Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના અંબાલામાં વાડામાંથી ર૧ ઘેટા-બકરાની ચોરી થયાની ફરિયાદ

સોમવારની રાત્રે કોઈ શખ્સ વાડામાં ત્રાટક્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જોડિયાના અંબાલા ગામમાં આવેલા એક પશુપાલકના વાડામાંથી ગયા સોમવારની રાત્રે કોઈ શખ્સો અગિયાર માદા ઘેટા, બે નર ઘેટા અને આઠ બકરાની ચોરી કરી ગયા છે. પોલીસે અંદાજે રૂ.૧ લાખ ૬૮ હજારના પશુ ચોરાયાનો ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

જોડિયા તાલુકાના અંબાલા ગામમાં વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બિજલભાઈ ભીખાભાઈ લાંબરીયાનો તેમના ઘર પાસે જ પશુ બાંધવા માટેનો વાડો આવેલો છે. તે વાડામાંથી ગયા સોમવારની રાત્રે સાડા બાર વાગ્યાથી મંગળવારની સવાર સુધીમાં ૨૧ ઘેટા બકરા કોઈ શખ્સો હાકી ગયા છે.  બીજા દિવસે સવારે જ્યારે બિજલભાઈએ તેમના વાડામાંથી આઠ બકરા, અગિયાર માદા ઘેટા, બે નર ઘેટા ઓછા થયેલા જોતા તેની તપાસ કરી હતી પરંતુ આ ર૧ પશુઓની ભાળ ન મળતા આખરે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh