Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જશ્ને ગૌષિયા નિમિત્તે સુન્ની-મુસ્લિમ જમાત દ્વારા નીકળ્યુ ઝુલુસઃ હજારો બિરાદરો જોડાયા

ઈમામ અફરોઝના નારાઓ ગુંજ્યાઃ ઠેર-ઠેર ન્યાઝ સાથે સ્વાગતઃ નગરભ્રમણ પછી મૌલાનાની તકરીરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા ૬: જશ્ને ગૌષિયા નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત જામનગર દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું અનેરા ઉત્સાહ-અદબ અને અકિદત તથા ઉમંગ સાથે ઝુલુસ પસાર થયું હતું. જેમાં હજારો સુન્ની મુસ્લિમ બિરાદરો હાજર રહી બારગાહે ગૌષિયામાં ખિરાજે અકિદત પેશ કરી હતી.

સવારે ૯ વાગ્યે નારા એ તકબીર, નારા એ રિસાલત તથા ગૌષ કા દામન નહીં છોડેંગે ના ઈમામ અફરોઝ નારાઓથી શરૂ થયેલ ઝુલુસના રસ્તામાં ઠેર-ઠેર ગરમ દૂધ, ચા-કોફી, બોર્નવિટા, બિસ્કિટ, ચોકલેટ, હલવા, નમકીન, ખજુર-ગાંઠીયા અને ઠંડુ પાણી વગેરે ન્યાઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝુલુસ જુમ્મા મસ્જીદ પાસે પહોંચેલ ત્યારે ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલ રશીદ અને અન્ય ટ્રસ્ટીઓએ ઝુલુસનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

જશ્ને ગૌષિયાના મોકા પર પ્યારા નબીના પ્યારા રૂહાની ફરઝંદ હઝરત ગૌષે આઝમ પ્રત્યે પોતાની ખિરાજે આકિદત પેશ કરવા સુન્ની મુસ્લિમ આગેવાનો, કમિટીના કાર્યકર્તાઓ સામેલ થયા હતા.

ઈસ્લામનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસો પૈકી ગૌષે આઝમ દસ્તગીરની અગ્યારમી શરીફના પવિત્ર તહેવાર નિમિત્તે સવારે ૯ વાગ્યે શરૂ થયેલું ઝુલુસ સાયરપીર ચોક, સઈના વંડા થી  શરૂ થઈ, હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ, પાંચ હાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જીદ, ટાવર મસ્જીદ, ચાંદીબજારથી પુનઃ દરબારગઢ ચોકમાં બપોરે ૧૨ વાગ્યે સમાપ્ત થયું હતું. ઝુલુસના સમાપન સમયે મૌલાના મુસ્તાકબાપુ બ્લોચ તરફથી ગૌષે આઝમ દસ્તગીરની કરામતો અને તેમના પવિત્ર જીવન કાર્યોનું વર્ણન કર્યું હતું. ઝુલુસમાં જામનગર શહેરની સુન્ની મુસ્લિમ જમાતોમાં કુરેશી જમાત, ખાટકી જમાત, ખ્વાઝા નુરી કમિટી વગેરે જમાતો અને કમિટીઓની મિલાદ પાર્ટીઓ દરૂદો સલામ અને મિલાદ શરીફ પઢતા પઢતા ઝુલુસમાં સામેલ થયા હતા.

સુન્ની મુસ્લિમોએ પોતાના વાહનોને શણગારી પૂરી અકિદત અને મહોબ્બત સાથે ઝુલુસમાં સામેલ થયા હતા. ઝુલુસ રસ્તાઓ પરથી પસાર થયું ત્યાં જશ્ને ગૌષિયાના બેનરો અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો તથા ઉલ્માએ કિરામની સદારતમાં શરૂ થયેલા ઝુલુસમાં મસ્જીદોના ઈમામ સાહેબો મોટી સંખ્યામાં ઝુલુસમાં સામેલ થયા હતા. જેમાં મુસ્તાકબાપુ બ્લોચ, મૌલાના અબ્દુલ કાદર આરબ, સૈયદ ઈમ્તિયાઝ બાપુ અને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી, હાજી અબ્દુલાભાઈ ખલીફા, ઈકબાલ બેલીમ, સીદીક કુરેશી, અશરફભાઈ ઘોરી, હાજી ઈકબાલભાઈ ખુરેશી, દાઉદભાઈ તુરીયા, એડવોકેટ યુસુફ કુરેશી, ઈશાક કુરેશી, હાજી જુમ્માભાઈ ખીરા, ડો.ઝાહીદ રાઠોડ,અયુબભાઈ દરબાર, આસિફભાઈ શેખ, રફીકભાઈ દરજાદા, મુસ્તાક ખેરાણી વગેરે અનેક આગેવાનો, કાર્યકરો તેમજ સુન્ની મુસ્લિમ બિરાદરો સામેલ થઈ ખિરાજે અકિદત પેશ કરી હતી.

ઝુલુસમાં સામેલ તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોનો અને વ્યવસ્થાતંત્ર-પોલીસતંત્રનો સુન્ની મુસ્લિમ જમાત તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh