગ્રેશન અટકાવવા વિઝા ફી માં તોતિંગ વધારો કર્યો હતો. વિદેશી તકનીકી (ટેક) વર્કરો માટે એચ-૧-બી વિઝાની ટ્રમ્પે લાદેલી એક લાખ ડોલરની ફી ને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ગેરકાયદે ઠેરવી છે.
બન્યું એવું કે ગત્ વર્ષે આ જંગી વિઝા ફી વધારો ઝીંકાયા પછી અમેરિકાની ર૦ જેટલી રાજ્ય સરકારોના એટર્ની જનરલોએ ટ્રમ્પના આ પગલાંને અદાલતમાં પડકાર્યું હતું, અને દલીલો રજૂ કરી હતી. અદાલત એ દલીલો સાથે સંમત થઈ હતી, કે સંસદની મંજુરી વિના રાષ્ટ્રપતિને આટલી તોતિંગ વિઝા ફી લાદવાનો અધિકાર જ નથી!
ટ્રમ્પના આ નિર્ણયથી ગત્ વર્ષથી ભારતીય વ્યવસાયિકો, ટેક-વર્કરો-ઈમિગ્રેશનને ફટકો પડ્યો હતો, કારણ કે એચ-૧-બી વિઝા મેળવવાનો ખર્ચ એક વ્યક્તિ દીઠ માત્ર બે થી પાંચ હજાર ડોલર થતો હતો, તે સીધો એક લાખ ડોલર થઈ જતા કંપનીઓ-વ્યવસાયિકો માટે તે અસહ્ય હતો અને તે કારણે ભારતીય તકનીકી ક્ષેત્રના એચ-૧-બી વિઝા મોંઘા દાટ થઈ જતા ઘણાં રોજગારવાંચ્છુઓના સપના રોળાઈ ગયા હતાં, પરંતુ ફેડરલ કોર્ટના આ ચૂકાદા પછી ટ્રમ્પના નિર્ણયો પર અંકુશ આવશે, પરંતુ તેઓ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરશે કે બીજી છટકબારી શોધીને પોતાના નિર્ણયનેે વળગી રહેશે કે પછી ફેડરલ કોર્ટના આદેશ પછી હવે ભારત સહિતના એચ-૧-બી વિઝાધારકોને તત્કાળ રાહત મળશે, તેની ચર્ચા થઈ રહી છે.
મોટાભાગના વિશ્લેષકો એવું માને છે કે, ટ્રમ્પને હાલતુરત તો ફેડરલ કોર્ટનો આદેશ માનવો જ પડશે, પરંતુ તેઓ સંસદમાં પ્રસ્તાવ મૂકીને અથવા બીજી કોઈ રીતે એચ-૧-બી વિઝાના મુદ્દે અડચણો ઊભી કરી શકે છે. ટ્રમ્પ પાસે આ મુદ્દે કોંગ્રેસ (સંસદ) ની મંજુરી મેળવવાનો વિકલ્પ છે, પરંતુ જ્યારે ર૦ ડેમોક્રેટિક સ્ટેટ એકજુથ થઈ ગયા હોય, ત્યારે 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા'ના રાષ્ટ્રપતિ માટે ફેડરલ કોર્ટને અનુસરવું જ શાણપણભર્યું ગણાશે. લાકડાની તલવાર વાપરનાર અંતે તો પછડાટ જ ખાતો હોય છે...
ટ્રમ્પની જેમ જ વિશ્વના ઘણાં દેશોના શાસકો પણ ઘણી વખત 'લાકડાની તલવાર' ચલાવતા હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની લાકડાની તલવાર સામે લોખંડની તલવાર આવી જાય કે પછી લોખંડની ઢાલ આવી જાય, ત્યારે લાકડાની તલવારોની પોલ ખૂલી જતી હોય છે અને લાકડાની તલવારના ટૂકડે ટૂકડા થઈ જતા હોય છે.
છેલ્લા એક-દોઢ દાયકાથી આ જ રીતે લાકડાની તલવારો ચલાવીને એકચક્રી શાસન કરનારા મમતા બેનરજી, સ્ટાલીન અને વિજયન વિગેરે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ સમજાઈ ગયું હશે કે તેઓની પાસે તો લાકડાની તલવાર હતી, હકીકતે અસલી તલવાર તો લોકતંત્રમાં મતદારોની પાસે જ હોય છે, અને જ્યારે જનતાની તલવાર વિંઝાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત સરકારો પણ ગબડી પડતી હોય છે. પબ્લિકને જ્યારે એવું લાગે કે 'હવે બસ થયું', ત્યારે લોકતાંત્રિક ક્રાંતિઓ પણ સર્જાતી હોય છે. એટલું જ નહીં, લોકતાંત્રિક દેશોમાં પણ જનાક્રોશ જાગ્યા પછી બંધારણીય રસ્તે તખ્તાપલટ થઈ શકતા હોય છે. આથી હજુ પણ 'લાકડાની તલવારો' વિંઝતા શાસકોએ ચેતી જવા જેવું છે, કારણ કે જ્યારે જનતા જાગે છે, ત્યારે તાનાશાહોને ભાગવું પડે છે...
ભારતમાં વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, પરંતુ તે બંધારણ કે કાયદાથી પર નથી. કોઈપણ વ્યક્તિ ભલે સેલેબ્રિટી હોય કે વિશ્વકક્ષાનો ખેલાડી હોય, દેશના કાયદા-કાનૂન માનવા જ પડે છે. માત્ર પ્રસ્તાવ થયો હોય અને મંજુરીની પ્રક્રિયા પૂરી થઈ ન હોય, છતાં કોઈ કિંમતી પ્લોટનો કબજો 'લાકડાની તલવાર' ચલાવીને કરી લીધો હોય, તો તેને પણ અદાલતમાં ઝટકો લાગતો હોય છે, તેથી લાકડાની તલવાર ચલાવતા લોકોએ ચેતવા જેવું છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ર૩ જેટલી રાજકીય પાર્ટીએ નવી દિલ્હીમાં બેઠક યોજીને 'ઈન્ડિયા ગઠબંધન'ના નેજા હેઠળ મોદી સરકારને ઘેરવા કોઈ મોટી જાહેરાત કરવાના હોવાની અટકળો પહેલેથી જ હતી અને મમતા બેનરજી તો ગઈકાલથી જ દિલ્હી પહોંચી ગયા હતાં, અને આગામી સમયમાં મોદી સરકાર સામે મોટો પડકાર ઊભો થવાનો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે, તો બીજી તરફ નીટ પેપરલીક તથા સીબીએસઈની પરીક્ષામાં ગરબડ-ગોટાળાઓને લઈને આંદોલનો ચાલી રહ્યા છે. ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ઉભરેલી કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતરમંતર પર કલાકો સુધી જે વિરોધ-પ્રદર્શન કર્યું હતું, તે ટ્રેલર હતું અને પિક્ચર હજુ બાકી છે, તેવો દાવો પણ થઈ રહ્યો છે.
દિલ્હીના જંતરમંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉમટ્યો, ત્યારે અન્ના હજારેનું યુપીએ સરકાર સામે આદરેલું આંદોલન યાદ આવી ગયું. તે પછી કેન્દ્રમાં મોદી સરકાર રચાઈ અને તેના એક વર્ષ પછી અન્ના હજારેના આંદોલનમાંથી રચાયેલી પોલિટિકલ પાર્ટી 'આપ'નું વર્ષ ર૦૧પ માં દિલ્હીમાં શાસન સ્થપાયું. તે પછી યમુનાજીમાં ઘણાં પાણી વહી ગયા છે અને આમ આદમી પાર્ટી હવે માત્ર પંજાબમાં રાજ્ય સરકાર ધરાવે છે, અને દિલ્હીમાં સત્તા ગુમાવી છે. આ તરફ કોંગ્રેસે વર્ષ ર૦૧૪ થી ઘણી ચૂંટણીઓમાં પરાજ્ય મેળવ્યો તો કેટલાક મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં આજે પણ કોંગ્રેસની અથવા તેની સાથેના ગઠબંધનની સરકારો અસ્તિત્વમાં છે. પ. બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજી હાર્યા પછી હવે ફરીથી ર૩ વિપક્ષો એકજુથ થઈ રહ્યા છે, તો બીજી તરફ નવી કોકરોચ પાર્ટી પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ-પ્રદર્શનમાં મુખ્ય માંગણી નીટ પેપર લીક મામલે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને યુવાપાંખ પણ એ જ માંગણી સાથે દેશભરમાં ગયા મહિનાથી જ ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, તેમ છતાં કોકરોચ જનતા પાર્ટીને વધુ મહત્ત્વ મળ્યું અને વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થવા લાગ્યે, તેથી એવો સવાલ પણ ઊઠ્યો કે દેશની રાજધાનીમાં માત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રચાયેલી રાજકીય પાર્ટીમાં આ રીતે યુવાવર્ગ ઉમટી પડે, તે શું પડોશી દેશોમાં થયેલા જેના ઝી આંદોલનો જેવી શરૂઆત છે કે પછી કોંગ્રેસ દ્વારા આ જ પ્રકારના સમાન મુદ્દે ચાલી રહેલા દેશવ્યાપી આંદોલનોને કાઉન્ટર કરવાની કોઈ છૂપી ચાલબાજી છે?
આમ પણ મહારાષ્ટ્ર, દિલ્હી અને હવે પ. બંગાળમાં પ્રાદેશિક પક્ષોને પછડાટ મળ્યા પછી હવે મજબૂત વિપક્ષ તરીકે ફરીથી કોંગ્રેસનો ઉદય થઈ રહ્યો હોય, તેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસે કેરળમાં ડાબેરીઓના નેતૃત્વવાળા મોરચાને હરાવીને યુડીએફએ શાસન સ્થાપ્યું છે. કર્ણાટકમાં આંતરવિરોધ ખતમ કરીને ડી.કે. શિવકુમારના નેતૃત્વમાં સરકાર રચાઈ ગઈ છે. દક્ષિણ ભારતમાં તેલંગણામાં કોંગ્રેસનું શાસન છે, જ્યારે તમિલનાડુમાં વિજયની સરકારમાં કોંગ્રેસ ભાગીદાર છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસનું શાસન છે, અને લોકસભામાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લીડર ઓફ ઓપોઝીશન (એલઓપી) નું પદ મળ્યું છે. આમ ફરીથી ઈન્ડિયા ગઠબંધન મજબૂત બને તો પણ તેનું નેતૃત્વ તો હવે કોંગ્રેસ જ 'હક્ક'થી કરી શકે છે.
આ કારણે જ રાષ્ટ્રવ્યાપી વિપક્ષી એકતા થાય, તો મોદી સરકાર સામે નવેસરથી પડકાર ઊભો થાય તેમ છે, જો કે હજુ પણ તમિલનાડુમાં ડીએમકે, કેરળ અને બંગાળમાં લેફ્ટ તથા આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાય તેવી સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી, પરંતુ આજે સાંજે શું થાય છે, તે જોવાનું રહે છે.
ઈન્ડિયા ગઠબંધનની રચના થતા પહેલા જ કેટલાક વિરોધાભાસી નિર્ણયો આવ્યા અને કેટલાક રાજકીય પક્ષોએ ગોળ-ગોળ વાતો કરી અને કેટલાક પક્ષોએ આ ગઠબંધનમાં જોડાવાની અનિચ્છા વ્યક્ત કરી રહ્યા છતાં કેટલાક રાજ્યોમાં એક-બે વર્ષમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ જ નહીં, પરંતુ વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓને લક્ષ્યમાં લઈને પણ વિપક્ષો એકજુથ થઈને મોદી સરકારને સડકથી સંસદ સુધી ઘેરવાનો જોરદાર પ્રયાસ કરશે, તે નક્કી છે.
એનડીએના નેતાઓ પણ કોકરોચ જનતા પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ગીરીરાજ કિશોરસિંહે તેને ટૂકડે ટૂકડે ગેંગની શાખા ગણાવી તો કેટલાક નેતાઓએ અલગ નકસલીઓની ગેંગનું નવું સ્વરૂપ ગણાવ્યું. બીજી તરફ દીપકેએ કરેલો રણકાર જોતા આ પાર્ટી હવે વિધિવત રીતે રાજકીય પક્ષ તરીકે ચૂંટણીપંચમાં રજિસ્ટ્રેશન કરાવીને ચૂંટણીઓમાં ઝંપલાવશે કે પછી બિનરાજકીય રીતે દેશવ્યાપી યુવાઆંદોલનનું સ્વરૂપ ધારણ કરશે, તે અંગે વિવિધ અનુમાનો થઈ રહ્યા છે.
બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં જંતર-મંતર પર જે આંદોલન કર્યું, તેના કરતા પણ વધુ ભીડ હોય તેવું આંદોલન કોંગ્રેસે હાલાર અને ગુજરાત સહિત ઠેર-ઠેર લગભગ એક પખવાડિયાથી આદર્યું છે, અને હજું પણ તે ચાલુ રહેવાનું છે. કોંગ્રેસના આંદોલનોમાં સવિનય કાનૂનભંગ કરતા આંદોલનકારીઓ પર વોટર કેનનનો મારો અને ટિયરગેસનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, અને એકાદ સ્થળે નહીં, પણ જિલ્લે-જિલ્લે આ આંદોલન ચાલી રહ્યું છે.
એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ સહિતની કોંગ્રેસની જુદી જુદી પાંખો દ્વારા સરકારની આંખ ઉઘાડવા આશ્ચર્યજનક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને જુદા જુદા સ્થળે લોકોનું જબરદસ્ત સમર્થન પણ મળી રહ્યું છે, જ્યારે કોકરોચ જનતા પાર્ટીને સરકારે 'શાંતિપૂર્વક' આંદોલન કરવા દીધું, અને આંદોલનકારીઓએ પણ 'સંયમ' જાળવ્યો, તેને જુદા જુદા વિશ્લેષકો જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે ક ઈન્ડિયા ગઠબંધનમાં નહીં જોડાયેલા વિરોધ પક્ષો સાથે 'કોકરોચ પાર્ટી' ગઠબંધન કરે છે કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થાય છે કે પછી કોઈ બિનરાજકીય જન-ઝી આંદોલનનું સ્વરૂપ પકડે છે. જો આમાંથી કાંઈ નહીં થાય તો આ સોશિયલ મીડિયાનું એક અલગ પ્રકારનું આંદોલન હશે અથવા સમયાંતરે સક્રિય વર્તમાન રાજનીતિ અને પોલિટિકલ સિસ્ટમનો હિસ્સો બની જશે... જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમતી નેશનલ ટીમો હોય કે લીગ મેચો હોય, લોકલ ટુર્નામન્ટો હોય કે વિવિધ ટ્રોફીઓ હોય, તેનું આયોજન, સંચાલન, નિયંત્રણ અને નિયમન બીસીસીઆઈ કરે છે. સુરક્ષા કે વૈશ્વિક દ્વિપક્ષિય સંબંધો, યુદ્ધની સ્થિતિ કે કુદરતી આફતો ચૂંટણી કે રાષ્ટ્રીય કટોકટી, રોગચાળા જેવા સંજોગોમાં સરકારી નિયમો-સૂચનાઓને ધ્યાને લેવી પડે છે, પરંતુ આવક-જાવક, ટાઈમ ટેબલ, ફંડીંગ, ક્રિકેટના નિયમો, ખેલાડીઓ-મેનેજમન્ટને લગતા નિયમો તથા કોચ, સ્ટાફ, મેનજેરની નિમણૂકો વગેરેનું સંપૂર્ણ નિયમન બીસીસીઆઈ જ કરે છે, જેમાં ભારત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર અથવા બંધારણીય સંસ્થાનું નિયમન હોતું નથી, જો કે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો સાથે સંકલન જાળવવું પડતું હોય છે.
બીસીસીઆઈ પર સરકારનું પ્રત્યક્ષ કે પ્રશાસનિક નિયંત્રણ હોતું નથી. આ એક સંપૂર્ણ સ્વતંત્ર, સ્વાયત અને ખેલજગતની એવી ખાનગી સંસ્થા છે, જેને સરકાર કોઈ ગ્રાન્ટ આપતી નથી, અને આ સંસ્થા આવક સ્વયં મેળવે છે, જો કે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ક્રિકેટ મેચો નિહાળવા આવતા પ્રેક્ષકો પાસેથી ટિકિટના દર વસૂલવા કરતા અનેેકગણી વધુ કમાણી મેચોના લાઈવ ટેલિકાસ્ટની છે. સ્પોન્સરશીપ વેચીને કરે છે, જે હવે અબજો રૂપિયા સુધી પહોંચી છે. આ સરકારી સંસ્થા હોવાથી તેને માહિતી અધિકારનો કાયદો લાગુ નથી થતો હોવાની ચર્ચા ઘણાં સમયથી થતી રહી છે, જો કે આ સંસ્થાએ પણ દેશના નિયમ-કાયદા તથા સરકારની વખતોવખતની સૂચનાઓ અન્ય સંસ્થાઓની જેમ જ બીસીસીઆઈએ પણ માનવી પડતી હોય છે. આ ખેલ સંસ્થા હવે વિશ્વની ધનાઢ્ય ખેલ સંસ્થાઓની હરોળમાં આવી ગઈ હોવાથી તેને આવકવેરાના કાયદા હેઠળ આવરી લેવા તથા દેશનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય મેચો રમતી હોવાથી તેની કાનૂની અને કરવેરાની જવાબદારીઓ વધારવાની માંગ પણ વખતોવખત ઊઠતી રહે છે.
બીસીસીઆઈની સ્થાપનાને પણ ૯૮ વર્ષ થયા છે. વર્ષ ૧૯ર૮ માં રચાયેલી આ સંસ્થા આજે અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. બીસીસીઆઈની પ્રગતિયાત્રાની વાતો તો થતી જ રહે છે, પરંતુ તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં લેવાનારા એક નિર્ણયનો મુદ્દો ખેલજગત અને મીડિયા વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની એક બેઠકમાં 'કૂલીંગ ઓફ પીરિયડ'નો કડક નિયમ લાગુ કરવાનો નિયમ લાગુ કરવા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ, તેવા અહેવાલો પછી નિવૃત્તિ જાહેર કરીને વિદેશી લીગ મેચોમાં તરત જ જોડાઈ જતા બીસીસીઆઈની વિવિધ ક્રિકેટ ટીમોના ક્રિકેટરો પર અંકુશ લાવવાનો મુદ્દો 'ટોફ ઓફ ધ સ્પોર્ટસ વર્લ્ડ' બન્યો છે.
તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના એક ઓલરાઉન્ડર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી અને તરત જ વિદેશી લીગ મેચમાં જોડાયા હોવાના અહેવાલો આવ્યા, તે પછી 'સંન્યાસી' ક્રિકેટરોનો કૂલીંગ ઓફ પીરિયડ હેઠળ આવરી લેવાની ચર્ચા તેજ બની છે.
અહીં સંન્યાસી એટલે સંસારમાંથી સંન્યાસ લેનાર નહીં, પરંતુ બીસીસીઆઈ હેઠળ રમતા ક્રિકેટરો જ્યારે ચોક્કસ મેચો (વન-ડે, ટેસ્ટ, ટી-ર૦ વગેરે) માંથી નિવૃત્તિ જાહેર કરે, ત્યારે તેને તેટલા પૂરતો સંન્યાસ લીધો કહેવાય, કેટલાક ક્રિકેટરો તમામ પ્રકારની સત્તાવાર રમાતી બીસીસીઆઈના નેજા હેઠળની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરે તેને સંપૂર્ણ સંન્યાસ લીધો એવું કહી શકાય. આ પ્રકારની નિવૃત્તિની જાહેરાત સચિન તેંદુલકર સહિતના ઘણાં દિગ્ગજોએ કરી છે, પરંતુ તે પછી તેઓ કોઈ વિદેશી લીગ મેચમાં જોડાયા નથી, જો કે કેટલાક ક્રિકેટરો વિદેશી લીગમાં તત્કાળ જોડાવા માટે જ બીસીસીઆઈ અંતર્ગત રમાતી ટુર્નામેન્ટોમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોવાનું ધ્યાને આવ્યા પછી હવે બીસીસીઆઈ 'કૂલીંગ ઓફ પીરિયડ'નો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ નિયમ એવો હશે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેેર કરનાર કોઈપણ ક્રિકેટર નિવૃત્તિના પાંચ વર્ષ સુધી કોઈપણ વિદેશી લીગમાં રમી શકશે નહીં, અને જો નિયમભંગ કરે તો તેને ભારતીય ક્રિકેટના કોઈપણ ભાગ કે પ્રવૃત્તિમાં જોડાઈ શકશે નહીં.
હકીકતે અત્યારની બીસીસીઆઈની નીતિ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અંતર્ગત ડોમેસ્ટિક ક્રિકેટ, આઈપીએલ કે આંતરરાષ્ટ્રીય મેચો-રમતોમાં કોઈપણ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતો નથી. જો એવું કર્યું હોય તો ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવો પડે. આ નીતિના કારણે જ કેટલાક ખેલાડીઓ પારિવારિક અને અન્ય અંગત કારણો અથવા ઉંમરના કારણે નહીં પણ વિદેશી લીગમાં રમવાના પ્રોફેશ્નલ હેતુથી જ નિવૃત્તિ જાહેર કરવા લાગ્યા હોવાનું જણાતા હવે બીસીસીઆઈ પાંચ વર્ષના કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવા જઈ રહ્યું હોવાના સંકેતો મળ્યા પછી આ મુદ્દો ખેલજગત અને મીડિયા જગતમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ આ જ કોન્સેપ્ટ અથવા ભૂમિકા હેઠળ રાજકીય ક્ષેત્ર પણ કેટલાક કડક નિયમો બનવા જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે.
વાસ્તવિક વયનિવૃત્તિ સુધીનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવો જોઈએ. આવું થાય તો રાજકીય ક્ષેત્ર બંધારણીય માર્ગે થતી અયોગ્ય રાજકીય બદવૃત્તિ અટકાવી શકાશે.
આ ઉપરાંત વયનિવૃત્ત થયા પછી કેટલાક ન્યાયવિંદે (જજો) ને પણ ટૂંક સમયમાં જ કોઈ રાજકીય પક્ષ તરફથી કોઈ માનનીય પદવી કે રાજ્યસભાના સભ્ય થવાની તકો અપાતી હોય છે, તેથી જજો માટે વયનિવૃત્તિ પછી પાંચ વર્ષનો કૂલીંગ ઓફ પીરિયડ રાખવાની સિફારીશ પણ થઈ રહી છે.
આ ઉપરાંત ચૂંટણી કમિશનર, કેગ, કેન્દ્રિય એજન્સીઓના વડાઓ તથા અન્ય બંધારણીય સંસ્થાઓના ઉચ્ચ પદાધિકારીઓ માટે પણ નિવૃત્તિ પછી ચોક્કસ સમયનો એવો કૂલીંગ ઓફ પીરિયડ લાગુ કરવો જોઈએ, જેથી લાલચ કે પ્રેસર આપીને તેઓનો રાજકીય ગેરલાભ લેવાની સંભાવના જ ન રહે. વિવિધ ચર્ચાઓના તારણોમાંથી નીકળતા આ સૂચનો ગંભીરતાથી વિચારવા જેવા ખરા..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાર સહિત ગુજરાતમાં ઠેર-ઠેર ડ્રગ્સ, ગાંજો અને વિદેશી દારૂ અવારનવાર પકડાતો હોવાથી ગુજરાત નશીલા દ્રવ્યોનું પ્રવેશદ્વાર બની રહ્યું હોવાની ટીકા થઈ રહી છે અને આ મુદ્દે વિપક્ષો ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે... તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટો જથ્થો પકડાય, ત્યારે તંત્રની પીઠ થાબડીને રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી તથા ડ્રગ્સ માફિયાઓને ઝેર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હોય છે. આ ઉપરાંત રાજ્યમાં આ સંદર્ભે ચાલતી ઝુંબેશોની વિગતો પણ જાહેર થતી હોય છે, તેમ છતાં દિવસે દિવસે નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી રહી હોય તો સમગ્ર સિસ્ટમ અને નેટવર્કમાં આમૂલ પરિવર્તનની જરૂર પણ રહે છે, ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારે કેટલાક કદમ ઊઠાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
આ મુદ્દે અત્રેથી 'નોબત'ના તંત્રલેખો તથા વિશેષ અહેવાલોના માધ્યમથી પણ વખતોવખત કેટલાક સૂચનો કરાયા છે અને આ અંગે વ્યક્ત થતા જન-પ્રતિભાવો પણ વર્ણવાયા છે. અખબારો-મીડિયામાં આ મુદ્દો ઘણી વખત ચર્ચાના ચાકડે પણ ચડ્યો છે.
ગઈકાલે વહેતા થયેલા અહેવાલો મુજબ રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની સાડાપાંચસો કિલોમીટર લંબાઈ ધરાવતી બોર્ડર રેન્જનું નવેસરથી વર્ગિકરણ કર્યું છે, જેમાં નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ છે. આ વિભાજનના કારણે પાકિસ્તાન સાથેની ગુજરાતની સરહદ, દરિયાઈ સરહદ અને રાજસ્થાનને સંલગ્ન સરહદી ગુજરાતના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓનું સંકલન, પેટ્રોલીંગ અને મોનિટરીંગ વધુ મજબૂત અને ફૂલપ્રૂફ બનશે તેવો દાવો કરાયો છે.
ગુજરાતમાં લગભગ અઢીસો કિ.મી. લંબાઈની દરિયાઈ સરહદ છે, જ્યાંથી દાણચોરી, ઘૂસણખોરી અને આતંકવાદીઓના પ્રવેશની સંભાવના ઉપરાંત ગેરકાનૂની ચીજવસ્તુઓની હેરાફેરી તથા દુશ્મન દેશો દ્વારા જાસૂસી જેવી પ્રવૃત્તિઓની પ્રબળ શક્યતાઓ રહેતી હોય છે. ગુજરાત સાથે લગભગ ૪૦૦ કિ.મી.થી વધુ લંબાઈની પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ તથા રાજસ્થાનમાંથી થતી નશીલા દ્રવ્યોની હેરાફેરીના તમામ મુદ્દાઓને ધ્યાને લઈને રાજ્યના ગૃહવિભાગે નવી બનાસકાંઠા રેન્જ બનાવી હશે. આ રેન્જમાં કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, મોરબી જિલ્લાના સરહદી વિસ્તારોને સમાવાયા છે, જ્યારે રાજકોટે રેન્જમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લો તથા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોને સમાવાયા હોવાનું કહેવાય છે. આ વર્ગિકરણ પછી પાકિસ્તાન સરહદેથી ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી અને દાણચોરી જેવી પ્રવૃત્તિઓ ઉપરાંત સંભવિત આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે રાજ્ય-કેન્દ્રની તમામ સુરક્ષા એજન્સીઓ નજર રાખશે.
આ વિભાજન પછી રાજ્ય પોલીસના વિવિધ વિભાગો, બોર્ડર પોલીસ, મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, એ.ટી.એસ. વગેરે એજન્સીઓ તથા કસ્ટમ્સ, નાર્કોટિક્સ સહિતની સંલગ્ન કેન્દ્રિય એજન્સીઓ સંકલિત રીતે કામ કરશે, તેવો દાવો કરાયો છે.
બીજી તરફ ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટએ પણ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ ગંગેશ ડેલ્ટા નામની ભારત-બાંગલાદેશની સરહદેથી મહત્તમ ઘૂસણખોરી કરીને સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા બાંગલાદેશીઓની ગેરકાયદેસરતા પૂરવાર કરીને તેઓને દેશનિકાલ કરવાનું આ દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટને સફળ બનાવવા તમામ એજન્સીઓ દિવસ-રાત મહેનત કરી રહી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ માટે ગુજરાત સરકારે છેલ્લા ૬ મહિનાથી તૈયારી કરી હોવાનો દાવો પણ કરાયો છે.
થોડા મહિનાઓ પહેલા અમદાવાદના ચંડોળામાંથી ગેરકાયદે બાંગલાદેશીઓની વસાહતને હટાવીને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા દબાણો દૂર કરાયા પછી હવે આ ઘૂસણખોરો કોઈ એક સ્થળે અને એક સાથે રહેવાના બદલે રાજ્યભરમાં છૂટાછવાયા ફેલાઈ ગયા છે, અને વિવિધ જિલ્લાઓમાં ભાડાના મકાનોમાં, લેબર કોલોનીઓમાં કે ઝુંપડપટ્ટીઓમાં રહેવા લાગ્યા હોવાના ઈનપુટ પછી રાજ્યભરમાં આ પ્રકારના શકમંદોની અટકાયતો કરીને તેઓની તપાસણી અને ચકાસણી કરાઈ રહી છે, અને જે શકમંદો અનધિકૃત વસાહતી ઘૂસણખોર પૂરવાર થઈ રહ્યા છે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરીને પરત મોકલી દેવાની કાર્યવાહી થઈ રહી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટની તપાસનો રેલો હાલાર સુધી પહોંચ્યો છે અને ખંભાળિયા પછી સમગ્ર દરિયાઈ સરહદી વિસ્તારો સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સઘન ઝુંબેશ ચાલી રહી હોવાના અહેવાલો પછી ફફડાટ વ્યાપ્યો હોવાના પણ અહેવાલો ચર્ચામાં છે.
રાજકોટ, ચોટીલા સહિતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાંથી ગેરકાયદે રહેતા બાંગલાદેશી શકમંદો દબોચાયા હોવાના અહેવાલો છે અને કેટલાક ઘૂસણખોરોએ પોતાની ઓળખ ઊભી કરવા નકલી ઓળખપત્રો કે દસ્તાવેજો ઊભા કર્યા હોય અથવા પારિવારિક કે લગ્ન-સંબંધો બાંધીને તેની આડમાં ભારતીયતા મેળવાના અથવા છૂપાવાના પ્રયાસો થયા હોય, તો તે દિશામાં સુરક્ષા એજન્સીઓ સંકલનથી કામ કરી રહી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. હાલારમાંથી પણ ડઝનેક શંકાસ્પદ ગેરકાયદે બાંગલાદેશીઓની સઘન પૂછપરછ ચાલી રહી હોવાનું કહેવાય છે. આ અંગે અધિકૃત રીતે જ્યારે સંપૂર્ણ વિગતો જાહેર કરાશે ત્યારે ઘૂસણખોરી કરવાની તરકીબો, મોડસ-ઓપરેન્ડી અને સંખ્યા બહાર આવશે. એવું કહેવાય છે કે, ઘૂસણખોરોને મદદ કરનાર, આશરો આપનાર કે મકાન-મિલકત ભાડે આપનાર સામે પણ કાનુની પગલાં લેવાશે.
હમણાંથી આગ-અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને દિલ્હી-બિહારની કરૂણાંતિકાઓની સાથે ગુજરાતની તક્ષશીલા અને રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનના અગ્નિકાંડોની યાદ પણ તાજી થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે એક વખત ફરીથી ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓની સઘન તપાસ કરવાની જરૂર છે. આ મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા જિલ્લા તંત્રો વચ્ચે સુદૃઢ સંકલનની જરૂર રહે છે, કારણ કે અત્યારે જે ખામીઓ રહી જાય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર અને લાપરવાહી ઉપરાંત જવાબદારીઓની ફેંકાફેંકી થતી હોવાથી પણ આ પ્રકારની દુર્ઘટનાઓને સંપૂર્ણપણે અંકુશિત કરી શકાતી નથી. રાજ્યની બોર્ડર પરથી કેફી દ્રવ્યો જ નહીં, ગુનેગારો, ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓ તથા તેના એજન્ટોને પણ દબોચવામાં આવે અને એજન્ટો તથા કેરિયરોને પકડી સંતોષ માનવાના બદલે તેના મૂળિયા સુધી પહોંચીને ડ્રગ માફિયાઓ તથા દેશની વિરૂદ્ધ કાવતરા કરતા પરિબળોની ધરી તોડવાની જરૂર છે, જેમાં ભ્રષ્ટ નેતાગણ, બ્યુરોક્રેટ્સ અને સ્થાનિક બૂટલેગરો સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક સમય હતો, જ્યારે મમતા બેનર્જી પ. બંગાળમાં સર્વેસર્વા હતાં અને કેન્દ્રની મજબૂત સરકારોને પણ હંફાવતા હતાં. લગભગ દોઢ દાયકાના શાસન દરમિયાન તેણીએ કેન્દ્રમાં પહેલા યુપીએ સરકાર અને પછી એનડીએ સરકાર સામે કેટલાક મુદ્દે બાથ ભીડી હતી. કેન્દ્રિય એજન્સીઓને પ. બંગાળમાં જઈને કાર્યવાહી કરવમાં ધોળે દિવસે તારા દેખાતા હતાં, તો ગત કેટલીક ચૂંટણીઓ સમયે કેન્દ્રિય ગૃહમંત્રીને પણ હંફાવ્યા હતાં, અને કેટલાક મુદ્દે એનડીએના નેતાઓને પણ અદાલતનો આશરો લેવો પડી રહ્યો હતો.
એ જ મમતા બેનર્જી અત્યારે પોતાના જ પક્ષમાં એકલા-અટુલા પડી ગયા હોય, તેમ જણાય છે. પ. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી તૃણમુલ કોંગ્રેસમાં દબાયેલો તીવ્ર અસંતોષ સ્પ્રીંગની જેમ ઉછળ્યો અને વિધાનસભામાં ચૂંટાયેલા તૃણમુલ કોંગ્રેસના ૮૦ માંથી પ૯ ધારાસભ્યોએ મમતા બેનર્જીના બદલે ઋતબ્રત બેનર્જીને સમર્થન આપ્યું છે. પાર્ટી દ્વારા નક્કી થયા, તે નેતાના બદલે વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ અધ્યક્ષે પ૯ ધારાસભ્યોનું સમર્થન ધરાવતા ઋતબ્રત બનર્જીને ફાળવી દીધા પછી પ. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની હાલત પણ મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેની શિવસેના જેવી થઈ ગઈ છે. મીડિયા ડિબેટીંગમાં ઋતબ્રત બેનર્જીને એકનાથ શિંદે સાથે સરખાવાઈ રહ્યા છે અને આ બધો ખેલ પડદા પાછળથી ભારતીય જનતા પક્ષનો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો કેટલાક વિશ્લેષકો આ વિદ્રોહ માટે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને જવાબદાર ગણાવી રહ્યા છે.
એવું કહેવાય છે કે, ઋતબ્રત બેનર્જીને મમતા બેનર્જીએ પાર્ટીમાંથી કાઢી મૂક્યાની જાહેરાત કરી હોવા છતાં ઋતબ્રત બેનર્જી સહિતના ધારાસભ્યો હજુ પણ મમતા બેનર્જીને તો પોતાના નેતા માને છે, પરંતુ તેને અભિષેક સામે વાંધો છે. આ કારણે જ લગભગ ૬૦ બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભામાં જુદો ચોકો જમાવીને તૃણમુલ કોંગ્રેસનું વિધાનસભા પક્ષનું નેતૃત્વ જ મમતા બેનર્જી પાસેથી આંચકી લીધું છે. અટકળો તો ત્યાં સુધી થઈ રહી છે કે પક્ષાંતર વિરોધી કાયદા મુજબ બે-તૃતીયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન મેળવીને ઋતબ્રત બેનર્જીએ આખેઆખી તૃણુમલ કોંગ્રેસ જ મમતા-અભિષેક પાસેથી આંચકી લીધી છે.
અત્યારે પાનખરમાં ખરી પડતા પીપળાના પાનની જેમ મમતા બેનર્જી પણ ખરી રહેલા પીપળાના પાનની હાંસી ઊડાવતી પીપળાની જ તાજી ફૂટલી કુંપણીઓ સમાન ઋતબ્રત બેનર્જી સહિતના બળવાખોરોને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
કર્ણાટકમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બદલાયા અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પછી આખરે સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું અને તેના સ્થાને ડી.કે. શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા. ગઈકાલે નવા મંત્રીમંડળે શપથ લીધા. આ ઘટનાક્રમ પછી મનમાંને મનમાં કદાચ સિદ્ધારમૈયા પણ પીપળાના પાનની જેમ શિવકુમારને ઉદ્દેશીને કહી રહ્યા હશે કે, 'મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા'.
આ કાવ્યપંક્તિનો સારાંશ એવો છે પાનખરમાં ઘરડા થઈ ગયેલા પીપળાના સૂકાયેલા પાન ખરી પડે, ત્યારે એ જ વૃક્ષમાં નવી નવી ઉગેલી કુમળી કુંપણો ખરતા પાનની હાંસી ઊડાવતી હોય અને ખરતા પાન તે કુંપણીને કહેતા હોય કે આજે અમારા પર વિતી રહી છે, તેવી સ્થિતિ તમારી પણ આવશે. ધીરજ રાખજો...
કવિની આ કલપનામાંથી બોધપાઠ એવો નીકળે છે કે કોઈની નબળી સ્થિતિ કે કોઈપણ કારણે કોઈની દૂર્દશા ચાલી રહી હોય, ત્યારે તેની મજાક ઊડાવવી કે અપમાન કરવું યોગ્ય નથી, કારણ કે એવી જ સ્થિતિ આપણી પણ આવવાની શક્યતા હોય છે, અને એ જ કુદરતનો ક્રમ છે.
અત્યારે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત લગભગ બે ડઝન રાજ્યોમાં ભાજપનું શાસન છે, અને તે રાજ્યોની સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની સંસ્થાઓમાં પણ ભાજપનું વર્ચસ્વ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર છે. લોકસભામાં ભાજપને બહુમતી મળી નથી, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમારની પાર્ટીઓ તથા કેટલાક અન્ય પક્ષોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સમર્થન છે. આ સંજોગો અત્યારે દેશના મહત્તમ રાજ્યોમાં ભાજપનો દબદબો દર્શાવે છે. બીજી તરફ પ. બંગાળમાં જે ઘટનાક્રમ સર્જાયો છે, તેમાંથી બોધપાઠ લઈને એનડીએના નેતાઓએ પણ મમતા બેનર્જી કે તૃણમુલ કોંગ્રસની મજાક ઊડાવવા કે વ્યંગ કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે કવિ કહે છે કે, પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુ જ બિતશે... ધીરી કુંપણીયા...
જામનગર અને હાલારના કેટલાક હાંસિયામાં ધકેલાયેલા દિગ્ગજ નેતાઓ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો પણ વિચારતા હશે કે 'પીપળ પાન ખરતા-હસતી કુંપણીયા!'
બધાના દાયકા આવે છે અને જાય છે. એ જ પ. બંગાળમાં ડાબેરી પક્ષોએ ત્રણ દાયકાથી વધુ એકચક્રીય શાસન એ જ બંગાળી જનતાના જનાદેશથી ભોગવ્યું હતું, અને તે પછી તેવી જ મજબૂતીથી તૃણમુલ કોંગ્રેસે દોઢ દાયકા જેટલું શાસન ભોગવ્યું હતું. આ જ બંગાળી જનતાએ આ વખતે ભાજપને ચાન્સ આપ્યો છે, ત્યારે એ દિમાગમાં રાખવાની જરૂર છે કે એ જ બંગાળની જનતાને સંતોષ નહીં થાય તો ફરીથી પરિવર્તન લાવી શકે છે, અને ભાજપને પણ ઘેર બેસાડી શકે છે.
આખરે ભારતીય જનતા પક્ષનો સૂરજ મધ્યાન્હે છે, અને કેન્દ્રિય કક્ષાએ કદાચ એેક કિચન કેબિનેટ તથા સંગઠનમાં એક ત્રિપુટીનો દબદબો છે, ત્યારે એક-દોઢ દાયકા પહેલા જેનો દબદબો હતો, તેવા માર્ગદર્શક મંડળમાં મૂકાયેલા અડવાણી-મુરલીમનોહર જોષી જેવા એક સમયના ભાજપના સર્વેસર્વા હતાં, તેવા નેતાઓ પણ મનોમન કહેતા હશે કે, પીપળ પાન ખરંતા, હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો પૂનરાવર્તનનો પવન ફૂંકાયો અને મતદારોએ મહત્તમ જનાદેશ આપ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકામાં નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, ત્યારે પૂર્વ મેયરો તથા ચેરમેનો પણ કહેતા હશે કે 'પીપળ પાન ખરંતા... હસતી કુંપણીયા... મુજ બિતી તુજ બિતશે... ધીરી કુંપણીયા...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રશિયાએ કીવને ખેદાન-મેદાન કરી નાંખે તેવા હુમલા કર્યા તો ઈઝરાયલે લેબેનોન તથા હમાસ પર એટેક કર્યો, અને બીજી તરફ ઈરાને મીડલ ઈસ્ટમાં કૂવૈત, દુબઈ પર આક્રમણ શરૂ કર્યું હોવાના તથા અમેરિકાએ કેશ્મ ટાપુ પર વળતો હુમલો કર્યો હોવાના અહેવાલો જોતા નજીકના રાજ્યમાં યુદ્ધો અટકે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે મુક્ત થાય, તેવું લાગતું નથી, અને આ જ કારણે વિશ્વભરમાં ચિંતા વ્યાપી છે. ભારતમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાના થતા રહેલા દાવા છતાં જો આ બધા યુદ્ધો લંબાય તો ઘણી જ કપરી સ્થિતિ સર્જાય તેમ હોવાથી સરકાર અને પબ્લિકે સાથે મળીને ઈંધણના કરકસરપૂર્વકના ઉપયોગ તથા ઈ.વી. તથા પરંપરાગત ઊર્જાના સ્થાને સૌર ઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ, તેવી અપીલો થઈ રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિમાં સમતુલન જાળવવા અને મોંઘવારી અંકુશમાં રાખવામાં મોદી સરકાર સદંતર નિષ્ફળ ગઈ હોવાની તડાપીટ બોલાવી રહી છે, કારણ કે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થવા લાગતા પબ્લિક પરેશાન છે અને કચવાટ વ્યાપી રહ્યો છે.
આજે વિશ્વ સાયકલ દિવસ મનાવાઈ રહ્યો છે, અને સાયકલની પ્રગતિ યાત્રા વર્ણવાઈ રહી છે, તેની સાથે સાથે સાયકલના લોકલ પરિવહન માટે ઉપયોગ વધારીને પ્રવર્તમાન ઈંધણની ક્રાઈસીસની સ્થિતિમાં સહયોગી બનવાની સલાહ પણ અપાઈ રહી છે, તો બીજી તરફ હજુ પણ મોંઘવારી વધશે, તેવા મતલબના એક રિપોર્ટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે ગઈકાલે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થતા ભારતીય ઈકોનોમિ પર ફૂગાવાજન્ય પ્રેસર વધશે. આ કારણે આગામી થોડા મહિનાઓમાં પરિવહન, પ્રવાસન અને ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે, જેથી મોંઘવારી બેકાબૂ બનશે. આ રિપોર્ટમાં કરાયેલા દાવાઓ ચિંતા વધારનારા છે. આગામી અઠવાડિયામાં કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્રણ રૂપિયા જેટલો વધારો ઝીંકાય અને જો વૈશ્વિક ક્રૂડના ભાવોમાં સ્થિરતા રહેશે તો પણ છૂટક મોંઘવારી દરમાં ૦.૩૬ ટકાનો વધારો થઈ શકે છે, જે વધીને ૦.૪૮ ટકા સુધી પહોંચી શકે છે.
આપણાં દેશમાં હજુ પણ બળદગાડા, ઘોડાગાડી તથા ઉત્તરભારતમાં અન્ય પ્રાણીઓ જોડીને ચાલતા સાધનો દ્વારા દુર્ગમ વિસ્તારોમાં પરિવહન થાય છે, તો સાયકલ, ટ્રાઈસિકલ અને પેડલરિક્ષાઓ દ્વારા સ્થાનિક પરિવહન પણ હજુ થઈ રહ્યું છે, તેમ છતાં માલસામાનનું પરિવહન ૭૧ ટકા જેટલું સડક-પરિવહન કરતા વાહનો દ્વારા થાય છે, તો વિદેશી ઈંધણ પર નિર્ભર ૪ર ટકા પરિવહન ઉપરાંત હવાઈ અને દરિયાઈ પરિવહન માટે પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત અનિવાર્ય રહે છે, જે અર્થતંત્ર પર દબાણ ઊભું કરે છે.
આ રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે, પરિવહન ખર્ચ વધવાથી લોકોની મૂળભૂત જરૂરિયાતો જ મોંઘીદાટ થઈ શકે છે. રસોડાની ચીજવસ્તુઓ, દૂધ અને તેની બાય-પ્રોડક્ટ્સ, ચા-કોફી, મસાલા, કઠોળ, ફળો અને શાકભાજી સહિત જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મોંઘીદાટ બની શકે છે.
આ રિપોર્ટનેે ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ માત્ર રસોડાની જ નહીં, જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થશે, જેમાં ટેક્ષટાઈલ્સ, વુડન ઈન્ડસ્ટ્રીઝ, ઈલેક્ટ્રોનિક્સ સિમેન્ટ, કોલસો, ધાતુઓ, સિરામિક્સ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થતા અને રસાયણો, કોલ્ડ-સ્ટોરેજ તથા વીજ પુરવઠો મોંઘો થતા થોડા મહિનાઓ પછી મોંઘવારી હાહાકાર મચાવશે, તેવી દહેશત છે.
બીજી તરફ સરેરાશ મોંઘવારી દર માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નક્કી કરેલા માપદંડો હજુ જળવાઈ રહ્યા છે, અને એકંદરે મોંઘવારી દર રિઝર્વ બેંકના ચાર ટકાના માપદંડથી નીચે છે, પરંતુ થોડા મહિનાઓમાં મોંઘવારી આ માપદંડને ઓળંગી જશે, તેવી જે આશંકા વ્યક્ત થઈ રહી છે, જેને અવગણવા જેવી નથી.
એક અંદાજ મુજબ ચાર ટકાનો માપદંડ ઓળંગી ગયા પછી મોંઘવારી બે થી છ ટકાની વચ્ચે રહેશે. આરબીઆઈ મોંઘવારીમાં વધારો, સ્થાનિક અપેક્ષાઓ, ડિમાન્ડ એન્ડ સપ્લાઈ, અલનીનો, નબળા ચોમાસાની સંભાવના તથા હવામાનને સંલગ્ન બાબતો પર નજર રાખી રહી છે અને ઈકોનોમિ ક્રેશ ન થઈ જાય અને પબ્લિકને શક્ય તેટલી રાહત થાય, તેવા કદમ ઊઠાવી રહી છે, તેમ છતાં ચોતરફથી ઊભા થઈ રહેલા પડકારો તથા વૈશ્વિક કક્ષાએ અશાંતિ, યુદ્ધો અને કુદરતી આફતો તથા ઘરઆંગણે તે ઉપરાંત ચોમાસાની અનિયમિતતા, પ્રાકૃતિક આપદાઓ અને સરકારી નીતિઓમાં સંભવિત ફેરફારોના કારણે મોંઘવારી બેકાબૂ બની જશે, તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે. આ તમામ કારણે ખાધ વધશે, જે અર્થતંત્રને ડામાડોળ કરી દેશે, તેવી આશંકા પણ રહે છે. તે ઉપરાંત સુપર અલનીનોની ભારતને થનારી સંભવિત ખતરનાક અસરોથી પણ મોંઘવારી વધી શકે છે.
આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા 'રેવડી' વહેંચવાની વૃત્તિ પણ દેશના અર્થતંત્ર પર નવું દબાણ ઊભું કરી શકે છે. તમિલનાડુમાં 'વિજય' સરકારે ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવા જે નિર્ણયો લીધા છે, તેથી ત્યાંની પબ્લિકના કેટલાક વર્ગોને તો લાભ થશે, પરંતુ રાજ્યનું અર્થતંત્ર નબળું થતા તેનું પ્રેસર અંતે રાષ્ટ્રીય કક્ષા સુધી રહેશે, તેવી જ રીતે મહારાષ્ટ્ર સરકારે સહકારી ક્ષેત્રના રૂ।. બે લાખ સુધીના દેવા માફ કરવાના કરેલા નિર્ણય તથા પ. બંગાળમાં ભાજપ સરકારે કરેલા વાયદા પૂરા કરવા જે નિર્ણયો લેવાશે, તે પણ સંબંધિત રાજ્યોની ઈકોનોમિને અસર કરશે, જેનું અંતિમ પ્રેસર રાષ્ટ્રીય કક્ષાએ આવશે. આ તમામ કારણોસર આગામી સમયમાં મોંઘવારી માઝા મૂકશે, તેવી અટકળો થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતના રાજકારણમાં કોઈએ ધાર્યો નહીં હોય તેવો બદલાવ જોવા મળી રહ્યો છે, અને તૃણમુલ કોંગ્રેસમાં ભાગંભાગ તથા શિસ્તભંગના પગલાં લેવાયા પછી હવે પ. બંગાળના એ જ તંત્રો હવે તૃણમુલ કોંગ્રેસના નેતૃત્વની સામે કાર્યવાહી કરી રહ્યા છે, જે તંત્રો દોઢ દાયકાથી મમતાદીદીનો પડ્યો બોલ ઝીલતા હતાં. એવું કહેવાય છે કે પક્ષાંતર વિરોધી કાનૂન લાગુ પાડી શકાય નહીં, તેવી રીતે 'નિયમાનુસાર' કેટલાક ધારાસભ્યો તથા સંસદસભ્યોના જુથો પ. બંગાળની વિધાનસભા તથા સંસદમાં પાટલી બદલવાની તૈયારીમાં છે, અને આમ આદમી પાર્ટી રાજ્યસભામાં તૂટી, તેેવી જ રીતે પ. બંગાળમાં પણ 'ખેલા હોને વાલા હૈ...'
કોંગ્રેસે કર્ણાટકનો કકળાટ માંડ માંડ નિપટાવ્યા પછી હવે અન્ય કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક કક્ષાએ ચાલી રહેલી આંતરિક ખેંચતાણ પર અંકુશ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબના પ્રાદેશિક નેતાઓને દિલ્હીનું તેડું આવ્યા પછી હવે કોંગ્રેસની હાઈકમાન્ડ અન્ય રાજ્યોમાં પણ સંગઠનને પુનઃ ચેતનવંતુ બનાવવાની વ્યૂહરચના ઘડી રહી હોય તેવું લાગે છે. કોંગ્રેસ માટે હવે પછીની ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય મેળવવો જ પડે તેમ છે, કારણ કે સતત ચૂંટણીઓ હાર્યા પછી કોંગ્રેસની સ્થિતિ ધીમે ધીમે પ્રાદેશિક કક્ષાના હારેલા પક્ષો કરતાયે બદતર બની રહી છે, તેથી હવે કોંગ્રેસે કોઈ એવી આક્રમક અને આયોજનબદ્ધ રણનીતિ ઘડી હોવાના સંકેતો મળી રહ્યા છે, જેમાં કોગીજનોમાં નવો જુસ્સો અને ઉત્સાહ વધારી શકાય.
દિલ્હી ગુમાવ્યા પછી હવે આમ આદમી પાર્ટી પણ સંઘર્ષ કરી રહી છે અને પંજાબમાં રાજ્યની સત્તા સંભાળવાની સાથે સાથે દેશવ્યાપી પ્રસાર-પ્રચાર અને વ્યાપ વધારવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલાક સ્થળે નોંધપાત્ર સફળતા મળ્યા પછી હવે ગુજરાત વિધાનસભાની વર્ષ ર૦ર૭ ની ચૂંટણીની તૈયારી થઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીને તેનું વેરવિખેર સંગઠન નવેસરથી સમારવું પડે તેમ છે.
ભારતીય જનતા પક્ષના દક્ષિણ ભારતના એક દિગ્ગજ નેતા હવે પોતાની પાર્ટી અથવા નવું સંગઠન ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાના અહેવાલો પછી વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપાને દ. ભારતમાં પહેલા કોળિયે માખી આવી હોય, તેવો ઘાટ સર્જાયો છે, તો બીજી તરફ સુપ્રિમ કોર્ટમાં થયેલી એક ટિપ્પણીના શબ્દોને પકડીને વિદેશમાં હાલમાં વસી રહેલા એક યુવાને ઓનલાઈન ઝુંબેશ ચલાવ્યા પછી સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી રચીને શરૂ કરેલું કેમ્પેઈન હવે પોતાને વિશ્વની સૌથ્ી મોટી પાર્ટી ભાજપને પડકાર ફેંકી રહ્યું છે, જેથી ભાજપ સામે પડકાર વધ્યો છે. એવું કહેવાય છે કે જૂનના પહેલા અઠવાડિયામાં જ વંદા પાર્ટીના અધ્યક્ષ અભિજિત ઈયકે ભારતમાં આવશે અને મોદી સરકાર સામે આંદોલનના મંડાણ કરશે. તેમણે દિલ્હીમાં એક વિશાળ આંદોલન કરીને બંધારણીય માર્ગે પેપરલીકના જવાબદાર કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવાની તૈયારી બતાવીને સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સને આહ્વાન કર્યું હોય, તો તે એક નવો અને અનોખો પડકાર હશે.
ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે ટોપ ટુ બોટમ ખેંચતાણ અને ખટરાગ સામે આવી રહ્યો છે. ક્યાંક ભાજપના સાંસદ જ જિલ્લા કક્ષાના ભાજપના નેતાઓની પોલ ખોલી રહ્યા છે, તો ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અંતરઘાત થયો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બમ્પર વિજય પછી નવા પદાધિકારીઓની નિયુક્તિમાં વાર લાગી, અને તે પછી જે નિર્ણયો લેવાયા, તે પછી હવે એક તરફ નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી વફાદારીપૂર્વક એક્ટિવ રહેલા કેટલાક જુના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ-નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ જણાય છે.
દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષમાં પણ હવે હાઈકમાન્ડ સર્વોપરિ છે, અને આંતરિક લોકતાંત્રિક વ્યવસ્થાઓની સિસ્ટમ હોવા છતાં (ઉપરના આદેશ મુજબ) પાર્ટીના પદાધિકારીઓની બિનહરિફ અથવા સર્વાનુમત્તે થતી વરણીઓ થઈ રહી છે. આ કારણે ધીમે ધીમે વધી રહેલો છૂપો આંતરિક અસંતોષ ક્યારેક સ્પ્રીંગની જેમ ઉછળશે અથવા અચાનક મોટો ધડાકો થશે, કે પછી અસંતોષનો જવાળામૂખી સંગઠનને છીન્ન-ભિન્ન કરી નાંખશે, તેવી માન્યતા ધરાવતા લોકો કહી રહ્યા છે કે, 'જસ્ટ વેઈટ એન્ડ વોચ...'
મોંઘવારી, બેરોજગારી, દાદાગીરી તથા એકતરફી રાજનૈતિક પ્રવાહોની વચ્ચે લોકશાહી રૂદન કરી રહી હોય અને પોલિટિકલ પાર્ટીઓ લોકતાંત્રિક વ્યવસ્થાઓના નામે ડ્રામેબાજી કરી રહી હોય, ત્યારે કોઈપણ નવો શક્તિશાળી વિકલ્પ ઉભરી આવે, તો લોકો તેના તરફ ખેંચાતા હોય છે. કોંગ્રેસના દાયકાઓના શાસન પછી લોકોએ છેલ્લા દસ-બાર વર્ષથી દેશમાં ભારતીય જનતા પક્ષનો ભરોસો કર્યો, પરંતુ દિલ્હીની જનતાએ તે સમયે જ આમ આદમી પાર્ટીનો ભરોસો કર્યો. આમ આદમી પાર્ટીના ઉદય પછી લોકોને પોતાની જ પાર્ટી હોય તેવો અહેસાસ થયો અને આજે યુવાવર્ગ જેવી રીતે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાવા લાગ્યો છે, તેવી જ રીતે વર્ષ ર૦૧પ માં યુવાવર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાયો હતો. આમ આદમી પાર્ટીનો પંજાબમાં પણ વિજય થયા પછી જે કોઈ ખેલ રચાયા, એ આપણે જોયા જ છે. હવે આમ આદમી પાર્ટી માત્ર પંજાબમાં જ શાસન ધરાવે છે, અને કેટલાક સ્થળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા પછી નવો આશાવાદ જાગ્યો છે, પરંતુ હવે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ઝુંબેશ હવે સૌથી વધુ આમ આદમી પાર્ટીને પ્રભાવિત કરશે, તેવું લાગે છે. આનું કારણ એ છે કે દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જ અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીમાં પ્રામાણિક, શુદ્ધ અને પારદર્શક રાજનીતિના સિદ્ધાંતો અપનાવીને જે લોકો પોતાની ઉજ્જવળ કારકિર્દી, પ્રતિષ્ઠિત પદો કે ઉચ્ચ પગારની નોકરીઓ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં, તેઓ હવે ધીમે ધીમે કોકરોચ જનતા પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા હોય તેવું લાગે છે. દસ-બાર વર્ષ પહેલા અનોખા તરવરાટ સાથે જે યુવાવર્ગ આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો, અને અત્યારે થોડો પરિપકવ અને ચાલીસીની ઉંમરે પહોંચ્યો છે, તેવો વર્ગ પણ હવે કદાચ નવા વિકલ્પ તરીકે કોકરોચ જનતા પાર્ટીને નિહાળી રહ્યો હોય તેવું બની શકે છે.
વિશ્લેષકો આ પ્રકારની તમામ અટકળો વચ્ચે જુદા જુદા તારણો કાઢી રહ્યા છે, પરંતુ નવા નવા વિકલ્પો જ્યારે નિષ્ફળ જશે, ત્યારે 'ઓલ્ડ ઈઝ ગોલ્ડ'ની જેમ દેશની જનતાને સાચા સોનાની પરખ થશે, તેવા દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે હવે ૬ઠ્ઠી જૂનની રાહ જોવી રહી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી કોમર્શિયલ એલ.પી.જી.ના ભાવમાં વધારો ઝીંકાયો છે. ફરીથી આ વધારો થતા હોટલ-રેસ્ટોરન્ટ-ભોજનાલયોથી લઈને હોસ્ટેલો-વિદ્યાર્થી ભવનોમાં રહેતા વિદ્યાર્થીઓ-નોકરિયાતો વગેરેના ખિસ્સા પર અસરો પડશે અને પેટ્રોલ-ડીઝલ-એલપીજી-સીએનજી સહિતના ઈંધણમાં સતત થઈ રહેલો ભાવ વધારો હવે સામાન્ય જનતા માટે અસહ્ય બની રહ્યો છે. તો બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ઈંધણ અને ઊર્જાના મુદ્દે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે.
દેશમાં કોઈ મોટા વિકાસ પ્રોજેક્ટો આકાર લેતા હોય, ઓપરેશન સિંદૂર જેવા સેનાના પરાક્રમોના કારણે ભારતનો વિજય થતો હોય કે પ. બંગાળ જેવી અભૂતપૂર્વ જીત ભારતીય જનતા પક્ષે હાંસલ કરી હોય, કે પછી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો કેસરિયો લહેરાયો હોય, ત્યારે જેવી રીતે તેની ક્રેડિટ પ્રવર્તમાન વડાપ્રધાનને આપીને મીડિયા-સોશિયલ મીડિયામાં તેઓને નવાજવામાં આવતા હોય છે, તેવી જ રીતે આજે જ્યારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને ઈંધણના ભાવો આસમાનેે જઈ રહ્યા છે, ત્યારે તેની સામાન્ય જનતાને પડતી વિપરીત અસરોના સંદર્ભે પણ અંતે તો પબ્લિક વડાપ્રધાન અથવા કેન્દ્ર સરકારને જ જવાબદાર ગણતી હોય છે, જેથી ધીમે ધીમે દેશમાં એન્ટી ઈન્કમ્બન્સી ઊભી થઈ રહી છે, અને તેને હવે અંડર એસ્ટીમેટ કરવા જેવી નથી.
એક તરફ માઝા મુકતી મોંઘવારી અને બીજી તરફ બેકારીના કારણે પણ કેટલુક યુવાધન ગુનાખોરીના માર્ગે વધુને વધુ ધકેલાઈ રહ્યું છે. એટલું જ નહીં, હવે જેન ઝી માં વધી રહેલો અસંતોષ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત થયેલી જનતાની નારાજગી ઉપરાંત હતાશા અને નિરાશામાં યુવાનોમાં આત્મહત્યાના વધી રહેલા બનાવો પણ માત્ર સરકાર જ નહીં, સમાજ માટે પણ લાલબત્તી સમાન છે.
ગુજરાતથી ડ્રગ્સની થતી હેરાફેરીનો મુદ્દો પણ હવે ધીમે ધીમે પડકારરૂપ બનતો જાય છે, અને તેની સાથે સાથે રાજ્યના યુવાધનમાં વધતી જતી શરાબ અને ડ્રગ્સની બદી પણ ચિંતાજનક બની છે. યુવાવર્ગને ડ્રગ્સના રવાડે ચડાવીને તેની પાસે ગેરકાનૂની ગોરખધંધા કરાવવાની મોડસ ઓપરેન્ડી તથા સંગઠીત અપરાધોમાં ઉચ્ચ કક્ષા સુધી (ટોપ ટુ બોટમ) સાઠગાંઠના કારણે શાંતિપ્રિય ગુજરાત ધીમે ધીમે પોતાની આગવી ઓળખ ગુમાવીને ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય તેમ જણાય છે.
ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ ઉપરાંત હવે પ્રવર્તમાન સંજોગોમાં ઈંધણ-ઊર્જાની કૃત્રિમ અછત, કાળાબજાર અને સતત ભાવવધારાના કારણે ઊભો થઈ રહેલો અસંતોષ પણ કાંઈક અંશે જવાબદાર છે. બીજી તરફ ખોબલે ખોબલે મતો આપીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા સૂકાન જે પાર્ટીઓને સોંપ્યું છે, તે ભારતીય જનતા પક્ષ અને એનડીએ પાસેથી લોકોની આકાંક્ષાઓ પણ વધી રહી છે. તેથી ગુજરાત અને કેન્દ્ર સરકારે આ મુળભુત મુદ્દાઓ તરફ વધુ લક્ષ્ય આપવું અત્યંત જરૂરી છે.
પ્રવર્તમાન સંજોગો વચ્ચે આ વર્ષે ચોમાસું નબળુ રહેશે અને અલનીનોની વિપરીત અસરોની સંભાવનાઓ સાથે કેટલોક આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે, પરંતુ અત્યારની ગરમી, બફારો અને કેટલાક સ્થળે થયેલા ચોમાસા પહેલાના (પ્રિ-મોન્સુન) વરસાદના કારણે આ વર્ષે ખેતી તથા પાક-પાણીની સ્થિતિ અંગે પણ દ્વિધા પ્રવર્તી રહી છે, તેથી આ સ્થિતિમાં પ્રજા સરકાર પાસેથી રાહત અને મદદની આશા રાખે તે સ્વાભાવિક છે, પરંતુ જો આ જ રીતે ભાવવધારો થતો રહ્યો, અને મોંઘવારી વધતી રહી, તો જનાક્રોશ જેન ઝી જેવા આંદોલનોમાં પરિણમે તેવી સંભાવનાઓ પણ ચર્ચામાં છે.
રાજકીય પક્ષો ભલે રાજનીતિ કરતા રહે, અને રાજ્યસભાની ચૂંટણીઓમાં પોતાના વાસ્તવિક સંખ્યાબળના કારણે મળતી બેઠકો ઉપરાંત વધુને વધુ બેઠકો મેળવવા ભલે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાતી રહે, પરંતુ જો જનતાને પરેશાન કરતી આ મૂળભૂત સમસ્યાઓ અને ચિંતાઓનું નિરાકરણ નહીં આવે તો એક કવિની પંક્તિઓ જેવી સ્થિતિ ઊભી થશે, જેમાં કહેવાયું છે કે જે દિવસે જનતાની જઠરાગ્નિ જાગશે, તે દિવસે ભસ્મકણી પણ... હાથ નહીં આવે...
આજે એલપીજીના કોમર્શિયલ બાટલામાં રૂ।. ૪ર સુધીનો વધારો થયો, અને નાના બાટલામાં પણ ભાવવધારો કરાયો તેથી નાના-ગરીબ-મધ્યમ વર્ગને હાલાકી ભોગવવી પડી રહી છે. ભલે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ વધારો કરાયો ન હોય, પરંતુ કોમર્શિયલ ગેસનો ભાવવધારો અંતે તો સામાન્ય જનતાને જ ખમવો પડતો હોય છે, તેથી હવે રાજ્ય-કેન્દ્ર સરકારે જનતાને વાસ્તવિક રાહત પહોંચાડવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસું થોડું નબળું રહેશે, પણ દુષ્કાળ નહીં પડે, તે પ્રકારની મિશ્ર આગાહી કરી હોવાથી તેની અસરો કૃષિ આધારિત માર્કેટ પર પડવાની છે, તો બીજી તરફ ઈરાન-અમેરિકા અને રશિયા-યુક્રેેન યુદ્ધ પછી ઈઝરાયલ દ્વારા લેબેનોન તથા હવે ગાઝાપટ્ટીમાં હમાસ પર હુમલાના તાજેતરના પ્રયાસો પછી વધી રહેલી વૈશ્વિક અશાંતિની સીધી અસરો ગ્લોબલ માર્કેટ અને ઈકોનોમી પર પડી રહી છે.
અલનીનોની અસરના કારણે આ વર્ષે ભારતમાં ૯૦ ટકા (પ્લસ-માયનસ ૪ ટકા) વરસાદ થશે, તેવું અનુમાન કરાયું છે, જ્યારે ગત્ ચોમાસામાં એકંદરે ૧૦૮ ટકા જેટલો વરસાદ પડ્યો હતો. આ વખતે ઉનાળો ઘણો જ ગરમ છે અન તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે તથા ઘણાં જળાશયો અત્યારથી જ ખાલી થવા લાગ્યા હોવાથી આવતા વર્ષે (આ ચોમાસા પછી) તદ્ન ખાલીખમ જળાશયોમાં ઓછા વરસાદના કારણે જળસંગ્રહ પણ ઘટી જશે, તથા ભૂગર્ભ જળસપાટી પણ નીચી જશે, તેથી આગામી વર્ષો કપરા પૂરવાર થશે. આ કુદરતી સ્થિતિની વિકટતા ઉપરાંત પ્રવર્તમાન વૈશ્વિક અશાંતિના પરિણામે અર્થતંત્ર, વ્યાપાર, ઉદ્યોગ અને રોજગારીની દૃષ્ટિએ પણ આગામી વર્ષો પડકારજનક રહેશે. બેકાબૂ મોંઘવારી અને નબળા વર્ષના કારણે દેશની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. નબળા ચોમાસાના કારણે મોંઘવારીનો દર ચાલુ ક્વાર્ટર પછી સાડાપાંચ ટકાને ઓળંગી જશે, તેવા અનુમાનોએ પણ ચિંતા વધારી દીધી છે.
કેન્દ્રિય સરકારી વિભાગો આવી રહેલી વિકટ સ્થિતિ અંગે અત્યારથી જ સંકલન કરીને માસ્ટર પ્લાન ઘડી કાઢે તે ઈચ્છનિય રહેશે. કેન્દ્રના ખેતીવાડી ખાતાએ આ પ્રકારની તૈયારીમાં રહેવાની સૂચના રાજ્ય સરકારો તથા કેન્દ્રના તાબાની ખેતી-સિંચાઈ-બાગાયત-વનવિભાગ વગેરેને આપી દીધી હોવાના અહેવાલો પછી હવે રાજ્ય સરકારોના વિવિધ વિભાગોએ પણ આવી રહેલી સંકટની સ્થિતિ માટે અત્યારથી જ મેગા માસ્ટર પ્લાન ઘડવો પડશે. માત્ર મિટિંગોથી નહીં ચાલે, ટોપ ટુ બોટમ કામ કરવું પડશે.
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે વૈશ્વિક તથા ઘરેલુ કારણોસર ભારતનું ફોરેક્સ રિઝર્વ એટલે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર ઘટી રહ્યો હોવાના અહેવાલોએ ચિંતા વધુ વધારી દીધી છે. ફેબ્રુઆરી-ર૦૦૬ માં ભારતનો વિદેશ મુદ્રા ભંડારે ૭ર૮ અબજ ડોલરનો વિક્રમ સર્જ્યો, ત્યારે તેનો ઢોલ વગાડીને પ્રચાર કરાયો હતો, પરંતુ અત્યારે આ વિદેશી ભંડાર ૬૮ર અબજ ડોલરની આજુબાજુ છે, જેનો અર્થ એ થયો કે ભારતનું ફોરેક્સ રિઝર્વ ૭.પ૧ અબજ ડોલર ઘટી ગયું છે, અને ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
હકીકતે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ પછી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડના ભાવમાં વધારા સાથે પ્રારંભમાં (ચૂંટણીલક્ષી?) અંકુશ રખાયા પછી ભારતમાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં થયેલા ભાવવધારાના કારણે મોંઘવારી ઝડપથી વધવા લાગી છે અને સરકારી આંકડા મુજબ મોંઘવારીની 'ઊંચાઈ' અંકુશમાં હોવા છતાં તેની 'જાડાઈ' વધી રહી હોવાનો થઈ રહેલો વ્યંગ યથાર્થ છે. આ પરિબળોની અસર સીધી અર્થતંત્ર પર પડતી હોય છે. ભારતમાં પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે ડોલર સામે રૂપિયો નબળો પડ્યા પછી ક્રેશ ન થઈ જાય, તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો અને મુદ્રાભંડારમાંથી ડોલર્સ વેંચવા પડ્યા હોવાના કારણે ફોરેક્સ રિઝર્વ અથવા વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આવ્યો હોવાના આર્થિક ક્ષેત્રના તજજ્ઞોએ તારણો કાઢ્યા છે.
નોંધપાત્ર બાબત એ પણ છે કે વિદેશી મુદ્રા ભંડારનો મહત્તમ હિસ્સો વિદેશી ચલણ હોય છે, જેમાં ત્રણ અબજ ડોલરનો ઘટાડો તજજ્ઞોના તારણોને સમર્થન આપે છે. તે ઉપરાંત સોનાના ભંડારમાં થયેલા ૪પ અબજ ડોલરના ઘટાડા પાછળ પણ વૈશ્વિક તંગદિલી, અનિશ્ચિતતાઓ અને ડામાડોળ સ્થિતિ કારણભૂત હોય તેમ જણાય છે. છેલ્લા એકાદ મહિનાથી ડોલર સામે રૂપિયો સતત તૂટતો રહ્યો અને ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યા પછી આરબીઆઈએ લીધેલા શ્રેણીબદ્ધ પગલાં તથા માર્કેટમાં હસ્તક્ષેપ પછી રૂપિયાનું મૂલ્ય અમેરિકી ડોલર સામે સુધરીને જળવાઈ રહ્યું છે.
ગ્લોબલ વોર્નીંગ, ક્લાઈમેટ ચેઈન્જ અને કુદરતી આફતોની માઠી અસર પણ પડી રહી હોવાથી વિશ્વભરના અર્થતંત્રો હાલક ડોલક થઈ રહ્યા છે. આપણાં દેશમાં પણ એક તરફ રેકોર્ડબ્રેક ગરમી અને બીજી તરફ યુ.પી.-બિહાર-બંગાળમાં જીવલેણ આંધી-વરસાદ અને પૂરની પરિસ્થિતિ પણ દેશના અર્થતંત્રને ડામાડોળ બનાવી રહી છે, તેમાં સરકારની અણઘડ નીતિઓ તથા નિષ્ફળતાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી હોવાનો અભિપ્રાય પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં ઈન્ડિયન ઓસિયન ડીપોલના કારણે ભારત પર અલનીનોની ખતરનાક અસરો ઓછી થશે અને પ્રતિકૂળ સ્થિતિમાં થોડી રાહત મળતા સંતોષકારક વરસાદ થવાથી ખેતઉત્પાદન જળવાઈ રહેશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે. ફેબ્રુઆરી-ર૦ર૬ માં મિડલ ઈસ્ટના યુદ્ધ પછી અમેરિકન ડોલર સામે રૂપિયો ૬ ટકા જેટલો ઘસાયો હોવાથી આરબીઆઈ સતર્ક છે અને શ્રેણીબદ્ધ કદમ ઊઠાવાઈ રહ્યા હોવાનો દાવો પણ કરાયો છે.
એક અંદાજ એવો પણ છે કે જો ચોમાસું ઠીકઠાક રહેશે અને ઈરાન-અમેરિકા યુદ્ધ થંભી જશે, તો ભારતીય અર્થતંત્ર ફરીથી દોડતું થઈ જશે, પરંતુ 'ઈફ એન્ડ બટ'ની અનિશ્ચિતતાઓ તથા ચોમાસા અંગે થઈ રહેલી આગાહીઓમાં સરકારની નીતિઓ સામે ઊઠી રહેલા સવાલોના કારણે સ્થિતિ ચિંતાજનક જ ગણાય.
ગ્લોબલ કંપની જેફ્રીઝના એક રિપોર્ટ મુજબ ગયા માર્ચ મહિનાથી (માર્ચ ર૦રપ થી) છૂટક રોકાણકારો (રિટેઈલ ઈન્વેસ્ટર્સ) દ્વારા સિસ્ટોમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં થઈ રહેલા જંગી રોકાણની અસરો પણ રૂપિયાના ધોવાણ માટે જવાબદાર છે. તે ઉપરાંત વિદેશી રોકાણકારોએ પાછા ખેંચેલા રોકાણો પણ આ માટે કારણભૂત ગણાય છે. આ જ રિપોર્ટમાં ભારત માટે કેટલાક આશાવાદી સંકેતો પણ અપાયા છે.
હાલમાં અંતિમ સપ્તાહના અંતે ગોલ્ડ રિઝર્વ પણ ૪.પ૩ અબજ ડોલર ઘટી ગયું હોય, અને ફોરેક્સ રિઝર્વમાં સાડાસાત અબજથી વધુના ઘટાડાની અસર જોતા એવું લાગે છે કે, અત્યારે સતર્ક રહીને 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવવી એ શાણપણભર્યું વલણ ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પેપરલીકના મુદ્દે પ્રારંભિક ઈનકાર પછી સત્ય હકીકત સ્વીકારવી પડી અને પરીક્ષા રદ્ કરીને પુનઃ પરીક્ષા લેવા ઉપરાંત આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસ શરૂ કરવી પડી અને અદાલતની ફટકાર સાંભળવી પડી, તે પછી હવે સીબીએસઈ પરીક્ષામાં ગરબડ થઈ હોવાના મદ્દે ઘમાસાણ મચ્યું છે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે સ્વીકારવું પડ્યું છે કે સીબીએસઈ પરીક્ષાના પરિણામોમાં ગરબડ થઈ છે, જેની તેઓ જવાબદારી સ્વીકારે છે. સીબીએસઈ ઓન સ્ક્રીન માર્કીંગ સહિતના મુદ્દે સરકાર તરફથી પ્રધાને ખાતરી આપી છે કે એક પણ વિદ્યાર્થીની ફરિયાદ વણઉકેલાયેલી નહીં રહે અને તમામ સ્તરે જવાબદારી નક્કી કરાશે. સીબીએસઈ બોર્ડે ધોરણ ૧ર ની પરીક્ષા માટે પુનઃ મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અને કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય, તેવા પગલાં લેવાઈ રહ્યા છે. પ્રધાને દાવો કર્યો કે ઓએસએમ ટેકનોલોજીની દેખરેખ માટે આઈઆઈટી-કાનપુર અને મદ્રાસ જેવી સંસ્થાઓને જવાબદારી સોંપીને સિસ્ટમને સંપૂર્ણ ફૂલપ્રૂફ બનાવાઈ રહી છે વગેરે...
ધર્મેન્દ્ર પ્રધાનના આ દાવાઓને અને સ્વીકૃતિ પછી તેના પર તડાપીટ બોલી રહી છે, અને પ્રારંભ ઢીલાઢોળ કરવા પાછળનું રહસ્ય શું હતું? તેવા સવાલો સાથે વિપક્ષો શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે અને આ મુદ્દે સ્વયં વડાપ્રધાન હસ્તક્ષેપ કરે, તેવી માંગણી ઊઠી રહી છે, ત્યારે હવે સરકારે દેશની 'ટોપ ટુ બોટમ' પરીક્ષા પદ્ધતિઓ તથા પેપર પ્રક્રિયાઓમાં ધરમૂળથી સુધારા-વધારા પાદર્શક રીતે કરવા જોઈએ, અન્યથા લોકોનો સમગ્ર સિસ્ટમ અને સરકારમાંથી વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી જશે અને હતાશ થયેલો યુવાવર્ગ વધુ નારાજ થશે તો જેન ઝી જેવા આંદોલનોની શક્યતા નકારી શકાતી નથી, તેવી ચેતવણી પણ અપાઈ રહી છે. બીજી તરફ સરકારે આ તમામ મુદ્દે જરૂરી તમામ કદમ ઊઠાવ્યા છે અને તમામ પ્રકારના સુધારા-વધારા કરવા સરકાર તૈયાર છે, તેવો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે કોંગી નેતા અને એલઓપી રાહુલ ગાંધીએ ટીકા-ટિપ્પણી કરી તો શિક્ષણમંત્રીએ પોલિટિકલ જવાબ આપ્યો કે રાહુલ ગાંધી સતત ચૂંટણીઓ હારવાથી હતાશ થઈને આ પ્રકારના નિરર્થક નિવેદનો કરી રહ્યા છે, અને આપણાં દેશની સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ ક્યારેક ઈવીએમનો વિરોધ કરે છે, ક્યારેક ડિજિટલ ઈન્ડિયાનો વિરોધ કરે છે તો ક્યારેક અન્ય ટેકનોલોજી સામે વાંધા-વચકા ઊભા કરે છે. આ મુદ્દે તેઓએ રાજકારણ કરવાના બદલે વિદ્યાર્થીઓનો માનસિક તનાવ ન વધે, તે માટે ખોટા નિવેદનો ન કરવા જોઈએ.
રાહુલ ગાંધીએ રણકાર કર્યો કે શિક્ષણ મંત્રી આ પ્રકારના પ્રહારો કરીને વિપક્ષને ૧૮.પ લાખ વિદ્યાર્થીઓનો અવાજ દબાવી નહીં શકે. રાહુલ ગાંધીએ એવો સણસણતો સવાલ પણ ઊઠાવ્યો, જેનો યોગ્ય જવાબ સરકાર આપી શકી નથી.
રાહુલ ગાંધીએ પૂછ્યું કે ભૂતકાળમાં બીજા નામથી સક્રિય હતી અને વિવાદોમાં સપડાઈ હતી તે કોએમ્પ્ટ કંપનીને જ આ કામનો કોન્ટ્રાક્ટ આપવા પાછળનું રહસ્ય શું છે? સરકારે આ કંપનીની હિસ્ટ્રી તપાસ્યા વિના જ કોન્ટ્રાક્ટ આપી દીધો હોય તો તે ગંભીર બેદરકારી ગણાય અને જાણીજોઈને આ કોન્ટ્રાક્ટ અપાયો હોય તો તેમાં શિક્ષણ વિભાગના મોટામાથાની સાઠગાંઠ હોવી જોઈએ. વડાપ્રધાને આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ, તેવા સૂરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય અંગે વડાપ્રધાન ચિંતિત હોત તો તેઓએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીપદેથી તગેડી મૂક્યા હોત. રાહુલ ગાંધીનું આ નિવેદન ઘણું જ સૂચક છે, અને ચર્ચામાં છે.
રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચેના જુબાની જંગ પછી દેશભરમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં એવો સવાલ ઊઠી રહ્યો છે કે વિપક્ષો દ્વારા આક્ષેપો થયા અને સરકારે ભૂલ સ્વીકારી લીધી, પણ હવે શું? હવે દેશની પરીક્ષા પદ્ધતિઓ ખરેખર ફૂલપ્રૂફ રહેશે? હવે કોઈપણ પેપરલીક નહીં થાય? અત્યાર સુધીના પેપરલીક અને પરીક્ષા કૌભાંડો-પરિણામ કૌભાંડોના અસલ દોષિતોને કડકમાં કડક કાનૂની રાહે સજા કરીને દેશભરમાં ફેલાયેલા પેપરલીક અને પરીક્ષા કૌભાંડના માફિયાઓનું નેટવર્ક જડમૂળથી ખતમ થશે કે પછી નાની માછલીઓને પકડીને મગરમચ્છોને 'સેઈફ પેકેજ' (છટકબારીઓ) આપીને છાવરવાના કારસા યથાવત્ રહેશે? આ ક્ષેત્રે એક્ટિવ માફિયાઓના મૂળ ક્યાંક સરકાર કે તંત્રના મોટા માથાઓ કે પોલિટિકલ ગોડફાધરો સુધી ફેલાયેલા તો નથી ને? તેવા સવાલો ઊઠી રહ્યા છે અને હવે આ મુદ્દે યુવાવર્ગમાં ધગધગતો આક્રોશ અને વ્યાપક નારાજગી વોર્નિંગ બેલ જેવી જણાય છે.
સીબીએસઈની ઓએસએમ સિસ્ટમ અંગે પણ લોકોમાં ચર્ચા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને તો આ પ્રક્રિયાની ખબર હશે, પરંતુ સામાન્ય જનતામાં એવું કુતૂહલ પણ છે કે આ ઓએસએમ હકીકતે છે શું?
હકીકતે સીબીએસઈ બોર્ડે પેપર ચકાસવાની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી ઓન સ્ક્રીનીંગ માર્કીંગ (ઓએસએમ) મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકી હતી, જેમાં બોર્ડની ધોરણ ૧ર ની પરીક્ષાના પેપરોની ઉત્તરવહીઓની હાર્ડકોપી ચકાસવાના બદલે તેની ડિજિટલ સ્કેન કરેલી તપાસીને માર્કસ પણ ઓનલાઈન મૂકે છે, જેથી આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ રહે, અને પ્રક્રિયા ઝડપી બને. આ પદ્ધતિ નિષ્ફળ ગઈ અને ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નિયત ફી ભરીને પુનઃ મૂલ્યાંકન કરાવવાની અરજી કરી. ઓનલાઈન સ્ક્રીનીંગ દરમિયાન પરીક્ષાર્થીઓની અધુરી કે અસ્પષ્ટ સ્કેનીંગ કરેલી ઉત્તરવહીઓ તપાસવી, કેટલાક જવાબો ચકાસ્યા કે માર્કીંગ આપ્યા વિના જ છોડી દેવા, સરવાળામાં ભૂલો અને ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાના કારણે પરીક્ષાર્થીઓ તેનો ભોગ બન્યા હોવાની રાવ ઊઠી. સરકારે આ પ્રકારની ભૂલો થઈ હોવાનું તો સ્વીકાર્યું, પરંતુ આ કૌભાંડ હતું કે બેદરકારી? તેની ઊંડી તપાસ કરીને દોષિતોને કડક સજા તો થવી જ જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓએ સરકારી વાહનોનો અંગત ઉપયોગ નહીં કરવા અને અત્યંત જરૂર હોય, ત્યારે જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો અને 'અન્ય' લોકોને પણ સરકારી વાહનોનો 'લિમિટેડ' ઉપયોગ કરવાની અપીલ કરી હોય તો તે આવકારદાયક છે, અને આ અભિગમ હાલમાં ચાલી રહેલી ઈંધણની ક્રાઈસીસ માટે જ નહીં, પરંતુ કાયમી ધોરણ (અમદાવાદના મેયરની જેમ જાહેરાત કરીને) તમામ પદાધિકારીઓ-અધિકારીઓ અપનાવે, તો તે ઉત્તમ દૃષ્ટાંત ગણાશે. જામનગરના પદાધિકારીઓની જેમ અન્ય પાલિકા-મહાપાલિકા-પંચાયતોના પદાધિકારીઓએ પણ આ જ પ્રકારનો અભિગમ જાહેર કરવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ.
અમદાવાદના મેયરની જેમ પર્સનલ ઉપયોગ માટે પણ ઈલેક્ટ્રીક વ્હીકલ (ઈ.યુ.) નો ઉપયોગ કરવાની જાહેરાત પણ પદાધિકારીઓ અને અધિકારીઓ કરે તે જરૂરી છે. અહીંથી ગઈકાલે જ અમદાવાદના મેયરનું દૃષ્ટાંત આપીને નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા નવા વરાયેલા પદાધિકારીઓને સરકારી વાહનો તથા સુખ-સુવિધાઓનો ન્યુનત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો હતો. હવે આ દિશામાં નવા પદાધિકારીઓની સાથે સાથે અધિકારીઓ પણ આ અભિગમમાં જોડાઈને સાંપ્રત સમયના ઈંધણની સંભવિત અને પ્રવર્તમાન સંકટને હળવું કરવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં સામેલ થાય, તો સોનામાં સુગંધ ભળે તેવું છે. જો ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ અંગત રીતે પણ વધારાશે, તો બાકીનો સ્ટાફ પણ તેને અનુસરશે. લોકલ પરિવહનમાં પણ ઈ.યુ.નો ઉપયોગ વધે અને ઈલેક્ટ્રીક ઓટોરિક્ષાનો મહત્તમ ઉપયોગ કરવાના શક્ય તેટલા પ્રયાસો નગરજનો પણ કરેે, તો તે બહુહેતુક અને સમયોચિત યોગ્ય કદમ ગણાશે.
'નોબત'ના તા. ર૬ મી મે ના તંત્રીલેખમાં જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો વધુમાં વધુ દોડાવીને પ્રવર્તમાન સંજોગોમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમજીવીઓ, કામદારો વગેરે માટે નિઃશુલ્ક સ્થાનિક મુસાફરીનો પ્રયોગ કરવાનું સૂચન કરવામા આવ્યું હતું, અને જે-તે સમયે તેની નગરચર્ચા પણ થતી સંભળાઈ હતી, પરંતુ તે સમયે મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ નિમાયા નહોતા, પરંતુ હવે નવા મેયર અને અન્ય પદાધિકારીઓ તથા સ્ટેન્ડીંગ કમિટીની બોડી નિમાઈ ગઈ છે, તેથી હવે નગરમાં પ્રવર્તમાન સંજોગોમાં નિઃશુલ્ક અને/અથવા ટોકન દરે સિટીબસો (ઈલેક્ટ્રીક) દોડાવવાનો નિર્ણય લઈ શકાય છે. જો આવું થશે, તો પેટ્રોલ-ડીઝલના વાહનોમાં પ્રવાસ કરતા સ્થાનિકોને તો સિટીબસો તરફ વાળી જ શકાશે, પરંતુ સિટીબસોમાં સુખી-સંપન્ન લોકો પણ પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડશે તો ઈંધણની ઘણી જ બચત થઈ શકશે. બસ, જરૂર છે... ઈલેક્ટ્રીક બસોની તત્કાળ ફાળવણીની...
પ્રવર્તમાન શાસન પ્રણાલિની આગવી પબ્લિસિટી સિસ્ટમ મુજબ ધૂમ-ધડાકે પ્રચાર તો કરાયો છે કે કેન્દ્રિય યોજના હેઠળ જામનગરમાં ઈલેક્ટ્રીક સિટી બસો દોડશે, અને તે માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા બસમથક વગેરે પણ તૈયાર થઈ રહ્યા છે. હવે, આ બસોનો ઉપયોગ પ્રવર્તમાન સંકટના સમયે આયોજનબદ્ધ રીતે કરવામાં આવે તે જરૂરી છે.
શાસન-પ્રશાસન દ્વારા એવી પોલિસી નક્કી કરવામાં આવે કે હવે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ-નિગમો તથા સરકારી-અર્ધસરકારી વિભાગો અને જાહેર સાહસો માટે વાહનોની ખરીદી કરવામાં આવે, ત્યાર તેમાં મહત્તમ વાહનો માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ હોય, તે ઉપરાંત પ્રાકૃતિક સોલાર પોલિસીની યોજનાઓની જેમ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટેેે માતબર સબસિડી જાહેર કરવામાં આવે તો તે પણ ઈંધણનો ઉપયોગ ઘટાડીને પ્રવર્તમાન સંકટનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ કાયમી ધોરણે પર્યાવરણ, આર્થિક અને હેલ્થની દૃષ્ટિએ પણ ફળદાયી સિદ્ધ થશે.
જામનગરમાં અત્યારે લોકલ પરિવહન મહત્તમ ઓટોરિક્ષા તથા પેસેન્જર રિક્ષાછકડામાં થાય છે, ત્યારે સીએનજીના ભાવો વધી રહ્યા છે, તથા ઈંધણની તંગી છે, ત્યારે ડીઝલ તથા સીએનજી સંચાલિત રિક્ષાઓના સ્થાને ઈલેક્ટ્રીક રિક્ષાનું ચલણ વધે તે માટે વહીવટીતંત્રએ પણ પ્રયાસો કરવા જોઈએ. જો તંત્રના જ કોઈ અધિકારીઓ કે શાસકોના સગા-સંબંધી રિક્ષાઓ ભાડે આપવાના વ્યવસાયમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય તો તેઓ પણ હવે પછી ઈલેક્ટ્રીક રિક્ષાઓ જ વસાવે, તેવી ઝુંબેશ ચલાવી શકાય. તે ઉપરાંત રિક્ષા માટે લોન આપતી બેંકો તથા ઈલેક્ટ્રીક રિક્ષાના જથ્થાબંધ ડીલરો સાથે સંકલન કરીને ઈલેક્ટ્રીક રિક્ષાઓની સંખ્યા વધારી શકાય. આમ, સૌ સાથે મળીને સહિયારા પ્રયાસો કરે તો પેટ્રોલ-ડીઝલના વિકલ્પો અપનાવીને સંકટનો સામનો કરવા ઉપરાંત કાયમી ધોરણે નાણા અને પર્યાવરણ બન્નેને બચાવી શકાય તેમ છે.
ઈલેક્ટ્રીક વ્હીકલ્સની મર્યાદાઓ તથા ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરીને ઈલેક્ટ્રીક વાહનો તથા ઈથોનલ જેવા વૈકલ્પિક ઈંધણ પ્રત્યે વિશ્વસનિયતા વધારવા ઉચ્ચ અને સર્વોચ્ચ કક્ષાએ સરકાર તથા ઈલેક્ટ્રીક વાહનની ઉત્પાદક કંપનીઓના સંચાલકો-માલિકોએ પણ સાચા મનથી પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે, કારણ કે માત્ર અપીલો કરીને કે અભિયાનો ચલાવીને નહીં ચાલે.
બીજી તરફ લોકોને પ્રવાસો ટૂંકાવવા તથા હવાઈ યાત્રાઓ મર્યાદિત કરવાની અપીલો થઈ રહી છે, તો તેના પર કટાક્ષ કરતા કેટલાક વ્યંગાત્મક ગીતો પણ પ્રચલીત થયા છે. 'ઈન્ડિયાના ભાયુ ભલે પેટ્રોલ ગોતે, ઈન્ડિયાની બાયુ ગેસના બાટલા ગોતે' જેવા ગીતોમાંથી પણ પ્રવર્તમાન વિકટ સ્થિતિના પડઘા સંભળાય છે, તેથી હવે હકીકતે પેટ્રોલ-ડીઝલ-ગેસની કરકસર કરવા માટે ઈલેક્ટ્રીક વાહનો, સૌર ઉર્જા, વૈકલ્પિક ઈંધણ વગેરેેનો ઉપયોગ વધારવાની પહેલ સ્વયં સત્તાધારીઓ તથા સલાહકારોએ કરવી જોઈએ, અને દુનિયાની સૌથી મોટી પાર્ટીએ ટોપ-ટુ-બોટમ આ અભિગમને પૂરેપૂરો અમલમાં મૂકવો જોઈએ.
એવા અહેવાલો પણ આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટમાં નિર્ણય લેવાયા પછી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૧ મુદ્દાઓની એસઓપી તૈયાર કરી છે, અને સરકારી વિભાગો તથા તાબાની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને પણ શક્ય હોય ત્યાં સુધી પોતાના ખાનગી ડીઝલ-પેટ્રોલના વાહનોના બદલે એસ.ટી. કે રેલવે મેટ્રો દ્વારા પરિવહન કરવા સૂચવ્યું છે તથા સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમો, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓને જરૂરી મિટિંગો, વીડિયો કોન્ફરન્સથી જ યોજવા અને એકથી વધુ કચેરીઓનો ચાર્જ હોય તેવા ખાતા-વિભાગ-કચેરીના વડાઓ પોતાની મુખ્ય કચેરીના વાહનનો જ જરૂર પડ્યે ઉપયોગ કરે, તથા રાજ્ય-જિલ્લાની બહાર યોજાનાર સેમિનારો-તાલીમ-પરિસંવાદો-સ્ટડી પ્રવાસોમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ નહીં લેવાની સૂચનાઓ અપાઈ છે.
ટૂંકમાં, અધિકારી-કર્મચારીઓ અને જનતાને પેટ્રોલ-ડીઝલ બચાવવાની જેે સલાહ અપાઈ રહી છે, તેને અનુસરવું જરૂરી છે, પરંતુ એ જ નિયમો પદાધિકારીઓ તથા મંત્રી મહોદયોને પણ 'ટોપ ટુ બોટમ' લાગુ થવા જોઈએ, અન્યથા વધુને વધુ વ્યંગાત્મક ગીતો રચાતા જ રહેશે.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નિમાયા અને જિલ્લા પંચાયતના પણ નવા સુકાનીઓની વરણી થઈ ગઈ. ભાજપની વિશેષતા મુજબ મોટાભાગની નિમણૂકો અનપેક્ષિત હતી, જ્યારે કેટલીક અટકળો સાચી પણ પડી. હાલારની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ તથા પંચાયતી ક્ષેત્રે હોદ્દેદારો નિમાયા પછી હવે લોકોની અપેક્ષાઓ સંતોષવા કામે લાગી જવાનું છે, અને સૌથી મોટી કસોટી ચૂંટણીઓ દરમિયાન કરાયેલા વાયદાઓ પૂરા કરવાની છે. તદુપરાંત નવા હોદ્દેદારો પાસે કાંઈક વિશેષ, કાંઈક નવું અને જન-જનને ઉપયોગી તથા લોકોને ગમી જાય તેવું અનોખું કામ કરવાની સોનેરી તક છે, અને નવી ટીમોનું સંયોજન પણ જુસ્સાભર્યું અને તરવરિયું દેખાતું હોવાથી સફળતાઓ મળવાના ચાન્સીસ પણ વધુ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોને કેટલીક સુવિધાઓ મળતી હોય છે અને લોકોની સેવા સારી રીતે કરી શકે તે માટે વિશેષ ભથ્થા તથા વાહન સહિતની સગવડો ઉચ્ચ પદાધિકારીઓને મળતી હોય છે. થોડા વર્ષો પહેલા વીઆઈપી કલ્ચર હટાવવાની માત્ર વાતો જ થઈ, કારણ કે વાહનો પરથી લાલ લાઈટ હટાવાઈ, પરંતુ અન્ય વાહનોથી કાંઈક અલગ તરી આવે અને માભો પડે તેવી રીતે વિશેષ પદાધિકારીઓની ગાડીઓને તૈયાર કરાતી હોય છે, અને પહેલા કરતા વધુ કિંમતી વાહનોની ખરીદી થવાની ટીકાઓ પણ થતી રહી છે, પરંતુ આ જ પ્રકારની કેટલીક સુવિધાઓ વિપક્ષના નેતાઓને પણ મળી જાય, ત્યારે ઘણી વખત 'આવ ભાઈ હરખા, આપણે બે છે સરખા' અથવા 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...' જેવી સિક્રેટ અન્ડરસ્ટેન્ડીંગ પણ થઈ જતી હોય છે. હોદ્દાને અનુરૂપ સુખ-સુવિધાઓ મળે, તે પછી તેનો મહત્તમ ઉપયોગ લોકોની સેવા માટે જ થાય અને અંગત ઉપયોગ કે દુરૂપયોગ ન થાય, તે જોવાની જવાબદારી પણ શાસક પાર્ટી અને તેની નેતાગીરીની ગણાય.
નવા હોદ્દેદારો-ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતે જ સ્વયં સેવાને સર્વોપરિ માનીને પોતાને મળવાપાત્ર સુખ-સુવિધાઓ અને પગાર-ભથ્થા વગેરેને ગૌણ માનવા જોઈએ. જો પદાધિકારીઓ જ દંભ કે નાટક કર્યા વગર ખરા દિલથી સાદગી અપનાવે અને પાર્ટીનું નેતૃત્વ તેને બીરદાવે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સ્ટાફ તથા અન્ય નેતાઓ-કાર્યકરો પણ તેને અનુસરે, પરંતુ જે પદાધિકારીઓ જ સિમાડાઓ ઓળંગે તો પછી તાબાના ક્ષેત્રોમાં તો તેની અસરો પડવાની જ છે અને તેના કારણે જ 'તેરી બી ચૂપ... મેરી બી ચૂપ' જેવી કટાક્ષિકાઓ સંભળાતી હોય છે.
ગઈકાલે જામનગરની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ જ્યાં તાજેતરમાં ચૂંટણીઓ થઈ હતી, ત્યાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા તથા સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો, કારોબારી સમિતિના સભ્યો વગેરેની વરણી થઈ હતી. ભાજપની તોતિંગ બહુમતી હોવાથી ચૂંટણીના બદલે સર્વાનુમતેે (ઉપરથી નક્કી થયા મુજબ) વરણી થઈ હતી.
જો કે, રણમાં મીઠી વીરડી મળે તેવી રીતે ગઈકાલે અમદાવાદના નવા નિમાયેલા મેયરે કરેલો એક નિર્ણય તરત જ 'ટોક ઓફ ધ સ્ટેટ' બની ગયો હતો અને આ પ્રકારના નિર્ણયને તો વિરોધીએ પણ આવકારવો જ પડે તેવો હતો. સામાન્ય રીતે મેયરપદ મળતા જ મેયરની ગાડી, પ્રોટોકોલ તથા અન્ય સુવિધાઓ મેળવવાની અપેક્ષા રહેતી હોય છે, પરંતુ અમદાવાદના નવા વરાયેલા મેયર હિતેષ બારોટે મેયરનો બંગલો નહીં વાપરવા, તથા મહાનગરપાલિકાના મેયરને મળતુ વાહન વાપરવાના બદલે પોતાના પર્સનલ ઈ.વી. (ઈલેક્ટ્રીકલ વ્હીકલ) જ વાપરવાનો નિર્ણય જાહેર કર્યો હતો, અને તેના આ નિર્ણય પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે, 'જોઈએ... રાજ્યના બીજા કેટલાક મેયરો બારોટજીને અનુસરે છે તે...'
તેમણે સ્વયં વિનમ્રતાથી પોતાની અંગત ગાડી વાપરવા તથા વધારાની સરકારી સુવિધાઓ નહીં લેવાની વાત કરી અને એક અનુકરણીય દૃષ્ટાંત બેસાડ્યું, તેની ચોતરફ પ્રશંસા થઈ અને સોશિયલ મીડિયામાં પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો. તેઓનો આ નિર્ણય સરકારી સુવિધાઓ અને બંગલાઓ માટે લડતા રહેતા કેટલાક 'સેવકો' માટે બોધપાઠરૂપ પણ છે.
જો કે, કોઈપણ પદાધિકારી તેઓને નિયમાનુસાર મળતી સુવિધાઓ જો લોકસેવા માટે ઉપયોગ કરે, તેમાં કાંઈ ખોટું પણ નથી અને સામાન્ય અને ગરીબ વ્યક્તિ પણ જે ચૂંટણી જીતીને પદાધિકારી બને, તો તે પણ નિશ્ચિંતપણે સંતોષકારક રીતે સમયોચિત જનસેવા કરી શકે, તે માટે આ સેવાઓનો ઉપયોગ થાય, તે માટે જ આ પ્રકારની વ્યવસ્થાઓ અપાતી હોય છે, પરંતુ આ સુવિધાઓનો ઉપયોગ જનસેવા માટે જ થાય અને લોકોને પદાધિકારીઓ હંમેશાં ઉપલ્બધ રહે, તેની કાળજી પણ લેવી જ પડે. ખાસ કરીને સરકારી કે સંસ્થાનું કામ કાઢીને હરવા-ફરવાની યાત્રાઓ થાય કે અન્ય રીતે સુવિધાઓનો દુરૂપયોગ થાય, તે ચલાવી લેવાય નહીં, પણ...?!
એવું નથી કે રાજકીય ક્ષેત્રે આ પ્રકારની સાદગીનો આ પ્રથમ કિસ્સો છે. દેશને આઝાદી મળી ત્યારથી આજ સુધી આ પ્રકારની સાદગી તથા સ્વયંશિસ્ત, પ્રામાણિક્તા અને નિષ્ઠાના અનેક દૃષ્ટાંતો મળી રહે છે. સૌથી મોટું દૃષ્ટાંત ગાંધીજી છે, જેઓ સર્વેસર્વા હોવા છતાં કોઈ સરકારી હોદ્દો લીધો નહોતો. લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હોવા છતાં કેટલી સાદગીભરી જિંદગી જીવતા હતાં તે સર્વવિદ્તિ છે. આ પ્રકારના ટોપ ટુ બોટમ ઘણાં બધા દૃષ્ટાંતો મળે છે, જે ખરેખર અનુકરણીય અને પ્રેરણાદાયી જ ગણી શકાય. આ પ્રકારની પહેલ હંમેશાં આવકારદાયક જ ગણાય, શરત માત્ર એટલી જ કે તેને વાસ્તવમાં નિભાવવી પડે, અન્યથા દંભ કે ડ્રામેબાજીની મહોર લાગી જાય...
પ્રવર્તમાન સમયમાં આ પ્રકારની ડ્રામેબાજી અને દંભ કરવાના આક્ષેપો અરવિંદ કેજરીવાલ પર લાગ્યા હતાં. તેઓ ગાડી-બંગલો-વીઆઈપી સગવડો નહીં લેવાની કસમો ખાતા હતાં, પરંતુ સત્તા મળ્યા પછી તેના પર શીશમહલ, સિક્યોરિટી તથા મેટ્રોમાં પ્રવાસ કરવાના બદલે ગાડીઓ વાપરવાના આક્ષેપો થયા હતાં, અને તેઓ દંભ અથવા ડ્રામેબાજી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ થયા હતાં.
તેવી જ રીતે વડાપ્રધાને અપીલ કર્યા પછી ભાજપના કેટલાક નેતાઓ તથા સરકારમાં મંત્રીપદ ભોગવતા મહાનુભાવોએ પોતાના ગાડીના કાફલામાં કાપ મૂકવાની જાહેરાત કરી અને તેનો અમલ પણ કર્યો, પરંતુ કેટલાક નેતાઓએ વિદેશ પ્રવાસ રદ્ કર્યા પછી સરકારી ખર્ચે ફોરેન ટુર કરવાના બહાના શોધી કાઢ્યા હોવાના આક્ષેપો પણ થયા. જે હોય તે ખરૂ, પરંતુ કથની અને કરણીમાં ફેર હોય, તેને હવે જનતા જરાયે પસંદ કરતી નથી, અ પણ હકીકત છે.
સાદગી તથા સુવિધાઓના મુદ્દે જ રાજકીય વર્તુળોમાં કેજરીવાલને યાદ કરવામાં આવે છે, તેવું નથી, પરંતુ જેલમાં રહીને 'જનસેવા'ના કોન્સેપ્ટના સંદર્ભે પણ કેજરીવાલ યાદ આવી જાય તેમ છે. ગઈકાલે જામનગરમાં સવારે ભાજપ કાર્યાલયમાંથી નવા હોદ્દેદારોના નામો જાહેર કરાયા અને તે પછી જનરલ બોર્ડ મળ્યું, અને નવા હોદ્દેદારોએ કાર્યવાહી શરૂ કરાવી, ત્યારે જનરલ બોર્ડમાં ગુજસીટોકના બે આરોપીઓએ પોલીસ પહેરા હેઠળ જેલમાંથી જનરલ બોર્ડમાં (અદાલતની મંજુરીથી) હાજરી આપી, ત્યારે ઘણાંને જેલમાં રહીને મુખ્યમંત્રીપદ જાળવી રાખનાર કજરીવાલ યાદ આવી ગયા હશે, જો કે તે પછી સ્થાનિક અદાલતે કેજરીવાલને દારૂકાંડમાં નિર્દોષ ઠરાવ્યા, પણ તેની સામે ત્યાંની હાઈકોર્ટમાં અપીલ થઈ છે. બીજી તરફ કેજરીવાલને જનાદેશ નહીં મળતા તેઓએ હાલતુરંત દિલ્હીની સત્તા ગુમાવી છે.
જો કે, અંતિમ સર્વોચ્ચ અદાલતી નિર્ણયોની રાહ જ જોવી પડે, તે દિલ્હી હોય કે જામનગર...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલી એક ભવિષ્યાવાણી 'ટોક ઓફ ધ નેશન' બની છે, અને તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે કેન્દ્રની એનડીએ સરકાર એકાદ વર્ષ જ ચાલશે અને એક વર્ષમાં પ્રવર્તમાન શાસનનો અંત આવશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે, નેપાળમાં જો જેન ઝી ત્યાંની સરકારને પછાડી શકતું હોય, તો ભારતમાં પણ જેન ઝી ની ચળવળ તખ્તાપલટ કરી શકે છે. કાંઈક એવા જ નિવેદનો કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ પણ કર્યા છે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, બાંગલાદેશમાં જેન ઝી સરકારને ઉથલાવી શકતું હોય તો ભારતમાં પણ પેપરલીક કરનારા શાસનને ઉખેડી શકે છે. મનિષ સિસોદિયાએ કહ્યું કે, હવે ભારતમાં પણ જેન ઝી જેવું આંદોલન થઈ શકે છે. આ જ પ્રકારના નિવેદનો બે-ત્રણ દિવસથી જુસ્સા સાથે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાની એરણે ચડ્યા છે. આ તમામ નિવેદનોને રાહુલ ગાંધીની ભવિષ્ય વાણી તથા પેપરલીક, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તથા બેરોજગારી-મોંઘવારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને સાંકળીને તેના સંદર્ભે લોકોના તીવ્ર પ્રત્યાઘાતો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેના પડી રહેલા પડઘાઓની ચર્ચા ગ્લોબલ ટોકીંગ તથા ડિબેટીંગના વિષયો બન્યા છે. આ મુદ્દાઓની વાસ્તવિક્તા તથા ઉદ્દેશ્યો વિષે જુદા-જુદા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
હકીકતે રાહુલ ગાંધીએ સીબીઆઈ અને ડિજિટલ ઈવેલ્યુએશન સિસ્ટમ એટલે કે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમની ક્ષતિના કારણે લાખો વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જ સીલસીલો આગળ વધારીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી, તેની સાથે સાથે રાહુલ ગાંધીએ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાનને વિશેષ રીતે નિશાન બનાવ્યા હતાં, જે ઘણું જ સૂચક છે.
વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને નિશાન બનાવીને રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે, આ બન્નેની જોડીએ વધુ એક સંસ્થાને ગેરરીતિનું પ્રતીક બનાવી દીધી છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં મોદી સરકારના શાસનના દાયકામાં પ્રથમ વખત આટલા ગંભીર સવાલો ઊઠ્યા છે. પેપરલીક પછી પણ ઓન-સ્ક્રીન માર્કિંગ, સિસ્ટમમાં ગોટાળા અને ખોટા માર્કિંગની ફરિયાદો ઊઠી છે. આટલા બધા આક્ષેપો છતાં શિક્ષણ મંત્રી ખુરશીનેે ચિટકીને બેઠા છે!
રાહુલ ગાંધીએ દૃષ્ટાંતો સાથે આક્ષેપ કર્યો કે સિસ્ટમની ખામી સામે અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સત્ય એ છે કે મોદી સરકાર યુવાવર્ગ અને જેન-ઝી થી ડરી ગઈ છે, કારણ કે હવે યુવાવર્ગ સવાલો ઊઠાવી રહ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જો કોઈ સવાલો ઊઠાવે તો સરકાર તેઓને ડરાવે, ધમકાવે અને કચડી નાંખે છે, પરંતુ આ જ યુવાવર્ગ સરકારનો ઘમંડ તોડશે.
આ આક્ષેપોને ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓ સતત ચૂંટણીઓ હારી રહેલા નેતા (રાહુલ ગાંધી) ની હતાશા ગણાવે છે, અને મોદી સરકારનો વિરોધ કરતા કરતા રાહુલ ગાંધી દેશવિરોધી બની ગયા છેે, તથા નકારાત્મક રાજનીતિ રમીને દેશમાં વિખવાદ તથા અરાજક્તા ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ તેઓ સફળ થવાના નથી.
વિપક્ષો અને શાસક પક્ષના નેતાઓની આ બયાનબાજીમાં કોણ સાચું અને કોણ ખોટું છે, એ તો જનતા જ નક્કી કરશે, પરંતુ એ હકીકત છે કે હાલમાં ડીઝલની કૃત્રિમ તંગી, ઈંધણના ભાવોમાં વધારો અને વધી રહેલી મોંઘવારી ઉપરાંત મોંઘુદાટ શિક્ષણ તથા ઘણાં સ્થળે કથળી રહેલી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે જનતામાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ભાજપ-એનડીએ તરફી ઝુંકાવ ધરાવતા હતાં, તેવા લોકો પણ હવે દબાતા અવાજે પણ મોદી સરકાર પ્રત્યે અણગમો વ્યક્ત કરી રહ્યા છે, તે ઉપરાંત પેપરલીક તથા બેરોજગારી જેવા મુદ્દે પણ તેઓ હવે પોતાનો અભિપ્રાય બદલી રહેલા સંભળાય છે, તે જોતા એવું લાગેે છે કે શાસકોએ વહેમમાં રહેવા જેવું નથી, અને ડેમેજ કંટ્રોલ નહીં થાય, તો તેની વિપરીત અસરો થઈ શકે છે.
કુલબર્ગીની ભાગ્યશ્રીની આત્મહત્યા પછી યુવાવર્ગમાં રોષ ફેલાયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાવર્ગ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગણી ઊઠાવી રહ્યો છેે, તો રાહુલ ગાંધીએ પણ શિક્ષણમંત્રીને જવાબદાર ઠરાવ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ અવનવી કોમેન્ટો પણ કરી રહ્યા છે, ત્યારે જેન ઝી ની ચળવળ તથા કોકરોચ જનતા પાર્ટી જેવા અભિયાનોને સરકારે અંડર એસ્ટિમેટ કરવા જેવા નથી.
કેટલાક નિષ્ણાતો પણ તટસ્થ અભિપ્રાય આપી રહ્યા છે કે, પેપરલીક જેવી ઘટનાઓ તથા પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રણાલિની નિષ્ફળતાઓના કારણે મહેનતુ વિદ્યાર્થીઓ આઘાત અનુભવી રહ્યો છે અને તેના વાલીઓની તકલીફો બેવડાઈ રહી છે, ત્યારે સરકારે આ પ્રકારે પ્રતિષ્ઠાનો કે ઈગોનો પ્રશ્ન બનાવવાના બદલે પારદર્શક, અસરકારક અને વિશ્વસનિય પગલાં ઊઠાવવા જ જોઈએ.
અત્યારે કેન્દ્ર સરકારની સૌથી વધુ ટીકા ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવો તથા પેપરલીકના મુદ્દે થઈ રહી છે. આજે પણ સીએનજીના ભાવોમાં પ્રતિકિલે બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આમ, પેટ્રોલ-ડીઝલ અનેે સીએનજીમાં તબક્કાવાર કરાઈ રહેલો ભાવવધારો સામાન્ય જનતાને છેતરપિંડી જેવો લાગી રહ્યો છે, કારણ કે આ ભાવવધારો ક્યા માપદંડો કે લોજીકના આધારે કરવામાં આવી રહ્યો છે, તે કોઈને સમજાતું જ નથી. લોકોને એવું લાગે છે કે સરકાર એકસામટા દસ-પંદર કે વીસ રૂપિયા વધારવાના બદલે નાની-નાની રકમનો વધારો એટલા માટે કરી રહી છે કે લોકોને જોરનો ઝટકો ન લાગે, અને ધીરે ધીરે લોકોના ખિસ્સા પર બોજ વધતો જાય, તેથી ઉહાપોહ થાય નહીં. હવે ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે જોવાનું રહે છે, કારણ કે આ પ્રકારની સ્વપનીલ અપેક્ષા રાખનારાઓની સંખ્યા પણ દેશમાં ઓછી નથી, અને તેનું કારણ પ્રવર્તમાન પ્રવાહો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે પણ પેટ્રોલ-ડીઝલમાં લિટરે અઢીથી પોણાત્રણ રૂપિયાનો વધારો કરાયો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયકાંઠેે મીઠા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે અને સંખ્યાબંધ મીઠાના અગરો, તેના પરિવહન સાથે સંકળાયેલા લોકો, હજારો શ્રમિકો, ટ્રાન્સપોર્ટ તથા સંલગ્ન બ્રોમાઈન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પ્રત્યક્ષ રોજગારી મળી રહી છે, તો તેના કારણે હોટલ, રસ્ટોરન્ટ, લોજીંગ, બોર્ટીંગ અને પી.જી. સહિતના છૂટક વ્યવસાયો દ્વારા પણ હજારો લોકોને રોજગારી મળી રહી છે. આ તમામ ગરીબ-મધ્યમવર્ગિય પરિવારો મીઠાના અગરો તથા તેને સંલગ્ન વ્યવસાયો સાથે સંકળાયેેલા છે.
પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવો અને ખાસ કરીને ડીઝલની તંગીના કારણે ટ્રાન્સપોર્ટેશનને ઘણી જ માઠી અસર પહોંચી છે. કંડલા તથા મુન્દ્રા જેવા બંદરો પરથી ડીઝલની અછતના કારણે દરરોજ કન્ટેનરોની અવર-જવર પાંચ હજારના બદલે માત્ર એક હજાર જેટલી જ રહી ગઈ છે. ડીઝલ ભરાવા ટ્રકોની લાંબી લાંબી લાઈનો લાગે છે, અને અર્ધો કે આખો દિવસ લાઈનમાં ઊભા પછી ડીઝલ મળે છે. તે પછી માંડ એક દિવસ ટ્રકો ચાલે છે, તેમાં પણ રેશનીંગ કરાતા લિમિટેડ જથ્થો ખલાસ થતા રસ્તામાં પણ ટ્રકોને પૂરતું ડીઝલ મળતું નહીં હોવાથી મીઠા (નમક) નું પરિવહન કરતો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે, અને તેની વિપરીત અસર સ્વાભાવિક રીતે જ મીઠા ઉદ્યોગ પર થઈ છે. બીજી તરફ પેટ્રોલના ભાવ આજે લિટરે ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યા અને ડીઝલ પણ ૧૦૦ રૂપિયાને આંબવા લાગ્યું હોવાથી લોકોમાં ઉહાપોહ અને મીઠા ઉદ્યોગમાં ગભરાટ છે.
કચ્છ, મુન્દ્રા ઉપરાંત સરહદી સાંતલપુરમાં પણ ૧૦ થી ૧ર લાખ ટન જેટલો મીઠાનો જથ્થો તૈયાર છે, અને તેનું પરિવહન ચોમાસા પહેલા થઈ જવી જરૂરી છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન ધીમુ કે ઠપ્પ થાય તો આ જથ્થો વેડફાઈ જાય તેમ છે. કચ્છના નાના રણમાં દેશનું ૩૦ ટકા મીઠું ઉત્પાદિત થાય છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થતો સતત વધારો ડીઝલની તંગીના કારણે એઆઈટીડબલ્યુએ દ્વારા એડવાઈઝરી જાહેર થઈ છે અને તંત્રો, કંપનીઓ તથા ગ્રાહકોને સહાનુભૂતિ દાખવીને ટ્રાન્સપોર્ટરો સામે કડક કદમ નહીં ઊઠાવવા અનુરોધ પણ કરાયો છે. કોઈપણ ટ્રાન્સપોર્ટ ઓપરેટરને બ્લેકલિસ્ટમાં મૂકવા કે કાનૂની કાર્યવાહી નહીં કરીને સહૃદયતા તથા માનવતા દાખવવાનો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ અત્યાર કોમર્શિયલ વાહનોની અવરજવર દિવસે દિવસેે વધુ ને વધુ ઘટી રહી છે. મીઠા ઉદ્યોગને સંબંધિત કોલસો, તરલ ચીજો તથા મીઠાના પરિવહનમાં ડીઝલની તંગીના કારણે ૩૦ ટકાનો ઘટાડો થયો હોવાનું તથા ઘણાં શહેરોના પેટ્રોલપંપો પાસે ડીઝલ માટે ટ્રકોની લાઈનો છેલ્લા ચાર-પાંચ દિવસથી વધુને વધુ લાંબી થઈ રહી છે.
મીઠા ઉદ્યોગમાં મીઠું પકવવા માટે વપરાતા મશીનો તથા પંપોનેે ચલાવવા માટે પણ ડીઝલનો જંગી વપરાશ થતો હોય છે, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં ડીઝલની તંગી મીઠું પકવવાની પ્રક્રિયામાં પણ બાધક બની રહી છે. બ્રાઈનના નિકાલ માટેના પંપો બંધ થતા મોટો અવરોધ સર્જાયો છે. ડીઝલની તંગીના કારણે ઈનપુટ કોસ્ટ વધી જતા આર્થિક ફટકો પણ લાગી રહ્યો છે. માત્ર મીઠા ઉદ્યોગ જ નહીં, મત્સ્યોદ્યોગ અને કૃષિ-ઉદ્યોગને પણ ડીઝલની તંગીના કારણે ફટકો પડી રહ્યો છે.
ગુજરાતના સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનોએ પણ આ મુદ્દો ઉચ્ચ કક્ષા સુધી ઊઠાવ્યો છે અને જિલ્લા તંત્રને આવેદનપત્રો સુપ્રત કરીને મીઠા ઉદ્યોગ માટે જંગી જથ્થો (આવક સપ્લાઈ) ફાળવવાની માગણી ઊઠાવી છે અને તેમાં સબસિડી અથવા ભાવોમાં રાહતની માગણી પણ થઈ રહી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા મીઠાના અગરો પણ મુશ્કેલીમાં મૂકાયા છે, અને હાલાર સહિત ગુજરાતના મીઠા ઉદ્યોગને મરણતોલ ફટકો પડવા જઈ રહ્યો છે. મીઠાના અગરો માટે ડીઝલને વિશેષ ક્વોટા પણ ફાળવાયો નહીં હોવાની રાવ ઊઠી રહી છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવવધારાના કારણે પૂરક વ્યવસાયો પણ ગોટાળે ચડ્યા છે.
ડીઝલના જથ્થાબંધ અને રિટઈલ ભાવોનું અંતર હોવાથી ખાનગી પંપોના બદલે સરકારી કંપનીઓના પંપો પરથી જ ઉદ્યોગો અને મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓ તથા ઈજારેદારોએ ખરીદી શરૂ કરી દેવાથી પણ ડીઝલની તીવ્ર તંગી ઊભી થઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે, અનેે તેને લઈને 'સરકારી કૃત્રિમ તંગી'નો વ્યંગ પણ થઈ રહ્યો છે.
હાલારમાં પણ આઝાદી પહેલાથી જ મીઠા ઉદ્યોગ ફાલ્યો-ફૂલ્યો છે અને મીઠા ઉદ્યોગ આધારિત કેમિકલ ઉદ્યોગ પણ વિસ્તર્યો છે, ત્યારે મીઠા ઉદ્યોગને થતી માઠી અસર સામાન્ય ગરીબ પરિવારોથી લઈને તવંગર ઉદ્યોગપતિ સુધીના તમામ વર્ગોને વિપરીત અસર પહોંચી છે, અને તેમાં સૌથી વધુ મીઠા ઉદ્યોગ તથા તેની સાથે સંકળાયેલા કેમિકલ ઉદ્યોગોના શ્રમિકોને મુશ્કેલીમાં મૂકાવું પડી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં પણ મીઠા ઉદ્યોગ ઉપરાંત મત્સ્યોદ્યોગને ડીઝલની તંગીની વિપરિત અસરો પડી રહી હોવાની રાવ ઊઠી રહી છે. આ વખતે પેટ્રોલ-ડીઝલમાં રૂપિયાના ગુણાંકમાં એટલે કે પોણાત્રણ રૂપિયાનો વધારો અસહ્ય છે. અમરિકાના વિદેશ મંત્રીએ ગઈકાલે કરેલા નિવેદન પછી ટૂંક સમયમાં હોર્મુઝ સંકટ સમાપ્ત થઈ જશે, તેવી આશા જાગી હોવા છતાં તેવું થયા પછી પણ સ્થિતિ પૂર્વવત થવામાં વાર લાગશે, તેથી મીઠાના ઉદ્યોગ માટે અલગથી બલ્ક ડીઝલનો જથ્થો ફાળવવા તથા ચોમાસાને ધ્યાને લઈને મીઠા ઉદ્યોગના ટ્રકોને પ્રાયોરિટી આપવા માગણી સરકારે સંતોષવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ફરીથી ડીઝલ-પેટ્રોલના ભાવોમાં વધારો કરાતા પેટ્રોલ તો લિટરે સો રૂપિયાના ભાવને આંબવા લાગ્યું છે, તો ડીઝલ પણ સદી ફટકારવાની તૈયારીમાં છે. બીજી તરફ દેશભરમાંથી ઈંઘણની તંગીના અહેવાલો આવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પંપો પર વાહનોની લાંબી-લાંબી લાઈનો લાગી છે, તો વાહનાચાલકો-ખેડૂતોમાં આ કારણે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના કારણે તમામ ચીજવસ્તુઓ મોંઘી થતી હોવાથી સામાન્ય જનતામાં પણ નારાજગી ફેલાઈ રહી છે, અને સરકારી ઓઈલ કંપનીઓ સામે સવાલો ઊઠી રહ્યા છે, અને ડિમાન્ડ અને સપ્લાઈનું સમતુલન જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાની ટીકા થઈ રહી છે.
એક તરફ સરકારી તંત્રો પેટ્રોલ-ડીઝલ-ગેસનો પૂરતો પુરવઠો હોવાના દાવાઓ સાથે 'સબ સલામત'નો ઢોલ પીટી રહ્યા છે, તો બીજી તરફ પંપો પર લાગેલી લાંબી લાંબી લાઈનો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરકારી તંત્રો કહે છે કે, અફવાઓ ઊડતા લોકો જરૂર કરતા વધુ ખરીદી કરવા લાગતા કૃત્રિમ તંગી ઊભી થઈ રહી છે, અને તેના કારણે પેટ્રોલ પંપો પર (ખાસ કરીને ડીઝલના વેંચાણમાં) રેશનીંગ પણ થઈ રહ્યું છે, ત્યારે લોકો ટ્રમ્પનો આજનો પુનઃ કરાયેલો એ દાવો ઝડપથી સાચો ઠરે, તેવી પ્રાર્થના કરી રહ્યા છે, જેમાં ટ્રમ્પે કહ્યું છે કે, ટૂંક સમયમાં યુદ્ધ ખતમ થશે, અને ઈંધણના ભાવો ઝડપથી ઘટી જશે.
કતર અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ ઈરાન-અમેરિકા યુદ્ધ ખતમ કરાવવા માટે પહોંચી ગયા હોવાના અહેવાલો પછી વિશ્વભરમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ વખતે કદાચ વચગાળાની સમજુતિ થઈ જાય અને યુદ્ધ અટકે તથા હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જાય, તો વિશ્વ એક મોટા સંકટ અને ખતરનાક યુદ્ધના ખતરાથી બચી જશે.
એક તરફ પાકિસ્તાન મધ્યસ્થી હોવાનો દાવો કરીને ઈરાન-અમેરિકાને (બન્નેને) છેતરી રહ્યું હોવાની ટીકા થઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાં જ મોંઘવારીના માર તથા ઈંધણની તંગીના કારણે ત્યાંની સરકાર સામે ઘરઆંગણે અસંતોષ વધી રહ્યો છે. એવા અહેવાલો છે કે, ભારતની સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ફેલાયેલી આગ હવે સીમા પાર પહોંચી છે અને પાકિસ્તાનમાં પણ ત્યાંની સરકારના વિરોધમાં 'કોકરોચ અવામી પાર્ટી'ના ટેગ સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ ભારતની 'કોકરોચ જનતા પાર્ટી'ની જેમ જ 'કોકરોચ અવામી પાર્ટી'ના ફોલોઓર્સ ઝડપથી વધી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણે એવો વ્યંગ પણવ થવા લાગ્યો છે કે, જો બાંગલાદેશમાં પણ આ જ પ્રકારની ઝુંબેશ ચાલશે, તો ત્રણેય દેશનું જેન ઝેડ (યુવાવર્ગ) મળીને અખંડ ભારતની દિશામાં ફંટાઈ જશે, તો નવો ઈતિહાસ સર્જાશે. વિશ્વના ઘણાં દેશોમાં જેન ઝેડ આંદોલન સફળ થયા હોવાથી ભારત, પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશોમાં પવણ ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સામે આ પ્રકારે નવતર, અદ્યતન અને ઈન્ટરનેટ આધારિત યુવા-આંદોલનો-જનચળવળો ફેલાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આપણાં દેશમાં પણ બેરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે. એક તરફ વડાપ્રધાન આજે દેશભરમાં રોજગાર મેળાઓના આયોજનો વચ્ચે પ્રતિકાત્મક નિમણૂકપત્રોનું વિતરણ કરીને રોજગારવર્ધક ઈન્ટરરેક્શન કરી રહ્યા છે, તો બીજી તરફ સીજેઆઈના કોકરોચ અને પરપોટા જેવા શબ્દપ્રયોગો પછી (તેમણે આ અંગે સ્પષ્ટતા કર્યા પછી પણ) બેરોજગારી સામેનો યુવાવર્ગનો આક્રોશ સમી રહ્યો જણાતો નથી, અને હવે આ કોન્સેપ્ટ સીમાપાર પહોંચ્યો છે. આ સ્થિતિમાં દેશવ્યાપી બેરોજગારી અને ડીઝલ-પેટ્રોલના ભાવો વધવાથી આસમાનને સ્પર્શી રહેલી મોંઘવારીમાંથી ઊઠી રહેલો જનાક્રોશ દેશવ્યાપી જન-આંદોલનનું સ્વરૂપ ઝડપથી ધારણ કરી શકે છે.
એવું કહેવાય છે કે, ભારતમાં સીજેપીના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂકી દીધો હોવા છતાં અન્ય દેશોમાં હજી પણ સક્રિય છે. એવી પણ ચર્ચા છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાન માત્ર મજાક-મજાકમાં નહીં, પરંતુ પૂરેપૂરા આયોજન સાથે સમજી-વિચારીને શરૂ થયું છે. હવે અભિજીત દિપકે ભ્રષ્ટાચારીઓ સામે ઝુંબેશની જાહેરાત કરીને લોકોને ભ્રષ્ટાચારના આધાર-પુરાવા મોકલવાની હાકલ કરી છે. સીજેપીએ ભારતીય રાજકારણમાં શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, રોજગારી તરફ વાળવા, સરકારી સિસ્ટમો દુરસ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હોવાના પણ અહેવાલો છે, જેમાં નિવૃત્ત થતા સીજેઆઈને નિવૃત્ત થયા પછી કોઈ સરકારી હોદ્દો કે રાજ્યસભાના સભ્ય બનવા પર પ્રતિબંધ, મહિલાઓને સંસદમાં પણ ૩૩ ટકાને બદલે પ૦ ટકા અનામત અને કેન્દ્ર-રાજ્ય સરકારોના મંત્રીમંડળોમાં પણ અડધોઅડધ મહિલાઓનો સમાવેશ, ઉદ્યોગપતિઓના મીડિયા હાઉસીઝ પર પ્રતિબંધ, પક્ષપલટુઓને બે દાયકા સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને (એસઆઈઆર જેવી પ્રક્રિયા અંતર્ગત) યોગ્ય મતદારોના નામ કાપવા બદલ ચૂંટણી કમિશનર સામે કડક પગલાં લઈને તેન યુએપીએ લાગુ કરવા જેવી માંગણીઓ સાથે અભિયાન તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે.
આ અભિયાન જો નિષ્પક્ષ, તદ્ન બિનરાજકીય અને વાસ્તવમાં જનલક્ષી, મોંઘવારી-બેરોજગારી વિરોધી તથા દેશવ્યાપી સમસ્યાઓના નિવારણ માટે જ ચલાવાશે. આ જ રીતે ફોલોઅર્સ વધતા રહેશે, અને આ 'ઓનલાઈન' ચાલી રહેલી ઝુંબેશ હકીકતે રાજકીય પક્ષ તરીકે વિધિવત્ ચૂંટણીના મેદાનમાં ઉતરવાના કેજરીવાલ ફેઈમ અભિયાન બદલે હકીકતે બિનરાજકીય ચળવળ ચલાવશે, તો દેશભરમાં કેેન્દ્ર અને રાજ્ય સરકારો માટે 'વોચ ડોગ'નું કામ કરશે. એટલું જ નહીં, ભ્રષ્ટાચારી અધિકારીઓ, નેતાઓ તથા ટોપ ટુ બોટમ સડેલી સિસ્ટમના નિષેધનું લોકતાંત્રિક જન-આંદોલન બની જશે.
ઘણાં લોકો એવું માને છે કે, આ ઓનલાઈન ચળવળ પાછળ કોઈ ચબરાક પોલિટિકલ માઈન્ડ કામ કરી રહ્યું છે અને દિપકે માત્ર મહોરૂ છે. જે હોય તે ખરૂ, પરંતુ જો આ અભિયાન સડેલી રાજનીતિથી દૂર રહીને એક તટસ્થ એનજીઓ અથવા બિનરાજકીય પાર્ટી બનીને પ્રવર્તમાન પોલિટિકલ સિસ્ટમ સામે સમતોલ લડત આપશે, તો તેને પ્રચંડ જનસમર્થન મળશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ચાર-પાંચ દિવસથી સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા સી.જે.પી.ની થઈ રહી છે, અને હવે બીજેપી વર્સીસ સીજેપીની કોમેન્ટો પણ થઈ રહી છે. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલી રહેલી આ ઝુંબેશના કારણે સરકાર પણ મુંઝાઈ ગઈ છે અને આ ઓનલાઈન ચળવળ હવે ભારતના જેન ઝેડ યુવા વર્ગનું અસરકારક પ્લેટફોર્મ બની ગઈ છે.
એક બેરોજગાર યુવકે એક વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામમાં ભલે આ પ્રકારની કોમેન્ટો મજાકિયા મૂડમાં મૂકી હોય બેરોજગાર હોવાની શરતે સભ્યપદ આપવાની રમુજ સાથે કોકરોચ પાર્ટીના નામે માત્ર ૬૦ જેટલી પોસ્ટ મૂકાઈ હોય, પરંતુ તેના દોઢ કરોડથી વધુ ફોલોઅર્સ થઈ જતા આ જ પ્લેટફોર્મ પર મહત્તમ ફોલોઅર્સ ધરાવતા ભારતીય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પણ પાછળ રહી ગયા હોય તો તે પ્રવર્તમાન રાજનૈતિક વ્યવસ્થાઓ પ્રત્યે યુવાપેઢીનો આક્રોશ દર્શાવે છે. કેટલાક દેશોમાં જેન ઝેડ આંદોલનોએ કરેલા તખ્તાપલટના અનુભવે કેટલાક લોકો તો આને ભારતમાં યુવાક્રાંતિના એંધાણ બતાવવા લાગ્યા છે, તો કેટલાક લોકો ધરમૂળથી રાજનૈતિક પરિવર્તનના સપના પણ જોવા લાગ્યા છે!
હકીકતે સીજેઆઈ એટલે કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે એક કેસની સુનાવણી વખતે ટિપ્પણી કરી હતી. કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ અને પેરાસાઈટ જેવા હોય છે, અને તેમાંથી કેટલાક (યુવાનો) સોશિયલ મીડિયા તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છે. કાંઈક તેવા પ્રકારની થયેલી ટિપ્પણી પછી સોશિયલ મીડિયા મારફત બેરોજગાર યુવાવર્ગે સીજેઆઈની કથિત ટિપ્પણી સામે તીવ્ર આક્રોશ દર્શાવ્યો અને સીજેઆઈએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેની ટિપ્પણી અલગ સંદર્ભમાં હતી, પરંતુ તેનું જુદી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. સીજેઆઈએ દેશના યુવાધન માટે તેઓને ગૌરવ હોવાની વાત પણ કરી હતી, અને નકલી ડીગ્રીધારી યુવાવર્ગના સંદર્ભમાં જ આ ટિપ્પણી કરી હોવાની ચોખવટ થઈ હતી.
જો કે, સીજેઆઈની સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના ફોલોઅર્સ વધતા ગયા અને બીજેપી અને કોંગ્રેસ કરતા વધુ ફોલોઅર્સનો દાવો થયો અને સીેજેપી વર્સીસ બીજેપીનો વ્યંગ થવા લાગ્યો, તે પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.
એક સુનાવણી દરમિયાન થયેલી ટિપ્પણીને કેન્દ્રમાં રાખીને સોશિયલ મીડિયાના ચોક્કસ પ્લેટફોર્મ પર આ ઝુંબેશ શરૂ કરનાર અભિજિત દિપકે વિષે પણ વિવિધ ટિપ્પણીઓ થવા લાગી છે, અને તે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી માટે કામ કરતો હોવાની વાતો વહેતી થઈ છે. તેમણે 'કોકરોચ જનતા પાર્ટી' એટલે કે 'સીજેપી' નું 'એક્સ' પરનું એકાઉન્ટ બ્લોક કરી દેવાયું હોવાનો દાવો કરીને 'કોકરોઝ ઈઝ બેક' અને 'કોકરોચ ડોન્ટ ડાઈ' એવી ટેગલાઈનથી કોકરોચ જનતા પાર્ટી ઓફ ઈન્ડિયા (સીજેપી) નામનું નવું એકાઉન્ટ બનાવતા તેમાં પણ તેના લાખો ફોલોઅર્સ થઈ ગયા, અને પછી તો વિપક્ષના કેટલાક નેતાઓ તથા સેલિબ્રિટીઝ પણ ફોલો કરવા લાગ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઓનલાઈન પોલિટિકલ પાર્ટીનું રાજનૈતિક કે વૈધાનિક અથવા બંધારણીય મહત્ત્વ જે ગણાતું હોય તે ખરૂ, પરંતુ આ ઓનલાઈન ટ્રેન્ડ પ્રવર્તમાન મુખ્ય રાજકીય પક્ષો અને શાસક પક્ષ માટે તો પડકારરૂપ છે જ...
બેરોજગારોને લઈને ટિપ્પણી ભલે શાસક પક્ષના કોઈ નેતાએ કરી નથી, પરંતુ આ પ્રકારની ઓનલાઈન ઝુંબેશને મળેલો યુવાવર્ગનો પ્રતિસાદ જોતા દેશની બેરોજગારોની સમસ્યા કેટલી ગંભીર છે, તે પૂરવાર થયું છે અને બેરોજગારીની વ્યથાને આ રીતે મળેલો પ્રતિસાદ આપણાં દેશમાં પણ જેન ઝેડ જેવા આંદોલનોની સંભાવનાઓ દર્શાવે છે, અને તેથી જ એવી વાતો પણ વહેતી થઈ છે કે આ મુદ્દે સરકાર મુંઝવણમાં છે, કારણ કે સરકારનું કોઈપણ સત્તાવાર નિવેદન આ મુદ્દાનેે વધુ તીવ્ર બનાવી શકે છે. સરકાર આ મુદ્દે પોતાના તરફથી કોઈ ચોખવટ પણ કરી શકે તેમ નથી, કારણે આ ટિપ્પણી સરકારે કે શાસક પક્ષના કોઈ નેતાની નથી, જ્યારે સીજેઆઈએ સ્વયં આ અંગેે સ્પષ્તા કરી દીધી હોવા છતાં જો નવા નવા નામે આ ઓનલાઈન ઝુંબેશ ચાલતી રહેે અને ચળવળનું સ્વરૂપ ધારણ કરે તો દેશવ્યાપી જનાક્રોશ ફાટી નીકળે તેમ છે, અને તેે કારણે જ શાસક પક્ષ આ મુદ્દે મોટાભાગે કોઈ એવું નિવેદન નહીં આપે, જેથી વિવાદ વધુ વકરે.
રમત-રમતમાં મજાકિયા મૂડમાં શરૂ થયેલી આ ઝુંબેશ ખરેખર ગંભીર સંકેતો આપે છે કે પછી બધું જ પ્રિ-પ્લાન્ટેડ છે, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોકરોચ અથવા વંદા જેવા જંતુને કેન્દ્રમાં રાખીને ચાલી રહેલી આ ઓનલાઈન (સીજેપી હેન્ડલ) શરૂ કરનાર અભિજિત દિપકે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન સબજેક્ટનો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે. તેમણે પૂણેમાં જર્નાલિઝમ કરીને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હતો. એવું કહેવાય છે કે અભિજિતે અમેરિકામાં જોબ મેળવવા માટે અરજીઓ કરી છે, અને તેની ઈચ્છા અમેરિકામાં જ વસવાટ કરવાની હોય, તેમ જણાય છે. તેમણે પોતે કહ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે કે મજાક મજાકમાં તેમણે આ બધું કર્યું હતું, અને ક્રોકોચ રાતોરાત વાયરલ થઈ જશે, તેવી રીતે પોતાને અપેક્ષા પણ નહોતી.
કેટલાક લોકો ભૂતકાળમાં 'આપ' માટે ત્રણેક વર્ષ સુધી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ તરીકે કામ કરનાર અભિજિતની આ ઓનલાઈન ઝુંબેશને ભાજપ-કોંગ્રેસ વિરોધી રાજકીય ષડ્યંત્ર ગણાવી રહ્યા છે. દેશના યુવાધન (જેન ઝેડ) ને ઉશ્કેરવા માટે પહેલેથી ફોલોઅર્સ તૈયાર કરીને આયોજનપૂર્વક આ ઝુંબશ દિલ્હીમાં વાપસી માટે તો થઈ રહી નથી ને? તેવી વાતો રાજધાની દિલ્હીમાં પણ વહેતી થઈ છે.
આ મુદ્દો એટલો બધો ઝડપથી ઉછળ્યો કે સીજેઆઈએ પોતાની મૌખિક ટિપ્પણી અંગે ખુલાસો કરવો પડ્યો કે તેઓએ જે ટિપ્પણી કરી હતી નકલી અનેે બોગસ ડીગ્રીના આધારે વકીલાતના ક્ષેત્રમાં ઘૂસી જનારા પરિબળો માટે જ હતી, જેને તમામ યુવાવર્ગના સંદર્ભમાં ગણીને ખોટી રીતે વર્ણવવામાં આવી રહી છે. તેઓના કોકરોચ અને પરજીવી જેવા શબ્દોના કારણે ઉછળેલો આ મુદ્દો હવે રાજકીય ક્ષેત્રે અત્યાર તો છવાઈ જ ગયો છે, હવે તેની વાસ્તવિક અસરો કેટલી થાય છે, તે જોવાનું રહે છે, જો કે બેકાર બેરોજગારીની હકીકત તો સપાટી પર આવી જ ગઈ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણા દેશમાં ન્યાયતંત્ર બંધારણીય સંસ્થાઓમાં સૌથી વધુ વિશ્વસનિય ગણાય છે અને દેશવાસીઓને ન્યાયતંત્રમાં સર્વાધિક ભરોસો છે, પરંતુ ઝળહળતા ચંદ્રમાં કાળા કલંકની જેમ ન્યાય મેળવવામાં થતો વિલંબ ન્યાયતંત્રની નબળાઈ પણ ગણી શકાય. આપણાં દેશમાં સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળતો થાય, તે માટે એક દેશવ્યાપી અને પરિણામલક્ષી ઝુંબેશ ચલાવવી પડે તેમ છે અને તેમાં ન્યાયતંત્ર, બાર, સરકાર અને જનતા જનાર્દનના સક્રિય સહયોગ અને સુદૃઢ સંકલન જરૂરી છે.
હિન્દી ફિલ્મનો સની દેઓના મૂખે બોલાયેલો 'તારીખ પે તારીખ'વાળો ડાયલોગ ભારતના ન્યાયતંત્ર પર એક એવું મેણું છે, જે ક્યારે ભાંગશે? તેનો જવાબ ક્યારેય મળ્યો જ નથી.
આપણાં દેશમાં દાયકાઓ જુના સંખ્યાબંધ કેસો પેન્ડીંગ છે. આ કેસો પેન્ડીંગ રહેવા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. જુદા જુદા કેસ માટે અલગ અલગ કારણો જવાબદાર હોય છે. તે ઉપરાંત વધતી જનસંખ્યા અને ગુનાખોરી તથા કાનૂની પ્રક્રિયાઓની સરખામણીમાં ન્યાયતંત્રમાં જજીસ, સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખૂબ જ ધીમી ગતિએ થતો વધારો પણ વિલંબિત ન્યાય પ્રણાલી માટે જવાબદાર ગણી શકાય.
દેશની જિલ્લા અદાલતો અને હાઈકોર્ટોમાં કરોડો કેસોનો ભરાવો થયો છે અને સુપ્રિમ કોર્ટમાં પણ કેસોની સંખ્યા વધતી જાય છે. પ્રવર્તમાન પ્રગતિશીલ યુગમાં વિકાસ પ્રક્રિયાઓ વિસ્તરી રહી છે અને વ્યાપાર-ઉદ્યોગ-શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, તેની સાથે સાથે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સાઈબર ક્રાઈમ, સામાજિક-પારિવારિક-આર્થિક તકરારો પણ વધી રહી છે, અને કાનૂની જાગૃતિ તથા નાગરિક અધિકારોની જોગવાઈઓ પ્રત્યે લોકજાગૃતિના કારણે પણ લોકો પોતાના હક્કો માટે અદાલતોના દ્વાર ખખડાવતા થયા છે. આ ઉપરાંત પણ ઘણાં લોકલથી ગ્લોબલ કક્ષા સુધીના ઘણાં કારણો એવા છે, જેના કારણે અદાલતોમાં માત્ર ક્રાઈમ જ નહીં, પરંતુ હક્ક-દાવા, સિવિલ કેસો, જાહેર હિતની અરજીઓ તથા સામૂહિક-સામાજિક-ધાર્મિક અને બંધારણીય અર્થઘટનો સહિતના કેસો ટોપ ટુ બોટમ અદાલતોમાં વધી રહ્યા છે.
કેસોનો ભરાવો ઘટાડવા ન્યાયતંત્રે લોકઅદાલતો, પ્રિ-લિટીગશન અને મિડિએશન જેવા ઉપાયો વધાર્યા છે અને જામીનને અધિકાર અને જેલને અપવાદ ગણીને જેલોમાં ઓવરલિમિટ અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અદાલતો ઘણી વખત ઓવરટાઈમ કામ કરીને પણ કેસો ઘટાડવાના પ્રયાસો કરી રહી છે. આ તમામ પ્રકારના અદાલતોના પ્રયાસો તથા ન્યાયતંત્રના અભિગમોમાં સરકારોનો સહયોગ પણ જરૂરી હોય છે. કેન્દ્ર અને રાજ્યસરકારો જો અદાલતોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને સિસ્ટમના આધુનિકરણ, ડિજિટાઈઝેશન તથા અદ્યતન સિસ્ટમો માટે હજુ પણ વધુ ઝડપી અને પર્યાપ્ત ફંડીંગ કરે તથા લોજીસ્ટિક સપોર્ટ પૂરો પાડે, તો દેશમાં સરળ-ઝડપી અને સસ્તો ન્યાય મળવા લાગે અને કેસોનો નિકાલ પણ ઝડપી બને.
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે પણ અદાલતોમાં કેસોના ભરાવા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું અને દેશની અદાલતોમાં કરોડોની સંખ્યામાં કેસોના ભરાવા અંગે સરકારનો રોડ-મેપ જણાવ્યો. અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ન્યાયમાં વિલંબ અને કરોડો કેસોના ભરાવાનો મુદ્દો વિસ્તૃત રીતે ચર્ચાયો, તે દરમિયાન મેઘવાલે કેસોના ઝડપી નિકાલ માટે ઈ-કોર્ટ, ફેઝ-૩ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેસોની સુનાવણી ઝડપી બનાવવાની દિશામાં રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ રહેલા પગલાંની વિગતો આપી હતી.
મેઘવાલે આ ઉપરાંત મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા એજિંગ એનાલિસિસ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે અદ્યતન ટેકનોલોજી અને નવીનત્તમ સિસ્ટમોના સમન્વયથી આગામી સમયમાં પેન્ડીંગ કેસોમાં ઝડપથી ઘટાડો જોવા મળશે. અમદાવાદમાં કેસોના ભરાવાના સંદર્ભે તેમણે દેશવ્યાપી કેસોના ભરાવાના સંદર્ભે તેમણે દેશવ્યાપી નૂતન અભિગમની વિગતો આપી હતી.
તાલુકા-જિલ્લા કક્ષાથી સુપ્રિમ કોર્ટના સ્તરે જુના પેન્ડીંગ કેસોનો તત્કાળ ઉકેલ લાવવા સરકાર દ્વારા એક ખાસ 'એજિંગ એનાલિસિસ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ સૌથી જુના કેસોનું વર્ગિકરણ કરીને ૧૦ વર્ષ, ર૦ વર્ષ, ૩૦ વર્ષ જુના કે તેથી જુના કેસોની યાદી બનાવાશે અને તેને ટોપ પ્રાયોરિટી આપીને તેનો નિકાલ કરવામાં આવશે, તેવો કેન્દ્રિય મંત્રીનો દાવો વાસ્તવમાં કેટલો અથાર્થ ઠરે છે, તે જોવાનું રહે છે...
મેઘવાલે એડીઆરના માધ્યમથી પણ પેન્ડીંગ કેસોમાં ઝડપભેર ઘટાડો લાવવાની ચાલી રહેલી પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. એડીઆર એટલે અલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન...
લોકઅદાલતો અને મીડિયેશન અથવા મધ્યસ્થતા જેવા ઉપાયો સતત ચાલુ રાખીને જુના કેસોનો સૌહાર્દપૂર્ણ નિકાલ થયા પછી અપીલોનું પ્રમાણ ઘટે છે અને જુના-નવા કેસોનો ઝડપી ઉકેલ આવી જતા પેન્ડીંગ કેસોનું પ્રમાણ ઘટે છે. તે ઉપરાંત હવે ઈન્ટરનેટ યુગમાં આધુનિક તકનીકી (અદ્યતન ટેકનોલોજી) નો ભરપૂર ઉપયોગ કરવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રકચર પણ વિસ્તરી રહ્યું હોવાનો દાવો કરતા મેઘવાલે ઈ-કોર્ટના અભિગમમાં ત્રીજા તબક્કા અંતર્ગત પેપરલેસ પ્રોસીઝર્સના કારણે ન્યાય સસ્તો અને ઝડપી બનશે, તેવો સંકેત પણ આપ્યો હતો. એ.આઈ.ના પ્રયોગ સાથ ડિજિટલ પ્લેટફોર્મના કારણે વકીલો તથા અરજદારો ઓનલાઈન માધ્યમથી ઝડપથી જોડાઈ શકશે. આ તમામ પ્રકારના સહિયારા પ્રયાસોથી પેન્ડીંગ કેસોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે તેવો કેન્દ્રિય મંત્રીનો આશાવાદ વાસ્તવિક હકીકત બને, તેવું ઈચ્છીએ...
આ તમામ પ્રયાસોમાં બારને સક્રિય રીતે સાંકળવામાં આવી રહ્યું છે, તો સરકારના કાયદા વિભાગ અનેે ન્યાયતંત્ર વચ્ચે તાલમેલ વધારીને અદાલતોના સંકુલોનું આધુનિકરણ અને નવીનિકરણ પણ થઈ રહ્યું હોવાના કારણે હવે પેન્ડીંગ કેસોના નિકાલ સાથે અદાલતો સુધી પહોંચે તે પહેલા જ કેટલાક નાના-મોટા કેસોનો સુખદ અને સમાધાનકારી ઉકેલ આવી જાય, તે માટે આપણી પ્રાચીન ન્યાયપ્રણાલીઓનો અભ્યાસ કરીને નૂતન અભિગમો અપનાવી શકાય છે.
જો કે, જુના કેસોને ટોપ પ્રાયોરિટી આપીને તેનો નિકાલ કરવાની સાથે સાથે નવા કેસોના નિકાલ કે ઉકેલ લાવવાની ગતિ પણ વધારવી પડે તેમ છે, અન્યથા જુના કેસોના નિકાલ થાય, પરંતુ નવા કેસોનો નવેસરથી ભરાવો થતો જાય, તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, તેથી જાગ્યા ત્યારથી સવાર... જુના કેસોનો નિકાલ, નવા કેસોના ઉકેલમાં ઝડપ, કેસોમાોં સંભવતઃ સમાધાનના પ્રયાસો અને નાના-મોટા કેસોનો ભરાવો અટકાવવા નવો અભિગમ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ અને પરિણામો આવ્યા પછી હવે પદાધિકારીઓની બદલી થઈ રહી છે અને હાલારની ત્રણ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ નગરપાલિકાઓમાં ભાજપનો પરચમ લહેરાયો છે, પરંતુ હાલારની ત્રણ નગરપાલિકામાંથી બે નગરપાલિકામાં કોંગ્રેસ અને એક નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, જો કે જામનગર મહાનગરપાલિકામાં ફરીથી ભારતીય જનતા પક્ષને જનાદેશ મળ્યો છે, અને તના પદાધિકારીઓની પણ ટૂંક સમયમાં ચૂંટણી (વરણી) થવાની છે.
ગઈકાલેે હાલારની ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે નિમાયેલા પદાધિકારીઓને બિરદાવાયા અને તેઓનું અદકેરૂ સન્માન કરાયું, તથા કેટલાક અન્ય હોદ્દેદારોની વરણી પણ થઈ.
આ સાથે જ હવે વહીવટદારના શાસનની સમાપ્તિ થશે અને નવી બોડી પદભાર સંભાળી લેશે, અન હવે નગરજનો પણ પોતાની સમસ્યાઓ ઉકેલાય અને અપેક્ષાઓ ઝડપથી સંતોષાય, તેવી અપેક્ષા રાખશે.
હાલારની ત્રણ નગરપાલિકાઓમાંથી બે નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખો વરાયા છે, અને એક નગરપાલિકામાં મહિલા ઉપપ્રમુખ વરાયા છે. આમ, ૬ પદાધિકારીઓમાંથી ત્રણ મહિલા પદાધિકારીઓ નિમાયા છે. ગુજરાતમાં પ૦ ટકા મહિલા અનામતના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અડધોઅડધ મહિલા પદાધિકારીઓ પણ સત્તામાં સક્રિય ભાગીદાર હશે અને તેથી મહિલાઓના મુદ્દાઓ તથા ઘરલુ સમસ્યાઓને પ્રાધાન્ય મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને અનામતનો લાભ મળતા તેેઓ પદાધિકારી તરીકે નિમાય જાય, તે પછી તેઓ ૧૦૦ ટકા સ્વયં સક્રિય રીતે સહભાગી બને તો જ મહિલાઓને અનામત આપવાનો ઉદ્દેશ્ય મૂળભૂત સ્વરૂપે સિદ્ધ થઈ શકે, તેથી મહિલાઓ પોતે જ સક્રિય રીતે સહભાગી બનીને સત્તા અને સંચાલનમાં સક્રિય રહે અને પોતાના પતિ કે અન્ય કોઈપણ પરિવારજનને પોતાના વતી પરોક્ષ રીતે સત્તા ભોગવવાની તકો ન આપે, તે અત્યંત જરૂરી છે, અન્યથા અનામતનો અસલ ઉદ્દેશ્ય જ માર્યો જશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામત લાગુ થયાને એક દાયકાથી વધુ સમય થયો, પરંતુ હજુ ઘણાં સ્થળે ચૂંટાયેલા કે વરાયેલા મહિલા પદાધિકારીઓની સત્તા પરોક્ષ રીતે તેણીના પતિદેવ કે પછી અન્ય કોઈ પુરુષ પરિવારજન જ ભોગવતા હોય છે, અને તેને સાંકળીને જ થોડા વર્ષો પહેલા કદાચ વડાપ્રધાને એસ.પી. (સરપંચ પતિ) જેવો કટાક્ષ કર્યો હતો. આ સ્થિતિ નિવારવા ચૂંટાયેલા મહિલા પદાધિકારીઓના પરિવારજનોએ જ સ્વયં શિસ્ત જાળવીને મહિલા પદાધિકારીઓને સ્વતંત્ર રીતે તેઓની ફરજો બજાવવા દેવી જોઈએે અને તે માટે સચવયં માર્ગદર્શન અને પ્રેરણા આપીને મજબૂત પીઠબળ પૂરૃં પાડવું જોઈએ. આ માટે રાજકીય પક્ષો તથા સ્થાનિક અગ્રણીઓએ પણ ખુલ્લા દિલે મહિલા પદાધિકારીઓને સપોર્ટ કરવો જોઈએ. માત્ર મહિલા પદાધિકારીઓ જ નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાયેલા તમામ મહિલાઓએ પોતે જ સંસ્થાકીય સંચાલન, મિટિંગો તથા સંસ્થાકીય અને સરકારી કામોમાં હાજર રહીને સક્રિય ભૂમિકા અદા કરવાનો આગ્રહ રાખવો જ જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં નવા શાસકોએ હવે ચૂંટણી ટાણે કરેલા વાયદાઓ પૂરા કરવાના પ્રયાસો આદરી દેવા પડશે અને લોકોની મૂળભૂત સમસ્યાઓ ઉકેલીને અપેક્ષાઓ પણ સંતોષવી પડશે.
ખંભાળિયામાં સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ચોક્કસ રણનીતિ ઘડવી પડશે, અને કેટલીક કાયમી સ્વરૂપની સમસ્યાઓ ઉકેલવા માટે અગ્રતાક્રમે પગલાં લેવા પડશે, તે ઉપરાંત ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા વચનો પૂરા કરવાને પ્રાયોરીટિ આપવી પડશે. ખાસ કરીને અવારનવાર ઊઠતી ભ્રષ્ટાચાર તથા નબળી ગુણવત્તાના કામો અંગે ઊઠતી રહેતી ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરીને જરૂરી 'સાફસુફી' પણ કરવી પડે તેમ છે. નગરની જુની સમસ્યાઓ તથા અણઘડ વિકાસ પ્રક્રિયામાંથી ઉદ્ભવતી નવી નવી સમસ્યાઓ ઉકેલવાને પ્રાયોરીટિ આપવી પડશે.
જામ-રાવલમાં તો પહેલેથી જ અલગ જ પ્રકારનું રાજકારણ ખેલાતું રહ્યું છે. આ વખતે તોતિંગ બહુમતી કોંગ્રેસને મળી હોવા છતાં ત્યાં કોંગ્રેસના નક્કી કરેલા ઉમેદવાર સામે વિદ્રોહ થાય અને કોંગ્રેસે નક્કી કરેલા ઉમેદવાર સામે પ્રમુખપદે ફોર્મ ભરાય, તથા ચૂંટણી કરવી પડે, તે સ્થિતિ રાવલની અલગ જ પ્રકારની સ્થાનિક રાજનીતિની ગવાહી પૂરે છે. જો કે, આ વિદ્રોહ સફળ થયો નહીં અને કોંગ્રેસના જ ઉમેદવાર પ્રમુખપદે બિરાજ્યા, પરંતુ આ પ્રકારની સખળ-ડખળ હજુ પણ ચાલતી જ રહેશે, તેવું લાગે છે. આમ પણ રાવલને નગરપાલિકા મળી, ત્યારથી જ અસ્થિરતા રહી છે અને જેને બહુમતી મળી હોય, તેવા પદાધિકારીઓને અધવચ્ચેથી સત્તા ગુમાવી પડી હોય, તેવી ઘટનાઓ અવારનવાર બની છે. ગત્ ચૂંટણીમાં તો ભાજપ-કોંગ્રેસને હરાવીને સત્તા પર આવેલ એક ગ્રુપ પછીથી ભાજપમાં ભળી ગયું હતું, અને આ વખતે પણ પહેલા કોળિયે માખીની કહેવતની જેમ પ્રારંભે જ બળવો થયો હોય, તો તે ઠીક ગણાય નહીં. નવા શાસકો હવે રાજકીય કાવાદાવાના બદલે સમસ્યાઓ ઉકેલવા અને ભ્રષ્ટાચારથી મુક્ત વહીવટ કરવાને અગ્રતા આપશે, તેવી અપેક્ષા નગરજનોને હશે, અને તેવી જ અપેક્ષા સિક્કા નગરપાલિકાના નવા શાસકો પાસેથી ત્યાંના નગરજનોને રહેશે. લોકોના મન જીતવાની આ સોનેરી તક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
યાત્રાધામ દ્વારકાની છેલ્લા બે દાયકામાં કાયાપલટ થઈ ગઈ છે. પ્રવાસન નિગમ, યાત્રાધામ વિકાસબોર્ડ અને રાજ્ય-કેન્દ્ર સરકારો દ્વારા યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર સહિતના હાલારના યાત્રાધામો, પવિત્ર ધામો અને નાના-મોટા તીર્થસ્થળોના વિકાસ, યાત્રિકોની સુવિધાઓ તથા વિવિધ મેગા પ્રોજેક્ટો તથા યોજનાઓ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરાયો છે, જેથી આશા એવી હતી કે યાત્રાધામોની સિકલની સાથે સાથે જવાબદાર શાસકો અને તંત્રોની માનસિક્તા પણ બદલાઈ ગઈ હશે, પરંતુ કમભાગ્યે તેવું કાંઈ થયું હોય તેેમ જણાતું નથી, અને 'હોતી હૈ ચલતી હૈ'ની માનસિક્તા તથા જવાબદારીઓની ફેંકાફેંકી કરવાની સરકારની મનોવૃત્તિ હજુ બદલી જ નથી, પણ યાત્રિકો, પ્રવાસીઓ, મુલાકાતીઓ, દર્શનાર્થીઓની મૂળભૂત વ્યવસ્થાઓ હંમેશાં અવિશ્વસનિય, અણઘડ અને બોદી જ રહેે છે. કેટલાક અપવાદોનેે બાદ કરતા દાયકાઓ જુની રીઢી માનસિક્તાઓ હજુ બદલી જ નથી, જેથી અવારનવાર અનિચ્છિનિય ઘટનાઓ તથા દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.
યાત્રાધામ દ્વારકામાં ગોમતી સ્નાન કરતા બે યુવાનો તણાયા અને એક યુવકનો જીવ ગયો, તે ઘટના સ્થાનિક શાસકો, તંત્રો અને અહીં સ્નાનાર્થે તથા દર્શનાર્થે આવતા યાત્રિકો-દર્શનાર્થીઓ માટે પણ આંખ ઉઘાડનારી છે. આ પ્રકારની દુર્ઘટના થયા પછી થોડી-ઘણી સાવચેતીઓ રખાય, વ્યવસ્થાઓ સુધારાય, અને 'જૈસે થે' થઈ જતું હોય છે.આ જ સ્થળે અવારનવાર સ્નાન કરવા જતા ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટના આ પહેલા પણ ઘણી વખત બની હોવા છતાં અહીં રાઉન્ડ ધ ક્લોક રેસક્યુ ટીમ કે તરવૈયાઓની વ્યવસ્થા પણ જો થઈ શકતી ન હોય, તો મોટા મોટા સુશોભિત સંકુલો અને રૂડા-રૂપાળા ઝળહળતા સ્થળો સહિત વિકાસના માચડા ઊભા કરવાનો કોઈ અર્થ ખરો?
યાત્રાધામ દ્વારકામાં ગોમતીજીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ગંગા-યમુના-નર્મદા સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને કેટલાક તહેવારો-ધાર્મિક પ્રવૃત્તિઓના સમયે ગોમતી સ્નાનનું વિશેષ મહાત્મય હોવાથી અહીં બારેય માસ મોટી સંખ્યામાં યાત્રિકો સ્નાન માટે આવતા હોય, ત્યારે દરિયા સાથે જોડાયેલા ગોમતીજી અને દરિયાના સંગમ સ્થળ સહિત ગોમતીજીના તમામ ઘાટો તથા સંલગ્ન દરિયા કિનારે યાત્રિકો-સ્નાનાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે કાયમી અને રાઉન્ડ ધ ક્લોક સંપૂર્ણ વ્યવસ્થાઓ અનિવાર્ય છે.
ગોમતીજીના કાંઠે સ્નાન કરવા જતા લોકોએ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે અન્ય યાત્રાધામોની એક તરફ જ વહેતી નદીઓ જેવું દ્વારકાની ગોમતી નદીનું વહેણ નથી. અહિં દરિયાની ભરતી અને ઓટ સીધી અસર કરતી હોવાથી અહીં ભલભલા તરવૈયાઓની તણાઈ જવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે, તેથી અહીં પવિત્ર સ્નાન શાંતિથી અને સલામત રીતે કરીને નીકળી જવાનું સલામત રહે છે, અને તે દરમિયાન ગોમતી કાંઠાના છીછરા પાણીમાંસ્નાન કરવું વધુ હિતાવહ રહે છે. અહીં લાંબી સાંકળોની વધુ વ્યવસ્થા કરીને ફ્લોટીંગ બાઉન્ડ્રી બાંધવી જરૂરી છે, જેથી ભરતી અને ઓટ વખતે તે સ્થિતિ સ્થાપક બાઉન્ડ્રીને નાની-મોટી કરીને યાત્રિકોની સુરક્ષા અને સલામતિ વધુ સુનિશ્ચિત કરી શકાય.
થોડા વર્ષો પહેલા ગોમતીકાંઠે તથા દરિયાકાંઠે સલામતિ-સુરક્ષા માટે વધુ કાળજી લેવાતી હતી અને ગોમતીઘાટો પાસે લાંબી ફ્લોટીંગ સાંકળો પકડીને સ્નાનની વ્યવસ્થા વધુ વિસ્તારવાની વાતો થઈ હતી, પરંતુ 'માનસિક્તા'ના પ્રભાવ હેઠળ ફરીથી 'જૈસે થે' થઈ ગયું અને બેદરકારી વધી ગઈ હોય તેમ જણાય છે.
ગોમતીકાંઠે સ્નાન પછી મહિલાઓ વસ્ત્ર ચેઈન્જ કરી શકે (કપડા બદલી શકે) તે માટેની સુવિધાઓ વિસ્તારવાની વાતો પણ થઈ હતી, તે ઉપરાંત સેનિટેશન, ઠેર-ઠેર પીવાનું શુદ્ધ પાણી અને માર્ગદર્શન કેન્દ્રોની વાતો થઈ હતી, પરંતુ ઠેર-ઠેર તેવું કાંઈ થયું નહીં અને હવે તો બધું જ મોંઘા ભાવે 'વેંચાતું' લેવું પડે તેવી હાલત થઈ ગઈ હોવાની ફરિયાદો ઊઠતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦રપ માં જૂન મહિનામાં પણ સાત લોકો ડૂબ્યા હતાં અને ર૧ મી મે ના દિવસે ત્રણ તીર્થયાત્રીઓ ડૂબવા લાગ્યા હતાં, જેમાંથી કેટલાક કમભાગી યાત્રિકોના મૃત્યુ પણ થયા હતાં, અને તે સમયે પણ અહીં ર૪ કલાક રેસ્ક્યુ ટીમોની માગણી ઊઠી હતી અને જોખમી ઢબે સ્નાન કરવા જતા યાત્રિકોને ચેતવવા અથવા અટકાવવા માત્ર બોર્ડ લગાવીને કે સૂચનાઓ આપવાના બદલે ગોમતીકાંઠે સંભળાય તેવી રીતે પી.એ. (પબ્લિક એડ્રેસ) સિસ્ટમથી સતત સૂચનાઓ પ્રસારિત થતી રહે, ગોમતીજીમાં સાંકળો બિછાવીને બાઉન્ડ્રીમાં જ સાંકળ પકડીને યાત્રિકો સ્નાન કરે, તેવી ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવા અને જોખમી સ્નાન અટકાવવા સતત પહેરો ગોઠવવાની જરૂર જણાવાઈ રહી છે.
દ્વારકાની દુર્ઘટનાઓ તથા અન્ય નદી-જળાશયો-તળાવો-સરોવરો-નહેરો કે દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ માટે કોને જવાબદાર ગણવા, તેવો પ્રશ્ન કાયમ ઊઠતો રહે છે. સંબંધિત શાસકો આ માટે બહુ ગંભીર નથી, તંત્રો પરિપત્રો કે ગાઈડલાઈન્સ જાહેર કરીને અને બહુ બહુ તો ચેતવણીના બોર્ડ લગાવીને કે જાહેરનામા પ્રસિદ્ધ કરીને સંતોષ માને છે અને ડૂબનારા લોકો પૈકી મોટાભાગના લોકો પોતે જ પૂરતી કાળજી રાખતા નથી અને ચેતવણીઓને અવગણે છે. ઊંડા પાણીમાં નહાવા જતા અટકાવનાર જવાનો સાથે તકરારો પણ ઘણાં લોકો કરતા જોવા મળે છે. હકીકતે તે યોગ્ય નથી, તો ફરજ પરના જવાનોએ પણ યાત્રિકો-દર્શનાર્થીઓ સાથે સંયમિત અને શિસ્તબદ્ધ રીતે વર્તતા અન્ય સાથીદારોને અનુસરવું જોઈએ. એકંદરે આ સહિયારી જવાબદારીઓ છે, પરંતુ કોઈ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર જ નથી!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે ભારતમાં વિક્રમ સંવત મુજબ અધિક મહિનો ચાલી રહ્યો છે, જેને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. અધિક મહિનો પવિત્ર ધર્મકાર્યો અને દાન-પુણ્ય ઉપરાંત પડકારરૂપ પણ હોવાનું કહેવાય છે. અધિક મહિનાને લઈને ઘણી માન્યતાઓ, કથાઓ અને રિવાજો પ્રચલીત છે, તો અધિક મહિનાનેે સાંકળીને 'દુષ્કાળમાં અધિક માસ' જેવી કહેવતો પણ ઘણી છે.
એક તરફ આ વર્ષે અલનીનોના કારણે ચોમાસું નબળું જશે, તેવી આગાહીઓ થઈ રહી છે, તો બીજી તરફ ઈન્ડિયન ઓશન પોલના કારણે ભારતમાં અલનીનોની અસર ઓછી થશે, તેવો આશાવાદ પણ જણાવાઈ રહ્યો છે.
'દુષ્કાળમાં અધિક માસ'ની કહેવતની જેમ જ વૈશ્વિક ઉથલપાથલો વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે હવે મહાયુદ્ધના મંડાણ ફરીથી થાય, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મૂળ જેના કારણે યુદ્ધમાં અમેરિકા ધકેલાયું, તે ઈઝરાયલ હવે બાજુ પર રહી ગયું છે અને અમેરિકા-ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધની બુનિયાદ બનશે કે કેમ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
આ મુદ્દે વૈશ્વિક વિશ્લેષકો, ગ્લોબલ મીડિયા અને તદ્વિષયક નિષ્ણાતો વચ્ચે મત-મતાંતરો છે. કોઈ એમ કહે છે કે બદલાયેલા સંજોગોમાં અને ચીન-રશિયા સાથે ટ્રમ્પના થોડા બદલાયેલા વલણો જોતા ત્રીજુ વિશ્વયુદ્ધ જ ફાટી નીકળે તેવી સંભાવના થોડી ઘટી રહી છે અને ઈરાન-અમેરિકા વચ્ચે લિમિટેડ (વિશ્વયુદ્ધ નહીં, પરંતુ દ્વિપક્ષીય) મહાયુદ્ધની સંભાવના ઊભી થવા લાગી છે. ટ્રમ્પની ચીનની મુલાકાત પછી તાઈવાનને લઈને તેના બદલેલા સૂર જોતા એવું લાગે છે કે, રશિયા-ચીન અને અમેરિકા હવે પરસ્પર ટકરાવાના બદલે પોતપોતાના દેશો તથા ટ્રમ્પ પોતાના કેટલાક 'ગુપ્ત' હિતોને પ્રાથમિક્તા આપી રહેલા દેખાય છે. યુક્રેને રશિયા પર આક્રમક હુમલો કર્યા પછી રશિયા-યુક્રેન યુદ્ધ પણ હવે પુનઃ વેગ પકડશે, તેવું જણાય છે, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે પણ બેકચેનલ વાટાઘાટો ચાલી રહેલી હોવાના અહેવાલો પછી વૈશ્વિક સમિકરણો ધળમૂળથી બદલાઈ રહ્યા હોય તેમ જણાય છે. પાકિસ્તાને બલુચિસ્તાન લગભગ ગુમાવી જ દીધુ છે, અને પાકિસ્તાનની સેનાનું બલુચિસ્તાન પર ઘણું જ ઓછું નિયંત્રણ રહ્યું છે, તેવા અહેવાલો છે. આ તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે પણ સંઘર્ષ વધી રહ્યો છે, અને ઈઝરાયલ-લેબનોનની સરકારો વચ્ચે સમજુતિ છતાં ઈઝરાયલે હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રાખ્યા છે. આ બધા ઘટનાક્રમો દુનિયાને એક અલગ જ પ્રકારના વર્લ્ડ ઓર્ડર અથવા વૈશ્વિક સમિકરણો તરફ લઈ જાય છે. ટ્રમ્પે લાલ ટોપી પહેરીને કોઈ કડક સંદેશ આપ્યો હોવાનો એ.આઈ. વીડિયો જાહેર થયો તેને પેન્ટાગોન દ્વારા ગૂપચૂપ થઈ રહેલી તૈયારીઓ જોતા એવું જણાય છે કે ઈરાનને મસળી નાખવા અમેરિકા બહુલક્ષી અને વ્યાપક પ્લાન બનાવી રહ્યું છે, તો બીજી તરફ ઈરાને પણ ચેેતવણી આપી દીધી છે કે જો અમેરિકા ફરીથી હુમલા કરશે, તો ઈરાન મિડલ-ઈસ્ટના અમેરિકાના ઠેકાણા અને ટ્રમ્પના મિત્રો (મિત્રદેશો) પર ભિષણ હુમલા કરીને જડબાતોડ જવાબ આપશે.
જો ઈરાન અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળે તો અમેરિકા ઈરાન પાસે રહેલા યુરેનિયમને ટાર્ગેટ બનાવે તો અભૂતપૂર્વ વિનાશ સર્જાય અથવા અમેરિકા યુરેનિયમનો જથ્થો જપ્ત કરવામાં સક્ષમ થાય તો પણ ઈરાન મરણિયા પ્રયાસ તરીકે તેની અડોશ-પડોશના અમેરિકન ઠેકાણા, અમેરિકાએ કરેલી નાકાબંધીના જહાજો અને ખાસ કરીને અમેરિકાના મિત્ર દેશો પર હુમલા કરે તો આ મહાયુદ્ધ કોઈ પણ દિશામાં ફંટાઈ શકે છે, અને તેના પરિણામે આખી દુનિયામાં અફરા-તફરી ફેલાઈ શકે છે. નવા સમિકરણો મુજબ અત્યારે દુનિયાના દેશો ત્રણ ભાગમાં વહેંચાઈ રહ્યા છે, અને તે પૈકી ભારત સહિતના કેટલાક તટસ્થ ગણાતા દેશોની ભૂમિકા પણ તે સમયે મહત્ત્વની બનવાની છે.
સંકટના સમયમાં પડખે ઊભા રહેલા દેશો પોતાના સ્વાર્થે મોઢું ફેરવી લેશ, ત્યારે કેવી સ્થિતિ ઊભી થશે, તેની કલ્પના પણ કંપાવનારી છે, અને આ દરમિયાન ચીન તાઈવાનને ગળી જાય, ભારત પી.ઓ.કે. પાછું મેળવવાના પ્રયાસો કરે કે રશિયા યુક્રેનને મહાત કરવા કોઈ નવો દાવ ખેલે તથા અફઘાનિસ્તાનની તાલીબાનની સરકાર પાકિસ્તાન સરહદો પર દ્વિપક્ષીય વિવાદાસ્પદ સ્થળો મેળવવાની કોશિશ કરે, બીજી તરફ ઈઝરાયલ-હિઝબુલ્લા, હુતી ઉપરાંત હમાસને પરાસ્ત કરવા અને અમેરિકા ગાઝાપટ્ટી સહિતના વિશ્વના નાના-મોટા સરહદી વિવાદો ધરાવતા દેશો કે વેનેઝુએલા જેવા આર્થિક રીતે ફળદાયી પૂરવાર થાય, તેવા દેશો પર કબજો જમાવવાનો પ્રયાસ કરે તો સેેમિ વિશ્વયુદ્ધ, ભીષણ ખંડિય યુદ્ધો કેે પછી પૂર્ણકક્ષાના વિશ્વયુદ્ધની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં જો બન્ને તરફથી ભીષણ પ્રહારો થાય તો મીડલ-ઈસ્ટમાં ભારે તબાહી મચી જાય, અને સમૃદ્ધ યુરેનિયમ પર ખતરો જણાય, ત્યાર જો ઈરાન છેલ્લા પ્રહાર તરીકે હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ તળિયેથી પસાર થતી ઈન્ટરનેશનલ મહત્ત્વપૂર્ણ કેબલોના નેટવર્કને જ ખતમ કરી નાખે તો દુનિયાના મોટાભાગના દશોમાં ઈન્ટરનેટ ધીમુ પડી જાય, ડિજિટલ વ્યવસ્થાઓ ખોરવાઈ જાય અને સંદેશાવ્યવહારની સુવિધાઓ વેર-વિખેર થઈ જાય, તેવું બની શકે છે, અને એવું બને તો અડધી કે તેથી વધુ દુનિયા ૧૮ મી સદી જેવી સ્થિતિમાં પહોંચી શકે છે, કારણ કે અત્યારની દુનિયા પેટ્રોલ-ડીઝલ, ગેસ, ઊર્જા, સંદેશાવ્યવહાર, ઈન્ટરનેટ અન અદ્યતન ટ્રાન્સપોર્ટેશન-ટ્રાવેલીંગ પર જીવી રહી છે, અનેે આ બધું ખોરવાઈ જાય તો ૧૮ મી સદી કરતાયે વધુ પાછળ દુનિયા ધકેલાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવો વધ્યા પછી હવે એલપીજી અને પીએનજીમાં પણ ભાવવધારો થવાની સંભાવનાઓ વધી રહી છે, જો કે રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગમાં કદાચ બહુ વધારો હાલતુરત નહી થાય, પરંતુ જો પ. એશિયામાં તંગદિલી વધે અને હોર્મુઝ બંધ જ રહે તો તમામ પ્રકારના ઈંધણની તીવ્ર વૈશ્વિક તંગી લાંબાગાળે અણકલ્પ્ય સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, અને તેથી જ ચેતતા નર સદા સુખી...
એક ઠંડાપીણાની એડમાં 'જોરોં કા ધક્કા ધીરે સે લગે...' જેવા કાંઈક શબ્દપ્રયોગો કરાયા છે, અને અત્યારે સરકાર કાંઈક એવું જ કરી રહી છે. પેટ્રોલિયમ પદાર્થોના ભાવોમાં ધીમે ધીમે વધારો કરાશે જેથી જનતાને એક સાથે 'જોરોં કા ધક્કા' લાગે નહીં અને ક્રમશઃ ભાવ વધારાની સાથે સાથે પુરવઠો જાળવી રાખવા માટે કરકસર કરવાને જનઆંદોલનનું સ્વરૂપ આપીને એકંદરે ડિમાન્ડમાં ક્રમશઃ ઘટાડો આવે, તેવી રણનીતિ અપનાવાઈ રહી છે.
વડાપ્રધાનની અપીલને માન આપીનેે ઘણી રાજ્ય સરકારોએ કોમન પુલની સિસ્ટમ અપનાવવા તથા પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવાની જાહેરાતો કરી છે તથા સુરક્ષા કાફલાઓમાં કાપ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે પણ અનુસંધાન લીધુ છે, તો મિટિંગો, સેમિનારો અને મેળાવડાઓના સ્થાને વર્ચ્યુલ બેઠકો, વેબિનારો તથા ઓનલાઈન ગેધરીંગના કોરાનાકાળના અનુભવોને દોહરાવાઈ રહ્યા છે, અને તે સમયની માગ પણ છે.
સરકાર તરફથી પબ્લિકને કારપુલીંગ કરવા એટલે કે એક જ કારમાં એક દિશામાં જતા પરિવારજનો અવર-જવર કરે અને દ્વિચક્રી તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ ઘટાડે તથા સાર્વજનિક વાહનો અને મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધારે, સિટી બસોમાં સ્થાનિક પરિવહન કરે તે પ્રકારનો અનુરોધ કરાઈ રહ્યો છે, અને જુદા જુદા પ્લેટફોર્મ પરથી વિવિધ મહાનુભાવો દ્વારા અપીલો કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર સહિતના મહાનગરોમાં ઈલેક્ટ્રીક સિટીબસો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવીને દ્વિચક્રી વાહનો તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ ઘટાડવાના શ્રેણીબદ્ધ કદમ ઊઠાવી શકાય તેમ છે. જામનગરમાં ટૂંક સમયમાં રપ નવી ઈલેક્ટ્રીક સિટીબસો ફરતી થશે, તેવી જાહેરાત પણ થઈ છે અને આ બસોનું સંચાલન જનમાર્ગ ફાઉન્ડેશન કરશેે. આ ફાઉન્ડેશનમાં મહાનગરપાલિકા તથા જિલ્લા તંત્રના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. પી.એમ-ઈ બસ પ્રોજેક્ટ હેઠળ મળનારી પ૦ ઈલેક્ટ્રીક બસો નગરમાં દોડતી થશે, તેવી જાહેરાત પણ થઈ છે, ત્યારે સિટીબસો તરફ ટ્રાફિક વળે અને ખાસ કરીને પોતાના દ્વિચક્રી વાહનો જ્યાં ફોરવ્હીલરના વિકલ્પે તમામ લોકો સિટીબસોનો ઉપયોગ કરતા થાય તે માટે પણ ચોક્કસ પોલિસી ઘડવી પડે તેમ છે.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સંપન્ન થઈ છે, અને નવા પદાધિકારીઓ સત્તા સંભાળનારા છે, ત્યારે પ્રારંભમાં વર્તમાન ગ્લોબલ ક્રાઈસીસને લક્ષ્યમાં લઈને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા થોડાક મહિનાઓ માટે ફ્રી ઈલેક્ટ્રીક બસ સેવાનો નગરવ્યાપી પ્રયોગ કરવા જેવો છે. તે પછી પણ મહિલાઓ માટે ફ્રી તથા વિદ્યાર્થીઓ-નોકરિયાતો માટે કન્સેસન (નજીવા દરે) સિટીબસ સેવાની ખૂબ જ નિયમિત તથા સુવિધાજનક અને વિશ્વસનિય સેવાઓ અપાય, તો તે બહુહેતુક પૂરવાર થઈ શકે છે.
જામનગર સહિત રાજ્યના મહાનગરોમાં વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપી ઈલેક્ટ્રીક સિટીબસો દોડાવીને તેમાં ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, પ્રોફેસરો, નેતાઓ પોતાના વાહનોનો આ વૈશ્વિક કટોકટી ખતમ થાય, ત્યાં સુધી ઉપયોગ મોટા પ્રમાણમાં ઘટાડે અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો થતો જાય, તેવી પ્રેરણા આપતા સ્વૈચ્છિક અભિયાનો આદરવા જેવા છે.
જામનગરમાં હાલમાં જે સિટીબસ સેવા ખોડંગાતી ખોડંગાતી ચાલે છે, તેની પાછળ પૂર્વ શાસકોની ઈચ્છાશક્તિનો અભાવ જણાતો હતો, હવે જ્યારે આયોજનપૂર્વક સિટીબસ સેવાનો વિસ્તાર કરાઈ રહ્યો હોય તો નવા શાસકો ઈલેક્ટ્રીક સિટીબસો સમગ્ર શહેરને તથા પડોશી ગામોને આવરી લઈને દોડાવે અને લોકલ પરિવહનને મહત્તમ રિસ્પોન્સ મળે, તેવી આશા સામાન્ય જનતાને જાગી છે, ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં કામ-ધંધો-અભ્યાસ-પારિવારિક સામાજિક અને વ્ય્વહારિક કામે પોતાના દ્વિચક્રી વાહનો તથા ફોરવ્હીલર્સનો ઉપયોગ કરતા લોકો પણ આ સિટીબસોમાં જ હાલતુરત પ્રવાસ કરેે અને પેટ્રોલ-ડીઝલની, સીએનજીની બચત થાય, તેવું અભિયાન આદરીને તેની શરૂઆત શાસક પક્ષોના નેતાઓ-કાર્યકરોથી જ થાય, તો તે આવકારદાયક છે. જો એવું થશે તો ડ્રામેબાજી અને દંભ થઈ રહ્યો હોવાના આક્ષેપોનો જવાબ પણ આપી શકાશે, પણ...?!
એવું કહેવાય છે કે જામનગરમાં સિટીબસો ખોટમાં ચાલે છે અને કરાર મુજબ કોન્ટ્રાક્ટરને નિયત કરેલી રકમ દર મહિને ચૂકવાતી જ હશે. હાલમાં તો આમ પણ મોટાભાગે નિષ્ફળ ગયેલી સિટીબસ સેવાની કોન્ટ્રાક્ટ બેઈઝ વ્યવસ્થાના સ્થાને વિસ્તૃત અને ઓર્ગેનાઈઝ્ડ સિટી બસ સેવા ચાલુ થાય, તો તે આવકારદાયક જ રહેશે.
જો કે, સિટીબસોના પ્રારંભે તેના તરફ લોકોને વાળવાનો મોટો પડકાર રહેવાનો છે, કારણ કે શહેરમાં ઓટો રિક્ષાઓ પણ દોડે છે, તેથી તેઓના હિતો જાળવીને ઈલેક્ટ્રીક રિક્ષાઓનું પ્રમાણ વધારવાની પોલિસી પણ અલગથી નક્કી કરવી પડે તેમ છે.
સિટીબસો તરફ લોકોને વાળવા દાયકાઓ પહેલા હતી તેવી સમયબદ્ધ અને નિયમિત સિટીબસ સેવાઓ એસ.ટી. નેટવર્કની જેમ જ શરૂ કરવી પડશે અને તેની નિયમિત સમીક્ષા તથા સ્ટેક હોલ્ડર્સ, પ્રવાસીઓ તથા ખાસ કરીને બુદ્ધિજીવી વર્ગ, ગરીબ-મધ્યમ વર્ગો સહિત નગરજનોના પ્રતિાવો તથા સૂચનો સરળતાથી મેળવીને તેના આધારે સુધારા-વધારા કરતા રહેવા જરૂરી બનવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે જુની ફિલ્મો તથા તદ્વિષયક અર્વાચીન ધાર્મિક સિરિયલોમાં રાવણ, કંસ, હિરણકશ્યપુ, મહિષાસુર જેવા રાક્ષસોને અટ્ટહાસ્ય કરતા, પોતાને સર્વાધિક શક્તિશાળી અને અન્યોને તુચ્છ માનતા તથા અત્યંત અહંકાર અને આડંબરમાં પોતાને જ છેતરતા જોયા હશે. આજના યુગમાં પણ આ જ પ્રકારના કેટલાક આસૂરી મનોવૃત્તિના તૂંડમિજાજીઓ મોજુદ છે. દુનિયામાં હલચલ મચી જાય અને શાંતિના આંચળા હેઠળ વૈશ્વિક અશાંતિ ફેલાય જાય અને તેના આવરણ હેઠળ પોતાનો ઉલ્લુ સીધા થઈ જાય તેવા પ્રયાસો કરતા કેટલાક દેશોના દિગ્ગજોને જ્યારે સણસણતો તમાચો પડે કે ઘમંડ ઉતરી જાય, તેવી ઘટનાઓ બને, ત્યારે આ પ્રકારની માનસિક્તા ધરાવતા તાનાશાહો રાતોરાત કાચીંડાને પણ શરમાવે તેવી રીતે બદલતા જોવા મળતા હોય છે. આ પ્રકારના 'દિગ્ગજો' બીજા દેશોમાં જ છે, તેવું નથી, આપણા દેશમાં પણ સિંહનું મહોરૂ પહેરીને ફરતા કેટલાક નિશાળીયા મોજુદ છે, અને તે માત્ર રાજકીય નહીં, અન્ય સેક્ટર્સમાં પણ બુઠ્ઠી તલવાર લઈને ફાંકેબાજી કરતા ફરી રહ્યા છે. આ પ્રકારના દિગ્ગજો દરેક કક્ષાએ, દરેક સંગઠનો અને પક્ષ-પાર્ટી-સંસ્થાઓમાં હોય છે, અને તે સૌ કોઈ જાણે જ છે.
અમેરિકાને અર્વાચીન લોકતાંત્રિક વ્ય્વસ્થાઓમાં સૌથી જુનો લોકતાંત્રિક દેશ ગણવામાં આવે છે અને તેને અત્યારે મહાસત્તા પણ કહેવામાં આવે છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ દેશોમાં અમેરિકા અગ્રીમ ગણાય છે અનેે વિશ્વમાં મુખ્યત્વે વ્યાપારનું ચલણ અમેરિકા ડોલર હોવાથી અમેરિકાનો વિશ્વવ્યાપી પ્રભાવ પણ છે. આ કારણે જ અમેરિકાના રાષ્ટ્રપતિની પ્રત્યેક નીતિઓ (પોલિસીઓ) ની અસર આખી દુનિય પર પડતી હોય છે. આ કારણેે જ અમેરિકાના પ્રવર્તમાન રાષ્ટ્રપતિની 'હરકતો'ના કારણે આખી દુનિયામાં આજે અસ્થિરતા, અનિશ્ચિતતાઓ, અવિશ્વાસ, અરાજક્તા, અંધાધૂંધી, અશાંતિ અનેે આક્રોશનો માહોલ સર્જાયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઘરઆંગણે જ ઈઝરાયલના ચારે ચડીને યુદ્ધ વહોરી લેવાની ટીકા થઈ રહી છે, તો મોંઘવારી અનેે આર્થિક ઉથલ-પાથલો ઉપરાંત કાનૂની ક્ષેત્રે પણ પછડાટો ખાધા પછી અને પોકળ પાકિસ્તાનને પ્યાદુ બનાવીને ઈરાનનેે પટાવવાનો પ્રયાસ પણ નિષ્ફળ ગયા પછી ટ્રમ્પને સમજાયું છે કે પાકિસ્તાનથી ઈરાન માને તેમ નથી, પરંતુ પાકિસ્તાન પણ ડબલ ઢોલકી વગાડીને અંદરપેટે ઈરાનને સપોર્ટ કરી રહ્યું છે, તેથી હવે ઈરાનને 'મેનેજ' કરવા ટ્રમ્પ ચીન પહોંચીને જીનપીંગની જી હજુરી કરવા લાગ્યા છે. બીજી તરફ તાઈવાનના મુદ્દે ચીને તમાચો ઝીંકી દીધો હોવાના અહેવાલો પછી ટ્રમ્પ મજાકનું પાત્ર પણ બની ગયા હોય તેમ જણાય છે.
અમેરિકા-ઈરાન વચ્ચે સુલેહ કરાવવાનું તો દૂર રહ્યું, આ પ્રકારની સ્થિતિમાંથી પોતાના દેશને માંડ માંડ સંભાળવામાં ઘણાં દેશોના વડાઓ વ્યસ્ત છે, ત્યારે પાકિસ્તાનને પડતું મૂકીને ટ્રમ્પ ચીન પહોંચ્યા છે, તો બીજી તરફ ભારતમાં બ્રિક્સના સભ્યદેશોના મંત્રીઓની ગૂફ્તેગો પણ થઈ રહી છે, જે ઘણી જ સૂચક છે.
સંયુક્ત નિવેદનમાં ભલે ચીને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો કબજો અયોગ્ય ઠેરવ્યો હોય અને પરમાણુ શસ્ત્રોના મુદ્દે ટ્રમ્પના સૂરમાં સૂર પુરાવ્યો હોય, તો પણ 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'ની નારેબાજી વચ્ચે ચીને ભારતની પીઠમાં છૂરો ભોંક્યો હતો,તે ઈતિહાસ ભૂલાયો નથી, તેથી ટ્રમ્પ પાણી પણ કદાચ ફૂંકી ફૂંકીને પીતા હશે, પરંતુ ગુજરાતમાં કહેવત છે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે... જો કે, ટ્રમ્પ અને જીનપીંગમાં 'બાપ' કોને ગણવા તે પણ એક કોયડો જ છે ને?
અમેરિકામાં ટ્રમ્પ લોકતાંત્રિક તાનાશાહી ચલાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો ભારતમાં પણ તેવા જ આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં વડાપ્રધાન અને એક કેબિનેટ મંત્રી જે નક્કી કરે તે જ થાય, અને વિપક્ષના નેતા માત્ર શોભાના ગાંઠિયા બની રહે, તેવી વ્યવસ્થાના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પણ ચાલુ સુનાવણીએ થયેલી ટિકા-ટિપ્પણીએ દેશમાં ચર્ચાનો વિષય બની છે, જો કે અંતિમ સુનાવણી પછી કદાચ આ મુદ્દો સુપ્રિમ કોર્ટની લાર્જર બંધારણીય બેન્ચમાં જશે, પરંતુ વિશ્વના લોકતાંત્રિક દેશોમાં જો તાનાશાહીની માનસિક્તા પનપી રહી હોય તો તે સારા એંધાણ નથી.
ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી વિશ્વભરમાં ઈંધણની તંગી સર્જાતા તેની માઠી અસરો પડી રહી છે, અને ચૂંટણીઓના કારણે થયેલા વિલંબ પછી ભારતમાં પણ હવે સરકારી કંપનીઓની 'ખોટ' ઘટાડવા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવોમાં વધારો ઝીંકી જ દેવાયો છે, ત્યારે હવે મોંઘવારીનો વિસ્ફોટ થવાનો છે. જે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નેતૃત્વની નાકામયાબી અને અશાંતિના અસૂરોના અટ્ટહાસ્ય જેવી સ્થિતિ બતાવે છે. આ તો હજી શરૂઆત છે... હજુ તો ઘણું બધું સહન કરવું પડશે તેથી ચીન-અમેરિકાની ભાઈબંધી પણ જો હોર્મુઝ ખુલ્લુ કરાવી શકતી હોય તો તેને વૈશ્વિક સમર્થન મળવું જોઈએ.
આજે સવારથી ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં લિટરે ત્રણ રૂપિયા જેટલો અને સીએનજીમાં કિલે બે રૂપિયા જેવો ભાવવધારો ઝીંકી દેવાયા પછી મોદી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.
કોંગ્રેસે 'મહંગાઈમેન' ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કરતા કહ્યું કે તેમણે દેશની જનતા પર મોંઘવારીનું હંટર ચલાવ્યું છે, તો અન્ય વિપક્ષોએ પણ મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. દેશવાસીઓને વિદેશ પ્રવાસો ઘટાડવાની સલાહ આપીને પોતે જ વિદેશ પ્રવાસે ઉપડી ગયા હોવાની વ્યંગવાણી પણ પડઘાઈ રહી છે, તો પબ્લિકમાં પણ ઈંધણના ભાવવધારાને કારણે તમામ ચીજોના ભાવો વધશે, તેની ચિંતાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુજરાતનું સૌ પ્રથમ ગુજરાતી સાંધ્ય દૈનિક 'નોબત' નવા અને અદ્યતન રૂપરંગ તથા દૃશ્ય-શ્રાવ્ય સ્વરૂપો સહિત પ્રવર્તમાન યુગને અનુરૂપ પૂરક સેવાઓ સાથે શાનદાર સીત્તેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે, જેનું માત્ર અમને જ નહીં, નોબતના પ્રિય વાચકો અને દુનિયાભરમાં પથરાયેલા હાલારીઓને પણ ગૌરવ છે. આ અવસર અમારા માટે નવી પ્રેરણા, નવો જુસ્સો અને નવા આયામો સાથે પ્રગતિની હરણફાળ ભરવા માટે પ્રેરક છે. આ શુભ અવસરે નોબત પરિવાર અને માધવાણી પરિવાર ૭૦ વર્ષની સફરમાં સહયોગી બનનાર સૌ કોઈનો આભારી છે.
આજે 'નોબત'માં નાનામાં નાના ગામડાથી માંડીને દેશ-દુનિયાના તમામ સમાચારો અને તાજમાં તાજુ અપડેટ વાચકોને અખબાર, ઈ-પેપર અને બ્રેકીંગ ન્યૂઝ મારફત તો પીરસે જ છે, પરંતુ તેની સાથે સાથે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી પણ નિયમિત રીતે પ્રસ્તુત કરે છે.
હાલારમાં દાયકાઓથી 'નોબત-સાંજની સોબત' એ કહેવત પ્રચલિત છે. આજે પણ એવા ઘણાં બધા લોકો છે, જેઓ જ્યાં સુધી 'નોબત' વાચી ન લ્યે, ત્યાં સુધી તેઓને ચેન પડતું નથી. આ પ્રકારના પ્રતિભાવો વાચકો વિવિધ માધ્યમો દ્વારા અમારા સુધી જ્યારે પહોંચાડે છે, ત્યારે અમને ગૌરવ સાથે કાર્યસંતોષ (જોબ સેટીસફેક્શન) થતું હોય છે.
વર્ષ ૧૯પ૬ થી શરૂ થયેલી યાત્રા અત્યારે સાત દાયકા પૂર્ણ કરી રહી છે, ત્યારે તેની બુનિયાદમાં 'નોબત'ના આદ્યસ્થાપક રતિલાલ માધવાણીની દિવસ-રાતની અને દાયકાઓ સુધીની અથાગ મહેનત અને તેની સાથે સમગ્ર માધવાણી પરિવાર તથા નોબતની સાથે પરિવારની જેમ સંકળાયેલા 'નોબત' પરિવારનો પરિશ્રમ પણ સંકળાયેલો છે. આજે માધવાણી પરિવારની ચોથી પેઢી સુધીના વિસ્તરેલા આ સહિયારા પ્રયાસોની ફલશ્રૂતિ જ છે, કે 'નોબત'ને આટલો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, અને પ્રવર્તમાન ઈન્ટરનેટ યુગમાં પણ અદ્યતન આયામો સાથે આ સાંધ્ય દૈનિક તેની વિકાસયાત્રા અવિરત જાળવી રાખી છે, અને હાલારીઓ સહિત દેશ-વિદેશના વાચકો અને વીડિયો સમાચારના દર્શકોનો પ્રેમ સંપાદન કર્યો છે.
'નોબત'ની સ્થાપનાથી આજપર્યંત માત્ર પત્રકારિત્વ કે વિશેષ લેખમાળાઓ જ નહીં, પરંતુ સામૂહિક સેવાઓ, જનજાગૃતિ, સેવાયજ્ઞો અને લોકશિક્ષણ તથા જરૂર પડ્યે દાનની સરવાણી વહાવીને 'નોબત' પરિવારે હંમેશાં, જનસેવાને પ્રભુસેવા માનીને દુષ્કાળ, રોગચાળો, કોરોનાકાળ અને દાયકાઓ પહેલાના યુદ્ધોના સમયગાળામાં પણ લોકસેવાની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં સહયોગ આપ્યો છે. અન્યાય, લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતો માટે અવાજ ઊઠાવ્યો છે. સારી અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી છે અને સમાજ સુધારણા, નવા અભિગમો તથા અભિયાનોનું હંમેશાં સમર્થન કર્યું છે. સમાજવિરોધી, દેશવિરોધી કે માનવતા વિરોધી પ્રવૃત્તિઓને વખોડવા તથા તેની સામે અવાજ ઊઠાવવામાં કોઈનીયે શેહશરમ રાખી નથી.
જેમ ફળદ્રુપ જમીનમાં એક દાણો વાવીએ અને હજાર દાણા ઉગી નીકળે, તેમ 'નોબત'ના પ્રત્યેક સમાચારો, લેખો, તંત્રીલેખો અને વિજ્ઞાપનો પણ માત્ર અખબારો જ નહીં, પરંતુ બ્રેકીંગ ન્યૂઝ, વ્હોટ્સએપ ગ્રુપ સેવા, યુ-ટ્યુબ વીડિયો સમાચાર અને સોશિયલ મીડિયાના લગભગ તમામ પ્લેટફોર્મ દ્વારા માત્ર હાલાર નહીં, દેશ-દુનિયામાં ફેલાય જાય છે. 'નોબત'નું ઈ-પેપર સાંજે મૂકાય, ત્યાં સુધી દેશ-વિદેશમાં રાહ જોવાતી હોવાના ફીડબેક પણ અમને મળે છે, જેથી અમન વધુ ને વધુ ઝડપી, સચોટ અને સર્વગ્રાહી આઉટપુટ આપવાની પ્રેરણા મળે છે. વાચકો અને વિજ્ઞાપનદાતાઓના ફીડબેક અને સૂચનો જ અમારા માટે પથદર્શક અને પ્રેરક પરિબળો છે.
આજે સાત દાયકાની શાનદાર સફળ સફરમાં સહયોગી બનેલા સૌ કોઈને બીરદાવવાનું અમારૂ કર્તવ્ય છે. આજના આ ગૌરવપૂર્ણ દિવસે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર 'નોબત'ના પ્રિય વાચકો, વિજ્ઞાપનદાતાઓ, વિતરકો, એજન્ટો, પ્રતિનિધિઓ, પત્રકારો, કોમ્પ્યુટરરૂમ, મશીન, એડવર્ટાઈઝીંગ, એકાઉન્ટથી લઈને ટેકનિકલ કામકાજ સંભાળતા અમારા સહયોગી સ્ટાફ-મિત્રો, શુભેચ્છકો અને હરહંમેશ અમારી પડખે ઊભા રહેતા અમારા અંતરંગ સ્નેહી-મિત્રો-પરિવારો સહિત સૌ કોઈનો આભાર માનીને અમે સૌ કોઈને ઉજ્જવળ ભવિષ્ય, સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-શાંતિ-સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
નીટ-યુજીનું પેપર લીક થયા પછી દેશભરમાં જેન-ઝેડમાં આક્રોશ છે તો વાલીઓ વિફર્યા છે. પેપરલીકના કારણે પરીક્ષા જ રદ થઈ જાય, ત્યારે પેપરલીકના પાપીઓને તો પનિશમેન્ટ થાય, ત્યારે ખરી, પરંતુ તે પહેલા જ આ પરીક્ષા જેમણે પ્રામાણિક્તાથી અને ઘણી જ મહેનત કરીને આપી હોય, તે લાખો પરીક્ષાર્થીઓને વગર વાંકે સજા થઈ રહી છે, તેથી એવું કહી શકાય કે 'કરે કોઈ અને ભોગવે કોઈ...' તેવી આ સ્થિતિ માટે શાસન-પ્રશાસનની નિષ્ફળતા, બેદરકારી અથવા મિલિભગતના આક્ષપોમાં વજુદ છે.
આ પહેલા જ્યારે જ્યારે પેપરલીકની ઘટનાઓ બની છે, તે સમયે પણ આજની જેમ જ મોટા મોટા દાવાઓ કરાયા હતાં અને પેપરલીક કૌભાંડોના મૂળિયા જ ખતમ કરીને પેપરલીક માફિયાઓને નેસ્તનાબૂદ કરવાની ડંફાસો હંકાઈ હતી, પરંતુ તે પછી પણ નીટ-યુજી જેવી મહત્ત્વપૂર્ણ પરીક્ષાનું પેપર પણ જો સિફતપૂર્વક લીક થઈ જાય અને લાખો રૂપિયામાં અનેક સ્થળે તેનું વેંચાણ થાય, તો તેને સંબંધિત તંત્રોની નિષ્ફળતા ગણવી, મોટા માથાઓની મિલિભગત ગણવી કે પછી 'સબસલામત'નો ઢોલ પીટતા રહેતા શાસકો-પ્રશાસકોની ઘોર નિષ્ફળતા અને બેદરકારી ગણવી, કે પછી આપણાં 'નસીબ' ગણવા, તે જ સમજાતું નથી.
આ દેશવ્યાપી પેપરલીક કૌભાંડની તપાસ સીબીઆઈ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના યુવાનેતા સચિન પાયલોટે આ કૌભાંડની ન્યાયિક તપાસ સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ કે નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને સમિતિ રચીને કરાવવાની જે માગણી ઊઠાવી છે, તેને જેન-ઝેડનું સમર્થન મળી રહ્યું છે. જો સરકારના એટલે કે શાસન-પ્રશાસન તથા સંબંધિત તંત્રોના હાથ ચોખ્ખા હોય અને આ કૌભાંડ માફિયાઓએ જ કર્યું હોય તો ન્યાયિક તપાસ આપવામાં સરકારને કોઈ વાંધો હોવો ન જોઈએ. સીબીઆઈની છાપ સરકારના તોતા તરીકેની હોવાથી પારદર્શક, સચોટ અને પરિણામલક્ષી તપાસ સોંપવી હોય તો તે ન્યાયક્ષેત્રના નેતૃત્વ હેઠળ એસઆઈટી કે સમિતિ રચીને જ સોંપવી જોઈએ તેવો જનમત ઘડાઈ રહ્યો છે.
સીબીઆઈએ મેસેન્જર એપથી નીટ-યુજીનું પેપર મેળવનાર માસ્ટર માઈન્ડને ગઈકાલે દબોચ્યો અને ગેસપેપરના નામે લાખો રૂપિયામાં ઠેર-ઠેર વેંચાયેલા પેપર ખરીદનારા લોકો સહિતના તમામ લોકોની ધરપકડ પણ થશે, પરંતુ અત્યારે તો એનટીએેની આ બેદરકારી સામે રર લાખથી વધુ વિદ્યાર્થીઓ તો ટેન્શનમાં આવી જ ગયા છે.
પ્રામાણિક પરીક્ષાર્થીઓને પોતાની મહેનત પાણીમાં ગઈ તેના વસવસાની સાથે ફરીથી પરીક્ષા આપવા જતી વખતે કેવી તૈયારી હશે, કેવા સંજોગો હશે, કે નવેસરથી લેવાનારૂ પેપર ખૂબ જ અઘરૂ, અટપટુ કે લેન્ધી હશે તો? ફરીથી તો પેપરલીક નહીં થઈ જાય ને? તેવા પ્રશ્નો સાથેનું જે કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે, તેનો ઉકેલ મળી રહ્યો નથી અને આ કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને ટેન્શનના કારણે અન્યાય થશે તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નોનો જવાબ પણ કોઈ પાસે નથી.
દેશભરમાં એવી ચર્ચા છે કે લગભગ દર વર્ષે દેશના કોઈને કોઈ ખૂણથી કોઈને કોઈ પરીક્ષાના પેપરલીક થવાની ઘટનાઓ વધી રહી છે, અને તે પછી પેપર રદ થાય, તપાસ થાય, કેટલીક ધરપકડો થાય, તેમ છતાં આ સીલસીલો અટકતો નથી અને પેપરલીક માફિયાઓનું નેટવર્ક વધુને વધુ મજબૂત થતું હોય તો કોઈને કોઈ મજબૂત પીઠબળ હોવું જ જોઈએ. આ પેપરલીક માફિયાઓને પંપાળનારા કોણ છે? શું પોલીસ અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓ માત્ર માછલીઓ જ પકડી શકે છે અને મગરમચ્છો કોઈ શક્તિશાળી રક્ષાકવચમાં સુરક્ષિત રહી જાય છે? આ ભ્રષ્ટ નેટવર્ક આંતરરાજ્યની સાથે સાથે આંતરપક્ષીય પણ છે? તેવા સવાલો ઊઠે જે કે પેપલીક માફિયાઓની આ ગેંગ અનેક રાજ્યોમાં વિસ્તરી ચૂકી છે અને આજ સુધીના ઈતિહાસમાં પેપરલીક થયા છે, તે પૈકી કેટલાક અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા રાજકીય પક્ષો સત્તામાં છે, તેથી પેપરલીકની ઉધઈ તમામ પ્રકારના શાસનો-પ્રશાસનોને કોરી ખાવા લાગી છે, જેનો કોઈ તોડ પ્રવર્તમાન સરકાર કે સંબંધિત સત્તાવાળાઓ કાઢી શકયા નથી, તેમ કહી શકાય.
પેપરલીક થાય એટલે પરીક્ષા જ રદ્ કરી દેવી એ અંતિમ ઉપાય નથી, અને વ્યવહારૂ પણ નથી, કારણ કે તેમ કરવાથી લાખો પ્રામાણિક અને મહેનતુ પરીક્ષાર્થીઓને અન્યાય થાય છે. મોરલ ડાઉન થાય, ડિપ્રેશન આવે કે કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા આપી ન શકાય, તો તેનું ભવિષ્ય બગડે છે. બીજી તરફ પેપરલીક થયા પછી કોણે કોણે તેનો ઉપયોગ કર્યો છે, તેના સ્પષ્ટ તારણો કાઢવા લગભગ અસંભવ હોવાથી પરીક્ષા રદ્ કરવાનો વિકલ્પ અપનાવાય છે, જો કે હવે આ બદીને દૂર કરવી જ હોય, તો ડાળીઓ કાપ્યે નહીં ચાલે, આ બદીને જડમૂળથી ખતમ જ કરવી પડે તેમ છે. આ માટે પરીક્ષા પદ્ધતિ બદલવી, સિસ્ટમોને ફૂલપ્રૂફ બનાવવી અને પેપરલીક સાથે સંકળાયેલા જવાબદારોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કડકમાં કડક સજા કરીને કાયદાનો પેપરલીક માફિયાઓમાં ડર બેસાડવો વગરે શ્રેણીબદ્ધ કદમ ઊઠાવી શકાય. આ માટે જવાબદાર કે મદદગાર સાગરિતો પૈકી કોઈ ગમે તેટલા મોટા નેતા, અધિકારી કે ઉદ્યોગપતિના નબીરા હોય, તો તેને વિશેષઢબે બંધારણીય મર્યાદામાં સબક શીખવવો જોઈએ.
દેશભરમાંથી આક્રોશ ઊઠ્યા પછી એવા પ્રત્યાઘાતો આવી રહ્યા છે કે એનટીએમાંથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. સુપ્રિમ કોર્ટમાં આજે જ થયેલી અરજીમાં એનટીએનું પુનર્ગઠન કરવા અને હવે પછીની એનટીએની પરીક્ષા ન્યાયિક દેખરેખ હેઠળ લેવાય તેવો આદેશ આપવાની માગણી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાંચેક વર્ષ પહેલા કવિડ-૧૯ નો રોગચાળો ફેલાયો, તે સમયે આપણા દેશમાં લોકડાઉન લગાવાયું હતું, અને જનજીવન જાણે થંભી ગયું હતું. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ તથા સેવાઓ ચાલુ રહી અને સાથે-સાથે વર્ક ફ્રોમ હોય એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠા કામ, મિટિંગો અને વર્ચ્યુલ ફંક્શનો તથા સેમિનારોના બદલે વેબિનારો યોજવાની અદ્યતન પદ્ધતિઓ અપનાવાઈ, તથા ડિજિટલ પેમેન્ટનો યુગ શરૂ થયો હતો. એ પછી ધીમે ધીમે લોકડાઉન હળવું કરાયું અને તબક્કાવાર છૂટછાટો અપાતી ગઈ, જેને અનલોક વન, અનલોક ટુ વગેરે નામો અપાયા એ સમયગાળો સૌને યાદ હશે, જ્યારે લોકડાઉન લાગુ કરતા પહેલા એક દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું હતું, અને તે પછીના દિવસોમાં પરિવહન તથા લોકોની અવર-જવર પર અંકુશ લગાવવા તે સમયની કલમ-૧૪૪ લાગુ કરાઈ હતી, જેન લોકોએ 'સેમિ લોકડાઉન' ગણાવ્યું, અને પછી લોકડાઉન લગાવીને તેને તબક્કાવાર લંબાવાયું હતું અને તબક્કાવાર હટાવાયું હતું.
લોકડાઉન તો વર્તમાન પેઢીને યાદ હશે, પરંતુ આપણા દેશમાં લગભગ છ દાયકા પહેલા સુવર્ણ અંકુશ ધારો લાગુ કરાયો હતો, તે સિનિયર સિટીઝનો પૈકીના ૭૦ થી ૮૦ વર્ષના વયોવૃદ્ધ લોકોને કદાચ ઝાંખો ઝાંખો યાદ હશે, જો કે આર્થિક અને ધાતુ માર્કેટના અનુભવીઓ તથા અભ્યાસુઓને આ મુદ્દાઓ અભ્યાસ કે જી.કે. (સામાન્ય જ્ઞાન) માં જાણવા મળ્યા જ હશે. આ ધારો ભારત-ચીન યુદ્ધ પછી કેન્દ્રિય નાણામંત્રી મોરારજી દેસાઈએ પ્રારંભિક રીતે લાગુ કર્યો હતો, પરંતુ તેના ઉદ્દેશ્યો સિદ્ધ થયા નહોતા.
વર્ષ ૧૯૬ર માં યુદ્ધની કટોકટી સમય તે સમયના કેન્દ્રિય નાણામંત્રી મોરારજીભાઈ દેસાઈએ લગાવેલા સુવર્ણ અંકુશ ધારાનો જે કાયદો સૂચવ્યો હતો, તેને વર્ષ ૧૯૬૮ માં સંસદ દ્વારા વ્યાપક સ્વરૂપમાં લાગુ કર્યો હતો, જેમાં વ્યક્તિગત સોનું સંગ્રહવા પર અંકુશો લગાવાયા હતાં, અને સોનાની દાણચોરી અટકાવવાનો ઉદ્દેશ્ય જણાવાયો હતો. એટલું જ નહીં, ૧૪ કેરેટથી વધુ શુદ્ધતા ધરાવતા સોનાના આભૂષણો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવાતા સોનીઓ માત્ર તૈયાર આભૂષણોની મરામત કે પોલિસ જ કરી શકતા હતાં. બેંકો દ્વારા સોનાના બદલે અપાતી લોન પર કડક પ્રતિબંધો લગાવ્યા હતાં, જો કે આ અધિનિયમ વર્ષ ૧૯૯૦ માં નિરસ્ત (રદ) કરી દેવાયો હતો, જો કે અત્યારે બીઆઈએસ હોલ માર્કીંગ તથા આયાત-વેંચાણ-નિકાસ અને અન્ય નિયમો અમલમાં છે.
કોરોનાકાળનું લોકડાઉન એટલા માટે યાદ આવી ગયું કે છેલ્લા બે દિવસમાં કર્ણાટક, તેલંગણા અને ગુજરાતના વડોદરામાં પણ વડાપ્રધાને વર્ક ફ્રોમ હોમ, સાર્વજનિક વાહનોમાં જ પ્રવાસ કરવાનો આગ્રહ, પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કરકસર (ઘટાડો), ઈલેક્ટ્રીક વાહનો તથા લોકલ ટ્રેનો, મેટ્રો અને ઈલેક્ટ્રીક બસોમાં રોજીંદો પ્રવાસ, વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુલ મિટિંગો તથા વિદેશ પ્રવાસો ટાળીનેે દેશમાં જ હરવાફરવા જવાની લોકોને આગ્રહભરી અપીલ કરી છે, અને આ અપીલો પશ્ચિમ એશિયાની અશાંતિ તથા વૈશ્વિક કક્ષાએ ચાલી રહેલા યુદ્ધોના સંદર્ભે કરવામાં આવી છે.
જેવી રીતે ર૦ર૦-ર૧ પછી લોકડાઉના લાગુ કરતા પહેલા લોકોને માનસિક રીતે તૈયાર કરાયા હતાં અને સ્વૈચ્છિક લોકડાઉન જેવો પ્રયોગ કરાયો હતો, તેવી જ રીતે વડાપ્રધાન પેટ્રોલ-ડીઝલ અને ગેસની સંભવિત તંગી કે ભાવવધારા સાથે મોંઘવારી માટે લોકોને માનસિક રીતે તૈયાર કરી રહ્યા હોય, તેવું લાગે છે. આવું કદમ ઊઠાવવું પડે તેના કારણો પણ છે, અને તેમ થાય તો કદાચ સેમિ લોકડાઉન ગણી શકાય, તેવા નિયંત્રણો નાછૂટકે લગાવવા પડે, તો પણ જનતા માનસિક રીતે દૃઢ રહે, તેવો હેતુ હોઈ શકે છે. લોકોએ પેનિક થવાની (ગભરાવાની) જરૂર નથી અને સરકાર 'ઓછામાં ઓછી'' તકલીફ લોકોને પડવા દેશે, તેવી હૈયાધારણ પણ અપાઈ રહી છે. ટૂંકમાં 'સાવચેત' સંકેતો અપાઈ રહ્યા છે.
વડાપ્રધાન છેલ્લા બે દિવસથી એકાદ વર્ષ માટે સોનું કે સોનાના આભૂષણો નહીં ખરીદવાની અપીલ પણ કરી રહ્યા છે, અને તેવું કરીનેે દેશની આર્થિક મજબૂતી ટકાવી રાખવામાં જનસહયોગ ઈચ્છી રહ્યા છે. તેઓ વિદેશી પ્રવાસો ટાળવા ઉપરાંત નાની-મોટી રોજીંદી જીવન ઉપયોગી ચીજવસ્તુઓથી માંડીને વાહનો કે આધુનિક સાધનો પણ શક્ય હોય ત્યાં સુધી સ્વદેશી જ ખરીદવાની અપીલ પણ કરી રહ્યા છે, અને દેશી ખાતરનો ઉપયોગ વધારીને વિદેશી ફર્ટિલાઈઝર-રસાયણિક ખાતરોનો ઉપયોગ અડધાથી વધુ ઘટાડવાની અપીલ પણ કરી રહ્યા છે. આ કારણે વયોવૃદ્ધ લોકોને મોરારજીભાઈ દેસાઈનો સુવર્ણ નિયંત્રણ ધારો યાદ આવી ગયો છે, કારણ કે તે સમયે સોનાના વ્યાપાર પર કડક અંકુશો લગાવ્યા હતાં.
જો કે, મોરારજી દેસાઈનો સુવર્ણ નિયંત્રણ ધારો તદ્ન અલગ સંજોગો અને સંદર્ભોના કારણે લાગુ કરાયો હતો, જે દાયકાઓ સુધી ચાલ્યો હતો, જ્યારે અત્યારે સુવર્ણની ખરીદી એકાદ વર્ષ માટે ઓછી કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને ઉદ્દેશ્યો પણ અલગ છે, પરંતુ આ પ્રકારની અીપલથી માર્કેટ પર અસરો તો થતી જ હોય છે.
જો કે, વડાપ્રધાનની આ અપીલોના વિપક્ષોએ કડક પ્રત્યાઘાતો આપ્યા છે. રાહુલ ગાંધીએ આને મોદી સરકારની નિષ્ફળતાનું પ્રમાણ ગણાવ્યું છે, આમ આદમી પાર્ટીના સંજયસિંહે વ્યંગ કર્યો કે ચૂંટણી પછી હવે લોકોને ગેસ અને પેટ્રોલની લાઈનો લગાવવી પડશે. વિપક્ષના અન્ય નેતાઓએ પણ કાંઈક એવા જ પ્રત્યાઘાતો આપ્યા અને પશ્ચિમ એશિયાના યુદ્ધના સંદર્ભે કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ નહીં અપનાવી હોવાની ટીકા કરી, અને કહ્યું કે હવે હાલાકી, પરેશાની અને મોંઘવારી માટે જનતાએ તૈયાર રહેવું પડશે. આર્થિક બોજ જનતાની કમર તોડી નાંખશે વગેરે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એશિયન ડેવલપમેન્ટ બેંકે વર્ષ ર૦ર૬ માટે ફૂગાવાનો અંદાજ ૬.૯ ટકા કરી દેવાયો છે, જે અગાઉ ૪.પ ટકા મૂકાયો હતો. આમ, અઢી ટકાનો વધારો વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે કરાયો છે. ફૂગાવાનો અંદાજ વધારાયો, તે દેશમાં મોંઘવારી વધવાના સંકેતો આપે છે. સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા ક્રૂડના ભાવો આસમાને પહોંચવાના કારણે ભારતનો જીડીપી પણ ૦.૬ ટકા ઘટીને ૬.૩ ટકા થઈ જશે. આ ગંભીર સ્થિતિને કારણે ઊભી થનારી વિકટ પરિસ્થિતિ અને તેના નિવારણના ઉપાયો અંગે દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને ગઈકાલના વડાપ્રધાને વિવિધ સ્થળે કરેલા ભાષણોમાં પણ આવી રહેલી વધુ વિકટ પરિસ્થિતિની ચિંતા ઝળકી હતી અને તેના માટે સ્વયંશિસ્તનો સંદેશ પણ વડાપ્રધાને દેશવાસીઓને આપી દીધો હતો.
ગઈકાલે જામનગરમાં લાલબંગલા સર્કલમાં થયેલા અભિવાદન પછી વડાપ્રધાને કરેલા સંબોધનમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતીઓની પ્રશંસાની સાથે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના સંસ્મરણો પણ વ્યક્ત કર્યા હતાં, જેનો ઉલ્લેખ તેઓએ આજના તેઓના સોમનાથના કાર્યક્રમ દરમિયાન કરેલા સંબોધનમાં વિસ્તૃતપણે કર્યો છે. તેઓએ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારને આઝાદીકાળના મહાપુરુષો સાથે સાંકળીને તથા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાજેન્દ્રબાબુને બીરદાવીને પરોક્ષ રીતે તે સમયે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના વિષયે રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાયેલા મત-મતાંતરો તરફ પણ ગર્ભિત સંકેત કરી દીધો હતો. આજે સોમનાથ અને ગઈકાલ રાત્રે જામનગરના પ્રવાસો પહેલા વડાપ્રધાને કર્ણાટક અને તેલંગણાનો પ્રવાસ સંપન્ન કર્યો હતો, અને તેમાં સિકંદરાબાદમાં કરેલા તેમના ભાષણનો એક મોટો હિસ્સો તેઓના ભૂતકાળના 'રાષ્ટ્રજોગ પ્રવચનો' જેવો જણાયો હતો.
ગઈકાલે વડાપ્રધાને સિકંદરાબાદમાં એક જંગી જનસભાને સંબોધન કર્યું, તે દરમિયાન વર્તમાન વૈશ્વિક તંગદિલીનો ઉલ્લેખ કર્યો. પડોશમાં ચાલી રહેલા યુદ્ધોની અસર ભારત પર ઘણી જ વિપરીત અને ગંભીર રીતે પડી છે, જેને 'સંકટની ઘડી' ગણાવીને વડાપ્રધાને કહ્યું હતું કે, અગાઉ પણ જ્યારે જ્યારે સંકટની ઘડી આવી ત્યારે રાષ્ટ્રીય સંકટના સમયે દેશવાસીઓએ સરકારને મજબૂત સમર્થન આપ્યું હતું, અને જરૂર પડ્યે દેશહિતમાં સરકારને સોનાનું દાન પણ કર્યું હતું. અત્યારે સોનાના દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનું અને સોનાના આભૂષણો ખરીદવાનું ટાળવું જોઈએ, અને હુંડિયામણ બચાવવું જોઈએ.
વડાપ્રધાને પ્રવર્તમાન આર્થિક સંકટથી બચવા મેટ્રોરેલમાં સ્થાનિક મુસાફરી કરવા, પેટ્રોલ-ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, વાહનોનો બિનજરૂરી ઉપયોગ બંધ કરવા, ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાનું, વર્ક ફ્રોમ અને વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગો તથા કાર્યક્રમોની (કોરોનાકાળની જેમ) વ્યવસ્થાઓ પુનઃ શરૂ કરવા અથવા વિસ્તારવા, વિદેશ પ્રવાસો ટાળવા, ખાદ્યતેલનો વપરાશ ઘટાડીને વિદેશી હુંડિયામણ બચાવવા, ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ અડધોઅડધ ઘટાડવા તથા દેશી ખતરોનો ઉપયોગ વધારવા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન વધારવા સહિતના ઉપાયો માટે દેશવાસીઓનો સહયોગ માંગ્યો હતો.
સામાન્ય રીતે દેશવાસીઓને ઉદ્દેશીને કોઈ મોટી ઘોષણા કે અપીલો કરવાની હોય, ત્યારે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય છે, પરંતુ આ વખતે પૂર્વનિયોજિત કાર્યક્રમોની વચ્ચે વડાપ્રધાને આ પ્રકારની અપીલ કરી, અને તેના સંદર્ભે (તરત જ) ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ પણ તેને ટાંકીને દેશવાસીઓને જુદી જુદી અપીલો કરવા લાગ્યા, તે ઘણું જ સૂચક છે.
વૈશ્વિક તારણો કાઢતી સંસ્થાઓ, યુનો સાથે સંકળાયેલી આર્થિક-વ્યાપારિક તથા સ્વાસ્થ્ય ક્ષેત્રની સંસ્થાઓ તથા વિવિધ દેશોના ગ્રોથરેટ અને ઈકોનોમિના અંદાજો કરતી સંસ્થાઓ દ્વારા અમેરિકા, ઈરાન, ઈઝરાયલ, યુક્રેન, રશિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, લોબેનોન સહિતના દેશોની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં ડામાડોળ થયેલા અર્થતંત્રો અને વ્યાપાર ઉદ્યોગ તથા સપ્લાઈ ચેઈનને મરણોતલ ફટકાઓના કારણે જે ભયાવહ આગાહીઓ થઈ રહી છે તથા અનુમાનો કરાઈ રહ્યા છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, અને આ જ ગંભીર સંભાવનાઓનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને 'સ્વયંશિસ્ત' જાળવવાની અપીલ કરી હોય, તેમ જણાય છે. વડાપ્રધાન જે હુંડિયામણ બચાવીને દેશના અર્થતંત્રની મજબૂતી ટકાવી રાખવાની વાત કરી રહ્યા છે, તે જોતા પ્રવર્તમાન સ્થિતિમાં આપણા દેશની ઈકોનોમિ પણ ડગમગાઈ રહી હોવાનો આભાસ થાય છે, અને એવું હોય તો તે આપણાં દેશ અને સરકાર ઉપરાંત આપણા બધા માટે પણ પડકારજનક છે. ઘણાં વિશ્લેષકો ગઈકાલે વડાપ્રધાને કરેલી અપીલોને સમયોચિત ગણીને સંકટના સમયે દેશવાસીઓની એકજુથતાની જરૂર જણાવી રહ્યા છે, તો બીજી તરફ દેશની ઈકોનોમિને પડનારા ફટકાનો સરકારી એકરાર ગણાવીને પ્રવર્તમાન સ્થિતિને પહોંચી વળવામાં સંભવિત નિષ્ફળતાઓની વ્યંગાત્મક ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.
ગઈકાલે વડાપ્રધાને કરેલી અપીલોની ભીતરથી દેશમાં મોંઘવારી ફાટી નીકળશે, તેવી દહેશત વ્યક્ત થઈ રહી હોવાનું માનતા જાણકારોના મતે અત્યાર સુધી (કદાચ ચૂંટણીઓના કારણે) અંકુશમાં રાખવામાં આવેલા પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં હવે વધારો થશે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા બધી ચીજવસ્તુઓ મોંઘી થશે, જેથી મોંઘવારીનો માર વધશે. જો સરકારી કંપનીઓ દરરોજ એક હજાર કરોડનું નુક્સાન વેઠીને હકીકતે ભાવો અંકુશમાં રાખતી હોય, તો તે સ્થિતિ દેશના અર્થતંત્ર માટે પણ યોગ્ય નથી, અને તેથી જ કદાચ વડાપ્રધાને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હશે, અને સૌર ઊર્જા સહિતની વૈકલ્પિક ઊર્જા આધારીત સાધનો-યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપી હશે.
ટ્રમ્પનો ચીનનો પ્રવાસ નક્કી થઈ ગયો, તે ઘણું જ સૂચક છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સુલેહ કરાવવા નીકળેલું પાકિસ્તાન નિષ્ફળ થઈ રહ્યું છે, ત્યારે ઘણાં વૈશ્વિક વિશ્લેષકો પણ હવે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ બંધ કરાવવામાં હવે કોઈ વશ્વસનિય અને બન્ને તરફ ખૂબ જ સારા સંબંધો ધરાવતા મધ્યસ્થીની જરૂર જણાવી રહ્યા છે. ઈરાને અમેરિકાના પ્રસ્તાવનો જવાબ આપ્યા પછી યુદ્ધ ખતમ થશે, તેવી આશા જાગી હતી, પરંતુ બન્ને તરફ કેટલાક મુદ્દે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલાતી નથી, ત્યારે આપણાં દેશને પણ લાંબાગાળાની અસરો થવાની છે. ભૂતકાળમાં ખાદ્યાનની સંકટ સમયે એક ટાઈમ ભોજન, યુદ્ધોના સમયે બ્લેકઆઉટ, કોરોના સમયે લોકડાઉન અને વિવિધ રસિકરણ અભિયાનોમાં જે રીતે ભારતે મક્કમ લડત આપી હતી, તેવી જ લડત માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સરકારી વિભાગો, શાસક પક્ષના સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે 'સ્વયંશિસ્ત' માટેની વડાપ્રધાનની અપીલોનો અમલ કરીન દૃષ્ટાંત બેસાડે, તેવી અપેક્ષા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ચાર-પાંચ દિવસથી જામનગર નવા રૂપરંગ સજી રહ્યું છે, અને તંત્રો ઉંધામાથે રાત-દિવસ કામ કરી રહ્યા છે. છોટીકાશી જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થવાનું હોવાથી તેઓને આવકારવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પ. બંગાળ, આસામ અને પુડુચેરીમાં થયેલા વિજય પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ અનોખો જુસ્સો પ્રવર્તી રહ્યો છે.
સોમવારે સોમનાથમાં યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા તથ વડોદરાના કાર્યક્રમો માટે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન જામનગરથી પ્રવાસ શરૂ કરી રહ્યા છે અને રાત્રિ મૂકામ કરવાના છે, તેથી હાલારીઓમાં હરખ છે તો સિક્યોરિટી રિઝન્સના કારણે તંત્રોની જવાબદારી પણ ઘણી જ વધી ગઈ છે. આજે તંત્ર દ્વારા રિહર્સલ તથા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની દોડધામ વચ્ચે નગરજનો પણ કેટલાક સુધારા-વધારા રાતોરાત થઈ રહ્યા છે, તેથી ખુશ છે, તો રોજીંદા જનજીવન પર થોડી અસર પણ પડી રહી છે, જો કે વીવીઆઈપી પ્રોગ્રામ સમયે આ પ્રકારના થતા ફેરફારોથી લોકો ટેવાઈ પણ ગયા છે. બીજી તરફ વડાપ્રધાનનો આ રાત્રિમૂકામ ઘણો જ સૂચક પણ માનવામાં આવી રહ્યો છે.
આ પહેલા પણ વડાપ્રધાને ઘણી વખત જામનગરની મુલાકાત લીધી છે. વર્ષ ર૦રપ ની પહેલી માર્ચે તેઓએ વનતારાની મુલાકાત લીધી હતી, અને ઉદ્ઘાટન પછી વાઈલ્ડલાઈફ બોર્ડની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષ ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી સમયે પણ તેઓએ જામનગરમાં મોટી જનસભાને સંબોધન કર્યું હતું. વર્ષ ર૦રર માં ૧૦ મી ઓક્ટોર વડાપ્રધાને જામનગરથી અંદાજે ૧૪પ૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, સૌની યોજના વિવિધ લિંકના પેકેજનું લોકાર્પણ, લાલપુર બાયપાસ જંક્શન ફ્લાય ઓવર, હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસીંગ ઉપરાંત ૪૦ મે.વોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું દેશને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હાલારના મુખ્ય મુખ્ય કાર્યક્રમોમાં હંમેશાં જનમેદની ઉમટતી હોય છે, અને રોડ-શોના આયોજનો પણ સફળ રહેતા હોય છે.
વર્ષ ર૦૧૬ ના ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાને જે સુદર્શન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું, તેનું વર્ષ ર૦ર૪ ના ફેબ્રુઆરીમાં લોકાર્પણ કર્યું હતું. રૂા. ૯૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલો સુદર્શન બ્રિજ આજે ટુરિસ્તો માટે આકર્ષણનું કેન્દ્ર અને ગુજરાતનું નજરાણુ ગણાય છે. તેઓએ તે સમયે ડૂબેલી દ્વારકાની અંડરવોટર ડૂબકી મારીને પૂજા-અર્ચના કરી હતી, તે દૃશ્યો ગ્લોબલી વાયરલ થયા હતાં, અને એ પ્રવાસ દરમિયાન તેઓએ રૂા. ૪૧૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતાં. તેઓએ વર્ષ ર૦રર માં વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિનનું ભૂમિપૂજન કર્યું હતું, તે સમયે પણ તેની વૈશ્વિક પ્રસિદ્ધિ થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાને વર્ચ્યુલી પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, તો જામનગર અને હાલારના ઘણાં વિકાસકામોનું વર્ચ્યુલ લોકાર્પણ પણ કર્યું હતું.
આ પહેલા વડાપ્રધાન જ્યારે જ્યારે જામનગર કે હાલારની મુલાકાતે આવ્યા છે, ત્યારે જામનગર કે હાલારને કેન્દ્ર સરકાર તરફથી કાંઈક ને કાંઈક આપીને ગયા છે. વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પહેલા આવ્યા હતાં, ત્યારે પણ ગુજરાત સહિત દેશના વિકાસ તથા લોક-કલ્યાણના ક્ષેત્રે કેટલાક વાયદાઓ કર્યા હતાં, અથવા વચનો આપ્યા હતાં. આ વખતે વડાપ્રધાન જામનગર-હાલારને લઈને કોઈક મોટી જાહેરાત કરશે, અને/અથવા હાલારની તથા જામનગરની કેટલીક કાયમી સમસ્યાઓ ઉકેલાઈ જાય, તેવી ઘોષણા કરશે, તેવી આશા સેવાઈ રહી છે.
વર્ષ ર૦ર૪ માં વડાપ્રધાને ચૂંટણી પહેલા જામનગર અને હાલારના મતદારો પાસે જે અપેક્ષા રાખી હતી અને અપીલ કરી હતી,તે પછી જામનગર સંસદીય મતદાન વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોના મતદાતાઓએ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પૂનમબેન માડમને એક વખત ફરીથી દેશની પાર્લામેન્ટમાં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે, અને તે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને જંગી જનાદેશમાં પણ વડાપ્રધાનની લોકપ્રિયતાની મહત્તમ ભૂમિકા હોવાનું કહેવાય છે, ત્યારે વડાપ્રધાન પાસે જામનગર-હાલાર અને મોરબીની અપેક્ષાઓ હોય, તે સ્વાભાવિક છે.
વડાપ્રધાનના આગમનના કારણે ચાલી રહેલી તૈયારીઓના કારણે તથા વડાપ્રધાનના આગમનથી વિદાય સુધી સુરક્ષા-સલામતિ તથા વ્યવસ્થાઓને લઈને કેટલાક પ્રતિબંધો, નિયમનો કે ફેરફારોના સ્થાનિક જનજીવનને કેટલીક મુશ્કેલીઓ કે અસુવિધા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારની કાળજી રાખતી વખતેે સામાન્ય જનતાને ઓછામાં ઓછી મુશ્કલી પડે અને માનવીય કે તબીબી ઈમરજન્સી જેવા કિસ્સાઓમાં વ્યવહારૂ અભિગમ દાખવવામાં આવે, તેવી અપેક્ષા પણ રહેતી હોય છે. આ કારણે જનસહયોગની સાથે સાથે તંત્રોનું સુદૃઢ સંકલન તથા સર્વક્ષેત્રિય સમજદારીની પણ અપેક્ષા રહેતી હોય છે.
જામનગરના નગરજનો છેલ્લા ચાર-પાંચ દિવસથી થતી તંત્રોની દોડધામ તથા શહેરની બદલી રહેલી સિકલના સંદર્ભે કટાક્ષમાં એવું કહેતા પણ સંભળાય છે કે જો વડાપ્રધાન દર પખવાડિયે કે મહિને આવતા હોય તો કેવું સારૂ!
આવા ઉદ્ગારો નીકળે, તેની પાછળ લોકોની અપેક્ષાઓ અને તેની ફલશ્રૂતિના પડઘા પડતા હોય તેવું લાગે છે. માર્ગો પરના ખાડા બૂરાઈ જાય, માર્ગો પરથી રખડુ ઢોર તો ઠીક, આવારા શ્વાન પણ (ભલે, વીવીઆઈપી રૂટ પૂરતા) હટી જાય, ચોતરફ ગંદકીનું નામોનિશાન ન રહેવા પામે, ેંજંતુનાશક દવાઓનો છંટકાવ થઈ જાય, રોડ પર નમેલી (ઝાડની) ડાળીઓ કપાઈ જાય, અને ટ્રાફિક પોલીસ એકદમ ચૂસ્ત-દુરસ્ત જણાય, તથા પોલીસ વ્યવસ્થા ચાકચોબંધ રહે, તેથી લોકો થોડી હાલાકી વેઠીને પણ આ ફેરફારોને આવકારતા હોય છે, જો કે કોર્ટ પાસે કૂતરાના સંદર્ભે જે થાય, તે શાણપણપૂર્વક નિવારી શકાયું હોત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કલ્યાણપુર તાલુકાની પોલીસ પગપાળા પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હર્ષદ નજીકથી ચાર બિનવારસુ પેક્ેટ મળી આવ્યા અને તેમાંથી સાડાચાર કિલો વજન થાય, તેનાથી પણ વધુ નશીલી ડ્રગ્સનો જથ્થો મળ્યો અને જુદી જુદી બે જગ્યાએથી મળેલા આ જથ્થાની કિંમત સવાબે કરોડથી વધુ થવા જાય છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો પછી આ રીતે હાલારના દરિયાકાંઠેથી આ પહેલા પકડાયેલી બિનવારસુ નશીલી ડ્રગ્સની હિસ્ટ્રી તાજી થઈ ગઈ અને ગુજરાત ક્યાંક 'ગેટ-વે ઓફ ડ્રગ્સ ઈન ઈન્ડિયા' તો બની નથી ગયું ને? તેવા સવાલો સાથે હાલાર ડ્રગ્સનું હબ બનાવવા અને હાલારીઓને ડ્રગ્સની હેબિટ પાડવાનું ષડ્યંત્ર તો રચાયું નથી ને? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. નશીલી ડ્રગ્સ જેવી જીવલેણ અને ખતરનાક આદત યુવાવર્ગને પડી જાય, તો આખો સમાજ બરબાદ થઈ જાય અને સંખ્યાબંધ પરિવારો પાયમાલ થઈ જાય, તે પણ નક્કર વાસ્તવિક્તા છે, જેથી આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખૂબ જ ગંભીરતાથી એક્સન લેવાની જરૂર છે.
આ પ્રકારની ગેરકાનૂની હેરાફેરીમાં ઘણી વખત થોડો-ઘણો જથ્થો પકડાવીને ખૂબ જ મોટો જથ્થો સગેવગે કરવાની ચાલ પણ સ્મગલરો ચાલતા હોય છે, તો ઘણી વખત વાસ્તવમાં જંગી જથ્થો ઘૂસાડી દીધા પછી થોડોઘણો જથ્થો બચ્યો હોય, ત્યારે જ પકડાતો હોય તેવું બની શકે તે ઉપરાંત કદાચ પકડાઈ જવાની બીકથી આ બિનવાસુ જથ્થો દરિયામાં ફેંકી દેવાતો હોય તો વાસ્તવમાં કેટલો જથ્થો ઘૂસાડવામાં સફળતા મળી છે, અથવા તેમાં સંપૂર્ણ નિષ્ફળતા મળી છે, તેની સર્વગ્રાહી અને ઊંડી તથા વ્યાપક તપાસ પણ કરવી અત્યંત જરૂરી હોય છે, અને કદાચ પોલીસ તથા એજન્સીઓ એ પ્રકારની તપાસ કરતી જ હશે, પરંતુ આ પ્રકારે હાલારના દરિયાકાંઠેથી વારંવાર પકડાતો જથ્થો માત્ર સરકાર નહીં, પરંતુ હાલાર સહિત ગુજરાતના રહીશો તથા ખાસ કરીને યુવાવર્ગ માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય ગણાય, તેથી આ અંગે સમાજે પણ વધુ જાગૃત થવાની જરૂર છે.
આ પહેલા પણ હાલારની દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીમાં નશીલી ડ્રગ્સનો બિનવારસુ જથ્થો પકડાયો હતો. તે ઉપરાંત નશીલી ડ્રગ્સની હેરાફેરી તથા સંગ્રહ કરવાના પ્રયાસો પણ થતા રહે છે. હાલારમાં છેલ્લા બે વર્ષમાં નશીલી ડ્રગ્સ સંબંધિત ૧૩પ કેસ નોંધાયા અને ૩૦૦ થી વધુ આરોપીઓ ઝડપાયા છે. બન્ને જિલ્લામાંથી આ સમયગાળામાં ર૪૪ કરોડથી વધુ કિંમતનો નશીલી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૩૭ર૭ કરોડથી વધુ કિંમતનું ૪૧ હજાર કિલોથી વધુ નશીલું ડ્રગ્સ પકડાયું હોવાના આંકડા પણ બહાર આવ્યા હતાં. ફેબ્રુઆરી સુધીના આંકડાઓ આવ્યા પછી પણ નશીલી ડ્રગ્સનો જથ્થો પકડાતો હતો, તેમાં હર્ષદ પાસેથી મળેલો બિનવારસુ જંગી જથ્થો ટોક ઓફ ધ હાલાર બન્યો છે.
આ પહેલા જ્યારે દ્વારકાના વરવાળા પાસેથી વર્ષ ર૦ર૪ ના જૂન મહિનામાં ૩ર કિલોથી વધુ અફઘાની ચરસ પડાયું હતું, જેની કિંમત રૂ।. ૧૬ કરોડ આકારાઈ હતી. તે સમયે પણ ઊંડી તપાસ કરાઈ હતી, તો તાજેતરમાં મોટી ખાવડી પાસે ૮૩ લાખના હેરોઈન સાથે ચાર શખ્સો દબોચાયા, ત્યાં સુધીમાં ઠેર ઠેરથી નશીલું ડ્રગ્સ પકડાતું રહ્યું છે. વર્ષ ર૦ર૪ માં તો જૂન મહિનામાં બેટદ્વારકાથી ૮૬૩ ગ્રામ અફઘાની ચરસ, ઓક્ટોબરમાં જામનગર, જોડિયાના બંદર રોડ તરફ ઝાડી-ઝાંખરામાંથી પ.૮પ કિલો ચરસ અને માર્ચ ર૦ર૪ માં બેડેશ્વરમાંથી એક ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ થયો, ત્યારે પણ આ નશીલું ડ્રગ તસ્કરીનું રેકેટ પાકિસ્તાની ડ્રગ દાણચોરો સાથે સંકળાયેલું હોવાની વાતો વહેતી થઈ હતી. મોટી ખાવડી પાસેથી કરિયાણાની દુકાનમાંથી પણ ૬૬૬ ગ્રામ ગાંજો પકડાયો હોવાના અહેવાલો નજીકની ખાનગી કંપનીઓ માટે પણ ચિંતાજનક ગણાય.
ગુજરાત વિધાનસભામાં પણ હાલાર સહિત ગુજરાતમાં નશીલા ડ્રગ્સની હેરાફેરીનો મુદ્દો ઘણો ચર્ચાયો હતો. સરકારને પ્રશ્નો પૂછાયા હતાં અને સરકારે તેના જવાબો પણ આપ્યા હતાં. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં ૩૦૦ થી વધુ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરાઈ અને લગભગ ર૪૪ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો નશીલી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ આંકડો જ બતાવે છે કે ગુજરાત ધીમે ધીમે દેશભરમાંથી નશીલા ડ્રગ્સ ઘૂસાડવા માટેનું ગેટ-વે બની રહ્યું છે. આ ઉપરાંત યુવાધનમાં ડ્રગ્સની બદી ધીમે ધીમે વધી રહી છે, અને તેનાથી ઘણાં લબ્ધ પ્રતિષ્ઠિત પરિવારો પણ અલિપ્ત નથી, તે નક્કર હકીકત જોતા નશીલા ડ્રગ્સના મુદ્દે હવે ખોખલી દારૂબંધી જેવી ઢીલી નીતિ નહીં ચાલે અને એ માટે સરકારે અને સમાજે અત્યંત કડક પગલાં લેવા જ પડશે.
તદ્ન તાજા અહેવાલો મુજબ રાજકોટ પોલીસની એસઓજી ટીમે ૧૦૮ કિલો ગાંજો લઈ જતો ટ્રક ઝડપ્યો છે. ઓરિસ્સાથી આવેલા આ ટ્રકમાંથી ગાંજો ઘેલા સોમનાથ નજીક એક હોટલ પાસેથી પકડાયો અને આ જથ્થો કાલાવડ પહોંચાડવાનો હતો, તેવો ઉલ્લેખ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. આ ગાંજાનો જથ્થો લગભગ પ૪ લાખથી વધુ રૂપિયાની કિંમતનો હતો. પોલીસે ટ્રક અને સેલફોન સહિત રૂ।. ૮૪ લાખની માલમત્તા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા તથા સંલગ્ન અન્ય શખ્સોની શોધખોળ થઈ રહી હોવાના અહેવાલો છે.
શોર્ટકટમાં નાણા કમાવાની લાલચ, કડક નશાબંધી-દારૂબંધી છતાં ચાલતી લોલંલોલ અને પલંપોલ તથા ગૂપચૂપ રીતે નશીલા દ્રવ્યોની વધી રહેલી ગુપ્ત ડિમાન્ડના કારણે ગુજરાતમાં નશીલા દ્રવ્યેનો વધતો પગપેસારો ભાવિ પેઢીને બરબાદ કરી દેશે.
ઓરિસ્સાથી ગાંજાનો જંગી જથ્થો આ જ શખ્સો આ પહેલા પણ ત્રણ વખત લાવ્યા હતાં. પહેલી અને બીજી વખત દોઢ મણ તથા ત્રીજી વખત બેે મણ જથ્થો ઘૂસાડવામાં સફળ થયા પછી આ વખતે સાડાપાંચ મણ જેટલો ગાંજો લાવવા જતા ઝડપાઈ ગયેલા શખ્સો પાસેથી આ પ્રકારના અન્ય રેકેટોની માહિતી મેળવવાના પ્રયાસો થશે, પરંતુ આ ગાંજો અંતે ક્યાંક તો વપરાતો હશે ને? આ તો એક પકડાઈ ગયેલા ટ્રકની કહાની માત્ર ગાંજાની જ છે, પરંતુ અનેક પ્રકારના નશીલા ડ્રગ્સ તથા દેશી-વિદેશી દારૂના થતા ડમ્પીંગ સામે હવે જનતાએ પણ જાગૃત થવું પડશે અને આપણી જ આવતી પેઢીનેે પાયમાલ કરવાના ચાલી રહેલા ષડ્યંત્રોનો પર્દાફાશ કરવો પડશે. આ માટે પ્રામાણિક તંત્રોને બીરદાવવા પડશે અને ભ્રષ્ટ પરિબળોને ખુલ્લા પાડીને કડક સજા કરાવવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આસામ, પ. બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ. પ. બંગાળ, આસામ અને પુદુચેરીમાં ભાજપ-એનડીએને સ્પષ્ટ જનાદેશ મળ્યો અને કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠંબધનને પણ સ્પષ્ટ બહુમતી મળી. તમિલનાડુમાં ટીવીકેને બહુમતીમાં દસ બેઠકો ઘટી, જેતે લઈને ત્યાં દ્વિધા ઊભી થઈ છે. કોંગ્રેસે પાંચ બેઠકો સાથે સમર્થન આપ્યા પછી પણ હજુ પાંચ બેઠકો ખૂટતી હતી તેથી ગઈકાલ સુધી સસ્પેન્સ સાથે અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી. થલપતિ વિજય રાજ્યપાલને મળી આવ્યા પછીનો ઘટનાક્રમ જોતા આજે તમિલનાડુમાં કાંઈક નવા જુની થશે, તેમ જણાય છે.
પ. બંગાળમાં તો ભાજપને તોતિંગ બહુમતી મળી છે અને મતદાન તથા મતગણતરી થઈ ત્યાં સુધી તો ગત્ ચૂંટણીની સરખામણીમાં હિંસક ઘટનાઓ ઓછી થઈ હોવાનો દાવો પણ ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર અને લગભગ નિશ્ચિત મનાતા શુભેન્દુ અધિકારીએ કર્યો હતો, અને ભાજપ વિજય સરઘસો નહીં કાઢે, અને ચૂંટણી પછી હિંસા આચારનાર સામે કડક પગલાં લેવાશે, તેવા દાવાઓ પણ થયા હતાં, જો કે મતગણતરી સંપન્ન થઈ અને મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈન્કાર કરીને ચૂંટણીપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા પછી એક તરફ રાજકીય અનિશ્ચિતતાઓ તથા બંધારણીય સંકટ ઊભું થયું હોવાની વાતો વહેતી થઈ તો બીજી તરફ નવમી મે ના દિવસે નવી સરકારની શપથવિધિ યોજાશે, તેવી જાહેરાત પણ થઈ ગઈ.
અત્યારે પ. બંગાળમાં સ્થિતિ એવી છે કે ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા જઈ રહી હોવાથી ચૂંટણીપંચની ભૂમિકા હવે નવી સરકારની રચના સુધીની જ રહી છે, તો બીજી તરફ મમતા બેનરજીએ રાજીનામું નહીં આપ્યું હોવાથી અભૂતપૂર્વ બંધારણીય અનિશ્ચિતતાઓ પણ ઊભી થઈ હતી.
સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી પૂરી થાય અને પરિણામો આવી જાય, તે પછી મુખ્યમંત્રી રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરે અને રાજ્યપાલ નવી સરકારની રચના થાય, ત્યાં સુધી વચગાળાની (રખેવાળ) સરકાર તરીકે સેવા ચાલુ રાખવાની સૂચના આપે છે, અથવા વિનંતી કરે છે. એ કારણે રાજ્ય તદ્ન સરકાર વિહોણું રહેતું નથી, જો કે બંધારણીય જોગવાઈઓ મુજબ રખેવાળ સરકાર કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકતી હોતી નથી.
આ વખતે પ. બંગાળના કિસ્સામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે આપેલા આદેશો તથા કેન્દ્રિય સુરક્ષાદળો તથા અધિકારીઓ ઉપરાંત ન્યાયતંત્રની દેખરેખના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારની સત્તાઓ ઘણી જ સીમિત થઈ ગઈ હતી, તેથી ચૂંટણી પછીની સ્થિતિમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે પણ અભૂતપૂર્વ અનિશ્ચિતતાઓ ઊભી થઈ ગઈ હતી. આ બધા ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદના દાવેદાર શુુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ અને તેના જમણા હાથ સમા યુવા સાથી ચંદુનાથ રથ પર અંધાધુંધ ગોળીબાર કરીને તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. તે પછી ગઈ આખી રાત પ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દ્વિધા તથા અનિશ્ચિતતાઓ પ્રવર્તતી રહી હતી, અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. ટીએમસીએ પણ ચંદ્રનાથની હત્યાની ટીકા કરી છે!
આ પ્રકારની પ. બંગાળની હિંસક રાજકીય સંસ્કૃતિ વખોડવાલાયક છે, અને આઝાદી પછીના બે-ત્રણ દાયકા અવારનવાર રાષ્ટ્રપતિ શાસનો પછી સાડાત્રણ દાયકાના ડાબેરીઓના શાસન દરમિયાન પનપેલી પોલિટિકલ ઈજારાશાહી તથા દોઢ દાયકાના મમતા શાસન દરમિયાન ચૂંટણીઓમાં પણ હિંસા, ધાકધમકી, બળપ્રયોગ તથા ભયના માહોલની અસરો રાતોરાત ખતમ નહીં થાય, તે પણ હકીકત છે અને અન્ય રાજકીય પક્ષોના કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનો અને અભિગમો પણ રાતોરાત બદલાવાના નથી. ટૂંકમાં કોઈ દૂધનું ધોયેલું નથી, તેથી હવે પછીની સરકાર સામે પણ 'સ્વયં સિસ્ત' રાખવા સહિતના મોટા પડકારો રહેવાના છે. ચૂંટણી પછીની હિંસામાં અડધો ડઝન જેટલી હત્યાઓ થઈ છે. સ્વાભાવિક રીતે જ ચંદુનાથ રથની હત્યા માટે ભાજપ ટીએમસીને જવાબદાર ઠેરવે અને ટીએમસી તેનો ઈન્કાર ભલે કરે, પરંતુ પ. બંગાળની હિંસક રાજનૈતિક માનસિક્તાને બદલવા બધા પક્ષોએ ઘણી મહેનત કરવી પડશે, તે પણ હકીકત છે.
પ. બંગાળની આ હિંસક રાજનૈતિક સંસ્કૃતિનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હોવાના મીડિયા અહેવાલો ચિંતાજનક છે. જૂનાગઢમાં ભાજપના ચૂંટણીપ્રચાર માટે ગયેલી ભાજપની ટીમમાં ગુજરાત પરત આવ્યા પછી વિખવાદ થયો અને જૂનાગઢમાં સંગઠનના એક હોદ્દેદારે તથા એક કાર્યકરે સોશિયલ મીડિયામાં ભાજપના જ ધારાસભ્ય વિષે મેસેજ મૂક્યો અને તે પછી ધારાસભ્ય અને કોર્પોરેટરના ઈશારે બૂકાનીધારીઓએ તેઓ પર હુમલો કર્યો હોવાના અહેવાલો ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે અને પ. બંગાળની હિંસક માનસિક્તા ધરાવતી રાજકીય મનોવૃત્તિ ગુજરાત સુધી પહોંચી હોવાની ટિપ્પણીઓ પણ થવા લાગી છે.
બીજી તરફ તમિલનાડુમાં ડીએમકેએ કોંગ્રેસ પર બેક સ્ટલિંગ (પીઠમાં છરો ભોંકવા) નો આરોપ લગાવ્યો છે, તો બહુમતીથી થોડીક ઓછી બેઠકો મેળવનાર ટીવીકેને સત્તાથી દૂર રાખવા ઘોરવિરોધી પ્રાદેશિક પક્ષો ડીએમકે અને એઆઈએમડીએમકે એક થઈને ગઠબંધન બનાવશે, તેવા અહેવાલો પછી ગઈકાલથી જ સસ્પેન્સ અને અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી, અને તેમાં આજનું અપડેટ જોતા આ પ્રકારની અભૂતપૂર્વ ઘટનાઓની કલ્પના કદાચ બંધારણના ઘડૈયાઓએ પણ નહીં કરી હોય, તેમ કહી શકાય.
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીન અને પરાજીત કે વિજયી બનેલા અન્ય મુખ્યમંત્રીઓએ બંધારણીય પરંપરાઓ મુજબ રાજીનામા આપ્યા હોય, અને રાજ્યપાલના આદેશથી નવી સરકારની રચના સુધી રખેવાળ સરકાર ચલાવી રહ્યા હોય, તો રાજીનામું નહીં આપનાર મમતા બેનર્જી કાર્યવાહક મુખ્યમંત્રી ગણાય કે નહીં, તેની ચર્ચાઓ વચ્ચે આજે (૭ મી મે ના) પ. બંગાળની વિધાનસભાનો કાર્યકાળ જ પૂરો થઈ જતા જુની વિધાનસભા જ વિખેરાઈ જશે, અને ચૂંટણીપંચે નવી વિધાનસભાનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ હોવા છતાં મમતા બેનર્જીએ સત્તાવાર રીતે ગઈકાલ સુધી રાજીનામું જ નહીં આપતા તેની ટીકા પણ થઈ રહી છે, તો સમાજવાદી પાર્ટી, આપ અને અન્ય કેટલાક પક્ષો તેનું સમર્થન પણ કરી રહ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી ભાજપ-એનડીએને ભલે ત્રણ રાજ્યોમાં બહુમતી મળી હોય, પરંતુ આ કારણે જ વિપક્ષો ફરીથી એકજુથ થઈ રહ્યા છે અને ફરીથી ઈન્ડિયા ગઠબંધન સક્રિય થવા લાગ્યું છે, તે પણ હકીકત છે, જો કે વિપક્ષો ફરીથી એકજુથ થાય, તો તેનું નેતૃત્વ કોણ કરશે, તથા વર્ષ ર૦ર૭ ની કેટલાક રાજ્યોની ચૂંટણીમાં રણનીતિ કેવી હશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે માટે ભાજપ-એનડીએ સામે વિપક્ષો એકજુથ થતા હોય, તો તે સમયની માગ પણ છે. આ માટે ગઠબંધનનું નેતૃત્વ કોઈ રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષના કોઈ કરિશ્માઈ નેતા કરે, તે પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં શીપ બ્રેકીંગ યાર્ડ પછી હવે હાલારમાં શીપ રીપેર ફેસેલિટીની સ્થાપના થવા જઈ રહી હોવાના અહેવાલોએ માત્ર હાલારીઓ જ નહીં, પરંતુ પશ્ચિમ ભારતના દરિયાઈ વિસ્તારોનું પણ ધ્યાન ખેંચ્યું છે, અને આ મહત્ત્વકાંક્ષી જાયન્ટ પ્રોજેક્ટ વાડીનાર બંદરે સ્થાપવાના ચક્રો હવે ઝડપથી ગતિમાન થશે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્રિય કેબિનેટના ગઈકાલના બે નિર્ણયોની દેશવ્યાપી ચર્ચા પણ થઈ રહી છે. બીજી તરફ પ્રવર્તમાન શાસન પદ્ધતિમાં પ્રવર્તી રહેલી પબ્લિસિટીની વિશેષતાઓના વ્યંગ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ જાયન્ટ પ્રોજેક્ટ જો હાલારમાં સ્થપાઈ રહ્યો હોય, તો તેને આવકારવો જ જોઈએ, પરંતુ તેનો જમીન પર કેટલી સમયમર્યાદામાં અમલ થશે, તેની ચોખવટ પણ થવી જરરી છે.
ગઈકાલે કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતને સાંકળતા જે નિર્ણયો લવાયા, તેમાં વાડીનારમાં અદ્યતન સુવિધાઓ સાથે શીપ રીપેર ફેસિલિટીની સ્થાપનાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. આ સમાચારે ગઈકાલથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉત્સુક્તા જગાડી દીધી છે. વાડીનાર આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, પરંતુ તેની આજુબાજુના ગામો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ તથા રિલાયન્સ, એસ્સાર પાવર્સ અને નયારા જેવી જાયન્ટ કંપનીઓને સાંકળે છે. એટલું જ નહીં, વાડીનાર પણ મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સ્થળે આવેલું અગત્યનું ડેસ્ટિનેશન છે.
વાડીનાર દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા પોર્ટ ટ્રસ્ટ) નું ઓઈલ જેટી ટર્મિનલ છે, અને નજીકમાં જ ઈન્ડિયન ઓઈલ, જાયન્ટ ઔદ્યોગિક કંપનીઓ, સોલ્ટવર્કર્સ, દરિયાઈ પ્રાકૃતિક સૌંદર્ય, અને રંગબેરંગી જીવસૃષ્ટિ ધરાવતો નરારા ટાપુ અને કોલસા તથા ગેસ આધારિત કેપ્ટિવ થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. દરિયાકાંઠાના આ વિસ્તારો કોસ્ટલ અને રાષ્ટ્રીય સુરક્ષા તથા દરિયાઈ પરિવહન માટે પણ ખૂબ જ વ્યૂહાત્મક ક્ષેત્ર છે. આ વિસ્તાર ઔદ્યોગિક-વ્યાપારિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વાડીનાર હાલાર-બારાડીની ભાતીગળ સંસ્કૃતિનો સંગમ છે, જ્યાંથી દરિયાઈ પરિવહન તથા સડક પરિવહનની નવી દિશાઓ ખુલી રહી છે.
આ વાડીનારમાં અત્યાધુનિક સુવિધાસંપન્ન શીપ રીપેર ફેસિલિટીનો પ્રોજેક્ટ આવશે, અને તેના કારણે સ્થાનિક રોજગારીની વિપુલ તકો ઊભી થશે, તથા વિસ્તાર વિકાસ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ દિશાઓ ખુલશે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટમાં લગભગ રૂ।. ૧પપ૦ કરોડથી વધુનું રોકાણ કરશે. આ કામને જાયન્ટ શીપ (વિરાટકાય જહાજો) ના રીપેરીંગ માટે દેશને વિદેશના વિશાળ શીપ યાર્ડો પર નિર્ભર રહેવું નહીં પડે. એટલું જ નહીં, પરંતુ જહાજોની મરામતની કોસ્ટ પણ ઘટશે તથા દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ પણ બચશે, તે પ્રકારના મસમોટા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ જાયન્ટ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડનું સહિયારૂ સાહસ હોવાનું પણ જાહેર થયું છે.
એવું કહેવાય છે કે આ હાઈટેક ફેસિલિટીમાં ૬પ૦ મીટર લાંબી જેટી બનાવાશે, અને બે વિશાળકાય ફ્લોટીંગ ડ્રાય ડોક તૈયાર કરાશે, જેમાં જાયન્ટ શીપ્સ (વિરાટકાય જહાજો) ની મરામત કરવાની અદ્યતન સુવિધાઓ હશે તથા નિભાવ પણ કરાશે. આ આધુનિક તરતું વર્કશોપ હશે, જેને અનુરૂપ દરિયાઈ માળખાઓ પણ બનાવાશે, જેથી આ તમામ પ્રક્રિયા સરળ, ઝડપી અને સુરક્ષિત થઈ શકશે, અને મહામુલો સમય પણ બચશે.
ભારતમાં લાંબા દરિયાકાંઠે કેટલાક સ્થળે શીપ રીપેર યાર્ડસ છે, પરંતુ વહાણોની મરામતના વૈશ્વિક ક્ષેત્રમાં તેની હિસ્સેદારી ઘણી જ ઓછી છે. શીપ રીપેર માર્કેટમાં ભારતનો કબજો વૈશ્વિક દૃષ્ટિએ એક ટકા જેટલો પણ નહીં હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ ભારતની દરિયાઈ સરહદથી માત્ર ૩૦૦ દરિયાઈ માઈલના વિસ્તારમાંથી દુનિયાનું ૭ થી ૯ ટકા દરિયાઈ પરિવહન થાય છે, તેથી ભારતમાં શીપ રીપેર માર્કેટ વિક્સાવવાની વિપુલ તકો પણ છે.
ભારતમાં એકંદરે ૪૦ થી વધુ જહાજ મરામત યાર્ડ હોવા છતાં આ ક્ષેત્ર ઘણાં બધા પડકારો સામે ઝઝુમી રહ્યું છે, અને આ તમામ પડકારોનો ઊંડો અભ્યાસ કરીને વાડીનારનો આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો હોવાની ચર્ચા પણ આ ક્ષેત્રના અભ્યાસુઓ તથા અનુભવીઓના વર્તુળોમાં થઈ રહી છે. ખાસ કરીને પૂરક વ્યવસાયો, લઘુ-મધ્યમ ઉદ્યોગો તથા લાજેસ્ટિક સેવાઓના કારણે રોજગારી વધશે, તેમ કહેવાય છે.
ભારતના વિશાળ ઓઈલ ટેન્કર્સ ધરાવતા જહાજો, કાર્ગો જહાજો વગેરે વિરાટકાય જહાજોના રીપેરીંગ માટે તથા ડ્રાય ડોકીંગ માટે ભારતના જહાજોને અત્યારે વિદેશમાં જવું પડે છે, કારણ કે ર૩૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતા જહાજો માટે પર્યાપ્ત ડ્રાઈ-ડોક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આપણા દેશમાં હાલમાં સુવિધાઓ નહીંવત્ છે. આ કારણે ભારતના જહાજોને સીંગાપુરના કેપેલ ઓફશોર એન્ડ મરીન જેવા મોટા શીપ રીપેરીંગ યાર્ડમાં જવું પડે છે. તે ઉપરાંત યુરોપના નેધરલેન્ડ યાર્ડ, દક્ષિણ કોરિયાનું હુંડઈ મિપો ડોકયાર્ડ, યુએઈમાં દુબઈનું ડ્રાયડોક્સ વર્લ્ડ, મધ્યપૂર્વમાં આવેલા યાર્ડર્સ તથા ચીનનું કોસ્કો શીપીન હેવી ઈન્ડસ્ટ્રી યાર્ડ પણ જાયન્ટ જહાજોનું રીપેરીંગ કરે છે.
ભારતમાં ૪પ જેટલા શીપ રીપેરીંગ કરતા યાર્ડ હોવા છતાં ભારતના જહાજોને વિદેશોના યાર્ડોમાં રીપેરીંગ કરાવવા જવું પડે છે, તેના કારણોમાં ભારતીય બંદરો પર દરિયામાં જહાજોને રીપેરીંગ માટે રાખવાની આવશ્યક ઊંડાઈ ધરાવતા સ્થળો ઘણાં જ ઓછા છે, તેમાં પણ ઘણાં શીપ રીપેર યાર્ડસ ભારતીય નૌસેના માટે જહાજોના નિર્માણ તથા રીપેરીંગ માટે કાયમી ધોરણે રોકાયેલા રહે છે, તેથી બાકીના રીપેરીંગ યાર્ડ (વહાણો રીપેર કરવાના ગેરેજ) માં અન્ય તમામ જહાજો રીપેરીંગ માટે આવતા હોવાથી મરામતમાં વિલંબ થાય છે, અને વિદેશી યાર્ડ કરતા દોઢો સમય ખર્ચાતા હોય છે. આ કારણે વિદેશી રીપેર યાર્ડસ પર વધુ આધાર રાખવો પડે છે.
વાડીનારમાં ઊભી થનારી જહાજ મરામત સુવિધામાં ૩૦૦ મીટર સુધીની લંબાઈ ધરાવતા જહાજોના રીપેરીંગની સુવિધા હશે, જો કે આ પરિયોજના સાકાર થવા માટે હવે લગભગ ત્રણ વર્ષ લાગી શકે તેવું જાહેર થયું છે, એટલે કે વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં જ વાડીનારમાં આ સુવિધા શરૂ થાય, અને તેનું ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય નેતૃત્વ આવે, તેવી શક્યતાઓ ગણી શકાય. આ પ્રોજેક્ટથી હાલારમાં એમએસએમઈ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે, તેવો દાવો કરાયો છે.
વિરાટકાય રિફાઈનરીઓ, કચ્છનો અખાત, અનુકૂળ દરિયાઈ વિસ્તાર, ઔદ્યોગિક ઝોન, રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વપૂર્ણ એકમો, ભારતીય સેનાની ત્રણેય પાંખો, એરપોર્ટસ અને બંદરોની નજીકમાં ઉપલબ્ધિ અને વનતારાના કારણે ગ્લોબલ મેપમાં મહત્ત્વપૂર્ણ બનેલું હાલાર હવે વાડીનાર બંદર પર વહાણો રીપેર કરવાના આંતરરાષ્ટ્રીય કક્ષાના હબ તરીકે પણ વૈશ્વિક મહત્ત્વ મેળવનાર હોઈ, વાડીનાર વિસ્તારના સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય માળખાકીય સગવડો માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વધુ ધ્યાન આપશે, તેવી આશા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાતમાં ધોરણ ૧ર ની પરીક્ષાઓના બન્ને પ્રવાહોના પરિણામો આવ્યા, અને હાલારમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં હરખની હેલી જોવા મળી, તો વાલીઓના ચહેરાઓ પર તેમના સંતાનોના ઉત્તીર્ણ થવાના આનંદની સાથે આગળના ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થાઓ કરવાની થોડી ઘણી ચિંતાઓ પણ ઝળકી. અત્યારે મોંઘાદાટ થઈ ગયેલા શિક્ષણમાં ધો. ૧ર પછી હવે ક્યા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે જવું, કઈ કોલેજ કે શૈક્ષણિક સંસ્થા પસંદ કરવી, તેના પછી એડમિશન તથા પ્રવેશ મળી ગયા પછી વિદ્યાર્થીના નિવાસ, ભોજન, પરિવહન તથા ફી ભરવાની વ્યવસ્થાથી લઈને તેમાં થનારા ખર્ચની જોગવાઈ કવા સુધીની હડિયાપટ્ટીમાં વિદ્યાર્થીઓ-વાલીઓ વ્યસ્ત થઈ જશે. આ તમામ પ્રક્રિયાઓ તથા તૈયારીઓ દરમિયાન ખાસ કરીને મધ્યમ વર્ગિય પરિવારો માટે સંતાનોના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાઓ કરવી એ એક મોટો પડકાર હશે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧ર મું-સાયન્સ પ્રવાહનું ૯૦ ટકા જેવું પરિણામ આવ્યું અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયન્સ પ્રવાહનું ૮૭ ટકા જેવું પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લામાં લગભગ ૯૩ ટકા જેવું પરિણામ આવ્યું, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયન્સ પ્રવાહનું પરિણામ ૯પ ટકાથી વધુ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ગયા વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩ થી ૯૪ ટકાની વચ્ચે હતું, જે આ વખતે ૯૩ ટકાથી થોડુક નીચું (૯ર.૯૯ ટકા) રહ્યું છે, તો ગયા વર્ષે જામનગર જિલ્લાનું સાયન્સ પ્રવાહનું પરિણમ લગભગ ૯૧ ટકાને આંબવા જઈ રહ્યું હતું, તે ઘટીને ૯૦ ટકા થયું છે. આમ, આ વખતે ઊંચા પરિણામો આવવા છતાં ગત્ વર્ષની સરખામણીમાં જામનગર જિલ્લાનું ધોરણ ૧ર નું એકંદરે પરિણામ ઓછું આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯પ.ર૭ ટકા છે, જે ગત્ વર્ષે ૯પ.૬૯ ટકા હતું, જે નજીવો ઘટાડો દર્શાવે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે ૮૬.૮૮ ટકા આવ્યું છે, તો ગત્ વર્ષે ૯૦.૮૮ ટકા હતું જે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
આમ, એકંદરે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ગત્ વર્ષના પરિણામોની સરખામણીમાં એકંદરે હાલારમાં આ વર્ષે ઘટાડો થયો છે, જેના કારણોના વિશ્લેષણો થશે અને તારણો નીકળશે, પરંતુ અત્યારે તો ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ 'આગળ હવે શું?' ક્યાં એડમિશન લેવું તેની મથામણ સાથે અને એડમિશન પછીની સંલગ્ન વ્યવસ્થાઓની દોડધામમાં લાગી ગયા છે.
આ અહેવાલો વચ્ચે જામનગર જિલ્લામાં નગર સહિત ૯ જેટલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૦૦ ટકા જેવું પરિણામ આવ્યું હોવાના અહેવાલોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ અનુસાર વર્ગિકરણ જોતા એકંદરે સારૃં પરિણામ હોવા છતાં પણ ગત્ વર્ષના હાલારના પરિણામોની સરખામણીમાં ઓછું પરિણામ આવ્યું હોય તો તેનું ચિંતન પણ કરવું જ જોઈએ, અને ચિંતા કરવાની સાથે સાથે જ્યાં જ્યાં નબળા પરિણામો આવ્યા હોય, ત્યાં ત્યાં આગામી વર્ષે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ગઈકાલે એક તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોનો ઝંઝાવાત હતો, તો બીજી તરફ ગુજરાત એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડના પરિણામો આવી રહ્યા હતાં. બોર્ડના પરિણામો પછી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની બુનિયાદ મજબૂત બને, તે પ્રકારની પસંદગીમાં વ્યસ્ત છે, તો ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો નવી સરકારોની રચનાની તૈયારીઓ માટે ગડમથલ કરી રહ્યા છે. આ વખતે જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. માત્ર તમિલનાડુમાં ટીવીકેને જુજ બેઠકો ઘટે છે, જેની જોગવાઈ તો તે કરી જ લેશે.
આ વખતેના પરિણામો આવ્યા પછી સામાન્ય જન-પ્રતિભાઓ તથા નેતાઓના પ્રત્યાઘાતો ઘણાં જ રસપ્રદ છે. આ પરિણામોમાં ભાજપ-એનડીએનો હાથ ઊંચો રહ્યો હોવા છતાં કોંગ્રેસ માટે પણ આ ચૂંટણીઓ થોડી ફળદાયી નિવડી હોય તેમ જણાય છે. કેરલમાં સત્તા મેળવી અને તમિલનાડુમાં કિંગમેકરની સ્થિતિ પ્રાપ્ત થઈ, તે કોંગ્રેસ માટે દક્ષિણ ભારતમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે, જો કે ઉત્તર-પૂર્વ ભારતમાં કોંગ્રેસનો રકાસ કોંગ્રેસ માટે ચિંતા-ચિંતન અને આત્મમંથનનો વિષય પણ છે.
પ. બંગાળમાં મમતા દીદીની અસાધારણ હાર તથા તમિલનાડુમાં સ્ટાલિનનો ભૂંડો પરાજય અને આસામમાં ગૌરવ ગોગોઈ એ દર્શાવે છે કે લોકતંત્રમાં જનતા જ સર્વોપરિ છે અને વિફરે (નારાજ થાય) તો માત્ર સત્તાધારી પાર્ટીને જ નહીં, દિગ્ગજ નેતાઓને પણ ઈવીએમના માધ્યમથી ઘરભેગા કરી શકે છે. આથી અત્યારે પ્રચંડ બહુમતથી પુનઃ ચૂંટાયેલા કે નવો જનાદેશ મેળવેલા પક્ષો અને નેતાઓએ પણ ઘમંડ કે ફાંકામાં રહેવા જેવું નથી, પરંતુ 'માપ'માં રહીને વાસ્તવિક 'જનસેવા'માં લાગી જવાનું છે.
જો પ્રત્યાઘાતોની વાત કરીએ તો ભારતના પ્રેસ-મીડિયામાં તો સ્વભાવિક રીતે જ જેનો વિજય થયો તેના ગુણગાન ગવાઈ રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રેસ-મીડિયામાં પણ ભાજપના વિજયના દ. ભારતમાં કોંગ્રેસને સમર્થન અને ડાબેરી પક્ષોને ઝટકાના સમાચારો સાથે વિશ્લેષણો થઈ રહ્યા છે.
ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું પણ ગઈકાલે પરિણામ આવ્યું. આ પરિણામ અપેક્ષિત જ હતું, કારણ કે આ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડી હતી અને ત્યાં ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી, તેથી સહાનુભૂતિ તથા સ્વર્ગસ્થ ગોવિંદભાઈની કારકિર્દીની અસરોના કારણે આ વિજય નક્કી જણાતો હતો. આમ પણ પેટા ચૂંટણીઓમાં રાજ્યમાં જેની સત્તા હોય તેના તરફી જ મોટાભાગે જનાદેશ મળતો હોય છે, જો કે આ મતગણતરી દરમિયાન ર૩૦૦ થી વધુ મતો 'નોટા'ને પણ મળ્યા હતાં, તો કોંગ્રેસના ઉમેદવારે પોતાના પરાજય માટે ઈવીએમને દોષિત ઠેરવ્યું હોવાના અહેવાલો પછી વિવાદ છેડાયો હતો, જો કે ખેલ અને ચૂંટણીઓમાં તો જો જીતા વોહી...!
એવું કહેવાય છે ક ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ અહેવાલો વહેતા થતા જ હાલારમાં હલચલ વધી રહી છે અને વિવિધ અટકળો પણ થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો