Advertisement
Author: નોબત સમાચાર

ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખાતાદીઠ ૩૦૦ મણની ખરીદી કરવા રજુઆત

જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખાતાદીઠ ટેકાના ભાવે વધુમાં વધુ ૨૦૦ મણ મગફળી ખરીદવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.પી. મારવીયાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને ખેડૂતો પાસેથી ખાતાદીઠ ૩૦૦ મણ મગફળી ખરીદ કરવામાં આવે તેવી રજુઆત કરી છે.

ખરીદીના સમયે ભષ્ટાચાર ન થાય, ઉતારા, તોલમાપ-વજનમાં ગેરરીતિ ન થાય, બારદાનમાં સમાવવાનો પ્રશ્ન ન થાય, સમયસર નોંધણી પ્રમાણે ક્રમ મુજબ લેવામાં ખ્યાલ ન હોય તો વારો જતો રહે, સમયસર નાણા ખાતામાં જમા ન થાય. આમ અનેક પ્રકારની સમસ્યાઓ ખેડૂતોને ઉદ્ભવતી હોય છે. આથી ખેડૂતોને તાત્કાલીક સરકારે જાહેર કરેલ ખરીદીનો ભાવ તથા વજન પ્રમાણે જથ્થો ખરીદી કરવામાં સરળતા અને યોગ્ય ન્યાય તથા સહાયતા મળી રહે તેવી રજુઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh