Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીન તળાવ, વાવ અને પ્રતિમાઓ તથા પનોતી માતાજી સાથે
ખંભાળિયાતા. ર૯: શનિદેવના જન્મસ્થળ પનોતી માતાજીના પ્રાચીન મંદિરો ધરાવતા હાથલાના વિકાસ માટેના ચક્રો ગતિમાન થયા છે.
દ્વારકા જિલ્લાના ઐતિહાસિક તથા સમગ્ર ભારતમાં એક માત્ર શનિદેવના જન્મ સ્થાન હાથલા કે જ્યાં અઢી વર્ષ તથા સાડાસાતી પનોતીનું ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં શનિ જયંતી, શનિ અમાવાસ્યા તથા શનિવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. તેના વિકાસ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવેલા હતાં તથા પૂર્વ રાજ્યમંત્રીઓ બાબુભાઈ બોખીરીયા તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખાતમુહૂર્ત પણ થયું હતું, પરંતુ આ પછી કોન્ટ્રાક્ટરે કામ ચાલુ ના કરતા તેની સામે શિક્ષતાત્મક કાર્યવાહીઓ થયા પછી ફરીથી કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમંત્રી તથા શનિદેવના ખાસ ભક્ત મૂળુભાઈ બેરા દ્વારા તંત્રને ઝડપથી કામગીરી કરવા સૂચના આપવામાં આવતા પી.ડબલ્યુ.ડી. કાર્યપાલક ઈજનેર યુ.બી. ચૌધરી દ્વારા રિવાઈઝડ એસ્ટીમેન્ટ માટે અમદાવાદથી કન્સલ્ટન્ટને બોલાવતા ટીમ દ્વારા હાથલાની મુલાકાત લઈને વિકાસ કાર્ય અંગે આયોજન એસ્ટીમેટ કરાયું હતું જે પછી ટૂંક સમયમાં ટી.એલ. મેળવી આગળ કાર્યવાહી થશે.
શનિદેવ મંદિર હાથલામાં પ્રાચીન બે શનિદેવની મૂર્તિઓ, પ્રાચીન વાવ, પ્રાચીન સાડાસાતી તથા અઢી વર્ષની પનોતીના મંદિરો હનુમાનજી મંદિર, બીલ્વપત્રના વૃક્ષ નીચે શિવલીંગ તથા પ્રાચીન તળાવ પણ આવેલું છે જ્યાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial