Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ આતંકી હૂમલો થયા પછી એક તરફ તો આખો દેશ એકજૂથ થઈ ગયો, સરકારની તરત જ ભૂલો કાઢવાના બદલે વિપક્ષોએ સરકાર દ્વારા પાકિસ્તાન સામે લેવાઈ રહેલા પગલાઓને સમર્થન આપ્યુ, અને અનેક મસ્જિદોમાં આતંકવાદી કૃત્યને વખોડવાની સાથેસાથે ભારતીય મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી અને આતંકીઓની તસ્વીરોને પગ તળે કચડીને પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો, તો બીજી તરફ કેટલાક બટકબોલા નેતાઓએ મનફાવે તેવા ઉટપટાંગ નિવેદનો કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો, કેટલાક નેતાઓએ હિન્દુ-મુસ્લિમ વિવાદ વકરાવવાનો પાકિસ્તાનનો બચાવ કરતા હોય તેવા નિવેદનો કર્યા. એક તરફ મોદી સરકારના ઘોર વિરોધી અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ આતંકીઓના નાપાક અને નિંદનીય કૃત્યને ખૂબ જ કડક ભાષામાં વિરોધ કરીને નમાઝ વખતે હાથોમાં કાળી પટ્ટી બંધાવી અને બાંધી, તો બીજી તરફ કેટલાક નેતાઓએ પહલગામમાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને હત્યાઓ કરી, તેવી જ રીતે દુકાનોમાંથી ખરીદી કરતા પહેલા તે દુકાનદારનો ધર્મ પૂછવાની વાહિયાત સલાહો આપી. મહારાષ્ટ્રમાં તો ભાજપના જ એક દિગ્ગજ નેતાએ કરેલુ આ પ્રકારનું ભાષણ એટલુ ચર્ચાસ્પદ બન્યુ છે કે, જેને લઈને ભાજપની નેતાગીરીને પણ ભોંઠપ અનુભવવી પડી હશે. ઘણાં લોકો એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે કે, આ પ્રકારના નિવેદનો કોઈ "ગોડફાધરો" ના ઈશારે જ અપાતા હશે, અન્યથા કોઈપણ વિવાદાસ્પદ નિવેદન પછી સંબંધિત રાજકીય પક્ષે તે નેતાની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જે થતી નથી, પરંતુ તે નિવેદનો સાથે પાર્ટી સહમત નથી, તેવું નિવેદન કરીને થાબડભાણાં કરવામાં આવે છે. આ પ્રકારના બોલકા નેતાઓની બોબડી બંધ રહે તો સારૂ...
પહલગામમાં આતંકી હૂમલો થયો, તે પછી ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ તથા ત્યાં ચાલતા લોલંલોલની પોલ ખૂલી ગઈ, અને ત્યાંના તંત્રો તથા સરકાર સામે સવાલો ઉઠવા લાગ્યા. કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ મૂળભૂત સવાલો પૂછ્યા અને આ ઘોર બેદરકારીની જવાબદારી નક્કી કરવાની માંગણી ઉઠવા લાગી, તો તે સવાલોના જવાબો આપવાના બદલે શાસક પક્ષના કેટલાક નેતાઓ પણ ઉટપટાંગ નિવેદનો કરવા લાગ્યા, પરંતુ એ સમજી લેવાની જરૂર છે કે, સિસ્ટમ, સરકાર કે તંત્રો વિરૂદ્ધ બોલે તેઓ નહીં, પણ દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરતા હોય, તેને જ ગદ્દાર કહી શકાય... લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે.
જો કે, ગઈકાલે યુટયુબર મહિલા નેહાસિંહ રાઠોડ સામે નોંધાયેલી એફઆઈઆર પછી તેની સામે ગંભીર આક્ષેપો થતા નવો જ વિવાદ શરૂ થયો છે.
આપણા દેશના બંધારણમાં જ નહીં, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ માનવતા, સહ્ય્દયતા, નૈતિકતા અને વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના ધબકે છે. આ દેશમાં નરફત કે ભેદભાવને પહેલેથી જ કોઈ સ્થાન નથી, ત્યારે જો આપણે પણ માથા ફરેલા આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવા લાગશું, તો આપણામાં અને એ આતંકવાદીઓ વચ્ચે ક્યો તફાવત રહેશે...?
લોકતંત્રમાં બધાને બોલવાની સ્વતંત્રતા હોય છે, પરંતુ તેમાં પણ મર્યાદાઓ રાખવી જરૂરત છે. એવા નિવેદનો તો ન જ થવા જોઈએ, જેથી વૈમનસ્ય વધે, હિંસા ભડકે કે વર્ગવિગ્રહ જેવી સ્થિતિ ઊભી થઈ જાય. આ કાળજી ઉભયપક્ષે રાખવી જ જોઈએ, અન્યથા મોટા અનર્થો સર્જાઈ શકે છે.
નેહા રાઠોડ મુદ્દે વિવાદ જાગ્યા પછી એવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે કે, સરકાર સામે સવાલો ઉઠાવવાને દેશદ્રોહ કેવી રીતે ગણી શકાય...?
પાકિસ્તાની નેતાઓ તથા શાહબાઝ સરકારના મંત્રીઓ દ્વારા પણ ભારતને અણુબોમ્બની ધકમી આપવામાં આવી રહી છે અને ચીન-રશિયા પાસે પહલગામ હૂમલાની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે, જેને ચીનનું પણ સમર્થન મળ્યું છે. પાક.સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલે છે કે ખોટું તેની આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમ બનાવીને તટસ્થ તપાસ કરાવવી જોઈએ. આ પ્રકારની માંગણી કરવાની સાથેસાથે ચીન અને રશિયાનું નામ પાકિસ્તાને સૂચવ્યું હોવાથી અમેરિકાના ભવા પણ ઊંચા થયા છે, તો બીજી તરફ ભારતના ટ્રેડ યુનિયનોએ પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો વ્યાપાર બંધ કરી દેતા પાકિસ્તાનને અબજો રૂપિયાનો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. સિંધુ સમજૂતિ રદ્દ કરવાની ભારતે કરેલી જાહેરાત પછી પણ પાકિસ્તાનમાં ડર ફેલાયો છે, તો ભારત યુદ્ધ શરૂ કરે તે પહેલા પાકિસ્તાનની સેનાના જવાનો મોટી સંખ્યામાં રાજીનામા સોંપીને સેના છોડી રહ્યાં હોવાના પણ અહેવાલો આવ્યા છે, અને જેલમ નદીમાં પૂર આવતા મુઝફફરબાદમાં સર્જાયેલી સ્થિતિ માટે પાકિસ્તાનએ ભારતને જવાબદાર ગણાવ્યું છે.
જો કે, ભારત કોઈ મોટું કદમ ઉઠાવશે, તેવી ગઈકાલે દિવસભર અટકળો ચાલી અને દેશ અને દુનિયામાં ભારત સરકાર હવે શું કરશે તેવો સવાલ ઉઠતો રહ્યો હતો.
પશ્ચિમ બંગાળની પોલંપોલ અંગે કેન્દ્ર સરકારની મુખ્ય જવાબદારી ગણાય, અને સ્થાનિક તંત્રો પણ જવાબદાર છે તેથી ભારતમાં પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની ખામી અંગે મોદી સરકાર અને ઓમર અબ્દુલ્લાની રાજ્ય સરકાર પર પસ્તાળ પડતી રહી અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બોલાવાયેલા વિશેષ સત્રમાં પણ તેના પડઘા પડશે, તે પહેલેથી નક્કી જ હતું. જમ્મુકાશ્મીર સરકારના સ્થાનિક તંત્રો પણ પહલગામ મુદ્દે સવાલોના ઘેરામાં છે.
ટૂંકમાં પહલગામની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછવામાં આવે કે, કેન્દ્ર અને કાશ્મીરની સરકારોની સુરક્ષા નીતિ કે કેન્દ્રની વિદેશનીતિની ટીકા કરવામાં આવે, તે આપણાં લોકતાંત્રિક દેશમાં નાગરિકો અને પ્રેસ મીડિયા તથા રાજકીય પક્ષોનો અધિકાર છે, અને દેશના વિરોધમાં કે પાકિસ્તાનની તરફેણમાં કે દેશવિરોધી નિવેદનો આપનારા સિવાયના પ્રશ્નોને 'ગદ્દારી" કેવી રીતે ગણાવી શકાય...? તેવા કટાક્ષો પણ અસ્થાને નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જેવા શહેરોમાં નો-હોકીંગ, નો-પાર્કિંગ, વનવે જેવા પ્રતિબંધો હોય કે દ્વારકાની ગોમતી નદીના દરિયા સાથે થતા સંગમ સ્થળની આજુબાજુ ઉંડા પાણીમાં ન્હાવા પર પ્રતિબંધ હોય, કે પછી હિમાલય, જમ્મુ-કાશ્મીરના કેટલાક જોખમી સ્થળો પર કેટલીક ઋતુમાં હરવા-ફરવા જવા પરના પ્રતિબંધો હોય, નિયમ-કાનૂન-પ્રતિબંધની કડક અમલવારી, સુરક્ષા, સલામતી અને જરૂર પડ્યે રાહત-બચાવ-પ્રતિકાર કરવાની વ્યવસ્થાઓ જ ન હોવી અથવા બોદી કે અપૂરતી વ્યવસ્થાઓ હોવી અને કડક અમલવારી નહીં થવી, એ આપણાં દેશમાં સામાન્ય બાબત ગણાય છે, એટલું જ નહીં કુદરતી રીતે જોખમી, આતંક પ્રભાવિત કે નકસલ પ્રભાવિત વિસ્તારોમાં જનસુરક્ષા માટે લાદવામાં આવતા કેટલાક પ્રતિબંધોમાં ભ્રષ્ટ તંત્રો અને કેટલાક લાલચુ ધંધાર્થીઓ દ્વારા થતો ખિલવાડ ઘણી વખત જીવલેણ અને ગમખ્વાર બનતો હોય છે, તેનું દૃષ્ટાંત તો પહલગામની આતંકી અને ઘાતકી ઘટનાએ આપી જ દીધું છે ને...?
દ્વારકાનું જગત મંદિર આમ તો કાયમી ધોરણે સઘન સુરક્ષાના ઘેરામાં જ રાખવામાં આવે છે, પરંતુ પહલગામ હૂમલા પછી ત્યાં હાઈએલર્ટ જાહેર કરીને મંદિરની સુરક્ષા વધારવા ઉપરાંત દરિયાઈ પેટ્રોલીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે, અને તંત્રોને યાત્રિકો-ભાવિકો પણ સહયોગ આપી રહ્યાં છે. આ જ પ્રકારની સતર્કતા અને સહયોગ ગોમતીજી કે દરિયાના ઉંડા પાણીમાં ન્હાવા નહીં જવા માટે પણ દાખવવામાં આવે તો ડૂબી જવાથી યાત્રિકોની જિંદગી ગુમાવવાની ગમખ્વાર ઘટનાઓ ઘટાડી શકાય. અહીં માત્ર "મનાઈ છે" ના બોર્ડ લગાવીને છૂટી જતા તંત્રો આ સ્થળે સાવચેતી અને રેસ્ક્યૂ બોટ સાથેની ટીમો કાયમી ધોરણે રાખે, તેવી માંગણી પણ અવાર-નવાર ઉઠતી હોય છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ સ્થાનિક તંત્રો, નેતાઓ કે અધિકારીઓ આ મુદ્દે હાલમાં સળવળતા જ નથી...!!
એવું કહેવાય છે કે, પહલગામમાં જ્યાં આતંકી હૂમલો થયો, તે સ્થળ તો અમરનાથ યાત્રા સમયે જૂન મહિનામાં જ ખૂલે છે, તો પછી આ સ્થળ આટલું વહેલું કેવી રીતે અને કોની મંજૂરીથી ખૂલી ગયું...? તેવો સવાલ ઉઠી રહ્યો છે, અને સ્થાનિક તંત્રો, ટૂર-ઓપરેટરો કે લાલચુ સંલગ્ન વ્યવસાયિકોએ જો સરકારની જાણ બહાર આ સ્થળ ખોલાવ્યું હોય તો તે તમામ જવાબદારોના આ કૃત્ય અથવા લાપરવાહીને પણ ગંભીર ગણીને અથવા આતંકવાદીઓને મદદ કરવાના આક્ષેપો મૂકીને કડકમાં કડક નશ્યત થવી જ જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં જો સરકારના નાકની નીચે જ આ પ્રકારની લોલંલોલ ચાલી હોય તો એ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને જવાબદાર ગણીને તેમનું રાજીનામું માંગવામાં આવી રહ્યું હોય અને જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના તાબા હેઠળના સ્થાનિક સંલગ્ન તંત્રો સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી હોય, ત્યારે આ ગંભીર પ્રકારની ક્ષતીઓની માત્ર કબૂલાત કરી લેવાથી જ નહીં ચાલે, પરંતુ નૈતિક જવાબદારી સ્વીકારવાની પણ તૈયારી રાખવી જ પડે ને...?
અત્યારે આ સંવેદનશીલ મુદ્દે વિપક્ષોએ પ્રારંભમાં રાજનીતિ કરવાથી અંતર જાળવ્યું, તે આવકારદાયક છે, અને સર્વપક્ષીય બેઠક અને તે પછી વિપક્ષોએ ઉઠાવેલા પ્રશ્નો તથા કોંગ્રેસે પૂછેલા ૬ સવાલોના જવાબો આપીને સરકારે પણ વિશ્વસનિયતા અને રાષ્ટ્રીય એકજૂથતાનું પ્રમાણ આપવું જોઈએ, તેવો જનમત પણ ઘડાઈ રહ્યો છે.
આપણા દેશમાં "લાપરવાહી" અને "મિલિભગત" રાષ્ટ્રવ્યાપી છે. જામનગરમાં "નો હોકીંગ ઝોન" ના કડક અમલ માટે ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવા પડે, અને બર્ધનચોકમાં વારંવાર ચેકીંગ છતાં ફરીથી "જૈસે થે" ની સ્થિતિ ઊભી થઈ જતી હોય, તો તેમાં કોઈને કોઈ "ગોડફાધર" ના આશીર્વાદ હોય કે "મજબુત હપ્તા સિસ્ટમ" ના પ્રભાવથી ચેકીંગની આગોતરી જાણ થઈ જતી હોય તેવું બની શકે, તેવી આશંકાઓ પણ હવે ઉઠવા લાગી છે, ત્યારે આ આશંકાઓ સંબંધિત તંત્રો અને મનપાના વિભાગો માટે પણ કલંકરૂપ જ ગણાય છે...?
બીજી તરફ ફૂટપાથો પર પોતાની વેંચાણ કરવાની સામગ્રી, જાહેરાતના બોર્ડ કે ફર્નિચર વિગેરે ગોઠવીને વેપારીઓ વિગેરે દ્વારા થતુ દબાણ પણ રેંકડી, પથારાવાળાના દબાણો જેટલું જ ટ્રાફિક અને જનસુવિધા માટે અવરોધક છે, તે પણ સમજવું પડશે.
જામનગરના ઘણાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બને તેવી રીતે તોતીંગ વાહનો કલાકો સુધી પાર્ક કરવાની સમસ્યા સામે પણ કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરવામાં આવે છે.. નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ફરતી ગાડીઓ પૈકીના કેટલાક વાહનોમાંથી રોડ પર ઢોળાતો જતો કચરો અથવા ગંદકી, પાણીના ટેન્કરોના લીકેજ થતા રહેતા નળ, માટી-મોરમ વિગરે બાંધકામ સામગ્રી લઈને જતા વાહનોમાંથી રોડ પર પડતા જતા માટી-મોરમ, કાંકરી વિગેરેના કારણે ઊભા થતા જોખમો સામે પણ આપણે તદ્દન બેદરકાર જ રહીએ છીએ, અને નગરના કેટલાક માર્ગો પર તોતીંગ વાહનોના લાંબા સમય સુધી થતા ખડકલા પણ જનસુવિધા માટે અવરોધક છે, પણ કોઈ કાંઈ બોલતું નથી, અને કોઈ કાંઈ કરતુંય નથી...!!
એક કહેવતને થોડી મોડીફાય કરીએ તો કહી શકાય કે 'દરકાર હટી તો દુર્ઘટના ઘટી' ની નગરથી નેશન સુધી અને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રદેશો સુધી આ જ પ્રકારની "સમાન" માનસિકતા રહેતી હોય, તો તેના મૂળમાંથી જ સુધારો થવો જોઈએ, અને તેના માટે કોઈ મહાન, અહિંસક પરંતુ પરિણામલક્ષી જનક્રાન્તિની રાહ જોવી પડશે, તેવું લાગે છે.
આજે ફરીથી પાકિસ્તાન તરફથી બોર્ડર પર ફાયરીંગ થયુ. યુએનએસસીએ પણ પહલગામ હૂમલાને વખોડ્યો. ઘણાં દેશોએ ભારત પ્રત્યે સમર્થન જાહેર કર્યુ, તેથી અત્યારે પીઓકે પાછુ મેળવવાનો મોકો છે, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યાં છે, અને પહલગામની ઘટના માટે કારણભૂત ગંભીર ક્ષતિઓ, લોલંલોલ અને લાપરવાહીને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છો ત્યારે હવે મોદી સરકાર આ સવાલોના શું જવાબો આપે છે, અને પાકિસ્તાનને કલ્પના ન હોય તેવો પાઠ ક્યારે ભણાવે છે, તે જોવું રહ્યું...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બાબા વેંગાએ સિરિયાના પતન પછી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જશે, તેવી આગાહી કરી હતી, તેવી જ રીતે નાસ્ત્રેદમસથી લઈને અત્યાર સુધીના ઘણાં ભવિષ્યકારોએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહીઓ કરી છે, અને તેના માટે ભિન્ન-ભિન્ન કારણો આપવામાં આવે છે, અને તેમાં એક કારણ સમાન રહે છે અને તે છે પાણી...
લગભગ તમામ આગાહીકારો અથવા ભવિષ્યવેતાઓ એવું સમાન રીતે માને છે કે, ભવિષ્યમાં શુદ્ધ પાણીની તંગી વધી જશે અને તેને લઈને લોકો વચ્ચે જ નહીં, દુનિયાના કેટલાક દેશો વચ્ચે પણ યુદ્ધો થશે.
ત્રીજા વિશ્વયુદ્ધ માટે મહાસત્તાઓ અથવા શક્તિશાળી દેશો વચ્ચે વર્ચસ્વ અને પ્રતિષ્ઠાનો જંગ, સીમાવિવાદો, દરિયાઈ સીમાઓના વિવાદો, આતંકવાદ અને આર્થિક આધિપત્ય જેવા કારણો વર્ણવાઈ રહ્યાં છે, અને મોટાભાગની ભવિષ્યવાણીઓમાં પાણીના કારણે થનારા યુદ્ધો વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે, અને હવે તે ભવિષ્યવાણીઓ કદાચ સાચી પડી જાય, તેવા સંજોગો પણ ઊભા થવા લાગ્યા છે.
પહલગામ હૂમલા પછી ભારતે સિંધુ જળ સમજૂતિ પાકિસ્તાન આતંકવાદને સીમાપારથી ભારતમાં વકરાવવાનું બંધ ન કરે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાની જે જાહેરાત કરી છે, અને ગઈકાલે મળેલી સર્વપક્ષિય બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ ભારત સરકાર પહલગામ હૂમલા પછી તેના પ્રતિકારમાં આતંકવાદ સામે જે કદમ ઉઠાવે, તેના સમર્થનમાં હોવાની જાહેરાત કરી છે, તે પછી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે, અને પાકિસ્તાનની ખેતી, સિંચાઈ, વીજ ઉત્પાદન તથા પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓને કેટલી છીન્ન-ભિન્ન થઈ શકે છે, તેના અંદાજો મૂકાવા લાગ્યા છે.
જો ભારત ક્રમશઃ સિંધુ જળ સમજૂતિને રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરે, તો તેને પાકિસ્તાન હળવાશથી લેશે નહીં અને ભારતે પાક. વિરોધી કદમો ઉઠાવ્યા પછી પાકિસ્તાને પણ કેટલીક જાહેરાતો કરી છે અને યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે, તે જોતા તો એવું લાગે છે કે, જળસંધિનો મુદ્દો જ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધારવાની બુનિયાદ બની શકે છે, અને તે પછી લિમિટેડ વોર કે પૂર્ણાકક્ષાના યુદ્ધ માટેના અન્ય કારણોનું સંયોજન થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.
સાથેસાથે ભારત પીઓકે પાછું મેળવવા માટે પણ પ્રયાસ કરી શકે છે, અને તેમ થાય તો ચીનનો કોરિડોર પ્રોજેક્ટ વધુ ઘોચમાં પડે તેમ હોવાથી ચીન જે ખૂલ્લેઆમ પાકિસ્તાનની તરફેણ કરે, તો ભારતના મિત્ર દેશો તથા ચીન વિરોધી દેશો ભારતની તરફેણમાં આવી શકે છે. આતંકવાદના મુદ્દે પણ વિશ્વની મોટાભાગની શક્તિશાળી સત્તાઓ ભારતની તરફેણમાં છે, તેવામાં ચીન બ્રહ્મપુત્રાનું પાણી અટકાવવાની મેલી મુરાદને આગળ વધારીને નદીઓના જળનો જ હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે...
ટ્રમ્પ ટેરિફ વોર અને વિશ્વમાં ચાલી રહેલા નાના-મોટા યુદ્ધોમાં જો ભારતીય ઉપખંડમાં પણ વિવિધ કારણોસર યુદ્ધની સ્થિતિ ઊભી થાય, અને વૈશ્વિક સમીકરણોમાં ઉલટફેર થાય તો દુનિયા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી ઢસેડાઈ શકે છે.
નદીઓ તથા સરોવરોના વિવાદો માત્ર ભારતીય ઉપખંડમાં નથી, પણ દુનિયાભરમાં છે. તે ઉપરાંત અખૂટ ખારૂ પાણી ધરાવતો અખૂટ દરિયાઈ સંપદા અને ઋતુચક્રનું કેન્દ્ર એવો દરિયો પણ હમાણાંથી વિશ્વના જુદા-જુદા દેશોના યુદ્ધનું જળમેદાન બની રહ્યો છે, એવામાં દરિયાઈ સરહદો, જળમાર્ગો અને દરિયાઈ સંપત્તિ પણ વિશ્વના જુદા-જુદા દેશોને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
હમણાંથી યુવાનવયે હ્ય્દયરોગથી મૃત્યુના કિસ્સા વધી રહ્યાં છે, તેથી હ્ય્દયરોગને લઈને જનજાગૃતિ ફેલાવાઈ રહી છે, અને કાર્ડિયાક એટેક અથવા હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો (સિમ્ટમ્સ) અથવા સંકેતો મળતા હોય છે, તે અંગે ઝીણવટભર્યુ માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે. હ્ય્દયરોગ થતો અટકાવવા અને એટેક આવે ત્યારે તેને બચાવવાના ઉપાયો પણ સમજાવાઈ રહ્યાં છે, એટલું જ નહીં, જેને હાર્ટ એટેક આવ્યો હોય, તેને બચાવવા માટે સીપીઆરની તાલીમ પણ અ૫ાતી હોય છે.
એક વ્યક્તિનો જીવ બચી જાય, તે માટે સંકેતો કે લક્ષણોના આધારે આપણે સાવચેતીના આટલા બધા કદમ ઉઠાવતા હોઈએ, ત્યારે સામૂહિક સુરક્ષા કે સંખ્યાબંધ લોકોની જિંદગી જોખમમાં હોવાના સંકેતો મળે, ત્યારે તો ખૂબ જ ઝડપી અને શ્રેણીબદ્ધ બચાવ અને સુરક્ષાના કદમ તો ઉઠાવવા જ જોઈએ ને...?
પહલગામમાં થયેલા આતંકી હૂમલા પછી આખો દેશ એક જૂથ થઈને દેશના દુશ્મનોના દાંત ખાટા કરવા સરકાર ક્યારે, કેવા અને ક્યા માધ્યમોથી વળતો પ્રહાર થશે, તેની રાહ જોઈ રહ્યો છે અને આ વખતે તો પ્રપંચી પાકિસ્તાનને ઘણું જ મોંઘુ પડે, તેવું કોઈ કદમ સરકાર ઉઠાવશે, તેવી અટકળો પણ થઈ રહી છે, અને તેની સાથેસાથે અતિશય આત્મવિશ્વાસ કે ગાફેલ રહેવું પણ પાલવે તેમ નથી તે પણ હકીકત જ છે ને...?
પાકિસ્તાનના આર્મીચીફે થોડા દિવસો પહેલા કાશ્મીર પાકિસ્તાનના ગળાની નસ છે, અને તેના માટે તેમનો દેશ કાંઈપણ કરી શકે છે, તેવા મતલબનું કોઈ નિવેદન કે ભાષણ કર્યું હતું અને તે પછી ભારતની ગુપ્તચાર એજન્સીઓએ પણ તાજેતરમાં જ એવી વોર્નિંગ આપી હોવાના અહેવાલો વહેતા થયા છે કે, જેની નોંધ ગંભીરતાથી લેવી જ પડે તેમ હતી. મીડિયા ડિસ્કશન મુજબ કેન્દ્રીય એજન્સીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આ ઉનાળામાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત પરિબળો કાંઈક નવાજુની કરી શકે છે. ગુપ્તચાર એજન્સીઓએ એવી ચેતવણી આપી હતી કે, "પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં ઉનાળો ગરમ કરવા માટે તૈયાર છે, હવે એ ચેતવણી ખરી ઠરી છે અને પાક. સૈન્યના જનરલ મુનિરના વાંધાજનક અને ઉશ્કેરણીજનક ભાષણ પછી થયેલો આતંકી હૂમલો ઘણુ બધું કહી જાય છે.
આ આતંકી હૂમલો માત્ર ઉશ્કેરણી કે ગૂમરાહ થયેલા યુવકોનું જઘન્ય કૃત્ય જ નથી, પરંતુ ઘણાં જ પ્લાનીંગ સાથે ભારત પર બહુહેતુક પ્રહાર કરવાનું ષડયંત્ર છે. આ આતંકી હૂમલામાં આતંકીઓને પીઠબળ પૂરૃં પાડનાર પાક.ની સેના તથા આઈએસઆઈના ઘણાં મિલન ઈરાદાઓ હોવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમ વધ્યુ અને ત્યાંના તમામ લોકોને શાંતિ તથા વિકાસ ગમવા લાગ્યો, તેવા સંજોગોમાં ટુરિઝમ ડેવલપમેન્ટ પર પ્રહાર કરીને તથા પર્યટકોમાં ખોફ ફેલાવીને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવા તથા જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ છીન્ન-ભીન્ન કરવાનું આ ઉંડુ કાવતરૂ હોવું જોઈએ, ખરૃં ને...?
ભારતમાં મુસ્લિમો સલામત નથી, તેવો "હાઉ" ફેલાવીને દેશમાં હિન્દુ-મુસ્લિમ દંગાઓ - કોમી તોફાનો કરાવવા અને ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી કરવાનું આ ષડયંત્ર હોઈ શકે છે, પરંતુ ભારતમાં દેશભરના મુસ્લિમો તથા રાજકીય પક્ષોએ જે રીતે પહલગામના આતંકી હૂમલાને વખોડવાની સાથેસાથે જે રીતે પાકિસ્તાનને આડે હાથ લીધુ છે, તે જોતા "નાપાક" ષડયંત્રકારોને એ જવાબ તો મળી જ ગયો હશે કે ઘર આંગણે ગમે તેટલા મતભેદો હોય, પરંતુ જ્યારે દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે ભારત એક અને અતૂટ છે. ભારતના સાર્વભૌમત્વ, ગૌરવ કે સ્થિરતાને હાનિ પહોંચાડવી એટલી સરળ નથી...! મીડિયા અને અખબારોમાં છેલ્લા દસ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલી આતંકી ઘટનાઓનું વર્ણન આવી રહ્યું છે તે શું સૂચવે છે...?
આમ છતાં, આપણે હવે વધુ સાવધ અને સજ્જ પણ રહેવું પડશે. જમ્મુ-કાશ્મીરની હોટેલોની એપ્રિલના પહેલા અઠવાડિયામાં રેકી થઈ હોય, પાક. સેનાના વડાએ ભારત વિરોધી તેજાબી ભાષણ આપ્યુ હોય, ગુપ્તચર એજન્સીઓએ પણ પાકિસ્તાન ઉનાળો ગરમ કરવાની તૈયારીમાં હોવાના ઈનપુટ આપ્યા હોય, ત્યારે આ સંકેતો (સિમ્ટમ્સ) મોટી આતંકી ઘટનાની તૈયારીની હતા, તે હકીકત ગંભીરતાથી લેવાની જરૂર હતી અને જમ્મુ-કાશ્મીરના તમામ પર્યટન સ્થળોનો વધુ સઘન સુરક્ષાનું કવચ આપવાની જરૂર હતી. ખેર, હવે જાગ્યા ત્યારથી સવાર...
બીજી તરફ ગુપ્તચર એજન્સીઓ પણ કેટલાક મુદ્દે અંધારામાં રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, જેવી રીતે કોઈ સ્થળે બોમ્બ હોવાની સાચી-ખોટી ધમકી મળે ત્યારે તે કોઈપણ માધ્યમથી અપાઈ હોય, તો પણ તેની ગંભીરતાથી તપાસ કરીને તત્કાળ એકશન લેવાતા હોય છે, તેટલું જ નહીં, પરંતુ તેનાથી પણ વધુ સતર્કતા ગુપ્તચર સંસ્થાની ચેતવણીઓ કે પડોશી દેશમાં થતી શંકાસપદ હિલચાલ પછી રાખવી જ જોઈએ, તેટલો નક્કર બોધપાઠ તો પહલગામના આતંકી હૂમલાએ આપણને સૌને આપ્યો જ છે... નજર હટી, તો દુર્ઘટના ઘટી...!
પહેલી પ્રતિક્રિયામાં જ ભારતે અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવા, સિંધુ જળ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વીઝા રદ્દ, ભારતમાં પાકિસ્તાનનું ઉચ્ચાયુક્ત બંધ અને ઉચ્ચાયુક્તોની સંખ્યા ઘટાડવાના નિર્ણયો પછી પાકિસ્તાનમાં હલચલ વધી છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઘણાં વર્ષો પછી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર નિર્મમ અને અમાનવીય હૂમલો કરીને એક વખત ફરીથી પોત પ્રકાશ્યુ છે. આ હૂમલાના કારણે વિશ્વભરમાં ભારતમાં થયેલા આ આતંકી હૂમલાના ઘણાં જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને સુરક્ષા વ્યવસ્થાઓ અને ગુપ્તચર તંત્રો સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ આતંકી હૂમલાની તત્કાળ તપાસ એનઆઈએની ટીમે શરૃ કરી, ગઈ રાત્રે જ દેશના ગૃહમંત્રી અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દોડી ગયા, અને રાત્રે જ મેરેથોન બેઠકો શરૃ કરી હતી, અને આ કાયરતાપૂર્ણ હૂમલાના દોષિતોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં તો નહીં જ આવે, પરંતુ તેના સીમાપારના માસ્ટર માઈન્ડ કે પડોશી દેશની સંડોવણી પુરવાર થયે આ નિર્દોષ લોકોના હત્યાકાંડનો બદલો લેવામાં આવશે, તેવો રણટંકાર પણ ગત્ રાત્રે જ સંભળાવા લાગ્યો હતો.
આ હૂમલા પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને રાજયપાલ સહિતના નેતાઓએ તો સામૂહિક સ્વરે આ હૂમલાને વખોડી જ કાઢ્યો હતો, તે ઉપરાંત આ હૂમલા પછી તરત જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ, ગુલામનબી આઝાદ, ઈલ્તિની મૂફતી, અસદુદ્દીન ઓવૈસી, એસ. જયશંકર તથા શાસક અને વિપક્ષના તમામ નેતાઓએ એક સૂરે આ હૂમલાને વખોડ્યો અને આ હૂમલા સામે આખો દેશ એક જૂથ છે, તેવો જે મક્કમ રણકાર કર્યો, તે આપણા દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓની ખૂબી પણ છે અને ખૂબસુરતી પણ છે.
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી હતી, અને દેશ-વિદેશથી પ્રવાસીઓ નિડરતાથી પુથ્વી પરના સ્વર્ગસમા જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા લાગ્યા હતાં, ત્યારે જ થયેલા આ હૂમલાએ એ પણ પુરવાર કર્યુ છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ નેસ્તનાબુદ થયો નથી અને પાકિસ્તાન સ્થિત ભારતના દુશ્મનોના ષડયંત્રો હજુ પણ એટલા જ સક્રિય છે, અને આપણે હજુ પણ અતિ આત્મવિશ્વાસમાં રહેવા જેવું નથી.
જમ્મુ-કાશ્મીરના સ્થાનિકો આ હૂમલા સામે આક્રોશમાં હશે, કારણ કે જ્યારે અમરનાથ યાત્રા શરૃ થવાની હતી, તેવા સમયે જ આ આતંકી હૂમલાએ ત્યાંના સ્થાનિક લોકોની રોજગારી પર પણ પ્રહાર કર્યો છે. બીજી તરફ આતંકવાદીઓના મદદગારો (સ્લીપર સેલ્સ) હજુ પણ જમ્મુ-કાશ્મીરમાં જ મોજુદ છે, અને સીમાપારથી આવતા આતંકીઓ તથા શસ્ત્રસરંજામને લોજિસ્ટિક સપોર્ટ પણ મળી જ રહ્યો છે. આ કારણે માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરની રાજય સરકારે પણ વધુ સતર્ક થવાની જરૃર છે, અને આ આતંકી પ્રવૃત્તિઓ પુનઃ પહેલાની જેમ સર્વવ્યાપી ન બની જાય, તેની તકેદારી પણ રાખવી જ પડશે.
આ આતંકી હૂમલાના કારણે વિદેશપ્રવાસ અધૂરો છોડીને પરત સ્વદેશ આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મેરેથોન બેઠકો બોલાવવાનું શરૃ કર્યુ છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર આ કાયરતાપૂર્ણ હૂમલો કરનારા દોષિતોની સાથેસાથે સીમાપારથી હૂમલાઓ કરાવતા આતંકી સંગઠનોની ઓળખ કરીને પડોશી દેશની આઈએસઆઈ જેવી જાસૂસી સંસ્થા અને સૈન્યના ભારત વિરોધી પરિબળો સામે પણ નક્કર કદમ ઉઠાવશે અને આપણા દેશમાં આતંકી હૂમલો કરીને સંખ્યાબંધ નિર્દોષોનો જીવ લેનાર તથા તેને મદદ કરનાર સ્થાનિક સ્લીપર સેલ્સને ઝડપી લેશે તેવી આશા દેશવાસીઓ સેવી રહ્યાં છે.
અમેરિકા-રશિયા-યુએઈ-ઈરાનથી માંડીને બ્રિટન, ફ્રાન્સ, જાપાન સહિતના દેશોમાંથી આ આતંકી હૂમલા સામે જે આક્રોશ પડઘાયો અને દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની પડખે હોવાની જાહેરાતો કરી, તે જોતા આ હૂમલા પછી હવે વૈશ્વિક કક્ષાએ પણ ભારત પર થતા સીમાપારના આતંકવાદના કારણે પાકિસ્તાન પર તડાપીટ બોલવાની છે, તે નક્કી છે.
વિપક્ષોએ એકજૂથ થઈને જે રીતે આ આતંકી હૂમલાને વખોડ્યો છે, તે જોતા આ મુદ્દો રાજકીય રૃપ ધારણ નહીં કરે, પરંતુ દેશવાસીઓના પ્રત્યાઘાતોનું તારણ એવું પણ નીકળે છે કે, આતંકવાદને નેસ્તનાબુદ કરવાના માત્ર પોકળ દાવાઓ હવે નહીં જ ચાલે, હવે સીમાપારના આતંકવાદને અટકાવવા નિર્ણાયક અને સાહસિક કદમ ઉઠાવવાનો સમય પાકી ગયો છે. આ આતંકી હૂમલા પછી હવે ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક અથવા પીઓકે પાછું મેળવવા માટે નિર્ણયાક "સૈન્ય કદમ" ઉઠાવાશે એવી અટકળો પણ થવા લાગી છે, જ્યારે પીઓકેની સાથેસાથે પાકિસ્તાનથી છૂટા પડવા માંગતા બ્લુચિસ્તાન અને સિંધ જેવા પ્રદેશોને પણ ભારતનો રણનૈતિક કે કૂટનૈતિક ટેકો મળશે, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ માટે પહેલા બાંગ્લાદેશનો ઈશ્યૂ પણ ઉકેલવો પડે તેમ છે. આતંકી હૂમલામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા પર્યટકોના પરિવારોને ઈશ્વર હિંમત આપે, તેવી પ્રાર્થના સાથે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં કાંઈક નવું થવાનું છે અને ભાજપ, આમઆદમી પાર્ટી તથા કોંગ્રેસમાં આંતરિક હિલચાલ તેજ બની છે, તેવી ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાએ દૂબે એ દબદબો વધારવા દમદાર નિવેદનો કર્યા હોવાના દિગ્વિજયસિંહના આક્ષેપો પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓનો મુદ્દો પણ આજે "ટોક ઓફ ધી નેશન" બન્યો છે.
ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક અને દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ પ્રમુખની નિમણૂક તા. ર૦-એપ્રિલ પછી ગમે ત્યારે થઈ શકે છે, તેવી અટકળો પહેલેથી જ થઈ રહી હતી, અને આ નિમણૂકોને પછી ગુજરાતમાં પ્રદેશ ભાજપની ટીમ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના તમામ હોદ્દેદારોમાં મોટા પાયે ફેરબદલ થશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બન્ને મુખ્ય હોદ્દાઓ માટે દાવેદારોના નામોને લઈને પણ અટકળોનું બજાર ગરમ હતું.
બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની બે ખાલી બેઠકોની પેટાચૂંટણી જાહેર થયા પછી આમઆદમી પાર્ટીમાં હલચલ તેજ બની હતી અને હવે આમઆદમી પાર્ટી પણ અત્યારથી જ ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે બેઠકવાર પ્રભારીઓ નક્કી કરી રહી હોવાના અહેવાલો છે.
બીજી તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજયા પછી ગુજરાતમાં કોંગ્રેસ પણ વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીના સેમિફાયનલની જેમ ગણીને ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી પૂરી તાકાતથી લડશે, તેવા સંકેતો મળી રહ્યાં છે, ત્યારે વર્ષ-ર૦ર૭ ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય કે, બહુપાંખિયો જંગ ખેલાય, તો કોને ફાયદો થાય...? તેના ગણિત પણ અત્યારથી જ મંડાઈ રહ્યાં છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કરેલા કેટલાક નિવેદનોને લઈને એનડીએના નેતાઓ ઉકળી ઉઠ્યા છે, અને આકરા પ્રત્યાઘાતો આપી રહ્યાં છે.
ભારતના ચૂંટણીપંચ પર થયેલા આક્ષેપો અને ચૂંટણીપંચની વિશ્વસનિયતા તથા તટસ્થતા સામે ઉઠાવેલા સવાલોને લઈને પ્રમોદ તિવારી કહે છે કે, રાહુલ ગાંધીએ રજૂ કરેલા તથ્યોને ગંભીરતાથી લઈને ચૂંટણીપંચે વલણ બદલવું જોઈએ...?
એનડીએના નેતાઓ કહે છે કે, વિદેશની ધરતી પર જઈને ભારતીય બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાના બદલે રાહુલ ગાંધીએ કાંઈ વાંધો કે ફરિયાદ હોય તો દેશની સુપ્રિમ કોર્ટમાં જવું જોઈએ. બીજી તરફ મુર્શીદાબાદ કેસ અને પશ્ચિમ બંગાળના મુદ્દે થતી સુનાવણી દરમિયાન ખુદ સુપ્રિમકોર્ટે કટાક્ષ કર્યો છે કે, અમારા પર સંવૈધાનિક મર્યાદાઓ ઓળંગી જવાની આક્ષેપબાજી થઈ રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાનો આદેશ કેવી રીતે આપી શકીએ...?
મૂળ વિવાદ નિશિકાંત દુબેએ તાજેતરના સુપ્રિમકોર્ટમાં વકફ બિલના મુદ્દે થયેલી સુનાવણી પછી સુપ્રિમકોર્ટ પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી ઊભો થયો હતો, અને ભાજપના આ બોલ સાંસદના નિવેદન સાથે ભાજપ સહમત નથી, અને તે તેના અંગત નિવેદનો છે, તેવી ચોખવટ ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરવી પડી હતી. તે પછી કોંગી નેતા દિગ્વિજયસિંહે નિશિકાંત દૂબે (મોદીની ગુડબૂકમાં આવીને) મંત્રી બનવા માંગતા હોવાનું નિવેદન કર્યુ હતું. તે પછી સંસદ, સરકાર અને સુપ્રિમકોર્ટની સત્તાઓ અંગેની ચર્ચા ટોક ઓફ ધી નેશન બની ગઈ હતી.
સંસદ સર્વોપરિ કે સુપ્રિમકોર્ટ...? એવો સવાલ આ પહેલા ભૂતકાળમાં પણ ઘણી વખત અને લાંબાગાળા માટે ચર્ચાયો હતો. ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટના એક ચૂકાદા પછીનો ઘટનાક્રમ, કટોકટીકાળ અને તે પછી મોરારજી દેસાઈના શાસન સમયે શાહ કમિશનની નિમણૂક, તે પછી શાહબાનું કેસમાં સંસદ અને સુપ્રિમકોર્ટનો ઘટનાક્રમ, અયોધ્યા કેસ, તાજેતરના ઈલેકશન બોન્ડનો કેસ અને હવે રાજયપાલ-રાષ્ટ્રપતિની સત્તામર્યાદાઓ અંગે સુપ્રિમકોર્ટના આદેશો તથા સંસદે પસાર કરેલા અને રાષ્ટ્રપતિએ મંજૂર કરેલા વકફ બિલને લઈને એ જ સવાલ ફરીથી ઉઠવા લાગ્યો છે કે આપણા દેશના બંધારણ મુજબ સંસદે ઘડેલા કાયદાને ધરમૂળથી રદ્દ કરવાની સત્તા સુપ્રિમકોર્ટ પાસે છે ખરી...?
આ બંધારણીય પ્રશ્ને બંધારણીય નિષ્ણાતોના અભિપ્રાયો વહેંચાયેલા છે. કેટલાક તદ્વિષયક તજજ્ઞો અને વિખ્યાત ધારાશાસ્ત્રીઓ તો વિવિધ રાજકીય વિચારધારા કે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, તેથી તેઓના અભિપ્રાયો તો રાજકીય દૃષ્ટિકોણ મુજબના જ હોય, અને સ્વાભાવિક છે, પરંતુ બિનરાજકીય નિષ્ણાતો, રાજકીય ક્ષેત્રના તજજ્ઞો, મીડિયામેનો અને બંધારણીય - કાનૂની નિષ્ણાતોના અભિપ્રાયો પણ આ મુદ્દે વહેંચાયેલા છે, તેથી હવે સુપ્રિમકોર્ટમાં હવે પછી થનારી સુનાવણીઓ પછી જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
સુપ્રિમકોર્ટને બંધારણે ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોના રક્ષણની જવાબદારી સોંપી છે, તેવી જ રીતે ન્યાયતંત્ર, ધારાગૃહો એટલે કે સંસદ તેના હેઠળ સરકાર તથા વિપક્ષો અને વહીવટીતંત્રની વચ્ચે સુદૃઢ સંકલન રહે અને લોકશાહીના આ ત્રણેય ઘટકો એકબીજાના કાર્યક્ષેત્ર કે સત્તાઓ પર અતિક્રમણ ન કરે, એકબીજાના નિર્ણયોનું સન્માન કરે અને વિવાદાસ્પદ કે મતમતાંતર ધરાવતા મુદ્દાઓ ઘર્ષણમાં ઉતરીને નહીં, પણ પરસ્પર મંત્રણા કરીને કે મર્યાદામાં રહીને ઉકેલે તેવી વિભાવના પણ બંધારણ નિર્માતાઓની રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
'ગાડીવાલા આયા, ઘર સે કચરા નિકાલ' જેવા સંગીતમય ગીતવાદન સાથે દરરોજ જુદા જુદા સમયે જામનગરમાં ડોર-ટુ-ડોર એકત્રિત કરતી કચરાની ગાડીઓ છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં પહોંચી નહીં હોવાના અહેવાલો પછી ગઈકાલે સાંજથી આ વ્યવસ્થા પૂર્વવત થઈ હોવાના પ્રતિભાવો પણ સાંપડ્યા હતાં અને ગૃહિણીઓએ એકત્રિત કરેલા કચરાનો નિકાલ થયો હતો. આ અનિયમિતતાનું કારણ જે હોય તે ખરૂ, પરંતુ હાપા પાસે જામનગર મહાનગરપાલિકાની કચરાનું વહન કરતી આઠ જેટલી ગાડીઓ સળગી ગઈ હોવાના અહેવાલો 'ટોક ઓફ ધ ટાઉન' બન્યા હતાં અને હાલાર સહિત રાજ્ય અને દેશમાં વિવિધ સ્થળે બનેલી આગ-અકસ્માતની દુર્ઘટનાઓને સાંકળીને ફાયર સેફેટીનો મુદ્દો પણ ફરીથી રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
સામાન્યરીતે ઉનાળામાં આગની દુર્ઘટનાઓ વધી જતી હોય છે અને જંગલોમાં આગ લાગતી હોય, તેવી જ રીતે કચરાના ઢગલા કે ઘાસના સંગ્રહસ્થાનો પણ સળગી ઊઠતા હોય છે. તે ઉપરાંત વીજ ઉપકરણો પર દબાણ વધી જતા શોટસરકીટની દુર્ઘટનાઓ પણ વધી જતી હોય છે.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ ગુજરાત સહિત દેશમાં કેટલીક આગની દુર્ઘટનાઓ ગમખ્વાર બની હતી અને મોટું નુક્સાન પણ નોંધાયું હતું. રહેણાંક વિસ્તારો ઉપરાંત ગોડાઉનો અને વ્યાપાર-ઉદ્યોગના સ્થળો તેમજ સંલગ્ન વાહનોમાં પણ આગ લાગી જતા સંબંધિત વિસ્તારોમાં અફરાતફરી મચી જતી હોય છે. ઘણાં એપાર્ટમેન્ટના ઉપરના હાઈરાઈઝ ફ્લેટોમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી ઘણી જ અઘરી પડતી હોય છે. તેવી જ રીતે સાંકડી ગલીઓ ધરાવતા ગીચ વિસ્તારો અને ઝુંપડપટ્ટીઓમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવી અઘરી પડતી હોય છે.
તક્ષશીલા અને ટીઆરપી ગેઈમ ઝોન જેવી ગુજરાતની ગમખ્વાર દુર્ઘટનાઓને ભ્રષ્ટ તથા લાપરવાહ તંત્રો, મિલિભગત ધરાવતા નેતાઓ અને સ્થાનિક જાગૃતિના અભાવના કારણે થતા મોટા અગ્નિકાંડો, મગફળીના ગોડાઉનોના આગ કૌભાંડો તથા ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થાઓના અભાવે સર્જાતા અગ્નિકાંડોને લઈને પણ કોઈ ચોક્કસ નીતિ-નિયમો તથા જનજાગૃતિની જરૂર છે, તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિએ આગની દુર્ઘટનાઓ રોકવા અંગે કોઈ નક્કર પોલિસી હોવાની જરૂર જણાવી છે. આ સમિતિએ 'ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન'ના અમલ અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને રાજ્યમાં બનતી આગની દુર્ઘટનાઓના મૂળમાં જઈને પ્રિવેન્ટીવ અને અવેરનેશના કદમ ઊઠાવવાનો મુદ્દો પણ ગંભીરતાપૂર્વક ચર્ચાયો હતો.
આ બેઠકમાં ઉપયોગી સૂચનો પણ થયા હતાં અને 'વન સ્ટેટ, વન ફાયર સર્વિસ'ની વ્યવસ્થા કરીને અગ્નિકાંડો અને આગ-અકસ્માતોમાં થતી જાનહાનિ અટકાવવાનું સૂચન પણ પ્રસ્તુત થયું હતું.
આ બેઠકમાં મહાનગરો જ નહીં, પણ નાના શહેરોની નગરપાલિકાઓમાં પણ ફાયરબ્રિગેડની વ્યવસ્થાઓ વધુ સુદૃઢ અને વ્યાપક બનાવવાની જરૂર જણાવાઈ હતી. વધતી જતી વસતિ વિસ્તરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રક્રિયાના કારણે જોખમો પણ વધી રહેલા હોવાથી હવે ફાયરસેફ્ટીની જુની-પુરાણી સિસ્ટમ ચાલે તેમ નથી, અને નાના શહેરો સુધી અગ્નિશામક વ્યવસ્થાઓ ઊભી કરીને અને તેનું સતત નિરીક્ષણ તથા પરીક્ષણ કરીને સજ્જ રાખવા પર ભાર મૂકાયો, તેની નોંધ સરકારે તથા સંબંધિત તંત્રોએ પણ લેવી જ પડે તેમ છે. અગ્નિશમન માટે બહુમાળી બિલ્ડીંગો તથા સોસાયટીઓમાં રિઝર્વ જળસંગ્રહ કાયમી ધોરણે ઉપલબ્ધ રહે તે માટે પાણીની અલાયદી મોટી ટાંકીઓ બનાવીને તેમાં નિયમિત પાણી ભરેલુ રાખવાનું સૂચન પણ નોંધનિય છે અને તેની નોંધ તો રિયલ એસ્ટેટ, બિલ્ડર્સ, ડેવલપર્સ અને સ્થાનિક તંત્રો-મંજુરી આપતા સત્તાધીશોએ પણ લેવી જ જોઈએ.
રાજ્યવ્યાપી એક ફાયરસેફ્ટી પોલિસી ઘડીને તેમાં મેટ્રોપોલિટન મેગા સિટીઝ, મધ્યમ કક્ષાના મોટા શહેરો, નાના શહેરો, મોટા ગામો, નાના ગામડાઓ તથા ઝુંપડપટ્ટી વિસ્તારોનું વર્ગિકરણ સામેલ રાખવું જોઈએ અને તે માટે રાજ્યવ્યાપી સર્વે કરાવવું જોઈએ. તે ઉપરાંત એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ્સ, જુના મકાનો, નવા બાંધકામો, ગીચ વિસ્તારો, કોમર્શિયલ વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંકુલો ધરાવતા વિસ્તારો, માર્ગો-ધોરીમાર્ગો તથા વિસ્ફોટક કે જવલનશીલ પદાર્થોનું વહન કે સંગ્રહ થતું હોય તેવા સ્થળો, વગેરેનો પ્રતિવર્ષ સર્વે કરીને તે મુજબની ફાયર સેફ્ટીની એડવાન્સ વ્યવસ્થાઓ તથા આગ લાગ્યા પછી ત્વરીત ત્યાં પહોંચીને અગ્નિશમન-આગ બુઝાવવાની અલગ-અલગ સિસ્ટમો ગોઠવીને તેને અપગ્રેડ કરતા રહેવું જોઈએ.
ખૂબ જ ગીચ વિસ્તારો, સાંકડી ગલીઓ કે અટપટા માર્ગો ધરાવતી વસાહતોમાં આગ લાગે તો ત્યાં મોટી અગ્નિશામક ગાડીઓ પહોંચી જ ન શકે તેમ હોય, ત્યારે વૈકલ્પિક કેવી કેવી વ્યવસ્થાઓ થઈ શકે અને આ પ્રકારના સ્થળો માટે વધુ ક્ષમતા, અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણો સાથે લાંબી પાઈપોની વ્યવસ્થા વિગેરે સૂચનો પણ થઈ રહ્યા છે. તે ઉપરાંત સાંકડા, ગીચ અને અટપટા કે દુર્ગમ વિસ્તારો, પહાડી વિસ્તારો અને વનિકરણ કરાયેલા વિસ્તારો, વિવિધ મોટા ગોડાઉનો, બંદરોના ગોડાઉનો વગેરેની નજીક જ મોટી ભૂગર્ભ કે જમીન પરની ટાંકીઓમાં આગ ઠારવા માટે કેટલોક જળરાશિ સંગ્રહીત કરીને રાખવામાં આવે, તો આગ લાગતા જ તરત જ તેને ઠારી નાખીને મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય, ખાસ કરીને ગીચ અને સાંકડા રસ્તાવાળા વિસ્તારો માટે તો કોઈ નક્કર પોલિસી તો ઘડાવી જ દોઈએ ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશન યોજીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે એડીચોટીનું જોર લગાવીને મોદી-શાહના ગૃહરાજ્યમાંથી જ મક્કમ લડત આપવાની નીતિ અખત્યાર કરી છે, તેવા સમયે જ વિધાનસભાની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે. આ પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી - ત્રણેય માટે લીટમસ ટેસ્ટ પુરવાર થનાર છે, કારણ કે, વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ થશે એ સુનિશ્ચિત થઈ ગયું છે.
રાષ્ટ્રીયકક્ષાએ ઈન્ડિયા ગઠબંધનમાં સાથે હોવા છતાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વિના જ વિસાવદરમાંથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ ફાળવી દેતા કોંગ્રેસ માટે અન્ય વિકલ્પ જ નહોતો, એટલું જ નહીં, હરિયાણામાં પણ આમઆદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને ભાજપને જીતાડવાનો માર્ગ સરળ કરી દીધો હતો, તેથી આમઆદમી પાર્ટી સાથે રાજયમાં ગઠબંધન નહીં, પણ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાની રણનીતિ કોંગ્રેસે અખત્યાર કરી હોય, તેમ જણાય છે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધન પછી વિસાવદરની બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું અને કેશુભાઈનો પુત્ર પણ સફળ થયો નહીં. વર્ષ-ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના હર્ષદ રિબડીયા અને કોંગ્રેસના કરસનભાઈ વડોદરીયાને હરાવીને આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીતી ગયા હતાં. પરંતુ પછી તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધુ હતું, અને વિસાવદરની બેઠક ખાલી પડી હતી.
બીજી તરફ હર્ષદ રિબડિયાએ ભૂપત ભાયાણીએ ઈલેકશન ફોર્મમાં કેટલીક હકીકતો ખોટી બતાવી હોવાના આક્ષેપ સાથે પીટીશન દાખલ કરી દેતા સબ જ્યુડિસ કેસ હોવાથી આ બેઠક પર ચૂંટણી યોજાઈ નહોતી, પરંતુ પાછળથી રિબડિયાએ પીટીશન પાછી ખેંચી લેતા હવે વિસાવદર બેઠકની પેટાચૂંટણી થવાની છે, જ્યારે કડીમાં ત્યાંના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનુું નિધન થવાથી પેટા ચૂંટણી યોજાવાની છે.
રાજકીય વિશ્લેષકો વિસાવદરની પેટા ચૂંટણી અંગે હજુ પણ કોઈ સ્પષ્ટ તારણ પર આવી શક્યા નથી. આપઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા સામે કોંગ્રેસ જો પરેશ ધાનાણી જેવા કોઈપણ દિગ્ગજ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારે તો કોંગ્રેસ માટે સંજોગો ઉજળા છે, અને ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે મતો વહેંચાઈ જાય તો ઈટાલીયાનો માર્ગ સરળ થઈ જાય, તેવા તારણો નીકળી રહ્યા છે.
આ પેટા ચૂંટણીઓનું પરિણામ જે આવે તે ખરૃં, પરંતુ વિસાવદરની બેઠક પર તો હાઈ પ્રોફાઈલ જંગ થવાનો જ છે, કારણ કે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાંથી શરૂ કરાયેલા નવતર પ્રયોગ પછી કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ છે અને કોઈપણ કચાશ પાલવે તેમ નથી. ગુજરાતમાં અધિવેશન યોજ્યા પછી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો તથા નવા-જુના નેતાઓમાં જે જુસ્સાનો સંચાર થયો હતો, જે જાળવી રાખવો પણ જરૂરી છે. જો આ બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીતી શકે, તો વર્ષ-ર૦ર૭ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમબેક કરી પણ શકે.
એક એવી વાત પણ થઈ રહી છે કે ગોપાલ ઈટાલિયાનો વિસાવદર બેઠક પર હોલ્ટ સારો છે. આ મતવિસ્તારમાં ગોપાલ ઈટાલિયાએ આમઆદમી પાર્ટી માટે ઘણું ખેડાણ કર્યુ છે, અને તેની લોકપ્રિયતા પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર મનાય છે. આ કારણે જ તેમનો ગઠબંધન નહીં પણ "જનબંધન" નો કોન્સેપ્ટ રજૂ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાની ચર્ચા છે.
ગઠબંધન ભલે ન થયું, પરંતુ વિસાવદર વિસ્તાર પૂરતુ "જનબંધન" કરીને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને જનતાનો વિજય સુનિશ્ચિત કરે, તેવી આ "વિડીયો ગુગલી" પણ ચર્ચાનો વિષય બની છે.
આ પહેલા કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થાય, તેવી શક્યતાઓ હતી ત્યારે તેની ટીકા પણ થઈ હતી અને કોંગ્રેસ તથા 'આપ' ના નેતાઓએ લાંબા સયમ સુધી મગનું નામ મરી પાડયુ નહોતું, પરંતુ 'આપ' દ્વારા એક તરફી રીતે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરીને ભાજપને હરાવવા કોંગ્રેસ સમર્થન આપશે, તેવી આશા રાખી હશે અથવા એકલા હાથે લડી લેવાની રણનીતિ અપનાવી હશે, પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના પ્રવક્તાઓ વિપક્ષના ગઠબંધનને ઠગબંધન કહેતા હોવાથી ગઠબંધન અને ઠગબંધન વચ્ચે ઈટાલિયાએ જનબંધનનો પાસો ફેંક્યો છે, ત્યારે હવે ત્રિપાંખિયો જંગ ઘણો જ રસપ્રદ બનશે, તે નક્કી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતીમાં એક તળપદી કહેવત છે કે, ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ...
આ કહેવત એક લોકવાર્તા પરથી પડી છે. એ વાર્તા તો લાંબી છે, પરંતુ સંક્ષિપ્તમાં વર્ણવીએ તો એક ગામના પાદરે ભેંસ વેચાવા આવી. દુઝણી ભેંસ વેંચાતી લેવા એક દંપતીએ વિચાર્યુ અને પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ - ભેંસ દૂધ આપશે, તેમાંથી માખણ, ઘી અને છાશ બનશે. ઘરવપરાશ ઉપરાંતના દૂધ-ઘી વેંચાશે, જેમાંથી આવક વધશે, અને છાશ નજીકના સગા-સંબંધીઓને નિઃશુલ્ક સેવાભાવનાથી આપવાની વાત પણ થઈ...
આજે તો પીવાનું શુદ્ધ પાણી પણ મફત નથી મળતું, પરંતુ થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી ગામડાઓમાં દહીં વલોવીને માખણ કાઢયા પછી છાશ પોતાના ઘર માટે ઉપયોગી હોય તેટલી રાખીને બાકીની નજીકના સગા-સંબંધીકે ગરીબોને નિઃશુલ્ક આપી દેવામાં આવતી હતી. કદાચ કેટલાક ગામડાઓમાં આજે પણ આ પરંપરા નિભાવાઈ રહી હશે.
આ કહાનીમાંથી ઉક્ત કહેવત પ્રગટી છે. ભેંસ ભાગોળે છે, છાશ છાગોળે, એટલે કે, હજુ વલોણુ ચલાવવાની કલ્પના જ કરી છે, ત્યાં છાશ કોને-કોને નિઃશુલ્ક આપવી, તે મુદ્દે દંપતી વચ્ચે તકરાર થાય છે. આ તકરાર ઠંડી પાડવા પડોશી વડીલો આવે છે અને તકરાર સાંભળીને કહે છે કે, પહેલા ભેંસ ખરીદવાની જોગવાઈઓ તો કરો.... ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ... જેવું કાલ્પનિક અને અણધાર્યુ અને અણધડ વર્તન કેમ કરો છો...?
આજે નગરથી નેશન સુધી અને ગામડાથી ગ્લોબ સુધી આ પ્રકારની ઘણી ઘટનાઓ ચર્ચાસ્પદ બનતી હોય છે. કેટલાક વિકાસ પ્રોજેક્ટોને લઈને પણ કાંઈક એવું જ બનતું હોય છે.
જામનગરની વાત કરીએ તો જામનગરથી રંગમતી નદી ઉંડી-પહોળી કરવાનું કામ શરૂ થયું છે, અને તેથી નદીની જળસંગ્રહ ક્ષમતા પણ વધશે અને ભૂગર્ભ જળ સ્થિતિ સુધરશે, ગેરકાયદે બાંધકામો થતા અટકશે અને નદી લુપ્ત થતી અટકશે, એ તમામ પ્રકારના દાવાઓ ગળે ઉતરે તેવા છે. આ સ્થળની મુલાકાતે પણ (અલગ-અલગ સમયે) જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ગયા અને તેની વ્યાપક પ્રસિદ્ધિ પણ થઈ, તે આપણી સામે જ છે.
રંગમતી નદીને પહોળી અને ઉંડી ઉતારવાનું કામ રીવરફ્રન્ટના રૂ. પ૦૦ કરોડના સુચિત પ્રોજેક્ટના ભાગરૂપે થઈ રહ્યું હોવાનું જાહેર કરાયુ અને અત્યારનું ચાલી રહેલું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટનો જ ભાગ હોય છે, તેવો આભાસ ઊભો થયો (અથવા કરાયો).
તે પછી હવે એવા અહેવાલો પણ આવ્યા કે, રંગમતી નદીને ઉંડી ઉતારવાનું તથા પહોળી કરવાનું કામ તો સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ થઈ રહ્યું છે. આ કામને જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ મંજૂર કર્યુ છે, જ્યારે રીવરફ્રન્ટના પ૦૦ કરોડના કામનો તો મનપાના ગયા વર્ષના બજેટમાં સમાવેશ કરાયા પછી વર્ષ-ર૦રપ-ર૬ ના બજેટમાં સુધારા-વધારા સાથે સમાવવાની દરખાસ્ત સરકારને કરવામાં આવી છે, અને સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે...!
અહીંથી કન્ફયુઝન ઊભું થયું છે. શું રંગમતી નદીને ઉંડી ઉતારવાનું વર્તમાન કામ રીવરફ્રન્ટ રૂ. પ૦૦ કરોડના પ્રોજેક્ટમાં સામેલ નથી...? જો તેવું જ હોય તો આ કામને રીવરફ્રન્ટના પ્રોજેક્ટનો ભાગ (પ્રથમ તબક્કો) ગણાવીને "ભેંસ ભાગોળે ને...છાશ છાગોળે..." ની કહેવતની જેમ મિથ્યા પ્રચાર શા માટે કરાયો...?
હવે એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોય કે, સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ રંગમતી નદીને ઉંડી ઉતારવાનું કામ રંગમતી રીવરફ્રન્ટના મેગા પ્રોજેક્ટને "પુરક" તો બનવાનું જ છે ને...? જો રંગમતી નદીનું વર્તમાન કામ સુજલામ્-સુફલામ્ યોજના હેઠળ બનતું હોય, તો તેનો ૧રપ કરોડનો ખર્ચ પ૦૦ કરોડ રૂપિયાના સુચિત અને સરકાર સમક્ષ પેન્ડીંગ રીવરફ્રન્ટ પ્રોજેક્ટનો ભાગ કેવી રીતે ગણાય...? શું જુદી-જુદી યોજનાઓ હેઠળ થનારા કામોના સમૂહને (મોદી સરકારની સ્ટાઈલમાં) મેગા પ્રોજેક્ટનું નામ આપીને હજુ સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી નથી, છતાં તેનો પ્રોપાગન્ડા ચલાવાઈ રહ્યો છે...? ટૂંકમાં આ કન્ફયુઝન ઊભું કરવા અને "ભેંસ ભાગોળે, છાશ છાગોળે" જેવું હાસ્યાસ્પદ આભાસી ચિત્ર ઊભું કરવા પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે, તેની ચર્ચા આજે નગરજનોમાં થઈ રહી છે, અને "ટોક ઓફ ધ ટાઉન" બની છે.
રંગમતી નદી ઉંડી ઉતારીને પહોળી થાય કે રીવરફ્રન્ટનો મેગા પ્રોજેક્ટ આવે, તે નગરજનો માટે તો આવકારદાયક જ ગણાય અને તેનાથી આજુબાજુના ખેડૂતો - રહેવાસીઓને સીધો ફાયદો પણ થશે, પરંતુ "પાર્ટ ઓફ ધી પ્રોજેક્ટ" અને બીજી કોઈ યોજનામાંથી "પુરક" કામ થઈ રહ્યું હોવા વચ્ચે જે "કન્ફયુઝન" ઉભુ થયુ છે, અને તેની પાછળ નાઝી પ્રચાર પદ્ધતિના જોસેફ ગોબેલ્સ જેવું કોઈ ભેજું તો કામ કરી રહ્યું નથી ને...? તેવા કટાક્ષો પણ સંભળાઈ રહ્યાં છે.
"ભેંસ ભાગોળેને છાશ છાગોળે" જેવા કેટલાક અન્ય નેશનલ, ઈન્ટરનેશનલ દૃષ્ટાંતો પણ ચર્ચામાં છે. જેમાં પાકિસ્તાની સેનાના પ્રમુખનું શેખચલ્લીના વિચારો જેવું નિવેદન, ભાજપના રાષ્ટ્રીય તથા પ્રદેશ પ્રમુખની નિમણૂકોને લઈને વહેતી કરાયેલી અટકળો, વકફના મુદ્દે સુપ્રિમકોર્ટના વચગાળાના નિર્ણયને બન્ને તરફના પક્ષકારો દ્વારા પોતાનો "વિજય" ગણાવતા થયેલા દાવા, બિહારની ચૂંટણીમાં વિજયના અત્યારથી જ એનડીએ - યુપીએના દાવા અને ચીન સાથે વ્યાપરસંધીનો ટ્રમ્પનો આશાવાદ વગેરેનો સમાવેશ કરી શકાય.
નગરચર્ચા દરમિયાન કેટલાક લોકો જોસેફ ગ્લોબેલ્સને યાદ કરીને તથા દેશની કેન્દ્ર-રાજ્ય સરકારોની પ્રવર્તમાન "પીઆર" સિસ્ટમ તથા પ્રચાર પદ્ધતિને સાંકળીને રમુજી વ્યંગ પણ કરી રહ્યાં છે. જોઈએ, હવે કેવા-કેવા ખૂલાસા થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રાજકોટમાં એક સિટી બસે જે કરૂણાંતિકા સર્જી અને ચાર-ચાર જિંદગીઓનો ભોગ લીધો અને બીજા પાંચ લોકોને ઈજા પહોંચી, તે પછી મનપાના તંત્રમાં ચાલતું લોલંલોલ પણ બહાર આવ્યુ અને બસચાલક તથા ઈજારેદારની ઘોર લાપરવાહી પણ ચર્ચાના ચાકડે ચડી છે. આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોમાં એક તો મહાનગરપાલિકાના જ કર્મચારી હોવાનું કહેવાય છે, એવી વાતો પણ વહેતી થઈ કે સિટી બસ માટે ડ્રાઈવરો ૫ૂરા પાડનાર ઈજારેદાર ભાજપ સાથે સંકળાયેલા છે, જેના સંદર્ભે એવી ચોખવટ પણ થઈ કે કથિત ઈજારેદાર હાલમાં ભાજપના હોદ્દેદાર નથી. જે હોય તે ખરૃં, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં માત્ર વાહનચાલક જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા મનપાના જવાબદાર અધિકારીઓ, ઈજારેદાર તથા બસમાં કોઈ ખામી હોય તો બસો પૂરી પાડનાર તથા તેની ટેકિનકલ તપાસણી કરનાર ઓથોરિટી સહિત તમામ લોકોને અપરાધ મનુષ્યવધમાં મદદગારીની કલમો લગાડીને કાનૂની કાર્યવાહી થવી જોઈએ, તેવી ઉઠી રહેલી જનભાવનાઓને પણ રાજકોટના મેયર, મ્યુનિ., કમિશ્નર અને રાજય સરકારે પણ ધ્યાને લેવી જ પડશે, એટલું જ નહીં, ગતિમર્યાદા બાંધવા ઉપરાંત સિટીબસો તથા બીઆરટીએસના ડ્રાઈવરોને સમયાંતરે નિયમિત તાલીમ અને ઈલેક્ટ્રિક બસોની ટેકનોલોજીને અનુરૂપ અપડેટડ પ્રશિક્ષણ પણ અપાતુ રહે તેવી વ્યવસ્થા ત્યાંની મનપાએ જ નહીં, સિટી બસોનું સંચાલન કરતી અન્ય મહાનગરપાલિકાઓ તથા સંસ્થાઓએ અને ઈજારેદારોએ પણ કરવી જોઈએ. આ ઉપરાંત રાજયભરમાં એસ.ટી. બસોનું સંચાલન કરતા ગુજરાત રાજય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને પણ આ દુર્ઘટનામાંથી ધડો લઈને ડ્રાઈવરોનો સમયાંતરે અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ તાલીમ તથા સ્વાસ્થ્ય ચકાસણી અને તેઓને કોઈ વ્યસનો હોય તો તેમાંથી મુક્ત કરવાના ઉપાયો સહિતની વ્યવસ્થાઓ તત્કાળ ઊભી કરવી જોઈએ.
રાજકોટની દુર્ઘટનામાં જવાબદાર ખાનગી એજન્સીને માત્ર બે-અઢી હજારનો દંડ કરાયો હોવાના અહેવાલો પછી જનાક્રોશ વધુ તીવ્ર બન્યો છે.
આ દુર્ઘટનામાંથી સૌથી વધુ બોધપાઠ ખાનગી ટ્રાવેલ્સની બસો તથા વાહનોના માલિકો, સંચાલકો અને તેને સંબંધિત સરકારી તંત્રોએ લેવો પડે તેમ છે. ખાનગી બસોમાં પણ સંખ્યાબંધ જિદંગીઓ જેના હાથમાં હોય છે, તેવા ડ્રાઈવરોના પાકા લાયસન્સ, સ્વાસ્થ્ય, વ્યસનો તથા મર્યાદીત કલાકો માટે ડ્રાઈવીંગ ઉપરાંત બસો-વાહનોની ગતિ મર્યાદા બાંધવાની જરૂર છે, તેમાં પણ પબ્લિકની વચ્ચે, શહેરોના આંતરિક માર્ગો પર, ભીડ કે પશુઓ, રાહદારીઓ, પદયાત્રીઓની વચ્ચેથી વાહનો ચલાવવા માટે વિશેષ તાલીમ અને પ્રશિક્ષણ જરૂરી છે. ધોરીમાર્ગો, એકસ્પ્રેસ-વે અને શહેરો કે વસતિ વચ્ચેથી વાહનો ચલાવતી વખતે ભિન્ન-ભિન્ન પ્રકારની સાવધાનીઓ રાખવી પડે, તે તફાવત પણ તમામ વાહન ચાલકોએ સમજવો પડે તેમ છે.
જામનગરમાં પણ તાજેતરમાં એક સિટીબસ અને એક ખાનગી બસ વચ્ચે "ગૌરવપથ" તરીકે ઓળખાતા માર્ગ પર અને મહાનગરપાલિકાની નજીકમાં જ અકસ્માત સર્જાયો હતો, જેના દૃશ્યો અને તસ્વીરો સ્થાનિક અખબારો તથા ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પ્રકાશિત અને પ્રસારિત થઈ હતી. એ અકસ્માતમાં વાંક કોનો હતો એ તપાસનો વિષય ભલે ગણાતો હોય, પરંતુ શહેરમાં કેટલીક ખાનગી કંપનીઓના વાહનો માતેલા સાંઢની જેમ રફ ડ્રાઈવીંગ તથા આડેધડ પાર્કીંગ અને મનફાવે તેવી રીતે પોતાના મુસાફરોને ચડાવતા-ઉતારતા હોય, તો તેની સામે પણ કડક કદમ ઉઠાવવા ઉપરાંત જે-તે બસ સંચાલકોએ ડ્રાઈવરોને પ્રશિક્ષણ આપવું જોઈએ તેવા લોકોના પ્રતિભાવોમાં પણ દમ છે, તેમ નથી લાગતું...?
અમરેલીમાં પણ એસ.ટી. બસો અકસ્માત સર્જાયો, તે જોતા માત્ર રાજકોટ કે જામનગર નહીં, આ સમસ્યા આખા રાજ્યની તથા રાષ્ટ્રવ્યાપી છે, તેથી એસ.ટી. તંત્રે પણ ડ્રાઈવરોના મુદ્દે વધુ સાવચેત રહેવું જરૂરી જણાય છે.
અકસ્માતો બધી વખતે ડ્રાઈવરોની ભૂલ હોય તેવું નથી, ઓવરટાઈમ ડ્રાઈવીંગ, વાહનોમાં ખામીઓ ચલાવી લેવાની વાહન-માલિકોની માનસિકતા, વાહનોની નિયમિત મરામત અને ચકાસણીનો અભાવ તથા ઠેરઠેર થતા ટ્રાફિક જામ વચ્ચે ટાઈમીંગ જાળવવાના દબાણ જેવા ઘણાં કારણો પણ જવાબદાર હોય છે. માત્ર કાર, ટ્રક કે બસો જ નહીં, પરંતુ દ્વિ-ચક્રી અને ત્રિ-ચક્રી વાહનો પણ ઘણી વખત અકસ્માતોનો ભોગ બનતા હોય છે, તે ગંભીર અકસ્માતોનું કારણ બનતા હોય છે, તે જોતા વધી રહેલી વાહનોની સંખ્યા અને તેની સાથે સંકળાયેલી વ્યવસ્થાઓને લક્ષ્યમાં લઈને 'સિસ્ટમ' ની સાથે-સાથે લોકોની માનસિકતામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે. આ સમગ્ર સિસ્ટમની ઝીણામાં ઝીણી ક્ષતિઓનું સંશોધન કરીને સાર્વત્રિક અને સર્વવ્યાપી સુધારણા થવી જરૂરી છે.
તાજેતરમાં જ માત્ર હાલારમાં જ કેટલા બધા વાહન-અકસ્માતો થયા છે અને તેનાથી જાનમાલનું કેટલું નુકસાન થયું છે, તેના પર સંશોધન કરવામાં આવે, તો ચોંકાવનારી સંખ્યા અને આંકડા બહાર આવશે. ટૂંકમાં વાહનોની ટેકનિકલ તપાસણી નિયમિત થવી જોઈએ. ડ્રાઈવરો પૂરેપૂરા તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, જરૂરી ગતિમર્યાદાનું ચૂસ્ત પાલન થવું જોઈએ અને વાહન કે ડ્રાઈવરો પાસેથી અસહ્ય બની જાય, તેટલું ઓવરટાઈમ કામ ન કરાવવું જોઈએ, આ અંગે લોકો સ્વયં પણ જાગૃત રહે તે જરૂરી છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધોમધખતા તાપ સાથે જ્યારે બળબળતો ઉનાળો શરૂ થયો છે, ત્યારે આજે એક ઠંડક પહોંચાડનારી ખબર ટોક ઓફ ધી નેશન બની છે. ભારતીય હવામાનખાતાએ આગાહી કરી છે કે આગામી ચોમાસુ સારૃં હશે. અલનીનોની અસર નહીં થાય અને દેશમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડી શકેે છે.
જો કે, હવામાનખાતાએ ચોમાસા પહેલાના હવે પછીના બે મહિના સુધી તીવ્ર ગરમીની ચેતવણી પણ આપી છે. આ કારણે વીજ પુરવઠા પર દબાણ આવી શકે છે, અને પીવાના પાણીની તંગી પડવાની પણ શક્યતાઓ છે.
હવામાનખાતાએ ભીષણ ગરમી વચ્ચે ૧૮મી એપ્રિલથી ઉત્તરપૂર્વીય રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની તથા વરસાદની આગાહી કરી છે, તાજેતરમાં આકાશી વીજળીના કારણે થયેલા સંખ્યાબંધ મૃત્યુના કારણે આ નવી આગાહી ૫છી લોકોમાં ગભરાટ હોવાની સાથેસાથે તંત્રો પણ બદલાતા હવામાનને લઈને સતર્ક થઈ રહ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે.
જો કે, હવામાનખાતાએ દેશના કેટલાક રાજ્યોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી પણ કરી છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદોમાં જ આઈએમડીના વડાએ કેટલાક રાજયોમાં ભયંકર ગરમી અને લૂ લાગવાની સંભાવના પણ વ્યક્ત કરી અને કેટલાક વિસ્તારોમાં તો દુષ્કાળ જેવી સ્થિતિની ભીતિ પણ દર્શાવી, તે જોતા એકંદરે દેશમાં આગામી ચોમાસામાં "કહી ખુશી, કહીં ગમ" જેવી સ્થિતિ સર્જાશે, તેમ કહી શકાય.
અત્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનું તીવ્ર મોજુ ફેલાયું છે. ગઈકાલે રાજયના ૬ સ્થળો પર મહત્તમ તાપમાન ૪ર ડીગ્રીને પાર કરી ગયું હતું અને અમદાવાદ, ડીસા, ગાંધીનગર તથા રાજકોટ, કંડલામાં ૪૪ ડીગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. એવું કહેવાય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા બે-ત્રણ દિવસમાં તાપમાન થોડું ઘટશે.
અહેવાલો મુજબ ગુજરાતના ર૦૦ થી વધુ જળાશયોમાં ૧૪ હજાર મિલિયન ઘનમીટરથી વધુ જથ્થો સંગ્રહાયો હોય, ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નિવારવા ૬ર જળાશયોનું પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. બંધ પડેલા હેન્ડપંપો સક્રિય કરવામાં આવી રહ્યાં છે. ખંભાળીયા સહિત રાજ્યમાં કેટલાક ચેકડેમો નવા બની રહ્યાં છે, જ્યારે કેટલાક રીપેર કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડ્યે સરદાર સરોવર યોજના અને સૌની યોજના હેઠળ વિવિધ હેતુઓ માટે પાણી પુરવઠાનો વિકલ્પ પણ છે, તેથી ગુજરાતમાં ઉનાળામાં મોટાભાગે પાણીની તંગી નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો પણ અત્યારથી જ ઉઠવા લાગી છે, તો કેટલાક સ્થળોએ પાણીની પાઈપલાઈનો લીકેજ થઈ જતા મહામુલા પાણીની બરબાદી થઈ હોવાના અહેવાલો તંત્રોની લાપરવાહીની ગવાહી પૂરી રહ્યાં છે, હાલાર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈનો બીછાવવા કે મરામત કરવાના કામો થઈ રહ્યાં છે અને જામનગર સહિતના કેટલાક શહેરોમાં નવા વિસ્તરેલા સોસાયટી વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ છે, તે ખરૃં, પરંતુ જ્યાં જ્યાં "નલ સે જલ" યોજના હેઠળ પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે, ત્યાં ત્યાં આગામી ભીષણ ગરમી સાથેના ઉનાળામાં જળ વિતરણ નિયમિત જળવાઈ રહે તેવી અપેક્ષા પણ લોકો રાખી રહ્યાં છે.
રાજ્યની કેબિનેટમાં પણ ઉનાળામાં પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા થઈ અને લોકોને પીવાનું પાણી નિયમિત મળતું રહે, તે માટે મુખ્યમંત્રીએ તંત્રોને તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા, પરંતુ જેમ-જેમ ઉનાળો વકરતો જાય છે, તેમતેમ માનવી અને પશુઓ માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, વીજ પુરવઠો અને ઘાસચારાનો પુરવઠો જાળવી રાખવાનો પડકાર પણ વધી રહ્યો છે, તેથી તંત્રો માત્ર વાતોના વડા ન કરે અને વાસ્તવિક સ્થિતિની નક્કર હકીકતો પહેલાથી જ મેળવીને (ચૂંટણીની જેમ) માઈક્રો પ્લાનીંગ કરે, તે અત્યંત જરૂરી છે. લોકોએ પણ સમયોચિત રજૂઆતો કરીને અત્યારથી જ તંત્રોને ઢંઢોળવા જોઈએ, ખરૃં ને...?
આજે પણ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડી રહ્યાં હોવાના અહેવાલો છે અને ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, તે જોતા જો ચોમાસા પહેલા કમોસમી વરસાદ થાય, તો તે નુકસાનકારક નિવડી શકે, તેથી દેશની સાર્વત્રિક આગાહીની સાથે-સાથે સ્થાનિક હવામાન તથા આગાહીઓનો પણ રોજિંદો અભ્યાસ કરીને જ ખેતી સહિતના આયોજનો કરવા જોઈએ, અને જ્યાં ઓછા વરસાદની સંભાવના જણાય ત્યાં સ્થાનિક તંત્રોએ આગોતરા કદમ ઉઠાવવા જોઈએ.
જામનગરમાં રંગમતી નદી ઉંડી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, તેથી આગામી ચોમાસા પહેલા નદી જેટલી ઉંડી ઉતરશે, તેટલી જળસંગ્રહ ક્ષમતા વધશે...
એવા આશાવાદ સાથે જામનગરમાં ફલાયઓવર બ્રીજનું કામ પણ ચોમાસા પહેલા સંપન્ન થઈ જશે, તેવો દાવો થઈ રહ્યો છે. અત્યારે ફલાયઓવર બ્રીજના કામના કારણે નગરના કેટલાક માર્ગો બંધ છે, અને ટ્રાફિક જામના વરવા દૃશ્યો સર્જાઈ રહ્યાં છે, ત્યારે સવાલ એ ઉઠે કે, જો ફલાયઓવર બ્રીજનું કામ ચોમાસા પહેલા પૂરૂ ન થયું, કે કમ ભાગ્યે તે પહેલા જ કમોસમી વરસાદ થાય, તો તો જામનગર આખુ જ "જામ" થઈ જાય ને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ અઢી વર્ષ જેટલી વાર છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સંમેલન યોજ્યા પછી પ્રદેશ કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મળતા દિશા નિર્દેશો મુજબ સંગઠનમાં ફેરફારોની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ હોય, તેમ જણાય છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મૂળમાંથી જ ફેરફાર કરવાનો કોઈ પાઈલોટ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાંથી શરૂ થશે અને અરવલ્લી જિલ્લામાં આ સૂચિત પ્રોજેક્ટ સફળ થાય, તો આખા રાજ્યમાં તેને લાગુ કરવાનું કોંગ્રેસ હાઈકમાન્ડનું પ્લાનીંગ હોવાની ચર્ચા ગઈકાલથી જ પ્રેસ મીડિયામાં થઈ રહી છે.
એવું કહેવાય છે કે, ગુજરાતમાં ચૂંટણીની ટિકિટો આપવાની સત્તા પ્રદેશકક્ષાની નેતાગીરીના બદલે જિલ્લા કોંગ્રેસને સોંપવાની રણનીતિ કોંગ્રેસ અપનાવશે, અથવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસમાં લઈને જ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ટિકિટો ફાળવાય, તેવું માળખું રચાશે.
ટૂંકમાં કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને આંતરિક જૂથવાદ અને ખેંચતાણની પ્રદેશકક્ષાની જૂની સમસ્યાને ખતમ કરવા માંગે છે અને આ રીતે કોંગ્રેસની કાયાપલટ કરીને વર્ષ-ર૦ર૭ માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવાની તૈયારી થઈ રડી હોય, તેવું ચિત્ર ઉપસે છે.
આ તમામ કવાયત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી એ ચેલેન્જના સંદર્ભે થઈ રહી હોય તેમ જણાય છે, જેમાં રાહુલ ગાંધીએ વર્ષ-ર૦ર૭ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવીને રાજ્યમાં કોંગ્રેસનું શાસન સ્થાપવાનો પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હોમ સ્ટેટમાં જ ભાજપને પડકારીને કોંગ્રેસમાં દેશવ્યાપી જુસ્સો વધારવાની રણનીતિ હેઠળ કોંગ્રેસ હવે મહત્તમ લક્ષ્ય ગુજરાત પર જ કેન્દ્રીત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પક્ષે પણ હવે ઓવર કોન્ફિડન્સમાં રહેવાના બદલે પાર્ટીમાં ઘૂસી ગયેલા જૂથવાદ અને આંતરિક અસંતોષ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે, અને ટોપ-ટુ-બોટમ વ્યાપેલા કથિત ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લેવો પડશે, તેવું તટસ્થ વિશ્લેષકો માને છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતાપક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યા પછી તેનું ગ્રુપ હવે કોંગ્રેસ તરફ ઝૂકશે કે આમઆદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે, તેવી અટકળો વચ્ચે એવું કહેવાય છે કે, મહેશભાઈ વસાવા તેના પિતા છોટુભાઈ વસાવા સાથે મળીને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી) ને વધુ મજબૂત બનાવશે. આમઆદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની પેટાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોને આમઆદમી પાર્ટીમાં ખેંચીને બુનિયાદ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, તેવી પણ ચર્ચા છે, ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે.
ગુજરાતમાં ડ્રગ્સની બદીનો મુદ્દો કોંગ્રેસ જોરશોરથી ઉઠાવશે અને રાહુલ ગાંધી પણ આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જશે, તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ સણસણતા આક્ષેપો કરતા કહ્યું છે કે, ગુજરાતમાં છાશવારે પકડાતા ડ્રગ્સના જથ્થાનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ ભલે પોતાની પીઠ થાબડે કે વાહવાહી મેળવે, પરંતુ હકીકત એ છે કે ડ્રગ્સ પકડાય ત્યારે માત્ર નાની-નાની માછલીઓ જ પકડાય છે, અને મોટા મગરમચ્છો પકડાતા નથી, તેથી જ ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ફાલ્યોફૂલ્યો છે. સીબીઆઈ-ઈડી જેવી રાષ્ટ્રીય એજન્સીઓનો રાજકીય રીતે દુરઉપયોગ કરવાના બદલે જો સરકારે ડીઆઈઆર, નાર્કોટિક્સ જેવી સંસ્થાઓનો સરકારે યોગ્ય ઉપયોગ કર્યો હોત તો યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું ગુજરાત એ.પી. સેન્ટર બન્યુ જ ન હોત. વાસ્તવમાં તો સરકાર ડ્રગ્સના નેટવર્કને ભેદવામાં જ નિષ્ફળ ગઈ છે.
પોરબંદર પાસે પકડાયેલા અબજો રૂપિયાની કિંમતના ત્રણ ક્વિન્ટલ જેટલા ડ્રગ્સને લઈને કોંગ્રેસે ટીકા કરી, તેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતની પોલીસે કેન્દ્રીય સંકલન સાથે ઘણાં દિવસો સુધી સતત મહેનત કરીને પાકિસ્તાન પ્રેરિત ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કર્યો છે અને અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે, તેની શાબાશી આપવાના બદલે તેની ટીકા કરતા કોંગ્રેસવાળા શું ડ્રગ્સ પકડવા ગયા હતાં...? આ પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસના પ્રવક્તા વળતો પ્રહાર કરી રહ્યાં છે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે સવાલ એ ઉઠે છે કે, આટલું મોટું જોખમ વેઠીને ગુજરાત તરફ આટલો મોટો ડ્રગ્સનો જથ્થો મોકલાતો હોય, તો તે ક્યાંક તો વપરાતો હશે ને...? કેરિયરોને પકડ્યા પછી જો તેનો ભારતમાં વેપલો કરતા પરિબળો ન પકડાય, તો તે નિષ્ફળતા જ ગણાય ને...?
હકીકતે ગુજરાતમાં ફેલાતી જતી ડ્રગ્સની આ સંભવિત જીવલેણ બદી સામે સમાજે પણ જાગવાની જરૂર છે, અને યુવા પેઢીને આ ખતરનાક આદતથી બચાવવા જાગૃતિની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ગરમી વધી રહી છે, અને તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ વીજ વપરાશ વધવાનો છે. આ કારણે વીજ વપરાશ નિયમન તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ઝુંબેશ આદરવાની જરૂર છે, અને તેની શરૂઆત સરકારી કચેરીઓ, નેતાઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓની ચેમ્બર્સ, બેંકો, શાળા-મહાશાળાઓ અને એવા તમામ જાહેર સ્થળોથી કરવી જોઈએ, જ્યાં રાત-દિવસ સામૂહિક રીતે વીજ ઉપકરણો વપરાતા હોય.
કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવા છતાં એ.સી., લાઈટ ચાલુ રહેવા કે પંખા ફરતા રહેવા, સેનિટેશન સંકૂલો તથા લોબીઓમાં વિનાકારણ લાઈટો ચાલુ રહેવી, કેટલાક સ્થળોએ સવારે મોડે સુધી સ્ટ્રીટલાઈટો બંધ નહીં થવી અને કોઈ જોતું ન હોય તો પણ ચોવીસેય કલાક ટેલિવિઝન ચાલુ રહેવું, વિગેરે નાની-નાની જણાતી આપણી ભૂલોના કારણે એકંદરે ઘણી જ મોટી માત્રામાં વીજળી વપરાય જતી હોય છે, અને વીજળીની તંગી ઊભી થવાની સંભાવનાઓ વધી જવાની સાથે-સાથે વીજલાઈનો, ડી.પી. ટ્રાન્સમીશન ઉપકરણો તથા વિદ્યુત સપ્લાઈ સ્ટેશનો પર બોજ વધી જતા મેગા ફોલ્ટ સર્જાતા હોય છે, અને આ બધાનો ભોગ છેવટે તો પબ્લિકે જ બનવું પડતું હોય છે ને...?
હજુ ઉનાળાનો પ્રારંભ થયો ત્યાં જ વીજળીના ધાંધિયાની ફરિયાદો વિવિધ ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોમાંથી પણ ઉઠવા લાગી છે, ત્યારે આખો ઉનાળો કેવો જશે અને અસહ્ય ગરમી વચ્ચે વીજ ઉપકરણોની પણ મર્યાદા હોવાથી કોણ જાણે કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ પ્રકારની સંભાવનાઓ વચ્ચે "સબ સલામત" ની રેકર્ડ વગાડતા તંત્રો અને અતિ આત્મવિશ્વાસ કે દુર્લક્ષ્યતાની માનસિકતામાં રહેતા શાસકોએ પણ અત્યારથી જ જાગી જવાની જરૂર છે, અન્યથા ભરઉનાળે જો ભયંકર વીજ તંગી કે નબળી વીજ લાઈનો કે પૂરતી ક્ષમતા વિનાના વીજ ઉપરકરણોના કારણે લાંબો વીજ વિક્ષેપ સર્જાશે, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બની જશે, આવુ બધું થશે, તો લોકોની નારાજગી ક્યાં સુધી પડઘાશે, તે સરકાર અને શાસકપક્ષે વિચારવું જ પડે ને...?
ગુજરાતમા ઋતુગત ગરમીની સાથેસાથે રાજકીય ક્ષેત્રે પણ ગરમી વધી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કાંઈક "મોટું" થવાનું છે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનનું ગુજરાતમાં આયોજન થયા પછી પાર્ટીમાં સંચાર થયો છે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થાશે, તેવા અહેવાલો વચ્ચે આમઆદમી પાર્ટી પણ વિસાવદર વિધાનસભા બેઠકના દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં જબરદસ્ત કમ બેક કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ હલચલ મચી છે, અને પ્રદેશ પ્રમુખ કોણ થશે...? તેની ચર્ચા ફરીથી ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
કોઈ કહે છે કે, ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ ઓબીસીમાંથી હશે, તો કોઈ કહે છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતનો વારો છે. કોઈ કહે છે કે, શાહ-નડ્ડાના કોઈ વિશ્વાસુને ચાન્સ મળશે તો કોઈ કહે છે કે, પી.એમ. મોદીના કોઈ નજદીકી વફાદર નેતાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાશે. આ વખતે હાલારના કોઈ નેતાને પણ પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી શકે છે, તેવી ગપસપ વચ્ચે એક વખત ફરીથી જામનગર સાથે સંકળાયેલા ભીખુભાઈ દલસાણીયાનું નામ ચર્ચામાં છે. દાયકાઓથી ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા અને પ્રદેશ ભાજપનું સંગઠન મજબૂત બનાવ્યા પછી બિહારમાં સંગઠન મંત્રી તરીકે સાયલન્ટલી કામ કર્યા પછી ગુજરાત ભાજપનું સુકાન તેમને સોંપાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. જો કે, ભાજપ આશ્ચર્યજનક જાહેરાતો માટે જાણીતો હોવાથી કોઈક નવું જ નામ જાહેર થઈ શકે છે.
કેટલાક વ્યંગકારો એવો કટાક્ષ પણ કરી રહ્યાં છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ બન્ને કેન્દ્રીય મંત્રી છે, અને બબ્બે પદો પર બિરાજમાન છે, છતાં ભાજપમાં એક વ્યક્તિ એક પદનો દાવો થતો રહે છે. આ બન્ને મહાનુભાવો મંત્રી બન્યા પછી હજુ સુધી તેના રાજકીય પદો માટે પસંદગી ન થઈ શકતી હોય તો પાર્ટી વિથ ડિફરન્સ કેમ કહેવાય...?
આજે બંધારણના ઘડવૈયા અને આઝાદીના લડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જ્યંતી નિમિત્તે તેઓને ભાવભરી સ્મરણાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવાયો અને શેરબજારો ધરાશાયી થયા, ચીન સિવાયના દેશો પર આ ટેરિફ ત્રણ મહિના માટે મોકૂફ રખાયો, તો શેરબજારો ઉછળ્યા, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફવોર ફાટી નીકળ્યું, વગેરેની દુનિયાભરમાં ખૂબ જ ચર્ચા થઈ, અને હવે અમેરિકાથી જ ઉદ્ભવેલી એક બીજી ચર્ચાએ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં ખાસ ચર્ચા જગાવી છે અને આજે આ નવી ચર્ચાએ આપણા દેશમાં અન્ય તમામ મુદ્દાઓને પાછળ છોડી દીધા છે.
ટેરિફ વોરની ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતાં, અને આ નવી ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ છે, જેઓ ભારતીય મૂળના છે.
બન્યું એવું કે ટેરિફ વોર, યુદ્ધો અને અન્ય એજન્ડા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષસ્થાને અમેરિકન સરકારની એક કેબિનેટ મિટિંગ યોજાઈ હતી, અને તેમાં તુલસી ગાબાર્ડે એક એવો મુદ્દો ઉછાળી દીધો, જેના પડઘા અમેરિકા કરતા પણ ભારતમાં વધુ પડ્યા અને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે છેલ્લા અઢી દાયકાથી ચાલતો રહેલો વિવાદ ફરી એક વખત સપાટી પર આવી ગયો છે.
તુલસી ગાબાર્ડે એ મિટિંગમાં એવો દાવો કર્યો કે ઈવીએસ હેક થઈ શકે છે. અમેરિકામાં મશીનથી થતા મતદાનની સિસ્ટમને ઈવીએસ કહે છે, અને આ સિસ્ટમ ઓનલાઈન વોટીંગ સાથે પણ સંકળાયેલી છે. અમેરિકામાં ઈવીએસથી પણ મતદાન થાય છે, અને તે હેક થઈ શકે છે, તેવો દાવો તુલસી ગાબાર્ડે કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન થાય તેવી તર્કબદ્ધ દલીલો કરીને ત્યાંની ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમમાં ખામી હોવાના કેટલાક દૃષ્ટાંતો પણ આધારો સાથે રજૂ કર્યા હોવનું કહેવાય છે.
આ પહેલા પણ અમેરિકામાં ઈવીએસ સામે સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને જંગી બહુમતી મળી હોવા છતાં તુલસી ગાબાર્ડે આ પ્રકારનો દાવો કર્યો, તેને અમેરિકાની લોકતાંત્રિક સ્વતંત્રતાનું દૃષ્ટાંત ગણવું કે આંતરિક મતભેદો ગણવા, તેવા સવાલો પણ ઊઠ્યા હતાં, અને તેનો જવાબ પણ આવ્યો હતો. હકીકતે ટ્રમ્પે વર્ષ ર૦ર૦ ની ચૂંટણી દરમિયાન પૂર્વ સાયબર સિક્યોરિટી ક્રિસ ક્રેબ્સને જવાબદાર ગણીને તપાસ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ (કાનૂન મંત્રાલય) ને આદેશો આપ્યા, તેના બીજા જ દિવસે આ કેબિનેટ યોજાઈ હતી અને ગત્ ચૂંટણીના સંદર્ભે ગાબાર્ડે આ પ્રકારનો દાવો મજબૂતીથી રજૂ કર્યો હતો, તેવું મનાય છે. ગાબાર્ડે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ લાંબા સમયથી હેકર્સના નિશાન પર રહી હોવાનું જણાવી તેના પૂરાવા હોવાનો દાવો કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન ફરજિયાત કરવાની માંગણી ઊઠાવી હતી.
ભારતમાં વિપક્ષોએ આ મુદ્દાને હાથોહાથ ઉપાડી લીધો છે, અને ભારતમાં પણ ઈવીએમ સાથે ચેડા થતા હોવાથી બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણી જોરશોરથી ઊઠવા પામી છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતમાં પણ ઈવીએમ હેક થઈ શકે કે તેની સાથે ચેડા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોવાથી બેલેટ પેપરથી મતદાન ફરજિયાત કરવાની જરૃર હોવાના અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે, અને તેની તરફેણ તથા વિરોધમાં કોમેન્ટો થવા લાગી છે.
જો કે, ભારતીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ (ઈવીએસ) અને ભારતના ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) વચ્ચેનો તફાવત વર્ણવતા જણાવ્યું છે કે, કેટલાક દેશોમાં જે ઈવીએસ (ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ) થી મતદાન થાય છે, તે વિવિધ સિસ્ટમ, મશીન, પ્રોસેસના સંયોજન સાથે ઈન્ટરનેટ સહિતના વિવિધ ખાનગી નેટવર્કસ સાથે જોડાયેલી હોય છે, જ્યારે ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ નહીં, પણ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો જ ઉપયોગ થાય છે, જે કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલું હોતું નથી અને બેટરીથી ચાલતું માત્ર સાદા કેલ્યુલેટર જેવું એવું ફૂલપ્રૂફ મશીન છે, જેને હેક કરવું સંભવ જ નથી!
મોકપોલ, સંપૂર્ણ ચકાસણી અને દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાકીય તપાસ કરાવી, તેમાં પણ યોગ્ય ઠરેલા ઈવીએમ (મશીન) ને અમેરિકા સહિતના કેટલાક દેશોમાં વપરાતી ઈવીએસ (સિસ્ટમ) સાથે સરખાવવી યોગ્ય નથી.
બીજી તરફ ઈવીએમનો મુદ્દો ભારતમાં ફરીથી સળવળ્યો છે અને હજુ તુલસી ગાબાર્ડના આ અભિપ્રાયના અહેવાલો તાજા જ છે, તેથી આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જેમ જેમ કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ આ મુદે ભારતમાં ફરી એક વખત ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બની જશે, તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે.
કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જે દેશમાં નકલી જજ, નકલી સરકારી વકીલ, નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા અને ટપાલવેનોની ભરમાર હોય, તે દેશમાં કાંઈ પણ બની શકે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તુલસી ગાબાર્ડની જેમ કોઈ નક્કર આધાર-પુરાવા હોય તો સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ ને?
જે હોય તે ખરૃં, પરંતુ એક વખત ફરીથી ઈવીએમમાં ગરબડનો મુદ્દો આપણા દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને તે ઈવીએમથી ચૂંટાયેલી મોદી સરકાર અને તમામ રાજ્ય સરકારોના જનપ્રતિનિધિત્વ સામે પ્રશ્નચિન્હો ઊભા કરશે, તે પણ હકીકત જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે "કોરોના" મહામારીની ભયાનકતા અનુભવી છે. એ મહામારીમાં વાયરસ ઝડપથી ફેલાતો હતો, સ્વરૃપો બદલતો હતો અને તેનું નિદાન થઈ શકતું હતું, પણ સારવાર ઉપલબ્ધ નહોતી. તે પછી વેક્સિન શોધાઈ અને રોગચાળો નિયંત્રણમાં આવ્યો. આ રોગચાળાના લક્ષણો અનુભવી શકાતા હતાં અને તેના આધારે લેબ ચકાસણી કરીને નિદાન થઈ શકતું હતું.
હવે "હેલ્થ ઓફ ધ નેશન-ર૦રપ" નો એક તાજો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં લોકોને "સાયલન્ટ" બીમારી સામે વોર્નિંગ આપવામાં આવી છે. આ "સાયલન્ટ" બીમારીઓમાં લક્ષણો દેખાતા નથી અને સામાન્ય જિંદગીમાં કોઈ અવરોધ પણ ઊભો થતો નથી, પરંતુ આ બીમારી ગુપચુપ શરીરમાં પ્રવેશીને પોતાનો પ્રભાવ વધારતી જાય છે, જેને સર્વેક્ષણ કરનારા ગ્રુપ ઓફ હોસ્પિટલના તબીબો "સાયલન્ટ એપેડેમિક" તરીકે ઓળખાવી રહ્યાં છે. આ શાંત બીમારીઓની અસરો ઘણી જ ખતરનાક અને જોખમી છે, અને ઝડપથી પ્રસરી રહેલા આ "સાયલન્ટ એપેડેમિક" સામે ઝડપથી ઝઝુમવું અત્યંત જરૃરી ગણાવાયું છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં હાઈ બી.પી., ડાયાબિટીસ, ફેટી લીવર જેવી બીમારીઓથી પીડાતા ઘણાં લોકોને ખબર જ હોતી નથી કે તેઓના શરીરમાં આ બીમારીઓ પનપી રહી છે અને ધીમેધીમે ગંભીર બની રહી છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં પ્રિ-હેલ્થકેરથી લોકો ટેવાયેલા નથી અને બીમારી થાય અને લક્ષણો દેખાય, તે પછી જ સારવાર લેવા જતા હોય છે, તેથી લક્ષણો વિનાની આ બીમારીઓ ક્રમશઃ ગંભીર સ્વરૃપ ધારણ કરવા લાગે છે.
આ રિપોર્ટમાં કેટલાક ચિંતાજનક આંકડાઓ જાહેર થયા છે, તે મુજબ કોલેજોમાં પ્રત્યેક ત્રણ વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થી મેદસ્વીતા અથવા જાડાપણાની બીમારીથી પીડાય છે. મોનોપોઝ પછી ૪૦% મહિલાઓમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની સમસ્યા વધીને ૭૦% થઈ ગઈ છે. ૧૯% વિદ્યાર્થીઓમાં બ્લડપ્રેસર જણાયું હતું. કુલ ૪૭ હજાર લોકોના સર્વે દરમિયાન ચેકઅપ પછી ૬% લોકો ડિપ્રેશનના શિકાર પણ જણાયા હતાં.
આ સર્વેક્ષણ અંગે એપોલો હોસ્પિટસના તબીબોનો અભિપ્રાય એવો છે કે, લોકોને બીમાર થયા પછી સારવાર લેવાની માનસિકતામાંથી બહાર લાવીને "સાઈલન્ટ એપેડેમિક" સામે જાગૃત કરીને લક્ષણો ન દેખાતા હોય, તો પણ સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવા તથા નાની-મોટી તકલીફો કે શરીરના કોઈપણ ભાગમાં સોજા ચડે કે નાદુરસ્તી જેવું લાગે, તો તરત જ નિદાન કરાવવા પ્રશિક્ષિત કરવા જોઈએ.
જો આ રીતે બીમારીઓને થતી જ અટકાવી શકાય કે ઉગતી જ ડામી શકાય, તો હોસ્પિટલોમાં ઉભરાતા દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટે, હેલ્થ સિક્યોરિટી વધતા સારવારનું ખર્ચ ઘટે અને આર્થિક રીતે ઘણા લોકોને એકંદરે ફાયદો થાય તેમ છે.
આ રિપોર્ટ અને તેના સંદર્ભે આવતા અભિપ્રાયો અને સૂચનો યથાર્થ છે, પરંતુ આ મોંઘવારીમાં ઉચ્ચ-મધ્યમવર્ગને પણ ઘરખર્ચના બે છેડા માંડ ભેગા થતા હોય, ત્યાં પ્રિ-મેડિકલ ચેકઅપ કે પ્રિ-હેલ્થ કેરના ખર્ચા ગરીબ-મધ્યમવર્ગ ક્યાંથી કરી શકે...? તેવો સવાલ ઉઠે તે પણ સ્વાભાવિક છે. તેથી સમાજના સમૃદ્ધ લોકો દાનવીરો, સેવાભાવી સંસ્થાઓ અને સમદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી અવારનવાર નિઃશુલક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પો યોજાય અને તેમાં સ્થાનિક સરકારી હોસ્પિટલો જ નહીં, પણ ગ્રુપ ઓફ એપોલો હોસ્પિટલ્સ, એઈમ્સ અને ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલના નિષ્ણાત તબીબો, અદ્યતન લેબોરેટરી અને સાધન સામગ્રી તથા લેબ ટેકિનશિયનોની સુવિધા સાથે સેવાઓ આપે, તે અત્યંત જરૃરી છે. કેન્દ્ર અને રાજ્યોના આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલોની તો આ પ્રાથમિક જવાબદારી જ ગણાય ને...?
એક અન્ય અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૦ લાખ જેટલા લોકો પાર્કિન્સન્સથી પીડાય છે. પાર્કિન્સન્સ એટલે ધ્રુજતા અંગો સાથેનો લકવા...
પહેલા આફટર ફીફટી એટલે કે પ૦ કે ૬૦ વર્ષની ઉંમરે આ રોગ દેખા દેતો હતો, પરંતુ હવે તો યુવાવયે પણ આ બીમારી થવા લાગી છે, એટલું જ નહીં, આ રોગ મહિલાઓમાં પણ વધી રહ્યો છે. આ બીમારી માટે સ્ટ્રેસ (તણાવ), બદલતી જીવનશૈલી, જંકફૂડ, વાયુપ્રકોપ વિગેરેને જવાબદાર ગણવામાં આવે છે. સાદો પાર્કિન્સન્સ અને પાર્કિન્સન્સ પ્લસ, એમ બે પ્રકારના પૈકી પાર્કિન્સન્સ પ્લસ રોગ અસાધ્ય ગણાય છે, જ્યારે સાદા પાર્કિન્સન્સમાં દવાઓથી થોડી રાહત મળી શકે છે. આ કારણે આ રોગ થતો જ અટકાવવા માટે પણ વ્યાપક જનજાગૃતિ, યોગ્ય જીવનશૈલી અને હેલ્થ ચેકઅપ તથા યોગ્ય સારવાર જરૃરી બની જાય છે.
સાયલન્ટ એપેડેમિક અને પાર્કિન્સન્સ જેવી જ બીમારીઓ અત્યારે આપણાં સમાજમાં પણ પ્રવેશીની ફાલીફૂલી રહી છે, કિશોરવયે આત્મહત્યાના કિસ્સા પાછળ મોટાભાગે બાળકોને શિશુવયેથી જ મોબાઈલ સેલફોન કે વીડિયો ગેઈમની આદત લાગી જાય, તેની આડઅસરો જવાબદાર ગણાય છે, તેવી જ રીતે કોલેજકાળમાં ડ્રગ્સ એડિક્ટ બની જતો યુવા વર્ગ ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જાય છે. અલ્પશિક્ષિત યુવા વર્ગમાં પણ નશાખોરી અને માનસિક વિકૃતિઓ વધી રહી છે, સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ નેગેટિવ અને વિકૃત સામગ્રીના કારણે બાળકો વિચિત્ર હરકતો કરે છે, અને યુવાવયે માતા-પિતા, પરિવારના અંકુશમાં જ રહેતા નથી. સમાજમાં વધી રહેલા આ "સોશ્યલ સાયલન્ટ એપેડેમિક" સામે પણ સૌએ જાગવું પડશે, અન્યથા નવી પેઢી બરબાદીની ખાઈમાં ધકેલાઈ જશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડે વર્ષ-ર૦રપ-ર૬ નું વાર્ષિક શાળાકીય કેલેન્ડર જાહેર કર્યુ છે, જેમાં ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન તથા અન્ય જાહેર રજાઓ સહિત ૮૦ જાહેર રજાઓનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત બાર મહિનાના પ૦ ની આસપાસ રવિવાર આવે, અન્ય છૂટક રજાઓ અપાય, કુદરતી આફતો કે આકસ્મિક સંજોગો અથવા ઋતુગત કારણોથી રજાઓ અપાય અને દર શનિવારે મોટાભાગે અડધા દિવસનું શિક્ષણ હોય, તેની ગણત્રી કરીએ તો આખા વર્ષમાં બસો-સવાબસ્સો દિવસનું જ શિક્ષણ બાકી રહે.
આ કેલેન્ડર તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું છે, એટલે કે ધોરણ ૯ થી ૧ર સુધીનું જ છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તો જાહેર રજાઓ, રવિવારો અને ઈત્તર કારણોસર પડતી રજાઓ ઉપરાંત સ્થાનિક રજાઓ, પ્રાસંગિક રજાઓ કે સારા-માઠા પ્રસંગે અપાતી રજાઓનો હિસાબ કરવામાં આવે તો એવું કહી શકાય કે વર્ષમાં અડધું વર્ષ જ શાળાઓ ચાલુ રહે અને અડધોઅડધ વેકેશનો, જુદા-જુદા પ્રકારની રજાઓ અને સ્થાનિક - પ્રાસંગિક રજાઓ તથા સરકારી મેળાવડાઓમાં જ વીતી જતું હોય છે.
આ કારણે બાળકોના શિક્ષણ પર, તો અસર પડે જ છે, પરંતુ માતા-પિતા પરિવારના ગજવા પર પણ કાતર ફરતી હોય છે.
બન્ને વેકેશનો અને રજાના દિવસોમાં શાળાકીય પ્રવૃત્તિઓ બંધ રહે, તો પણ ખાનગી શાળાઓ દ્વારા જુદી-જુદી પ્રકારના ચાર્જીસ વિગેરે લગાડીને પૂરેપૂરી તોતીંગ ફી વસુલ કરી લેવામાં આવે છે. ફી નિર્ધારણ થયા પછી પણ કોઈને કોઈ બહાને બાળકો પાસેથી તોતીંગ ફી મેળવતી શાળાઓ નિર્દ્યપણે માતા-પિતા, વાલીઓને પઠાણી ઉઘરાણીઓ કરીને પજવતી હોય છે. જે શાળાઓ સ્કૂલ બસો કે વાહતુક સુવિધાઓ આપે છે, તે સ્કૂલો જ વેકેશન સહિતનું બસભાડું એડવાન્સમાં વસુલતી હોવાથી જે ગરીબ-મધ્યમવર્ગીય માતા-પિતા, વાલીઓ રિક્ષા, રિક્ષા છકડા, ઈક્કોવેન જેવા અન્ય વાહનોમાં પોતાની રીતે બાળકોને શાળાએ મોકલતા હોય છે. તેઓ પાસેથી ખાનગી વાહનોવાળા પણ વેકેશન સહિતનું તોતીંગ વાહનભાડું વસુલતા હોય છે. આ ઉઘાડી લૂંટ સામે વિપક્ષી નેતાગણ દ્વારા ઘણી વખત અવાજ ઉઠાવાતો હોય છે, પરંતુ એ વિરોધ પણ માત્ર "પ્રાસંગિક" હોય, તેમ એકાદ વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર આપવા સુધી જ મર્યાદિત રહેતો હોય છે, અને પછી રહસ્યમય રીતે સમી જતો હોય છે.
શાસકપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિતના નેતાઓ પણ આ મુદ્દે જુદા-જુદા સ્તરે રજૂઆતો તો કરતા હોય છે, પરંતુ આ મુદ્દાઓના ઉકેલ સુધી પહોંચવાનો જુસ્સો હોતો નથી અને ઘણી વખત આ બધી જ કવાયત દેખાવ ખાતર જ થતી હોય તેમ જણાય છે.
જ્યારે આ મુદ્દે મીડિયામાં ચર્ચા થાય છે, ત્યારે એવા તારણો પણ નીકળતા હોય છે કે, કેટલાક વિપક્ષના નેતાઓ સહિત શાસકપક્ષના નેતાગણના નજીકના વર્તુળો, સગા-સંબંધી કે મળતીયાઓ જ ગુજરાતમાં ઘણી ખાનગી સ્કૂલોની સંચાલક બોડી સાથે સંકળાયેલા હોવાથી કદાચ તેની "શરમ" (કે બીજુ કાંઈક) લાગવાથી આ ઉઘાડી લૂંટ સામે આંખ આડા કાન કરાતા હશે.
રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો એવી અપેક્ષા તો રાખી જ શકે ને કે કમ-સે-કમ વેકેશનના સમયગાળાની કોઈપણ ફી, વાહન ભાડું કે ચાર્જીસ વિદ્યાર્થીઓ, વાલીઓ પાસેથી વસુલવામાં આવે નહીં. જો સ્કૂલો જ વેકેશનના નાણા વસુલતી હોય તો ખાનગી વાહનધારકો ક્યાંથી છોડે...?
સરકારે તથા નેતાગણે આ મુદ્દે માનવતાલક્ષી અભિગમ દાખવીને વેકેશનમાં લેવાતા મનસ્વી ચાર્જીસ અને વાહન ભાડું, ટ્રાન્સપોર્ટેશન કે બસભાડું વિગેરે જે વાહતૂક વ્યવસ્થાઓ અપાતી જ ન હોય, અને વેકેશનમાં બંધ જ રહેતી હોય, તેવા ચાર્જીસ લેવાતા બંધ થાય તે માટે ખાનગી શાળાઓના સંચાલકોને સમજાવવા જોઈએ અને ન માને તો તે માટે આદેશો આપવા જોઈએ, કારણ કે, જે સેવાઓ બંધ જ હોય, તેનું ભાડું કે ચાર્જ લેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની પણ વિરૂદ્ધમાં છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, વેકેશન તથા જાહેર રજાઓ વિગેરેમાં વિદ્યાર્થીઓ, બાળકોએ પ્રવાસ જ કર્યો નહીં હોવા છતાં તેનું ભાડું લેવાના સ્વરૂપે થતી કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધનો આ મનસ્વી અને ઉઘાડી લૂંટ સામે કોઈએ અદાલતના દ્વાર કેમ ખખડાવ્યા નહીં હોય...? આરટીઆઈ એક્વિવીસ્ટો, સમાજના જાગૃત નાગરિકો અને શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ (એનજીઓ), વિદ્યાર્થીઓ સંગઠનો પણ આ મુદ્દે "કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જઈને થતી વસુલાત સામે અદાલતના દ્વાર ખખડાવી શકે છે. વિપક્ષના કોર્પોરેટરો પાલિકા - મહાપાલિકાઓ અને ધારાસભ્યો વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવી શકે છે, અને ગુજરાતમાં વિપક્ષના અલ્પ સાંસદો હોવાથી જરૂર પડ્યે શાસકપક્ષના સાંસદોએ પણ આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને તથા પાર્ટીની કક્ષાએ પણ આ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સહિતના વિદ્યાર્થીઓ, વાલીઓને સ્પર્શતા મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ ને...?
ખુદ સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઈઝ પર જે સેવાઓ મેળવે છે, તેનું ચૂકવણું થયેલા કામ આધારિત જ કરે છે ને...? વચ્ચે અપાતી રજાઓનો ચાર્જ કે ઉધડુ વાહન ભાડું પૂરેપૂરૃં ચૂકવાય એ સમજાય, પણ સળંગ બબ્બે વેેકેશન કે અઠવાડિય, પંદર દિવસ માટે શાળાઓ જ બંધ રહે, છતાં વાહન ભાડા વસુલવા એ ખૂલ્લો અન્યાય જ છે, અને આ મુદ્દે અદાલતોમાં પણ સુઓમોટો સુનાવણી થાય તે પણ ઈચ્છનિય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્યના પાણી પુરવઠા મંત્રીનો દાવો છે કે, આ ઉનળાામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે. રાજ્યના ર૦૦ થી વધુ જળાશયોમાં પ૭% થી વધારે જળસંગ્રહ છે અને આ વર્ષે સાર્વત્રિક પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી જમીનની સપાટી ઉપર અને ભૂગર્ભ જળની સ્થિતિ પણ એકંદરે જળવાઈ રહી છે, તેથી ઉનાળામાં ગુજરાતની જનતાને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે.
બીજી તરફ રાજકોટમાં લદાયેલા પાણીકાપના કારણે મહિલાઓએ થાળી વગાડીને તથા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યા પછી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને વિપક્ષના અન્ય સ્થાનિક વર્તુળો કહે છે કે, સરકારના દાવાઓની પોલ ખૂલી ગઈ છે અને અત્યારથી જ પાણીકાપ લાદવાની નોબત આવી છે, ત્યારે ઉનાળામાં શું થશે...? તેના જવાબમાં ભાજપના વર્તુળો કહે છે કે, આ પાણીકાપ પાણીની તંગીના કારણે નહીં, પરંતુ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈને ચાલી રહેલી મરામતના કારણે લગાવાયો છે, તો લોકો કહે છે કે, આ તો બધી બહાના બાજી છે.
રાજકોટની જેમ જ સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની વકરી રહેલી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા પણ અત્યારથી જ ચાલુ થઈ ગયા છે, અને નોટીસ આપ્યા વિનાનો વીજકાપ અવાર-નવાર લગાવાઈ રહ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો વીજળીરાણી ક્યારે રિસાઈ જાય અને કેટલા કલાકો સુધી રાહ જોવી પડશે, તે નક્કી જ નથી રહેતું, તેથી વીજ પુરવઠાને લઈને પણ અત્યારથી જ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. એક તરફ ગરમી વધી રહી હોવાથી પંખા, કૂલર, એરકન્ડિશન્ડ મશીનો, રેફ્રિજરેટરો વિગેરે ઉપકરણોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વીજળીની માંગ ક્રમશઃ દરરોજ વધી રહી છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીઓ પણ પ્રિ-મોન્સુન કામગીરી, ફોલ્ટ તથા મરામતના બહાને અવારનવાર સપ્લાઈ બંધ કરતી હોવાથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે, અને વીજ આધારિત કામધંધાને પણ માઠી અસર પડી રહી છે.
અહેવાલો મુજબ ગત્ નાણાકીય વર્ષ દરમિયાન વીજ પુરવઠાને લગતી પપ હજાર કમ્પ્લેઈન નોંધાઈ હતી. વીજ કંપનીઓએ જંગી ખર્ચ કરીને વીજ વાયરો બદલ્યા, ઉપકરણો બદલ્યા, સાધન-સામગ્રીનું અપગ્રેડેશન કર્યુ, તે પછી પણ જો એક વર્ષમાં (ચોપડે નોંધાયેલી) પપ હજાર ફરિયાદો આવતી હોય, તો આ આધુનિકરણ શું કામનું...? તેવો સવાલ તો ઉઠે જ ને...?
ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો નાના-મોટા ફોલ્ટ કે થાંભલેથી લૂસ કોન્ટેક્ટ જેવી ફરિયાદો ચોપડે નોંધાતી જ હોતી નથી અને સ્થાનિક હેલ્પરો કે ખાનગી ઈલેક્ટ્રિશ્યનો રીપેર કરી નાંખતા હોય છે, તેથી વીજ સપ્લાઈ તથા ફોલ્ટ નિવારણ વ્યવસ્થાઓ નાનામાં નાના ગામડા સુધી વધુ મજબૂત અને નિયમિત કરવાની જરૂર છે, કારણ કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ અનેકગણો વધી રહ્યો હોવાથી નિયમિત - અવિરત વીજ પુરવઠાની ડિમાન્ડ પણ સ્વાભાવિક રીતે જ વધી રહી છે.
જામનગરની મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરની મિટિંગમાં રંગમતી નદીને ઉંડી ઉતારીને તેમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠાની પાઈપ લાઈનોના ખર્ચની દરખાસ્તો પણ મંજૂર થઈ, તેમ છતાં આ વર્ષે ઉનાળામાં નગરને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, તેવા આશ્વાસનો કેટલા સાચા પડે છે, તે જોવું રહ્યું.
હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ દેશના નવ રાજ્યોમાં તો હીટવેવ અને ગરમ પવન ફૂંકાવાની તાજી આગાહી હવામાન ખાતાએ કરી છે, અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હોવાથી ગુજરાતને પણ એલર્ટ કરાયું છે, ત્યારે હવે તંત્રોએ પીવાનું પાણી અને વીજ પુરવઠા ઉપરાંત હવે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે પણ સજ્જ રહેવું પડશે, અને ઋતુજન્ય રોગચાળો, સનસ્ટોક તથા બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીથી જાહેર આરોગ્ય પર ખતરો ઊભો ન થઈ જાય, તે માટે જાગૃત રહેવું પડશે. હવે આ માટે ચેકીંગ કરતા તગડા પગાર મેળવતા સંબંધિત તંત્રો 'સિમ્બોલિક' ચેકીંગ કરવાથી આગળ વધીને ગ્રામ્ય વિસ્તારો સહિત "સાર્વત્રિક" ચેકીંગ કરે, તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દુનિયાભરના શેરબજારો કડડભૂસ... કરતા ફસડાઈ પડ્યા અને હાહાકાર મચી ગયો. નગરથી નેશન સુધી અને ગામડાઓથી ગ્લોબ સુધી કોણે કેટલા ગુમાવ્યા...? તેની જ ચર્ચા થતી રહી અને ટ્રમ્પના ટેરિફ એટેકને જવાબદાર ગણાવાતો રહ્યો. હજુ શેરબજારની કળ ઉતરી નહોતી, ત્યાં જ દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો.
ગઈકાલે એલપીજી ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જ જાહેરાત કરી કે ગઈકાલથી સબસીડીવાળા અને સબસીડી વગરના તમામ ગેસ સિલિન્ડર દીઠ પચાસ રૂપિયાનો વધારો લાગુ કરી દેવાયો છે. આ જાહેરાતો ઘરખર્ચના બે છેડા માંડ પૂરા કરી રહેલી મહિલાઓ (ગૃહિણીઓ) ને પણ ઝટકો આપ્યો અને મોંઘવારીના મારથી પિડીત પુરૂષવર્ગમાં પણ નારાજગી ફેલાવા લાગી.
રાજયભરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મિલ્લાકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, મોદી સરકારે લોકોના ઝખમ પર મીંઠુ ભભરાવવાનું કામ કર્યુ છે. ખડગેએ ખૂબ જ આક્રમક ભાષામાં "એક્સ" પર પોષ્ટ કરીને લખ્યું કે, ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ૪૧ ટકા જેટલો ભાવ ઘટાડો થયો, તેનો લાભ જનતાને આપવાના બદલે લૂંટારી સરકારે એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ બે રૂપિયા વધારી દીધી છે. ખડગેએ આ પોષ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જે લખ્યુ, તે ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યું. શેરબજારમાં રોકાણકારોને ૧૯ લાખ કરોડનું જંગી નુકસાન થયું, તેના માટે પણ મોદી સરકારની કુંભકરણી જેવી ઊંઘ (લાપરવાહી) ને જવાબદાર ગણાવીને ખડગેએ લખ્યું કે, મોદી સરકારે એલપીજીના ભાવો વધારીને ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. તેમણે ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર તરાપ મારવાનો આક્ષેપ કરીને કહ્યું કે, લૂંટ અને જબરદસ્તી વસુલી એ મોદી સરકારના જાણે પર્યાય બની ગયા છે.
બીજી તરફ ભૂતકાળમાં એલપીજી ગેસમાં ભાવો વધ્યા, તેવા સમયે યુપીએ સરકારના સમયગાળાનો વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાના અહેવાલોમાં જે કાંઈ કહેવાય રહ્યું છે, તેને સાંકળીને કોંગ્રેેસ પાર્ટી આને મોદી સરકારના બેવડા ધોરણો ગણાવીને જનતા પર મોંઘવારીનો બેવડો બોજ ઝીંકવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઘરેલું ગેસ સિલિન્ડર પર પચાસ રૂપિયાનો બોજો નખાતા ગરીબ અને મધ્યમવર્ગની ગૃહિણીઓના બજેટ તો ખોરવાઈ જ જશે, સાથેસાથે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અપેક્ષાકૃત ઘટાડો નહીં થતા દેશની જનતા છેતરાઈ હોવાની અનુભૂતિ કરી રહી હશે.
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો, પરંતુ તેનો બોજ ઓઈલ કંપનીઓ પર લાદ્યો (નાંખ્યો) છે, જેથી પેટ્રોલ-ડીઝલની રિટેઈલ પ્રાઈઝમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ કંપનીઓને તેની અસર થશે.
સરકારે લીટરદીઠ એક્સાઈઝ ડ્યૂટી બે રૂપિયા વધારી છે, જે કદમ ઓએમસીને ગેસ સેગમેન્ટમાં થયેલા રૂ. ૪૩૦૦૦ કરોડનું વળતર મળી રહે, તેવા હેતુથી ઉઠાવાયુ હોવાનું કહેવાય છે. જો કે, અંતે તો આ વિષચક્રનો અંત પબ્લિક મનીમાંથી થતી ચૂકવાણીઓ દ્વારા જ આવશે ને...?
ટૂંકમાં ક્રૂડમાં ભાવ ઘટાડાનો ફાયદો દેશવાસીઓને થવાનો નથી. વૈશ્વિક ક્રૂડના ભાવો ઘટતા લોકોને એવી આશા હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવો પણ ઘટશે અને તેના કારણે તમામ વીજ વસ્તુઓ તથા પેઈડ સેવાઓની મોંઘવારીમાં પણ રાહત થશે, પરંતુ આ આશા ઠગારી નિવડી છે અને વિપક્ષો કેન્દ્રના બેવડા ધોરણોની આલોચના કરી રહ્યાં છે, તો બેરોજગારી અને મોંઘવારીના બેવડા મારમાં પીસાતી જનતા ગેસના ભાવોમાં ઘટાડા માટે આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહી છે, જોઈએ, સરકાર કૃપાળુ બને છે કે નહીં...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, અને આ વર્ષે ગરમી નવા રેકોર્ડસ સ્થાપશે, તેવા અનુમાનો વચ્ચે ભારતીય હવામાન વિભાગે અલનીનોની સંભાવનાઓને નકારી દેતા ચોમાસા વિષે ઊભી થઈ રહેલી આશંકાઓ ઓછી થઈ છે. જો કે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચોમાસુ કેવું રહેશે, તેની સચોટ આગાહી કરવા માટે એપ્રિલ એન્ડીંગ સુધી રાહ જોવી પડશે. એપ્રિલથી જૂન સુધી પ્રચંડ ગરમી (હીટવેવ) ની આગાહી થઈ છે, અને પૂર્વ ભારતમાં ૧૦ દિવસ સુધી ગરમીના મોજા ઉછળવાની સંભાવના જણાવાઈ છે.
તો આજે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારો કડડભૂસ થઈ ગઈ હોવાથી ગભરાટ ફેલાયો છે.
એક તરફ બળબળતા બપોર અને ધોમધખતા તાપ સાથે ઉનાળાનો પ્રકોપ જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની અસરોના કારણે સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, જેની સીધી કે આડકતરી અસરો અર્થતંત્રો અને વૈશ્વિક પરિવહન, જનજીવન અને સરકારો પર પણ પડી રહી છે. ગઈકાલે રામનવમી ઉજવાઈ, અને આજે તેના પારણાં થઈ રહ્યાં છે, ત્યારે ભગવાન શ્રીરામની કૃપા સૌ પર વરસે તેવું પ્રાર્થીએ...
કુદરતી ગરમીની સાથે-સાથે વિશ્વભરમાં ટ્રમ્પ ટેરિફ યુદ્ધો અશાંતિ, વિદ્રોહ અને અનિશ્ચિતતાઓના કારણે વૈશ્વિક અને ઘરઆંગણાની રાજનૈતિક તથા કૂટનૈતિક ગતિવિધિઓને પણ માઠી અસરો થઈ રહી છે.
અત્યારે દેશભરમાં વકફ બિલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેની સામે તરફેણમાં પણ નિવેદનો આવી રહ્યા, આ બધી ગતિવિધિઓની વચ્ચે સંસદે - રાજયસભાએ પાસ કર્યા પછી વકફ સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી થતા જ તે હવે "કાયદો" બની ગયું છે.
નવું વકફ શંસોધન બિલ "ઉમ્મીદ" ના નામે ઓળખાશે, જેનું ફૂલ ફોર્મ "યુનાઈટેડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ" રખાયું છે. આ બિલ અંગે સરકારનો દાવો એવો છે કે, વકફના વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને વ્યાપકતાનો સમાવેશ થયો છે. જે ગરીબ મુસ્લિમો પોતાના અધિકારોથી વંચિત રહેતા હતા, તેઓને તેઓનો હક્ક મળશે.
દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે, મહિલાઓને પણ વકફની મિલકતો પર સમાન અધિકારો છે. આ કાયદો લૈંગિક સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, વિગેરે...
જો કે, વિરોધપક્ષો આ મુદ્દે એકજૂથ થઈ ગયા છે, અને આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેને સુપ્રિમકોર્ટમાં પડકારવાનું જાહેર કર્યુ છે. આ કાયદાના વિરોધમાં દેશવ્યાપી દેેખાવો તો થઈ રહ્યાં છે, પરંતુ સુપ્રિમકોર્ટમાં આ કાયદાના વિરોધમાં ચાર જેટલી અરજીઓ પણ દાખલ થઈ ગઈ હોવાના અહેવાલો છે, આ કારણે હવે આ મુદ્દે કાનૂની જંગ લડાશે, તે નક્કી છે.
વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં મુખ્યત્વે આ કાયદાને ગેરબંધારણીય કરાવવાની માંગણી કરવામાં આવી છે, અને અરજીમાં તર્ક અપાયો છે કે, આ કાયદો વકફ પ્રોપર્ટી અને તેમના મેનેજમેન્ટ પર મનસ્વી નિયંત્રણો લાદે છે, જેથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયતતાને નુકસાન પહોંચે છે. સરકારનું કહેવું છે કે, આ નવો કાયદો કોઈપણ રીતે મુસ્લિમ સમુદાયના ધાર્મિક માળખાને અસરકર્તા નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ માટેની એડમિનિસ્ટ્રેટિવ જોગવાઈઓ જ કરે છે. હવે આ મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, ત્યારે તેમાં તબક્કાવાર સુનાવણીઓ થશે, તે દરમિયાન હજુ વધુ તાર્કિક અને કાનૂની મુદ્દાઓ ઉદ્ભવશે.
વકફ સુધારા બિલનો મુદ્દો હવે માત્ર સામુદાયિક કે કાનૂની નથી રહ્યો, પરંતુ શુદ્ધ રાજનૈતિક મુદ્દો બની ગયો છે, અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભાજપના મુસ્લિમ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલો પણ છે.
ભારતીય જનતા પક્ષને એક તરફ સમગ્ર દેશમાં વકફ બિલના કારણે થોડા-ઘણાં અંશે પણ આંતરિક અજંપો વર્તાઈ રહ્યો હશે, ત્યાં તામિલનાડુમાં ત્યાંના પ્રદેશ ભાજપ પ્રમુખના રાજીનામાનું પ્રકરણ તામિલનાડુમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું કહેવાય છે કે, તામિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન માટે તામિલનાડૂના વર્તમાન પ્રદેશ પ્રમુખનો ભોગ લેવાયો છે, જે હોય તે ખરૃં, પણ ભાજપ, નિતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડૂ માટે કપરાં ચઢાણ તો છે જે...
ગ્લોબલ વોર્મિંગ, ટેરિફ ટેસ્ટ, ટ્રેડવોર, ગૃહયુદ્ધો, યુદ્ધો અને રાજકીય ગરમીના આ માહોલમાં સાઉદી અરેબિયાએ વધારો કર્યો છે, ત્યાંના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન સહિતના ૧૪ દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે...!
જો કે, બિઝનેસ, ઉમરાહ એન ફેમિલી વિઝા પર મૂકાયેલો આ પ્રતિબંધ ૧પમી જૂન અથવા જૂનના ત્રીજા સપ્તાહ સુધી જ ચાલુ રહેશે, અને ઉમરાહ વિઝા ધરાવતા લોકોને થોડી છૂટછાટ પણ અપાઈ છે, પરંતુ આ પ્રતિબંધ હજ્જયાત્રામાં થતી ગેરકાનૂની ઘૂસણખોરી અટકાવવા લેવાયો હોવાનું કહેવાય છે, એવું કહેવાય છે ક,ે અન્ય વિઝા) પર પ્રવેશ મેળવીને અયોગ્ય રીતે હજયાત્રા કરવાની આ પ્રવૃત્તિના કારણે હજયાત્રા માટે જરૂરી પ્રબંધો કરવામાં મુશ્કેલી પડતી હતી, જેથી ભીડ વધતી હતી તથા હજયાત્રીઓની સુરક્ષા અને સલામતીને લઈને સમસ્યાઓ ઊભી થતી હતી. આ કારણે આ પ્રકારનો હંગામી પ્રતિબંધ લગાવાયો છે. ભાગદોડ કે અવ્યવસ્થાઓ સર્જાતી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ત્યાંની સરકારે કર્યા પછી આશંકાઓ અને અટકળોનો દોર ખતમ થયો છે.
અત્યારે મોદી-૦૩ ને નવ મહિના થયા તેમ છતાં કેન્દ્રીય મંત્રી બનેલા જે.પી. નડ્ડાના સ્થાને ભાજપ હજુ સુધી નવા અધ્યક્ષ જાહેર કરી શક્યું નથી, અને એવું જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના કિસ્સામાં થયું છે. બીજી તરફ કર્ણાટક કોંગ્રેસમાં પણ સિધ્ધાર મૈયા અને ડી. શિવકુમારનો ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ બધી ગરમીઓની વચ્ચે લોકોને ઠંડક મળે, કાંઈક રાહત થાય, તે માટે ભગવાન શ્રી રામને પ્રાર્થીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉનાળોઆવ્યો અને ક્રમશઃ તાપમાન વધી રહ્યું છે, આગઝરતી ગરમીની આગાહીઓ થઈ રહી છે અને બપોરના સમયે સૂર્યપ્રકોપના કારણે લોકો બહાર નીકળતા નથી અને રહેણાંક વિસ્તારોમાં તો કુદરતી કરફ્યૂ જેવું વાતાવરણ સર્જાઈ જ જાય છે, પરંતુ બજારો પણ સુમસામ થઈ જાય છે. ગઈકાલે જામનગરનું તાપમાન ૪૦ ડીગ્રી નજીક પહોંચતા પ્રચંડ ગરમીથી નગરજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતાં. કેટલાક શહેરોમાં તો તાપમાન ૪૩-૪૪ ડીગ્રીથી પણ વધી જતા જનજીવન પ્રભાવિત થયું હતું.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઘણાં શહેરોમાં ૪૦ થી ૪પ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અસહ્ય ગરમીના કારણે ધંધા-વ્યવસાય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે અને રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવનારા અત્યંત ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, એપ્રિલમાં આટલી ભયંકર ગરમી પડી રહી છે, ત્યારે મે મહિના અને જૂનમાં ચોમાસાના પ્રથમ વરસાદ થતા સુધી શું થશે, તેનું આકલન કરીને સંબંધિત તંત્રો અત્યારથી જ તૈયારી નહીં કરે, તો આ ઉનાળામાં જિંદગી જીવવી મુશ્કેલ બની જશે.
તંત્રોએ અત્યારથી જ ધોમધખતો ઉનાળો, સંભવિત માવઠું અને ઋતુચક્રમાં થતા ફેરફારોને લક્ષ્યમાં રાખીને જરૂરી પ્રબંધો વિચારી લેવા પડશે, અને જરૂરી પ્રક્રિયા, દરખાસ્તો, મંજૂરીઓ, એસ્ટીમેટ, કાર્યયોજના અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સહિતનો રોડમેપ તૈયાર કરી લેવો પડશે, અન્યથા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ઘાટ સર્જાશે.
ગયા વર્ષે જ્યારે ગરમીનો પ્રચંડ પ્રકોપ હતો, ત્યારે પંખા, એ.સી., કૂલર, ફ્રીઝ અને બરફનું ઉત્પાદન કરતા સાધનોના ઉપયોગમાં અનેકગણો વધારો થયો હતો, અને તેના કારણે લોડ વધી જતા ઘણાં વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, તો લો વોલ્ટેજની સમસ્યાના કારણે પણ ઠંડક આપતા સાધનો ચાલી શક્યા નહોતા. વોલ્ટેજની વધઘટના કારણે ઘણાં સ્થળે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી ઘરેલુ વ્યવસ્થાઓ પણ વેરવિખેર થઈ જતી હતી. વીજતંત્રોએ આ વર્ષે ગયા વર્ષનો અનુભવ અને ચાલુ વર્ષે અંદાજીત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો જાળવી રાખવાની કવાયત કરી લેવી પડશે અને જ્યાં જરૂર હોય ત્યાં વીજ લાઈનો તથા તેને સંલગ્ન ઉપકરણોની ક્ષમતા વધારી લેવી પડશે.
જામનગર સહિતના શહેરોની વસ્તી વધી છે. વેકેશનનો માહોલ છે. વીજ ઉપકરણોની જરૂરિયાતો પણ વધી રહી છે. અત્યારે ઘેરઘેર એરકન્ડીશન્ડ મશીનો, વોશીંગ મશીનો, ઘરઘંટી, ટેલિવિઝન, વીજ આધારિત ચુલાઓ, ઈલેક્ટ્રિક મોટરો, એરકૂલરો, રેફ્રીજરેટરો અને ઈ-વાહનોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે, અને હવે મધ્યમવર્ગીય પરિવારો તથા અપર-પૂઅર વર્ગોના પરિવારો પણ આ પ્રકારના વીજ આધારિત ઉપકરણો તથા સેવાઓ મેળવવા લાગ્યા છે, ત્યારે જરૂર પહેલા ડોર-ટુ-ડોર સર્વે કરીને પણ શહેરમાં અંદાજીત કેટલાક ઉપકરણો છે, તેના અંદાજ આધારિત વીજક્ષમતા વધારવાની કવાયત અત્યારથી જ કરી લેવી જોઈએ, જેથી ભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પીસાતી જનતાને થોડી રાહત આપી શકાય.
જામનગર મહાનગરપાલિકાના તંત્રો દ્વારા ઘેર-ઘેર નળ દ્વારા અપાતો પાણી પુરવઠો ઉપરની ટાંકીમાં પહોંચાડવા ભૂગર્ભ ટાંકીઓમાં દેડકો મોટર કે ઈલેક્ટ્રિક મોટરો પણ વાપરવામાં આવે છે, અને તેનો અંદાજ ભાગ્યે જ ગણતરીમાં લેવાતો હોય, તે ઉપરાંત વીજ આધારિત વ્યવસાયો, ઔદ્યોગિક-વ્યાપારિક જરૂરિયાતો અને કોમ્પ્યુટર્સ, વાયફાય અને મોબાઈલ સેલફોન આધારિત પ્રવૃત્તિઓ માટે પણ વીજ પુરવઠાની જરૂર તો પડવાની જ છે ને...?
ટૂંકમાં વીજતંત્રોએ માઈક્રો પ્લાનીંગ પણ કરવું જોઈએ અને અત્યારથી વિસ્તારવાઈઝ અંદાજો કાઢીને તે મુજબ વીજલાઈનો તથા સંલગ્ન સાધનોનું અપગ્રેડેશન કરી લેવું જોઈએ.
વીજ તંત્રોની જેમ જ પાણી પુરવઠાના વિભાગ તથા પાલિકા-મહાપાલિકા, પંચાયતોના વોટરવર્કસ તંત્રોએ પણ ઉનાળામાં માનવી અને પશુઓ માટે જરૂરી પાણી પુરવઠાનો અંદાજ કાઢીને આગામી બે-અઢી મહિના સુધી એટલે કે જુલાઈ મહિના સુધીનું માઈક્રો પ્લાનીંગ કરી લેવું જોઈએ. તે ઉપરાંત જે વિસ્તારોમાં હજુ પણ ટેન્કરો ચાલી રહ્યાં છે, ત્યારે ટેન્કરોના ફેરા કે સંખ્યા વધારીને લોકોને કમસેકમ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, તેવી વ્યવસ્થાઓ તંત્રોએ અત્યારથી જ કરી લેવી જોઈએ, ખરૃં ને...?
ઉનાળામાં વીજ વપરાશ વધવાની સાથેસાથે આગ અકસ્માત જેવી ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે, જેથી ઉનાળાના પ્રારંભે જ ફાયરસેફટી સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવે તે જરૂરી છે. ઉનાળામાં ઘણી બધી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પાણીના પરબ, છાશ વિતરણ તથા શિતળ છાંયડાની વ્યવસ્થાઓ થતી હોય છે, અને ઘરવિહોણાં રખડતા-ભટકતા લોકો માટે શેલ્ટર હોમ પણ ઊભા કરાતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું સંકલન કરીને જરૂરિયાત મુજબના તમામ સ્થળોએ સમાન ધોરણે પૂરતા પ્રમાણમાં આ નિઃશુલ્ક સેવાઓ મળી શકે તેવું સંકલિત આયોજન થાય તે ઈચ્છનિય રહેશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પગ પર કૂહાડો માર્યો હોય, તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. શેરબજારો ડગમગવા લાગ્યા છે, અને ડોલરને પણ ફટકો પડવા લાગ્યો છે. વ્યાપારમાં "જેવા સાથે તેવા" નો અભિગમ ચાલે નહીં, કારણ કે, વિવિધ દેશોમાં માંગ, પુરવઠાની ઉપલબ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તથા પરસ્પર દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કરારો, સમજૂતિઓ અને ખાસ કરીને વિવિધ દેશો સાથેના દ્વિપક્ષીય રાજનૈતિક તથા કૂટનૈતિક સંબંધો અને ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન તથા ટ્રાન્ઝેકશન જેવા તમામ પરિબળો પર વ્યાપારિક ગતિવિધિઓનો આધાર રહેતો હોય છે, અને તેમાં ઋતુચક્ર, કુદરતી આફતો અને વૈશ્વિક શાંતિ-અશાંતિ-યુદ્ધો વગેરેની અસર પણ થતી હોય છે. આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ ઘર આંગણે જ ઝટકાઓ લાગે અને આંતરિક અવરોધો ઊભા થાય, તો તેમાં નવાઈ નહીં લાગે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ, શેરબજારો, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રો અને બેન્કીગ ક્ષેત્રોના તજજ્ઞો, વિશ્લેષકો અને બ્યુરોક્રેટ્સના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છ કે, ટ્રમ્પનો ટેરિફ ટેરર અમેરિકાને તો ડુબાડશે જ, પરંતુ આખી દુનિયાને પણ માઠી અસરો પહોંચાડશે. કેટલાક જાણકારો માને છે કે, ટેરિફ નીતિ પછી ભારત-અમેરિકાના સંબંધો બગડશે.
અમેરિકાના મશહૂર અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગ તર્કબદ્ધ પ્રત્યાઘાતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ટ્રમ્પની ટેરિફ પોલિસીથી અમેરિકા મંદીના વમળમાં ફસાઈ શકે છે, અને અર્થતંત્રને ફટકો પડી શકે છે. રોઝનબર્ગે તો ત્યાં સુધી કહ્યું છે કે, ટ્રમ્પની આ પોલિસી માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયાને મહામંદીમાં ધકેલી શકે છે અને આ વૈશ્વિક મંદીની અસરો ઘણી જ ગંભીર હશે.
ટ્રમ્પના કદમની બોમ્બ, ટેરર કે એટેક જેવા ભારેખમ શબ્દપ્રયોગ કરીને જે આલોચના થઈ રહી છે, તેમાંથી વૈશ્વિક પ્રત્યાઘાતોની આક્રોશિત જનભાવનાઓ પ્રગટે છે, અને વિવિધ ક્ષેત્રોમાંથી પણ તીવ્ર નારાજગી સાથેના ઘરઆંગણે ચર્ચાઈ રહેલા પ્રત્યાઘાતો પછી ટ્રમ્પ કદાચ થોડા નરમ પડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.
જો કે, ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી ભારત પર ર૭ ટકા જેવો ટેરિફ લગાવ્યા પછી પણ એટલો મોટો ફટકો નહીં લાગે, જેટલા નુકસાનની કલ્પના કરવામાં આવે છે, તેવું ભારતીય રિઝર્વબેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન સહિતના કેટલાક ફાયનાન્સ એન્ડ બેંન્કીગ સેક્ટરના નિષ્ણાતોનું મંતવ્ય છે.
રઘુરામ રાજને ટ્રમ્પના ટેરિફ એટેકને સેલ્ફ ગોલ ગણાવ્યો છે, જેને ગુજરાતી કહેવત મુજબ પોતાના જ પગ પર કૂહાડો મારવા જેવું કદમ ગણાવી શકાય.
જો કે, ટ્રમ્પે ટેરિફ લગાવ્યા પછી અમેરિકન કસ્ટમર્સને વિપરીત અસરો થતા ડિમાન્ડ ઘટશે અને ટ્રમ્પે ૬૦ દેશો પર નોંધેલા ટેરિફની નેગેટિવ અને પોઝિટિવ અસરોનો સરવાળો-બાદબાકી કરતા એકંદરે ભારતને ઓછી વિપરીત અસર થશે, તેવું રઘુરામ રાજન માને છે.
ભારતની અમેરિકામાં નિકાસ ઓછી થતી હોવાથી આખી ઈન્ડિયન માર્કેટ કે ઈકોનોમીને સીધી અને ગંભીર અસરો થવાની સંભાવના ઓછી છે. અમેરિકાએ ટેરિફ વધારતા ચીન જેવા દેશને પણ ભારતની જરૂરિયાતો મુજબની નવી વ્યાપાર નીતિ અપનાવશે, જેનો ફાયદો પણ ભારતને થઈ શકે છે.
રઘુરામ રાજન માને છે કે, જ્યારે આખી દુનિયા "નેશન ફર્સ્ટ" ની નીતિ અપનાવીને પોતાને "સુરક્ષિત" રાખવાને અગ્રીમતા આપતી હોય, ત્યારે ભારતે પણ ચાલાકીપૂર્વક કામ કરવું જોઈએ. ભારતે યુરોપ, આફ્રિકા અને ચીન સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા ઉપરાંત ચીન સાથે સાવધાનીપૂર્વક અને સમોવડિયા થઈને નવી ફૂડપોલિસી અખત્યાર કરવી જોઈએ.
રઘુરામ રાજન એવું પણ માને છે કે, ભારતે આડોશ-પાડોશના દેશો સાથે સહયોગ વધારીને સંબંધો મજબૂત બનાવવાની જરૂર છે. પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો અને મતભેદોની વિપરીત અસરો વ્યાપાર અને આર્થિક વ્યવહાર પર પડવી ન જોઈએ. ચીને તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પ૪% ટેરિફનો મુદ્દો લઈ જવાનું મન બનાવ્યું છે, તેવા અહેવાલો પછી વૈશ્વિક ટ્રેડ વોર અને સંભવિત મંદીની સંભાવનાઓ વચ્ચે ભારતે "નેશન ફર્સ્ટ" ની નીતિ મુજબ નવા સમીકરણો રચવા પડશે. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન સાંસદોના પ્રત્યાઘાતો પણ નોંધનીય છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તો ટ્રમ્પ પર દગાબાજીનો આરોપ લગાવતા કહ્યું કે, આ કોઈ મિત્ર જેવો વ્યવહાર નથી. ઓસ્ટ્રેલિયાના એકાદ-બે ટાપુ પર તો માનવ વસ્તી જ નથી, ત્યાં લગાવાયેલા રેસિપ્રોેકલ ટેરિફની હાંસી પણ ઉડાવાઈ રહી છે.
ભારતમાં ટ્રમ્પની ટેરિફ નીતિની મિશ્ર અસરો થશે, અને કેટલાક સેક્ટર્સને લાભ પણ થશે, તેવા અભિપ્રાયો અને તેના સંદર્ભે થઈ રહેલી ચર્ચા મુજબ ભારતના જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની પોલિસીથી ગંભીર ફટકો પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છેે, કારણ કે, ભારતમાંથી જ્વેલરી, હીરા, રત્નો, ફાર્મા પ્રોડક્ટસ, ટેલિકોમ્યુનિકેશનના ઉપકરણો, પેટ્રો પ્રોડક્ટસ, ગારમેન્ટસ વિગેરેની નિકાસ થાય છે. બીજી તરફ અમેરિકાએ બીજા દેશો પર લગાવેલા ભારે ટેરિફથી ટેક્સટાઈલ્સ સેક્ટરને ફાયદો થઈ શકશે. જ્યારે કેટલાક સેક્ટરોમાં ટેરિફ નહીં લગાડાતા રાહત પણ થઈ છે. જોઈએ, હવે તબક્કાવાર ટ્રમ્પ ટેરિફના અમલીકરણ પછી શું થાય છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે જામનગર નજીક જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થવાના સમાચારોએ ચિંતા જગાવી હતી, તે પણ દેશવાસીઓ મીઠી ઊંઘ માણી રહ્યાં હશે ત્યારે જાણે કે, ત્રિપલ ધમાકા થયા હોય, તેવી હલચલ દેશ અને દુનિયામાં અનુભવાઈ હતી. દેશમાં જે લોકો સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યાં હતાં. તેઓએ ગઈકાલની લગભગ ૧૩ કલાકની લાંબી ચર્ચા પછી લોકસભામાં વકફનું બિલ બહુમતીથી પસાર થયું, તે પછી મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચર્ચા નિહાળી હશે, તે પછી અમેરિકામાં ટ્રમ્પે ટેરિફ એટેકની જાહેરાત કરી ત્યારે દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.
ભારતમાં મધ્યરાત્રિ વીતી ગઈ હતી, તેવા સમયે ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા સહિત વિવિધ દેશો પર જંગી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી.
ગઈકાલે મધ્યરાત્રિ પછી બહુમતીથી વકફનું બિલ પસાર તો થયું, પરંતુ તે પહેલા થયેલી લાંબી ચર્ચામાં લગભગ તમામ રાષ્ટ્રીય પક્ષો તથા અપક્ષ સાંસદોએ પણ મન મૂકીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં અને તીખાતમતમતા ભાષણો કર્યા હતાં. વિરોધપક્ષોએ એકજૂથ થઈને મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી અને વકફ બિલ પાછળ સરકારની ગુપ્ત નીતિ-રીતિઓ અંગે આશંકાઓ વ્યક્ત કરી હતી. કેટલાક સાંસદોએ સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં. તો સરકાર તરફથી એનડીએના સાંસદોએ પણ તેટલી જ કડક અને આક્રમક ભાષાના જવાબો આપીને આક્ષેપો ફગાવ્યા હતાં.
લાંબી ચર્ચાના અંતે પાક્કી બહુમતી સાથે વકફ બિલ પસાર થઈ ગયું અને સરકારને વિપક્ષો કરતા પ૩ મતો વધુ મળ્યા, તેથી મોદી સરકાર તથા એનડીએ મજબૂત દેખાયા અને આજે બપોરે આ બિલ રાજ્યસભામાં રજૂ થયા પછી તેના પર લાંબી ચર્ચા થશે અને જો રાજ્યસભા પણ આ બિલ પાસ કરી દેશે, તો તે પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે. જો કે, તે પછી પણ વિરોધપક્ષો દ્વારા આ બિલનો વિરોધ થતો રહેશે અને કદાચ આ મુદ્દો અદાલતની અટારીએ પહોંચે, તો પણ નવાઈ જેવું નહીં હોય, કારણ કે, કેટલાક નેતાઓએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે, એવું કહેવાય છે કે, વિપક્ષના એક સાંસદે તો બિલને ત્યાં જ ફાડ્યું, તેમાંથી નવો વિવાદ ઊભો થયો છે.
ગઈકાલે મધ્યરાત્રિ પછી લગભગ બે વાગ્યાની આસપાસ આ બિલ લોકસભામાં પાસ થયું હતું, જેથી આપણાં દેશને અડધી રાત્રે આઝાદી મળી, ત્યારથી લઈને જીએસટીની મંજુરી સુધીના મહત્ત્વના નિર્ણયો સંસદમાં મધ્યરાત્રિ કે મોડી રાત્રે લેવાયા હોવાની ચર્ચા પણ થવા લાગી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર-ર૦૧૬ ની રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાતનો અમલ પણ તે દિવસે મધ્યરાત્રિથી જ શરૂ થયો હતો ને...?
હજુ તો વકફ બિલ પાસ થયા પછી લોકસભામાં મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે ચર્ચા શરૂ જ થઈ હતી, ત્યાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું બ્યુગલ ફૂંક્યુ હતું અને તેનું જીવંત પ્રસારણ વિશ્વભરના ટેલિવિઝન નેટવર્ક તથા રેડિયો બ્રોડકાસ્ટીંગ વિગેરે માધ્યમો દ્વારા થવા લાગ્યું હતું. તેમાં સૌથી પહેલા તેમણે ઓટોમોબાઈલ્સ સેક્ટર માટે રપ% ટેરિફની જનરલ જાહેરાત કરી હતી અને પછી ક્રમશઃ રેસિપ્રોકલ ટેક્સની ઘોષણા કરી હતી. જ્યારે ટ્રમ્પ આ ટેરિફવોરની જાહેરાત કરી રહ્યાં હતા, ત્યારે જ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મિત્રો" ગણાવ્યા, અને હળવેકથી ભારત પર ર૬% ટેરિફ પણ લગાવી દીધો, તે પછી આજે આવી રહેલા પ્રતિભાવોમાં "મોદી-ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી દેશને શું કામની...?" તેવા સવાલો સાથે મોદી સરકારની વિદેશનીતિ તથા અનિર્ણાયક અથવા કન્ફ્યુઝડ પોલિસીની આલોચના પણ થવા લાગી છે, અને હવે બિમ્સ્ટેકમાં પી.એમ. મોદીના વલણ પણ સૌની નજર રહેવાની છે.
ભારત પર ર૬% ટેરિફ લગાવવા છતાં ટ્રમ્પે ભારત સાથે જાણે મિત્રતા નિભાવી હોય તેવા સ્વરમાં કહ્યું કે, ભારત-અમેરિકા પર બાવન ટકા ટેરિફ લગાવે છે, પંરતુ અમે (અમેરિકા) ભારત પર અડધો જ ટેરિફ લગાવ્યો છે...!
જો કે, ટ્રમ્પે પાંચ-સાત અપવાદો સિવાય દુનિયાના અનેક દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે અને રેસિપ્રોકલ ટેરિફ ટેરરની હકીકતમાં જાહેરાત કરીને તેના અમલની તારીખો પણ જાહેર કરી દીધી છે.
ભારત પર ર૬% ટેરિફ અને ઓટોમોબાઈલ પર રપ% ટેરિફના એટેકથી ભારતમાં તો હલચલ મચી જ છે, પરંતુ દુનિયાભરના બજારોમાં આજે જે હડકંપ મચ્યો છે, તે આપણી સામે જ છે. દુનિયાભરના શેરમાર્કેટમાં પણ અફરાતફરી મચી ગઈ છે, અને ભારતનું શેરબજાર પણ પછડાયું છે... ભારત સરકારે તો આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ ઊભો કરી દીધો છે...!
ગઈકાલે મધ્યરાત્રિ પછી સંસદમાં વકફ બિલ પાસ થયું અને મણીપુરનું રાષ્ટ્રપતિ શાસન પણ ગુંજ્યું, અને તેની સાથે-સાથે ટ્રમ્પનો ટેરિફ એટેક થયો, તે ત્રિપલ ધમાકાઓના તીવ્ર આફટરશોક્સ આજે પણ આવી રહ્યાં છે., અને ટ્રેડવોર અને જમીન યુદ્ધોમાં અટવાયેલી દુનિયાના તમામ સમીકરણો હવે ધરમૂળથી બદલાઈ જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
એક રસપ્રદ ઘટના એ પણ બની હતી કે, ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદ કોરી બુકરે ત્યાંની સેનેટમાં સોમ-મંગળવારે નોનસ્ટોપ રપ કલાક અને પાંચ મિનિટ સુધી ભાષણ કરીને ટ્રમ્પના મનસ્વી અને આડેધડ નિર્ણયોથી તેમનો દેશ - (અમેરિકા) સંકટમાં હોવાનો આક્ષેપ કર્યો હતો, અને તે પછી ટ્રમ્પે ગઈકાલે ત્યાંના સમય મુજબ સાંજે સાડાચાર વાગ્યે ટેરિફવોરનું બ્યુગલ ફેંકતું આક્રમક ભાષણ કર્યુ હતું. ઘણાં વૈશ્વિક વિશ્લેષકો આ બન્ને ઘટનાક્રમોને જોડીને એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, આ એક યોગાનું યોગ હતો, કે પછી પૂર્વ નિર્ધારીત પબ્લિસિટી સ્ટંટ હતો...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં અગ્નિકાંડો અંગેનો વિસ્તૃત વિવરણો લખવામાં આવે, તો કદાચ મહાભારત જેવડો ગ્રંથ રચાઈ જાય. આ માનવસર્જિત અગ્નિકાંડો સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ લઈ લેતા હોય છે, અને અવારનવાર અગ્નિકાંડો સર્જાતા હોવા છતાં શાસન-પ્રશાસનની ઊંઘ ઉડતી હોય તેમ લાગતું નથી. આ પ્રકારના અવારનવાર સર્જાતા અગ્નિકાંડોનું જવાબદાર કોણ...? તેવો સવાલ આજે ફરીથી ગુંજી રહ્યો છે, અને અગ્નિકાંડ સર્જાય, તે સ્થળના સંચાલકો, માલિકો કે આયોજકો પર કેસ નોંધીને તત્કાળ તપાસના નાટકો થાય અને વર્ષો સુધી કેસ ચાલ્યા કરે, અને મોટાભાગે જામીન પર છૂટી જતા આરોપીઓ મસ્તીમાં મહાલ્યા કરે, તે નક્કર હકીકત જ છે ને...?
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક તદ્દન ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ર૧ જેટલા ગરીબ શ્રમિકોના મૃત્યુ થઈ ગયા અને તેના મધ્યપ્રદેશમાં રહેતા પરિવારો બરબાદ થઈ ગયા, તેની જવાબદારી શું માત્ર તે ફેક્ટરીના માલિકની જ ગણાય...? આવડી મોટી ફેક્ટરી ધમધમતી હોય, તે શું કોઈ ઉચ્ચ અધિકારી, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ કે અન્ય જનપ્રતિનિધિઓની નજરે જ નહીં ચડી હોય...? સંબંધિત કરપ્ટેડ તંત્રોએ કદાચ તોડબાજી કરી હોય કે હપ્તા ઉઘરાવ્યા હોય, પરંતુ ત્યાંની સ્થાનિક નેતાગીરીએ પણ આંખ આડા કાન કર્યા હોય...? તેવો અણીયારો સવાલ ઉઠી રહ્યો છે, અને તેનો જવાબ કોઈ પાસે નથી.
દુર્ઘટના થઈ ગયા પછી દુઃખ વ્યક્ત થાય, આશ્વાસનો અપાય, સહાયની જાહેરાતો થાય અને તપાસના નાટકો થાય, પરંતુ જેના જીવ ગયા અને જે ગરીબ શ્રમિકોના પરિવારોએ સ્વજન ગુમાવ્યા, તે કમભાગી મૃતકો થોડા પાછા આવવાના છે...?
વડાપ્રધાન, મુખ્યમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીઓ તથા સાંસદો, રાજ્યના મંત્રીઓ તથા અન્ય નેતાઓએ ડીસાની દુર્ઘટના પછી સંવેદના પાઠવી અને દુઃખ વ્યક્ત કર્યુ, રાજય સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ અત્યારસુધી આ ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી ત્યારે સ્થાનિક નેતાગીરી ક્યાં ગઈ હતી...? તે સવાલ તો રાજકીય પક્ષો સામે પણ ઊભો થવો જ જોઈએને...?
એવું કહેવાય છે કે, અને ફેક્ટરીમાં ફટાકડાના ઉત્પાદન માટે કોઈ મંજૂરી જ લેવામાં આવી નહોતી, અને માત્ર ફટાકડાના સંગ્રહ માટે પરવાનગી લઈને ત્યાં ફટાકડા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગેરકાનૂની દારૂગોળાનો ઉપયોગ કરીને જોખમી ઢબે ફટાકડા બનાવાઈ રહ્યાં હતાં, તેથી આ કેસ કોઈ લાપરવાહી કે માત્ર નિયમભંગ કે પ્રક્રિયાનો નથી, પરંતુ આ સ્થળે કામ કરતા તથા આજુબાજુ વસવાટ કરતા અને અહીંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂકીને ઝડપથી નાણા કમાઈ લેવાનું ઘાતકી કાવતરૂ જ હતું, જે પૂર્વ આયોજીત રીતે સમજી, વિચારીને આચરાયુ હતું, તેથી આને દુર્ઘટના નહી, પરંતુ સામૂહિક હત્યાકાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્ર ગણીને કેસ ચલાવવો જોઈએ, તેવો જનાક્રોશ ઉઠતો હોય તો તે અસ્થાને નથી...
ગુજરાતમાં સુરતના તક્ષશીલાથી લઈને રાજકોટના તાજેતરના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સુધીની ભયંકર આગ દુર્ઘટનાઓ, ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉન સળગાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી પણ સરકારી તંત્રો, સરકાર કે નેતાઓ જાગ્યા નથી. એમ કહેવાના બદલે એમ કહેવું જોઈએ કે આ તમામ અગ્નિકાંડોમાં થયેલા મૃત્યુ અને નુકસાનોના પાપના ભાગીદાર છે. આને શાસન-પ્રશાસનની ગુનાહિત બેદરકારી જ ગણવી જોઈએ.
ડીસાની દુર્ઘટના પછી રાતોરાત ફેક્ટરીના માલિક પિતા-પુત્રની ધરપકડ થઈ ગઈ અને એસઆઈટી રચાઈ ગઈ, પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ દોષિતોને સજા ક્યારે થશે...? વર્ષોના વર્ષો સુધી કેસ ચાલશે, અને સજા થશે, તો પણ મૃતકોના જીવ થોડા પાછા આવવાના છે...?
આ અગ્નિકાંડને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના વિપક્ષના નેતાઓએ સવાલો ઉઠાવ્યા, અને શાસકપક્ષના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને સરકારી સહાયની જાહેરાતો સાથે દોષિતોને કડક સજા થશે, તેવા નિવદનો કર્યા, પરંતુ આજ સુધી આ ગેરકાનૂની ફેક્ટરી ધમધમી રહી હતી, તેની સામે સ્થાનિક રાજનેતાઓ, જનપ્રતિનિધિઓ કે અન્ય અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો હતો ખરો...? તેની પણ તપાસ થવી જોઈએ, અને માત્ર ફેક્ટરીના માલિકો જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા (ફેક્ટરીના પ્રારંભથી અત્યાર સુધીના) જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ, અને સ્થાનિક નેતાગીરી તથા ચૂંટાયેલા વિવિધ સ્તરના જનપ્રતિનિધિઓનો ખૂલાસો પણ સંબંધિત રાજકીય પક્ષોએ પૂછવો જોઈએ. આ ફેક્ટરી જે વિસ્તારમાં ધમધમી રહી હતી, તે વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓ અને મુખ્ય રાજકીય પક્ષોના જે-તે વિસ્તારના હોદ્દેદારોને હટાવવા સુધીની કાર્યવાહી થવી જોઈએ. જો આવું થશે, તો જ આ પ્રકારના ગોરખધંધા અને ગેરકાનૂની ઘાતક પ્રવૃત્તિઓ અટકશે.
આજે પણ રાજકોટ સહિતના કેટલાક સ્થળોએ નાની-મોટી આગની ઘટનાઓ બની હોવાના અહેવાલો છે. અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ ઘટાડવા માટે વ્યાપક જનજાગૃતિની પણ જરૂર છે, જો જનતા નહીં જાગે, તો તંત્રો અને ભ્રષ્ટ પરિબળોની સાઠગાંઠ આવી રીતે જ ચાલતી રહેવાની છે, તેથી જાગો...ગુજરાતીઓ... જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશભરમાં એક ખબર આગની જેમ ફેલાવા લાગી અને એવા અનુમાનો થવા લાગ્યા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરમાં આર.એસ.એસ.ની લીધેલ મુલાકાતને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે આપેલા નિવેદને ગઈકાલે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો.
અહેવાલો મુજબ સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના હેડક્વાર્ટરમાં જઈને આગામી સપ્ટેમ્બરથી પોતે (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન પદેથી રિટાયર થઈ રહ્યાં હોવાની રજૂઆત કરી દીધી છે.
રાઉતના કહેવા મુજબ સપ્ટેમ્બર-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ૭પ વર્ષની થઈ જશે, અને તે પછી તેઓ પાર્ટીએ નક્કી કરેલી ઉંમર મર્યાદા મુજબ જ "નિવૃત્ત" થઈ જશે. તેમણે કહ્યું કે, ૧૧ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના હેડક્વાર્ટરમાં ગયા ત્યારે તેઓની નિવૃત્તિની ઈચ્છા જાહેર કરી હોય શકે છે.
સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન કોણ બનશે, તે અંગેની ચર્ચા કરી હોવાના મીડિયાના અહેવાલો પછી દેશભરમાં અટકળો અને અફવાઓનું બજાર ધગધગી રહ્યું હતું અને એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો ત્યાં સુધી કહેવા લાગ્યા હતાં કે, સપ્ટેમ્બર-ર૦રપ સુધીમાં નરેન્દ્ર મોદી પોતાના જ કાર્યકાળમાં સમાન સિવિલ કોડ અને પીઓકે પાછું મેળવવા માટેના સામૂહિક કદમ ઉઠાવી શકે છે. એનડીએમાં આંતરીક વિરોધ છતાં વકફ બીલને લઈને મોદીની મક્કમતાને પણ આ જ અટકળો સાથે સાંકળવામાં આવી રહી છે.
લોકો એવી અટકળો પણ કરી રહ્યાં છે કે, જો બોલકા નેતા સંજય રાઉતની વાતમાં દમ હોય તો મોદીની ગેરહાજરીમાં એનડીએની સરકાર ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવી હશે અને એનડીએ વિખેરાઈ જાય, તો ઈન્ડિયા ગઠબંધનમાં પણ ઘણાં મુરતિયા (અને મહિલા નેતાઓ પણ) વડાપ્રધાન પદે બેસવા થનગની રહ્યાં છે, ત્યારે કદાચ સપ્ટેમ્બર-ર૦રપ માં દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ પણ થઈ શકે છે અને પ્રવાહી સ્થિતિમાં લોકસભાની મધ્યાવધી ચૂંટણીઓ પણ કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે.
સંજય રાઉતના નિવેદનની હાંસી ઉડાવતા પણ કેટલાક કટાક્ષો થઈ રહ્યાં છે. ઘણાં લોકો એવું માને છે કે, સંજય રાઉત "એપ્રિલ ફૂલ" ની માનસિકતામાં ૩૧-માર્ચે જ પહેલી એપ્રિલ સમજીને આ નિવેદન કરી બેઠા હોય તેવું લાગે છે...!
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંજય રાઉતના એ નિવેદનને ફગાવી દેતા તત્કાળ પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ-ર૦ર૯ સુધી વડાપ્રધાન રહેવાના જ છે. ફડણવીસે કહ્યું કે, બાપની હાજરીમાં જ તેના ઉત્તરાધિકારીની ચર્ચા કરવાની આપણી સંસ્કૃતિ જ નથી...!!
અટકળોની આંધી વચ્ચે આજે થઈ રહેલા નિવેદનો પણ ચર્ચામાં છે, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્ય થવા માટે રપ વર્ષ અને રાજ્યસભાના સભ્ય થવા માટે ૩૦ વર્ષની લઘુત્તમ ઉંમર નિર્ધારીત છે, પરંતુ મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નથી. જેથી વડાપ્રધાને પદે મોદી ૭પ વર્ષની ઉંમર પછી પણ રહી શકે છે. ભારતીય જનતાપક્ષના મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓને ૭પ વર્ષની વયમર્યાદાના સંદર્ભે માર્ગદર્શક મંડળમાં સમાવાય તેવું નરેન્દ્ર મોદી સાથે નહીં થાય, અને ભાજપમાં ૭પ વર્ષની વયમર્યાદાનો કોઈ જડ નિયમ છે જ નહીં, તેવા દાવાઓ થઈ રહ્યાં છે, અને ભાજપના દિગ્ગજો આ બધી અટકળોને હવાહવાઈ ગણાવી રહ્યાં છે, ત્યારે જોઈએ, આગે-આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભારત સહિત વિશ્વમાં ઈદ-એ-મિલાદ એટલે કે, રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે, અને દેશભરમાં અને વિશ્વના અન્ય દેશોમાં વસતા ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી પણ થઈ રહી છે. આ તહેવારો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપ અને સૌજન્યનો સંદેશ આપે છે, અને વિશ્વભરમાં આ તહેવારો એખલાસ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ બન્ને તહેવારોનો સુભગ સમન્વય દેશ-દુનિયા માટે પ્રવર્તમાન સંજોગોમાં સમજદારી, શાંતિ અને સૂલેહનો સંદેશ પણ આપે છે.
ગઈકાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે અને માતૃભક્તો વ્રતો, અનુષ્ઠાનો, પૂજન-અર્ચન અને સેવાકાર્યો, દાન-૫ુણ્ય સાથે નવરાત્રિ ઉજવી રહ્યાં છે. આ નવરાત્રિનું સમાપન રામનવમીના દિવસે થશે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ આ વર્ષે આઠ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, અને સાતમી એપ્રિલ સુધી ચાલશે. આ શક્તિ ઉપાસનાનો તહેવાર છે. જે ભાવિકો વિવિધ રીતે ઉજવે છે.
આજે ભારત સહિત વિશ્વમાં ઉજવાઈ રહેલી રમઝાન ઈદને મીઠી ઈદ પણ કહે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો સુંદર વસ્ત્રો પરિધાન કરીને એકબીજાને ભેટીને શુભકામનાઓ આપે છે અને સેવ ઈ અને મીઠાઈઓ ખવડાવે છે. દિવાળીના પર્વની જેમ જ આ તહેવાર પણ પરસ્પર કોમી એખલાસ અને સહિયારી સંસ્કૃતિનો ઘાતક છે અને અન્ય ધર્મ-સંપ્રદાયના લોકો પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવે છે, અને પરસ્પર સ્નેહ પ્રગટ કરે છે. ચૈત્રી નવરાત્રિ અને ઈદનો આ સુભગ સમન્વય સમગ્ર સૃષ્ટિ માટે સુખ, શાંતિ, સંપ, સમૃદ્ધિ અને સૌજન્યનો સંદેશ આપે છે. આપણા દેશમાં પ્રત્યેક ધાર્મિક તહેવારો પણ પરસ્પર આદર, સન્માન અને એખલાસ સાથે ઉજવાય છે, જેમાં કેટલાક પરિબળો ખલેલ પહોંચાડવાના પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ તેવા પરિબળોની અવગણના કરવી જોઈએ અને તેઓને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ.
જો કે, આપણા દેશમાં કેટલાક સ્થળે વિશેષ બંદોબસ્તો કરવા પડી રહ્યા છે, અને તોફાની તત્ત્વોની સામે કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્રો દોડધામ કરી રહ્યા છે, દેશની શાંતિ જોખમાવવા પ્રયાસો કરતા પરિબળોનો કોઈ ધર્મ હોતો નથી અને તેવા પરિબળોને સખ્તાઈથી દૂર કરવા જોઈએ, પછી તે કોઈ પણ ધર્મ-સંપ્રદાય, વર્ગના હોય તો પણ તેને છોડવા ન જોઈએ. આ પ્રકારની માંગણીઓ પણ થતી રહે છે, દાવાઓ પણ થતા રહે છે, તેમ છતાં દેશના કેટલાક વિસ્તારોમાં વિશેષ પ્રબંધો કરવા પડતા હોય તો તે શું સૂચવે છે...?... સૌ કોઈ માટે આ મુદ્દો આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી...?
આજે મહારાષ્ટ્રના રાજનેતા રાજ ઠાકરે અને ગુજરાતના કદાવર નેતા નીતિનભાઈ પટેલે કરેલા નિવેદનોએ જે ખળભળાટ મચ્યો છે, તે શું સૂચવે છે...? જરા વિચારો...
એક તરફ સંસદમાં વકફનું બીલ રજૂ કરવાની વાતો ચાલે છે, તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ અને નિતીશકુમાર વકફ બીલ સાથે સહમત નહીં હોવાની વાતો થઈ રહી છે. નિતીશકુમાર હવે એનડીએ નહીં છોડે, તેવો દાવો કરી રહ્યાં હોવા છતાં કોઈને તેના પર વિશ્વાસ નથી, તેથી મોદી સરકાર જેડીયુ અને ટીડીપીની કાંખ ઘોડીઓ પર હોવાથી ગમે ત્યારે ગબડી શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યાં છે, બીજી તરફ બિહારની ચૂંટણીઓમાં બન્ને તરફથી ફાયદો મેળવવા માટે વકફનું બીલ લટકતું રાખવાની ગુપ્ત રણનીતિ હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ ટ્રમ્પે ઈરાન પર પરમાણું કરાર કરવાનું દબાણ ઊભું કરવા બોમ્બમારો કરવાની આપેલી ધમકી અને રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા અને સ્વાસ્થ્ય વિષે વિવિધ અહેવાલોના સ્વરૂપમાં થઈ રહેલા ધમાકાઓ વચ્ચે વૈશ્વિક શાંતિ પણ જોખમાઈ રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રિ અને ઈદ જેવા તહેવારોમાંથી નીકળતો શાંતિ, સંપ અને સૌજન્યનો સંદેશ વિશ્વસ્તરે ફેલાય અને વિશ્વ સંઘર્ષો, યુદ્ધો અને વિવાદોમાંથી બહાર આવીને સુખ, સારા સ્વાસ્થ્ય અને શાંતિના માર્ગે આગળ વધે તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણા દેશને અડધી રાતે આઝાદી મળી હતી તે પછી પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો અડધી રાતે લેવાતા રહ્યા છે, તો કેટલાક નિર્ણયો અડધી રાતથી લાગુ કરાતા હોય છે.
ગત્ મધરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને બસભાડામાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેતા રાજ્યના લાખો મુસાફરોને ઝટકો લાગ્યો છે અને એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહેલા સામાન્ય લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
એસ.ટી.ના ભાડા વધતા જ હવે ખાનગી ટ્રાવેલ્સમાં પણ બસભાડા કદાચ વધી જશે. એટલું જ નહીં, ટેક્સી સેવા પણ મોંઘી થઈ શકે છે, જેથી કાયમી ભરચક્ક રહેતી ટ્રેનોમાં પણ ભીડ વધશે, જેના કારણે એક નવી જ સમસ્યા ઊભી થઈ જશે. એવું કહેવાય છે કે ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી પર એક રૂપિયાથી ચાર રૂપિયા સુધીનું ભાડું વધી જશે. ભલે આ આંકડો સામાન્ય લાગતો હોય, પરંતુ કામધંધા માટે દરરોજ મુસાફરી કરતા લોકો, ખેતી માટે ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કામે મુસાફરી કરતા નાના ખેડૂતો, પારિવારિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે વ્યવહારિક કામો માટે એસ.ટી.ની મુસાફરી કરતા મુસાફરોને ૪૮ કિ.મી. કે તેથી વધુ મુસાફરી કરે તેના પર વધુ બસભાડું ચૂકવવું પડશે, તેથી ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોના બે છેડા ભેગા કરવામાં વધુ મુશ્કેલી પડશે, તે નક્કી છે.
જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણાં લાંબા સમયગાળા પછી ગુજરાતના એસ.ટી. કોર્પોરેશને બસભાડા વધાર્યા છે. એવો દાવો પણ કરાયો છે કે નિમયાનુસાર ૬૮ ટકા બસભાડા વધારવાનો પ્રસ્તાવ હતો, પરંતુ ગરીબ-નાના વર્ગોને ધ્યાને રાખીને જ સરકારે માત્ર ૧૦ ટકા બસભાડું વધાર્યું છે, જે મનફાવે તેવા ભાડા લેતી કેટલીક પ્રાઈવેટ બસ સર્વિસો કરતા ઘણું ઓછું છે!!
જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વધારાયેલા આ બસભાડાને લઈને રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પ્રેસ-મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આંકડાઓ મુજબ જો દરરોજ ર૭ લાખથી વધુ મુસાફરો એસ.ટી. બસોમાં મુસાફરી કરતા હોય તો આજથી મીનીમમ ર૭ લાખથી ૧૦૮ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની એસ.ટી.ની આવક વધી જશે અને સામાન્ય મુસાફરોના ગજવામાંથી આ જંગી રકમ ખંખેરાઈ જશે, તેવો અંદાજ લગાડી શકાય. આ અંદાજીત આંકડો છે, પરંતુ મુસાફરોની સંખ્યા અને મુસાફરોનું અંતર વધે, તેમ આ રકમ વધતી જશે. એટલે કે રાજ્યની ભાજપ સરકારે આજથી રાજ્યની જનતા પર કરોડો રૂપિયાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે.
આ આંકડો તો માત્ર એસ.ટી.નો છે, પરંતુ એસ.ટી. પછી પ્રાઈવેટ ટ્રાવેલ્સવાળા પણ જો બસભાડા વધારશે, તો પબ્લિક પર વધુ બોજ પડે. ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો એવું પણ માને છે કે, એસ.ટી.ના બસભાડામાં વધારો થતા પ્રાઈવેટ બસો તરફ મુસાફરોનો ધસારો વધારવાની તક ઝડપવા જેવી છે!!
દરરોજ ૮૩૦૦ થી વધુ એસ.ટી. બસો દરરોજ ૪ર હજારથી વધુ ટ્રીપ (ફેરા) કરીને ૩પ લાખ કિલોમીટર જેટલા અંતર કાપતી હોય, તો તેની પાછળ થતા ખર્ચના હિસાબે ગણતરી કરીને જ બસોના ભાડામાં વધારો કરવો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, અને એસ.ટી. દ્વારા વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, અન્ય માસિક યોજનાઓ વગેરેમાં કન્સેશન અને કેટલાક કિસ્સાઓમાં દિવ્યાંગોના એક સાથીદારને પણ નિઃશુલ્ક કે અડધી ટિકિટે મુસાફરીનો લાભ અપાય છે, તે ઉપરાંત પણ પત્રકારો, ધારાસભ્ય વગેરેને નિઃશુલ્ક કે અડધી ટિકિટ લઈને મુસાફરી કરવાના લાભો અપાતા હોય તો તેની અસરોના પરિણામે આ ભાડા વધારો નાછૂટકે અને લઘુતમ પ્રમાણમાં કરાયો હશે, તેવી દલીલ થઈ રહી હોય, ત્યારે કન્ફ્યૂઝન ઊભું થાય, તે પણ સ્વાભાવિક જ છે, પરંતુ સામાન્ય મુસાફરો પર આ વધારો ઝીંકવાના બદલે લક્ઝરિયસ સેવાઓ તથા અન્ય ક્ષેત્રે આવક વધારવાના પ્રયાસો જીએસઆરટીસીએ કરવા જોઈતા હતા, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બસના ભાડામાં વર્ષો પછી વધારો થાય, તે સમજાય, પરંતુ તે મુજબ એસ.ટી. બસોની સુવિધાઓ, સ્વચ્છતા, વિવેકી સર્વિસ અને જરૂર મુજબના સુધારા-વધારા પણ થવા જરૂરી છે. તે ઉપરાંત હવે ટિકિટના દર પાંચ રૂપિયાના ગુણાંકમાં રાઉન્ડ ફીગરમાં અને મુસાફરોને ફાયદો થાય, તેવી રીતે નક્કી કરવા જોઈએ, જેથી છૂટા રૂપિયાની રોજીંદી રકઝક દૂર થાય અને મુસાફરોને એક, બે કે ત્રણ રૂપિયા જતા કરવા પડે, તેવી સ્થિતિને ટાળી શકાય. મોંઘવારીનો આ માર ખમી રહેલી જનતાનો અવાજ મક્કમતાથી કોઈ ઊઠાવશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ફ્લાય ઓવર બ્રીજ બની રહ્યો છે, તેવી જ રીતે ઓવરબ્રીજ બની રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સંખ્યાબંધ વિકાસના કામો ચાલી રહ્યા છે, અને જુદા જુદા સ્થળે ગેરકાયદે દબાણો હટાવાઈ રહ્યા છે. કેટલાક સ્થળે નોટીસ આપ્યા વિના જ નાની-મોટી પાડતોડ શરૂ થતા જામનગરની જેમ પબ્લિકને તકલીફ પડ્યા પછી જાહેરનામું બહાર પાડવાની નોબત પણ આવી શકે છે.
ગુજરાતમાં થઈ રહેલા અર્બન ડેવલપમેન્ટની ચર્ચા ગલી-મહોલ્લાથી લઈને વિધાનસભામાં ગલિયારાઓ સુધી થઈ રહી છે, અને ચોતરફ નિર્માણાધિન શહેરી વિકાસના કામોની વાહવાહી પણ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને સાંકળીને કરવામાં આવી રહી છે.
સિક્કાની બીજી બાજુની જેમ રાજ્ય સરકારનું અર્બન ડેવલપમેન્ટ ડિર્પાર્ટમેન્ટ ભ્રષ્ટાચારની દિશામાં પણ ગતિની હરણફાળ ભરી રહેલું હોય, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના પ્રત્યાઘાતો રાજ્યની તથા દેશની રાજધાની સુધી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં થઈ રહેલી ચર્ચાઓ તથા કોમેન્ટો મુજબ વર્ષ ર૦ર૩ માં રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી. તકેદારી પંચના આંકડાઓને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ એક જ વર્ષમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ સાથે ભ્રષ્ટાચારની ર૧૭૦ ફરિયાદો નોંધાઈ હતી.
આ અહેવાલ મુજબ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં એ વર્ષમાં બીજા ક્રમે મહેસુલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત અને ગૃહનિર્માણ વિભાગ ૧૮૦૦ થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો સાથે રહ્યું હતું.
વર્ષ ર૦ર૩ માં આશ્ચર્યજનક રીતે ગૃહવિભાગમાં ૧ર૪૧ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી, તે પછી શિક્ષણ વિભાગ રહ્યો હતો. આ આંકડાઓ મુજબ પાણી, વીજળી, પરિવહન અને પ્રદૂષણ નિયંત્રણ વગેરે બોર્ડ-નિગમો-કોર્પોરેશનોમાં પણ ભ્રષ્ટાચારની નોંધપાત્ર ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડાઓમાં બીજી નવાઈ પમાડે તેવી વાત એ છે કે એસીબી દ્વારા એ વર્ષમાં નોંધાયેલા કેસોમાં વર્ગ-૧ અને વર્ગ-૪ ના અધિકારીઓ-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસો ડબલ ડિજિટમાં પણ નથી, જ્યારે વર્ગ-૩ ના ૧૦૦ થી વધુ અને વર્ગ-ર ના ર૯ તથા વચેટિયાઓ સામે સૌથી વધુ ૧૩ર જેટલા કેસો નોંધાયા છે!!!
આ તો માત્ર નોંધાયેલા એક જ વર્ષના આંકડા છે. કેટલાક કેસો નોંધાયા જ નહીં હોય, કેટલાક કેસોમાં વિલંબ થયો હતો, તો સંખ્યાબંધ 'સહમત પીડિતોએ' ફરિયાદ જ નહીં નોંધાવી હોય, તેથી જ એવું કહેવાય છે કે લાંચ લેનાર જેટલો દોષિત ગણાય, તેટલો જ દોષિત લાંચ આપનાર પણ ગણાય? લાંચ આપનારા બધા લોકો ફરિયાદ નોંધાવતા હોતા નથી, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
એવા અહેવાલો છે કે રીપેરીંગ માટે રંગમતી ડેમના દરવાજા ખોલવાના કારણે લાખોટું તળાવ પાણીથી ભરાઈ જશે, પરંતુ લાખોટા તળાવને જોડતી કેનાલ જ ઔદ્યોગિક ગંદકીના પ્રદૂષિત પાણીથી ભરેલી પડેલી હોવાથી તેની સફાઈ બે દિવસમાં કેવી રીતે થશે, તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો કેનાલમાં પ્રદૂષિત પાણી હકીકતે કોઈ છોડી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ? આ પણ શહેરી વિકાસની પ્રક્રિયામાં ખદબદતા ગંધાતા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને? એવો સવાલ ઊઠાવાઈ રહ્યો છે કે, પ્રદૂષિત પાણીવાળી કેનાલમાંથી પસાર થઈને રંગમતી ડેમનું પાણી તળાવમાં આવશે, તો તળાવની જીવસૃષ્ટિ મરી જશે. તે ઉપરાંત તળાવની ફરતે આવેલા શહેરના બોર-ડંકી દ્વારા આ પાણી લોકો પીવા લાગશે, તો તેઓનું આરોગ્ય પણ જોખમાશે. જો હકીકતે આવી જ સ્થિતિ ઊભી થઈ હોય તો તે લાપરવાહી નહીં, પરંતુ અર્બન કરપ્શનનું જ દૃષ્ટાંત ગણાવું પડે.
જામનગરમાં કચરાની ગાડીઓ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન તથા તેના ઈજારા અંગે પણ શંકાસ્પદ હિલચાલની ચર્ચા થઈ રહી છે. હવે અઢી-અઢી વર્ષ હોદ્દાઓ બદલાતા હોય અને પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય, ત્યારે કોઈપણ પ્રકારનો ઈજારો એક દાયકા માટે આપવાની પેરવી થતી હોય તો તે શું સૂચવે છે?... જરા વિચારો...
એક કવિએ અલંકૃત ભાષામાં અને શબ્દોમાં લખેલી કવિતામાં લખ્યું છે કે, જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ભસ્મકણી પણ બચશે નહીં, મતલબ કે જ્યારે ભૂખથી પીડાતા લોકોનો વિદ્રોહ થશે, ત્યારે તેના ગંભીર પરિણામો આવશે, જો કે અત્યારે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બધાએ એકસંપ થઈને રાતોરાત પોતાના પગાર-ભથ્થા વધારી દીધા છે, અને પોતાનો જઠરાગ્નિ તૃપ્ત કરી લીધો છે. પરંતુ નાના નોકરિયાતો-કર્મચારીઓને નાની-નાની માંગણી કરવી પડી રહી છે, ત્યારે કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... યે દેશ કા ક્યા હોગા...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં વીઆઈપી કે રાષ્ટ્રીય કક્ષાના વીવીઆઈપી આવે, ત્યારે એરપોર્ટ અથવા એરફોર્સમાં તેઓનું વિમાન કે હેલિકોપ્ટર ઉતરાણ કરે, અને તે પછી કાર્યક્રમના સ્થળે જાય, સરકીટ હાઉસમાં જાય છે. આ સમયે એરપોર્ટ કે એરફોર્સથી લાલબંગલા સુધીના માર્ગો તથા જે-તે મહાનુભાવોના કાર્યક્રમના સ્થળ સુધીના માર્ગો તદ્દન સાફ-સુથરા થઈ જાય, દવા છંટકાવ થઈ જાય, રખડતા ઢોર, અને આવારા શ્વાન હટી જાય અને જ્યાં પોલ ખુલી જાય, તેવા આજુબાજુના સ્થળો છુપાવવા બન્ને સાઈડમાં કામચલાઉ પાર્ટીશન ઊભા કરીને પડદા લાગી જાય, તે જામનગરની જનતાએ અવાર-નવાર જોયું જ હશે. ઘણી વખત ગવર્નર કે નેવીના સર્વોચ્ચ સત્તાધીશો આવે અને આઈએઅએસ વાલસુરા તરફ જાય, ત્યારે એરપોર્ટ કે એરફોર્સ ચોકડીથી દિગ્જામ મીલ, બેડીબંદરવાળા રોડ ઉપર પણ આવું જ "કામચલાઉ" પરિવર્તન થતુ જોવા મળે.
આ સ્થાનિક તંત્રો અને નેતાઓની તરકીબ માત્ર જામનગરમાં જ અજમાવાતી હોય તેવું નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું જ હંગામી અથવા પ્રાસંગિક પરિવર્તન થતું હોય છે, અને ત્યાંના નગરજનો પણ આવા "દુર્લભ" બદલાવ હંગામી ધોરણે થતો જૂએ ત્યારે બોલી ઉઠતા હશે કે, "આજે કોઈક (વીઆઈપી કે વીવીઆઈપી) આવવાનું લાગે છે...!!!
એવું નથી કે આ પ્રકારની ચબરાકીભર્યા "ટેમ્પરરી એકસન્સ" થી આગંતૂક મહાનુભાવ - વીઆઈપી કે વીવીઆઈપીથી અજાણ હોય છે અથવા માહિતગાર હોતા નથી. આ પ્રકારની "તડામાર તૈયારીઓ" ની તેઓને પણ પૂરેપૂરી ખબર જ હોય છે, પરંતુ સ્વાભાવિક રીતે તેઓની પણ આ પ્રકારની ડ્રામેબાજીમાં મૂક સંમતિ જ હોય છે.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને મોરબીની મુલાકાતો દરમિયાન સ્થાનિક તંત્રો અને નેતાગીરીને કરેલી "ટકોર" પછી એ પુરવાર થઈ ગયું છે કે, સરકાર અને મહેમાન (વીઆઈપી કે વીવીઆઈપી) ને એ ખબર જ હોય છે કે તેઓની મુલાકાત સમયે જ આવી ચોક્કસાઈ રખાતી હોય છે, પરંતુ તેમાંથી જ કેટલાક સવાલો પણ ઉઠે છે, કેટલાક પોથીના પંડિતો સવાલો ઉઠાવવા સામે પણ સવાલો ઉઠાવતા હોય છે, પરંતુ જો સવાલો જ નહીં ઉઠે તો જવાબો પણ નહીં મળે, રાઈટ...?
મુખ્યમંત્રીએ ભલે જાહેર કાર્યક્રમોમાં ટકોરો કરી હોય કે "નેતાઓ આવે ત્યારે જ સફાઈ કરવાના બદલે કાયમી ધોરણે સફાઈ કરજો", પરંતુ "શેઠની શિખામણ ઝાપા સુધી" ની કહેવતની જેમ સ્થાનિક નેતાઓ અને તંત્રો બીજા જ દિવસે આ ટકોર ભૂલી ગયા હશે અથવા હળવી મજાક કે ઝુમલો ગણીને અવગણી રહ્યાં હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીણી નજરવાળા છે અને કાર્યક્રમમાં કોઈ સ્થાનિક નેતાની અવગણના થઈ હોય કે આંતરિક ખેંચતાણના કારણે કોઈ મહત્ત્વના લોકલ નેતાને યોગ્ય સ્થાન ન અપાયું હોય, ત્યારે મુખ્યમંત્રી નામ જોગ ઉલ્લેખ કરે છે અથવા "ક્યાંય દેખાતા કેમ નથી...?" તેવી ટકોર કરીને પાર્ટીના સ્થાનિક નેતૃત્વને પણ ઢંઢોળતા હોય છે.
જો કે, નિયમિત સ્વચ્છતા, સુશોભન, સારા માર્ગો અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કાયમી ધોરણે થતી રહે, તે માટે માત્ર આ પ્રકારની "ટકોર" કામ નહીં લાગે, બલ્કે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે "ટકોરા" પણ મારવા પડશે... તંત્રો અને નેતાઓને સુધારવા "ટકોરા" કેવી રીતે મારવા, તે તો ભૂપેન્દ્રભાઈએ તેઓના રાષ્ટ્રીય નેતૃત્વ પાસેથી શિખી જ લીધુ હશેને...?
હમણાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શ્રેણીબદ્ધ આકરા કદમની આખી દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો ઉકેલવા તો ભારત સરકારે એક આખું પ્રતિનિધિમંડળ પણ મોકલવું પડ્યું, પરંતુ ભારત પાસેથી "પ્રેરણા" મેળવીને ટ્રમ્પે અમેરિકામાં પણ વિદેશી મહેમાન (વીવીઆઈપી) ના આગમન સમયે આજુબાજુની ઝુંપડપટ્ટી કે અયોગ્ય દૃશ્યો દેખાય ન જાય તે માટે પાર્ટીશન ઊભા કરાવ્યા હોવાના અહેવાલો આવ્યા હતાં.... જો આ પ્રકારની "પ્રેરણા" ટ્રમ્પે ભારતીય નેતાગીરી કે તંત્રો પાસેથી મેળવી હોય તો તે "ગૌરવપ્રદ" ન ગણાય...?.... વિચારો...
ગુજરતના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે વીવીઆઈપી કે વીઆઈપીની મુલાકાતો સમય આ પ્રકારનો "ઢાંકપિછોડો" થતો હોય અને તે અંગે જો ત્રિપલ એન્જિનની સરકાર અને શાસક પક્ષની ત્રિસ્તરિય નેતાગીરી પણ માહિતગાર જ હોય, તો સવાલ એ પણ ઉઠે છે કે, આ પ્રકારનો "ઢાંક પિછોડો" કરવાનો અર્થ શું...? આવો "દેખાડો" શા માટે કરાતો હશે...?
તેનો જવાબ એ હોય શકે કે આ પ્રકારના પૂર્વ આયોજીત પ્રબંધો "કેમેરા" ની આંખોથી બચવા માટે કરાતા હશે. પ્રેસ મીડિયા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના એક્ટિવ પબ્લિક "રિપોર્ટરો" ના હાથવગા મોબાઈલ સેલફોનના કેમેરાઓમાં "અનિચ્છનિય" દૃશ્યો ઝડપાઈ જાય, તેની તકેદારી રખાતી હોય, તેવું બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એવા અહેવાલો આવ્યા છે કે પહેલી મે થી કેટલીક બેન્કીંગ સેવાઓના ચાર્જીસ વધી જશે. આરબીઆઈની મંજુરીથી એટીએમ ઈન્ટરચેઈન્જના ચાર્જમાં વધારો લાગુ થઈ જશે. એટલે કે પોતાનું જે બેંકમાં ખાતું હોય, તે સિવાયની અન્ય બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવાનો ચાર્જ વધી જશે. રિઝર્વ બેંકે આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લીધો છે. વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને ટાંકીને એવું જણાવાઈ રહ્યું છે કે વધી રહેલા ખર્ચને કારણે આ વધારો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત પોતાની જ બેંકના એ.ટી.એમ.માંથી પણ નિર્ધારિત કરાયેલી મર્યાદાથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા માટેનો ચાર્જ પણ વધી જશે.
ઘણી નાની નાની બેંકો પાસે ખૂબ જ ઓછા એટીએમ છે. એટલું જ નહીં, તમામ બેંકોના એટીએમ તમામ સ્થળે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી કસ્ટમરોએ (જનતાએ) ફરજિયાત અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાથી નારાજગી વધી રહી છે.
જો કે, બેન્કીંગ ક્ષેત્રના વર્તુળોનો દાવો એવો છે કે ઈન્ટર ચાર્જીસ વધવાથી લોકો પોતાની જ બેંકના ખાતા સાથે જોડીને ડિજિટલ પેમેન્ટ વધારશે અને રોકડ કાઢવાની માનસિક્તામાંથી બહાર આવીને યુપીઆઈ અને મોબાઈલ બેન્કીંગનો વધુને વધુ ઉપયોગ કરતા થશે.
અહેવાલો મુજબ ગ્રાહકોએ બેલેન્સ ચેક કરવું હોય, તો હવે સાત રૂપિયાનો (હિડન?) ચાર્જ કપાઈ જશે, જ્યારે એટીએમની નિર્ધારીત મર્યાદાથી વધુ થતા રોકડ ટ્રાન્ઝેક્શન (ઉપાડ) પર હવે ૧૯ રૂપિયા જેવો ચાર્જ કપાઈ જશે, એટલે કે ગ્રાહકોની એકાઉન્ટમાંથી ડાયરેક્ટ આ ચાર્જીસ કપાતા રહેશે, જેની લોકોને ખબર પણ નહીં પડે!
આ પ્રકારે ચાર્જીસ વધારીને ડિજિટલ ઈન્ડિયા માટે પ્રેરક ગણાવાઈ રહ્યા છે, તેની સાથે કેટલા લોકો સંમત હશે?... જરા વિચારો...
અત્યારે પ્રાઈવેટ સેક્ટર જ નહીં, પરંતુ પબ્લિક સેક્ટરમાં એક જ પ્રકારની 'મોડસ ઓપરેન્ડી' ચાલી રહી છે. પહેલા લોકોને કોઈ વસ્તુની ટેવ પાડવી અને પછી તેમાં ચાર્જીસ, કરવેરા કે કમિશન વગેરે વધારીને લોકોના ખિસ્સા ખંખેરવાની આ મોડસ ઓપરેન્ડી ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની માનસિક્તા જ દર્શાવે છે ને?
કેટલીક નોનબેન્કીંગ ગતિવિધિઓમાં પણ ચાલાકીભરી તરકીબો અપનાવાઈ રહી છે. લોકોના ખિસ્સા ખંખેરવાની આ તરકીબો હળવેકથી ખિસ્સુ કાપી લેતા પોકેટમાર જેવી હોય છે, જેની સામાન્ય રીતે લોકોને તરત જ ખબર પણ પડતી હોતી નથી!
દૃષ્ટાંત તરીકે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલો પહેલા મોબાઈલ ફોનમાં કેટલીક એપ્સ દ્વારા ફ્રીમાં બતાવીને લોકોને ટેવ પાડવામાં આવે છે, અને તે પછી તેમાં નજીવો ચાજ લાગુ કરી દેવાય છે, તે પછી તેમાં ક્રમશઃ વધારો થતો રહે છે. હમણાંથી સંચાર અને મનોરંજન ક્ષેત્રની પ્રતિસ્પર્ધક કંપનીઓએ હાથ મિલાવ્યા, જોડાણ કર્યું કે પછી મર્જર કર્યું અને તે પછી ઈજારાશાહી સ્થાપિત કરીને સ્પોર્ટસ, મનોરંજન અને બિઝનેસ ક્ષેત્રે ચાર્જીસ (ભાવ) વધારી દીધા, તે ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની મનોવૃત્તિ જ ગણાય ને?
જો કે, આ પ્રકારની રણનીતિ અથવા લૂંટનીતિને 'બિઝનેસ પોલિસી'નું નામ આપીને તેનું પૂર્ણ આયોજિત મહિમામંડન પણ થાય છે અને આ લૂંટનીતિનું જસ્ટીફિકેશન પણ થાય છે. પહેલા લોકોને 'વ્યસની' બનાવો અને પછી તેને લૂંટો, તેવી આ બિઝનેસ પોલિસી જો હવે પ્રાઈવેટ સેક્ટરથી આગળ વધીને કોર્પોરેટ સેક્ટર, કો-ઓપરેટિવ સેક્ટર અને પબ્લિક સેક્ટર સુધી પહોંચવા લાગી હોય તો કહી શકાય કે પોતાના જ પગાર-ભથ્થા રાતોરાત વધારી દેતા દેશના રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓના દિલમાં સામાન્ય જનતાની કાંઈ પડી જ નથી...
પહેલા કાળા નાણા નાથવાની વાતો કરીને ડિજિટલ વ્યવહારો માટે છેક ગરીબ-મધ્યમ વર્ગિય લોકોને પ્રોત્સાહિત કરવા અને તે પછી જનતાની સુવિધાઓ વધારવાના નામે નવા નવા ચાર્જ લગાડવા, તે ક્રમશઃ વધારવા અને હવે લોકોના પોતાના જ નાણા ઉપાડવા કે મોકલવા માટે તોતિંગ ચાર્જ લગાડવાની આ પોલિસી માત્ર બેન્કીંગ સિસ્ટમમાં જ નહીં, પણ અન્ય ઘણાં પબ્લિક સેક્ટર્સમાં પણ જોવા મળે છે, તેથી એવું કહી શકાય કે 'દયાહીન થયો છે નૃપ... નહિં તો ન બને આવું...!!'?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફોટો
સ્વ. શેખર રતિલાલ માધવાણી
વૈકુંઠવાસઃ તા. રપ-૦૩-૧૯૯૬
'નોબત'ના આદ્યસ્થાપક અને અમારા બધાના પ્રેરણાસ્ત્રોત સ્વ. રતિલાલ માધવાણીએ કંડારેલી કેડીએ અમારી સાથે ચાલીને સ્નેહ, સમર્પણ અને સૌજન્યતા સંગમથી સૌ કોઈના હૃદયે વસી જનાર સ્વ. શેખર માધવાણી જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયા, તે દિવસ અમારા બધા પર વજ્રઘાત સમો હતો, અને અણધારી વિદાયે અમને બધાને હતપ્રભ કરી દીધા હતાં.
સ્વજન વિદાય લઈ લ્યે છે, પરંતુ સ્મૃતિઓ કાયમ જળવાઈ રહેતી હોય છે. આજે 'નોબત'ના ખૂણે ખૂણે સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સચવાયેલી છે.પડકારરૂપ પરિસ્થિતિને પણ પડકારીને પ્રગતિ કરવાની તાકાત તેઓ ધરાવતા હતાં, અને માત્ર પરિવાર કે અખબારના સહયોગીઓ જ નહીં, પરંતુ નગર અને હાલારમાં તેઓ ઘણાં જ લોકપ્રિય હતાં અને તેઓનું વર્તુળ સમગ્ર હાલાર ઉપરાંત દેશ-વિદેશ સુધી ફેલાયેલું હતું, તેઓ કર્મના સિદ્ધાંતને માનતા હતાં અને સ્પષ્ટવક્તા પણ હતાં. કર્મ માટે કઠોર અને સેવાકાર્યો માટે સદેવ મૃદુ રહેનાર શેખરભાઈએ જ્યારે અચાનક દુનિયા છોડી દીધી, ત્યારે તેઓની સાથે સંકળાયેલા લોકો ઊંડા આઘાતમાં સરી પડ્યા હતાં, અને તે ગોઝારો દિવસ આજે પણ અંતરમાં ઉથલપાથલ મચાવે છે.
સ્વ. શેખરભાઈ સેવાકાર્યોને પણ સમર્પિત હતાં અને માધવાણી પરિવારની સાથે તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત દેશ માટે પણ જ્યારે જરૂર પડી ત્યારે સેવકાર્યોમાં અગ્રેસર રહેતા હતાં.
જેનો જન્મ થાય, તેની વિદાય પણ નિશ્ચિત જ હોય છે, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધિન રહે છે. એવું કહેવાય છે કે, સારા માણસોની ઈશ્વરને પણ જરૂર પડતી હશે, અને તેથી જ યુવાવયે શેખરભાઈ જેવા સજ્જનોને ભગવાન પોતાની પાસે બોલાવી લેતા હશે.
આજે આપણાં સૌના હૃદયે વસેલા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સત્કાર્યોને યાદ કરીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ...
જામનગર
તા. રપ-૦૩-ર૦રપ
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી અને ગામના લોકો પોતાના વિકાસનું આયોજન પોતે જ કરી શકે, તે માટે ગ્રામ પંચાયતોને જરૂરી ફંડ, સત્તાઓ અને જવાબદારીઓ સાથે સુપ્રત કરવામાં ગુજરાતે અગ્રીમ ભૂમિકા અદા કરી હતી અને રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા સફળતાપૂર્વક કામ રહી છે, એટલું જ નહીં, ગુજરાતે જ સમગ્ર દેશને પંચાયતી રાજનો રાહ ચિંધ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકારનો રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. પંચાયતીરાજ અંગેના કેન્દ્ર સરકારના ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ દેશને પંચાયતીરાજના પાઠ શિખવાડનાર ગુજરાત પોતે જ અત્યારે પરોઠના પગલા ભરી રહેલું જણાય છે. આ રિપોર્ટ મુજબ અત્યારે પંચાયતીરાજની શ્રેષ્ઠ કામગીરી કર્ણાટકમાં થઈ રહી છે, અને તેનો સ્કોર ૭ર.ર છે. કર્ણાટકનું પંચાયતીરાજ વ્યવસ્થાપન અત્યારે દેશમાં ટોપ પર છે, જ્યારે ગુજરાત ટોપ-ફાઈવમાં પણ નથી...!
ગુજરાત ટોપ-ફાઈવમાં તો નથી જ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો સ્કોર સાથે ગુજરાતની પંચાયતીરાજ વ્યવસ્થાઓ ગોથાં ખાઈ રહી છે, અથવા ગોટે ચડી ગઈ હોય તેમ જણાય છે.
પ્રેસ-મીડિયામાં ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ની ચાલી રહેલી ચર્ચાના પડઘા ગુજરાતની રાજધાની સુધી પહોંચ્યા છે, અને મુદ્દો ઉઠાવીને હવે વિપક્ષો પંચાયતીરાજ વ્યવસ્થાને લઈને સરકારને ઘેરશે, તેવા સંકેતો મળી રહ્યાં છે.
જો કે, ગુજરાત આ ઈન્ડેક્ષના ટોપટેનમાં તો છે જ, અને કેટલાક માપદંડોમાં અગ્રેસર હોવાના દાવાઓ પણ થઈ રહ્યાં છે. બીજી તરફ આ ઈન્ડેક્ષ પંચાયતીરાજ વ્યવસ્થાઓની સમગ્ર કામગીરીને પ્રતિબિંબિત કરી રહ્યો નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે, તેથી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કૌન સચા, કૌન જૂઠ્ઠા...?
પંચાયતીરાજ ક્ષેત્રના વિદ્વાનો તથા પોલિટિકલ પંડિતોના તારણો એવા છે કે, પંચાયતીરાજના ક્ષેત્રે ગુજરાતની પીછેહઠમાં મહિલા હોદ્દેદારોના પતિદેવો, ભાઈકો કે અન્ય પ્રભાવશાળી પરિવારજનનો હસ્તક્ષેપ, ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ જ નહી, પરંતુ પદાધિકારીઓ સુધી પહોંચેલો ભ્રષ્ટ સડો અને સ્થાનિક સ્થાપિત હિતો તથા મતબેંકની રાજનીતિના કારણે ગાંધીજીના ગુજરાતમાંથી પંચાયતીરાજની સ્થિતિ ધીરે-ધીરે કથળી રહેલી જણાય છે.
અત્યારે ત્રીપલ એન્જિનની સરકારના ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, અને પંચાયતો, પાલિકા, મહાપાલિકાઓ, રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની કક્ષા સુધી ત્રિસ્તરીય ભાજપના શાસનના કારણે લોકોને થતા ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, તેવા સમયે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખાતુ "ત્રીજુ એન્જિન" ઢીલું પડીને ઢસેડાઈ રહ્યું હોવાનો આભાસ થાય છે.
આ ઈન્ડેક્ષના ગુજરાતનો સ્કોર પ૮.૩ પોઈન્ટ છે, જ્યારે ઉત્તરપ્રદેશનો ૬૦.૧, મહારાષ્ટ્રને ૬૧.૪, તામિલનાડુનો ૬૮.૪, કેરળનો ૭૦.૬ અને કર્ણાટકનો ૭ર.ર છે. આમ, ગુજરાતમાં ત્રીજુ એન્જિન રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો સ્કોર મેળવીને ગરિમા ગુમાવી રહ્યું હોય તેમ નથી લાગતું...?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સ્વાયતતાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. નાણાકીય સ્વાયતતા (ઓટોનોમી) માં તો ગુજરાત છેલ્લી હરોળમાં જણાવાયું છે. સ્ટેટ ફાયનાન્સ કમિશન દ્વારા ફાળવણીના ક્ષેત્રે ગુજરાતનો સ્કોર પ૦.૩ છે, જે ઘણો નબળો ગણાય.
આ રીપોર્ટને લઈને કોંગ્રેસે પણ કેટલીક ટીપ્પણીઓ કરી છે. આ અહેવાલોમાં કરાયેલો ઉલ્લેખ મુજબ પૂરતી આરોગ્ય સેવાઓ નથી. આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ગુજરાત અન્ય કેટલાક રાજ્યોની સરખામણી પાછળ છે, સરકારી શાળાઓમાં બેઝીક વ્યવસ્થાઓનો અભાવ છે, સ્કૂલોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષકોની સંસ્થાના સંદર્ભમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્રની પણ બરાબર નથી. ગુજરાતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં તેલંગણા અને રાજસ્થાનની રોજગાર સર્જન યોજનાઓ વધુ અસરકારક છે. આ તમામ ઉલ્લેખો કેન્દ્ર સરકારના જ કોઈ રિપોર્ટને ટાંકીને આવી રહ્યાં છે, ત્યારે તેને નકારવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી, પરંતુ તેને ડસ્ટબીનમાં ફેંકવાના બદલે ગુજરાત સરકારે સ્પષ્ટતાઓ સાથે આ ક્ષતિઓ નિવારવાની દિશામાં આગળ વધવું જોઈએ.
આ રિપોર્ટ વર્ષ-ર૦ર૪ નો છે, તે સમયગાળામાં ગુજરાતમાં સાતેક હજાર ગ્રામપંચાયતોની બે વર્ષ સુધી ચૂંટણી ન યોજાઈ, અને વહીવટદારોનો "વહીવટ" રહ્યો હોવાના કારણો તથા તારણો પણ ચર્ચાઈ રહ્યાં છે.
ટૂંકમાં, જો આ રિપોર્ટને ગંભીરતાથી વિચારીને ગુજરાત સરકાર યોગ્ય કદમ સમયસર નહીં ઉઠાવે તો ગુજરાત ટોપ-ટેનમાંથી પણ બહાર ફેંકાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતમાં આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતા અને દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો તથા વિવિધ વિચારધારાઓ એકજુથ જઈ જતી હતી અને યુદ્ધના સમયમાં તો કેટલાક અપવાદોને બાદ કરતા આખો દેશ એકી અવાજે દુશ્મનોને પડકારતો હતો. આપણા દેશની વિવિધતામાં એક્તા અને નેશન ફર્સ્ટની ખૂબીએ જ આપણાં દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે, અને સત્તા પરિવર્તનો થવા છતાં મૂળભૂત વિદેશનીતિ મોટાભાગે યથાવત્ જ રહેતી આવી છે.
જો કે, પ્રવર્તમાન સમયગાળામાં વૈશ્વિક સમિકરણો બદલી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વના બે-ત્રણ પ્રખંડોમાં ચાલી રહેલા યુદ્ધોને સાંકળીને શક્તિશાળી દેશો શતરંજની ખતરનાક અને વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા છે. એક તરફ તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું બીડું ઝડપીને અને રશિયાની તરફેણ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિએે ઝેલેન્સ્કીને જાહેરમાં ખખડાવી નાંખ્યા અને તે પછી યુક્રેને મૂકેલા પ્રસ્તાવ મુજબ રશિયાએ 'શરતી' યુદ્ધવિરામની વાતો કરીને અમેરિકાને જ ટીંગાળી દીધું, આ બધી ચાલાકીભરી ચાલબાજીઓએ વિશ્વની રાજનીતિને ગુંચવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે, જો કે રશિયા દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે આ મુદ્દે પુનઃ પ્રયાસો શરૂ કર્યા અને મંગળવારથી જે પ્રયાસો થઈ રહ્યા છે, તે આપણી સામે જ છે. જોઈએ હવે શું થાય છે તે...
ભારત એક તરફ તો સામ્રાજ્યવાદી ચીન સામે પહેલેથી જ ઝઝુમી રહ્યું હતું અને તે પછી પાકિસ્તાનના આતંકવાદની સામે પણ અવિરત સંઘર્ષ કરી રહ્યું હતું, તેમાં હવે પડોશી મિત્ર દેશ બાંગલાદેશ શેખ હસીનાને શરણ આપવાના કારણે દુશ્મનાવટ તરફ આગળ વધી રહ્યો છે, અને પાકિસ્તાન અને ચીન સાથે મળીને ત્યાંની કામચલાઉ સરકાર પણ ભારત વિરોધી નીતિ-રીતિ અપનાવી રહી છે.
બીજી તરફ હવે રેસિપ્રોકલ ટેરિફ અને ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની ટ્રમ્પનીતિના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ પહેલા જેવી મધૂરતા રહી નથી. ટ્રમ્પ-મોદીની વ્યક્તિગત મિત્રતાની દ્વિપક્ષિય સંબંધો તથા 'નેશન ફર્સ્ટ'ની બન્ને દેશોની નક્કર નવી નીતિ પર કોઈ હકારાત્મક અસરો પડશે, તેવી આશા રાખવી નકામી છે.
અક્સાઈ ચીન અને તાઈવાન સંદર્ભે અપનાવેલી નીતિ તથા મહાસાગરોમાં દાદાગીરીની રણનીતિના કારણે ચીન લુચ્ચુ અને સામ્રાજ્યવાદી છે, તે તો ઓપન ગ્લોબલ સિક્રેટ છે, અને હવે ચીને નાના-નાના દેશોને મોટી લોન આપીને આર્થિક સામ્રાજ્યવાદની પોલિસી પણ અખત્યાર કરી છે, ત્યારે ચીનની ચબરાકીઓ સામે પણ ભારતને સતત ઝઝુમવું પડી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના તો કેટલાક વિસ્તારો દબાવી જ લીધા છે, અને હવે જ્યોર્જિયાને હડપ કરવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે તિબેટ, હોંગકોંગ, દક્ષિણ ચીન સમુદ્ર, તાઈવાન, કેટલાક ટાપુઓ તથા ભારતના અરૂણાચલ પ્રદેશ સહિતના ભાગોમાં ચીની સામ્રાજ્ય સ્થાપવાના મનસુબા શી જીનપીંગ ધરાવે છે, તે હવે છૂપુ રહ્યું નથી.
વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરિકાની ટ્રમ્પનીતિ પણ હવે સામ્રાજ્યવાદી બનવા લાગી હોય, તેમ જણાય છે. અમેરિકાએ પનામા નહેર કબજે કરવાની મનસા તો પહેલેથી જ જાહેર કરી દીધી છે, અને કેનેડાને તો ટ્રમ્પે અમેરિકાનું પ૧ મું સ્ટેટ જ ગણાવી દીધું છે. અમેરિકાએ ગાઝાને હસ્તગત કરવાની ઈચ્છા પણ સરાજાહેર કરી દીધી છે. ગ્રીનલેન્ડને કબજે કરવાની નીતિ પણ ટ્રમ્પે જાહેર કરી દીધી છે. આ કારણે અમેરિકા પણ હવે સામ્રાજ્યવાદી મહાસત્તા બનવા લાગ્યું છે.
ટૂંકમાં, ભારત સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, તથા આતંકવાદી રાષ્ટ્રો વચ્ચે જાણે કે પીસાઈ રહ્યું છે. ભારત સરકાર બિનજુથવાદી આંતરાષ્ટ્રીય રણનીતિ તો પહેલેથી જ ધરાવે છે, પરંતુ હવે ટ્રમ્પે મિત્ર દેશો અને દુનિયાની પરવાહ કર્યા વિના 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ, રેસિપ્રોકલ ટેરિફ નીતિ તથા અમેરિકાના ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની સાથે સાથે અમેરિકાના નાગરિકત્વના અધિકારો પણ સીમિત કરી નાંખ્યા છે. ભારતે અમેરિકાના દબાણમાં આવ્યા વગર કોવિડ પછી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યુ હતું, તેનો બદલો લેવા ટ્રમ્પ હવે ઉંદરની જેમ ભારતને ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની નીતિ ધરાવતા હોય, તેવી આશંકા જાગે છે. ટ્રમ્પે પર્યાવરણ સમતુલાની પેરિસ સમજુતિને ફગાવી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ અમાન્ય ઠરાવી દીધી છે, અને કવાડ, બ્રિક્સ જેવા ગ્રુપોને નબળા પાડીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જે કુટનીતિ (કટૂનીતિ) અપનાવી છે, તે ભારત માટે પણ હાનિકર્તા જ છે ને?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલા કરારોના કારણે વ્યાપારવૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાઓમાં સહયોગ, ડેરી ક્ષેત્રખાદ્યાન્ન ક્ષેત્ર અને સ્પેસ સેક્ટરમાં પણ સહયોગની નવી દિશાઓ ખુલશે. એ ઉપરાંત ટુરીઝમ એજ્યુકેશન અને કનેક્ટિવિટીના ક્ષેત્રે પણ બન્ને દેશો આગળ વધશે, તેવો જે દાવો કરાયો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકો ભારતની વિદેશનીતિને યોગ્ય જણાવે છે, તો ઘણાં લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતની વિદેશનીતિ ભટકી ગઈ છે અને કક્કાવારીના 'અંગ કોઈનો નહીં'ની જેમ ભારત ચારેય બાજુથી લટકી તો નહીં જાય ને? જો કે, આશંકાઓની આંધી વચ્ચે પણ આશાઓ પ્રગટી રહી હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત વિધાનસભામાં એજ્યુકેશનના વિષય પર ચર્ચા થાય કે રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ્સ પર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, સિસ્ટમ અને ભરતીપ્રક્રિયાની ચર્ચા થાય, ત્યારે સરકાર તરફથી વિવિધ પ્રકારના મોટા મોટા દાવાઓ થતા હોય છે, તો વિપક્ષો રાજ્યમાં પેપરલીક, કાર્યપદ્ધતિ તથા મોંઘા ખાનગી શિક્ષણ જેવા મુદ્દાઓ જોરશોરથી ઊઠાવતા હોય છે. આ બધા દાવા-પ્રતિદાવાઓ વચ્ચે ભરતી કેલેન્ડર તથા રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ચિંતાજનક સ્થિતિ અંગે વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
એવા અહેવાલો પણ આવ્યા હતાં કે રાજ્ય સરકારે દસ વર્ષ આયોજનમાં કેટલીક ભૂલો કરી છે, અને ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો જ ભૂલાઈ ગયા છે!
રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની ગયા વર્ષે મળેલી બેઠકમાં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું હતું. સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, આચાર્યો, ડીઈઓ, ટીપીઓની ભરતી માટે દસવર્ષિય આયોજન કરાયું છે. આ ઉપરાંત એજ્યુકેશન બોર્ડ, સરકારી કચેરીઓ, ટેકનિકલ એજ્યુકેશન સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગોમાં ભરતી માટે પણ દસ વર્ષિય આયોજન કરાયું છે. આ દસ વર્ષિય આયોજનમાં રાજ્ય સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો-કોલેજો માટે કોઈ આયોજન જ નહીં કરાયું હોવાની રાવ શાળા સંચાલક મંડળે ચીફ સેક્રેટરીને કર્યા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. એવી રજૂઆત થઈ છે કે વર્ષ ર૦ર૩ સુધીના શિક્ષણ ક્ષેત્રના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળા-મહાશાળાઓનો ઉલ્લેખ જ નથી. વર્ષ ર૦ર૩ થી લાગુ કરાયેલા આ કેલેન્ડરમાં આગામી તા. ૧૦ વર્ષ દરમિયાન ખાલી પડનારી જગ્યાઓ પર ભરતી કરવા માટે જે સમયબદ્ધ આયોજન ઘડાયું છે, તેમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ખાલી પડનારી શિક્ષકો-આચાર્યોની જગ્યાઓ પર ભરતીનો ઉલ્લેખ જ નથી, તે ઉપરાંત છેલ્લા પંદરેક વર્ષોથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પટાવાળાઓ તથા ક્લાર્કની ભરતી પણ થઈ નથી, તેથી શિક્ષણ ખાડે નહીં જાય?તેવા સવાલો ઊઠી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રેસ-મીડિયા જ નહીં, વિલેજથી વિધાનસભા અને સડકોથી શહેરો સુધી ચર્ચા થતી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી કેલેન્ડર અંગે હવે સરકાર ગમે તેવી ચોખવટો કરે કે ફીફાં ખાંડે, પણ 'અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચુડિયા ચુભ ગઈ ખેત...'
તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દેશના રાજ્યોમાં હાયર એજ્યુકેશનના ક્ષેત્રે ગુજરાતનો ક્રમ ૧૮ મો છે. એક સેન્ટ્રલ રિપોર્ટ મુજબ ધોરણ ૧ર પછીના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત છેલ્લેથી ૬ઠ્ઠા ક્રમે છે. રાજ્યમાં ધોરણ-૧ર ઉત્તીર્ણ કર્યા પછી ચોથા ભાગના વિદ્યાર્થીઓ પણ આગળ વધતા નથી.
જો ગુજરાતમાં ૧૮ વર્ષથી ર૩ વર્ષના વયજુથના ધોરણ ૧ર ઉત્તીર્ણ કરેલા ૭૬ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ જ છોડી દેતા હોય, તો તેને એજ્યુકેશનમાં હરણફાળ ભરેલી કહેવાય કે પીછેહઠ કરી ગણાય, તે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને પૂછવું જોઈએ. જો આ રિપોર્ટને ધ્યાને લેવામાં આવે તો રાજ્યના યુવાવર્ગમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે અણગમો છે, કે પરંપરાગત વ્યવસાયો કે બેરોજગારીની સ્થિતિમાં યુવાધન જાય છે, તેનું સંશોધન કરવું જ જોઈએ. હાયર એજ્યુકેશનની રાષ્ટ્રીય સરેરાશ ર૮.૪ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ર૪ ટકાનો છે, તેનો મલતબ એવો થાય કે ગુજરાતમાં હાયર એજ્યુકેશનનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
હાયર એજ્યુકેશનના ટોપટેનમાં દિલ્હી, તામિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર છે, જ્યારે લાસ્ટ ટેનમાં પંજાબ, પ. બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને આસામ છે. હરિયાણા, મધયપ્રદેશમાં ર૮ થી ૩પ ટકા વચ્ચે ઉચ્ચ શિક્ષણનો દર છે. દિલ્હીમાં સૌથી વધુ ૪૯ ટકા હાયર એજ્યુકેશનનો દર છે, જ્યારે સૌથી ઓછો હાયર એજ્યુકેશન દર માત્ર ૧૬.૯ ટકા જેવો આસામનો જણાવાયો છે. આ આંકડા ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશનના છેલ્લા સરવેના આધારે બહાર આવ્યા છે.
જો કે, કેન્દ્ર સરકારના ક્યા તાજા રિપોર્ટના આધારે આ આંકડાની ચર્ચા થઈ રહી છે, તે સ્પષ્ટ થયું નથી, પરંતુ જો દેશમાં એક પણ રાજ્યમાં ધોરણ-૧ર પછી હાયર એજ્યુકેશનનો આંકડો પ૦ ટકા સુધી પણ પહોંચતો ન હોય, તો તે દેશની શિક્ષણ નીતિ તથા સિસ્ટમ સામે પ્રશ્નચિન્હ જરૂર ખડુ કરે છે. આ પ્રકારના પ્રશ્ન ચિન્હો સામે કેટલાક 'વિદ્વાનો'ને વાંધો હોવાથી આ પ્રકારના પ્રશ્નો દબાઈ જતા હોય છે, અને સરવાળે શિક્ષણનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરીને વાહવાહી લૂંટનારા પબ્લિક અને પ્રાઈવેટ પરિબળોને મોકળું મેદાન મળી જતું હોય છે. આવું ક્યાં સુધી ચાલશે, તે પણ એક સો મણનો સવાલ જ છે ને???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ મનાવાઈ રહ્યો છે, અને વિશ્વ ચકલી દિનની ઉજવણી પણ થઈ રહી છે. આજે આ બન્ને ઉજવણીઓના સમયે એ નક્કર હકીકત છે કે આ બન્ને વિષયો આજની તારીખે ઘણાં જ સાંપ્રત છે. આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે અને ચકલીઓ પણ ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે. આ કારણે આજના બન્ને વિષયોને લઈને વાસ્તવમાં વૈશ્વિક ચિંતા અને ચિંતન જરૂરી છે.
આજની આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક થાય, જ્યારે વિશ્વમાં શાંતિ હોય, વિશ્વના દેશો વચ્ચેના સંબંધો સારા હોય, દુનિયાની સમસ્યાઓ ઘટી રહી હોય અને સુખ, તંદુરસ્તી અને સમૃદ્ધિ વધી રહી હોય, ગરીબી ઘટી રહી હોય અને ભેદભાવો ખતમ થઈ રહ્યા હોય, ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંત મુજબ હકીકતે આખી દુનિયામાં 'વસુધૈવ કેટુંબકમ્'ની વિભાવના વધુ ને વધુ દૃઢ બની રહી હોય, વિશ્વને ડરાવતા પરિબળો ખતમ થઈ રહ્યા હોય, આતંકવાદ, નક્શલવાદ અને કટ્ટરતામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હોય, અને હકીકતે માનવતાની જ્યોત ઝળહળતી રહેતી હોય.
આજે દુનિયા આખી આંતરવિગ્રહમાં સપડાયેલી છે. ઈઝરાયલે ફરીથી ગાઝાપટ્ટી પર હુમલાઓ શરૂ કર્યા પછી ત્યાં સ્થપાયેલી શાંતિ છેતરામણી પૂરવાર થઈ રહી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના અંતની વાટાઘાટો વચ્ચે જ અમેરિકાના હુથીઓ પર હુમલાના કારણે ઈરાનની ભમ્મરો ઊંચાનીચી થવા લાગી છે. અમેરિકા-ચીનની ખેંચતાણ આજે યુરોપિય દેશોના અમેરિકા સાથેના સંબંધોમાં આવી રહેલી ખટાશના કારણે વિશ્વમાં તંગદિલી વધી રહી છે. કેટલાક દેશોમાં આંતરવિગ્રહની સ્થિતિ છે. પડોશી દેશ પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે, તેથી ટ્રેનનું અપહરણ કરવા જેવી ઘટનાઓ બની રહી છે, તો બાંગલાદેશમાં ભારે અરાજક્તા અને અસ્થિરતા ફેલાઈ રહી છે, જો કે પુતિને ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં એક મહિનાના યુદ્ધ વિરામ (આંશિક) ની જાહેરાત કરતા થોડી રાહત થઈ છે.
આપણા દેશની વાત કરીએ તો નાગપુરમાં હિંસક તોફાનો થયા, મણિપુરના મુદ્દે ફરી એક વખત સંસદમાં ગોકીરૃં થયું, લાંબા સમયે દેશના કોઈ રાજ્યમાં કર્ફયુ લદાયો, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભાષા વિવાદ વકરી રહ્યો છે, અને વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના આંદોલનો અને ચળવળો ચાલી રહી છે, તેથી આપણા દેશમાં પણ ખૂબ જ અશાંતિ ફેલાઈ જાય, તેવા ઘટનાક્રમોની બુનિયાદ રચાઈ રહી છે. એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે વિચારધારાઓનો ટકરાવ સર્જાઈ રહ્યો છે અને વૈશ્વિક ક્ષેત્રે પણ નવા સમિકરણો સર્જાઈ રહ્યા છે, અને તેની અસરો આપણા દેશના જનજીવન, અર્થતંત્ર અને આંતરિક શાંતિ પર પણ પડી રહી છે.
આ સંજોગોમાં જ્યારે દેશ-દુનિયામાં સંઘર્ષ, હિંસા, તંગદિલી અને તકરારોનો માહોલ હોય, ત્યારે જો આંતરરાષ્ટ્રીય શાંતિના ગંભીરતાપૂર્વક વાસ્તવિક પ્રયાસો થાય, તો જ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણીનો કાંઈક અર્થે સરી શકે, અન્યથા આ પ્રકારની ઉજવણીઓ દર વર્ષે થતી જ રહેશે અને પ્રસન્નતા તો ચકલીઓની જેમ લૂપ્ત જ થતી રહેશે, તે નક્કી છે.
આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે, તેવી જ રીતે ચકલીઓ પણ લૂપ્ત થતી જાય છે. વિશ્વમાં પ્રસન્નતા વધારવા માટે જેવી રીતે આજે આપણે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઉજવીએ છીએ, તેવી જ રીતે આજે વિશ્વ ચકલી દિવસ ઉજવીને ચકલીઓની સુરક્ષા તથા વૃદ્ધિ માટે પણ પ્રયાસો કરવા જ જોઈએ ને?
દર વર્ષે ર૦ મી માર્ચે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી થાય છે, તેવી જ રીતે દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, તેથી એક યોગાનુયોગ સુભગ સમન્વય સર્જાયો છે, અને આ ઉજવણી પછી વિશ્વમાં ચકલીઓનો કલરવ ફરીથી ભૂતકાળની જેમ ગુંજવા લાગે અનેે આખી દુનિયામાંથી અશાંતિ અને સંઘર્ષ ખતમ થઈ જાય અને સર્વત્ર પ્રસન્નતા છવાઈ જાય, તેવું ઈચ્છીએ...
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ર૦૧ર માં ર૦ મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ જાહેર કરાયો,તે પછી દર વર્ષે હેપીનેસ સર્વે થાય છે, અને વિશ્વભરમાં ખુશી ફેલાવવાની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આપણે હકીકતમાં આખી દુનિયાને પ્રસન્ન કરવી હોય તો પહેલા આપણે સ્વયં પ્રસન્ન રહેવું પડશે, અને આપણા સમાજ અને દેશને પણ ખુશહાલ રાખવા પડશે.
એવી જ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વર્ષ ર૦૧૦ થી શરૂ થઈ હતી. ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવર દ્વારા સ્થાપિત નેચરફોર એવર સોસયટી દ્વારા ચકલીની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. તે ઉપરાંત ફ્રાન્સની ઈકો-સિસ એક્સન ફાઉન્ડેશન દ્વારા પણ ચકલીઓના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ચકલીઓના મીઠા કલરવ સાથે વૈશ્વિક પ્રસન્નતાનું આપણું સ્વપ્ન સાકાર થઈ જાય, તેવું પણ ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે કોઈ ડાઈનીંગ હોલ કે રેસ્ટોરન્ટમાં અલ્પાહાર કે ભોજન કરવા જઈએ, ત્યારે ત્યાંનું ફૂડ કેવું છે, તે તો પરખીયે જ છીએ, સાથે સાથે ત્યાંની સર્વિસ કેવી છે, તેની નોંધ પણ લઈએ છીએ. ઘણી વખત ઉત્તમ ગુણવત્તાવાળું ફૂડ હોય, પણ સર્વિસ સારી ન હોય, તો આપણે ત્યાં ફરીથી જતા પહેલા વિચારીએ છીએ અને મોટાભાગે તેને અવગણીએ છીએ. એટલું જ નહીં, આપણા સ્નેહી, મિત્રો, પરિવારજનોને પણ ત્યાંની બોગસ સર્વિસ અંગે ચેતવી દેતા હોઈએ છીએ.
આવું જ કાંઈક કસ્ટમર કેરની વ્યવસ્થાઓ દરમિયાન થતી ફરિયાદોમાં પણ સંભળાતું હોય છે. કેટલાક ક્ષેત્રોના સેવા વ્યવસ્થાઓમાં ગ્રાહકોને સંતોષ આપવા અને તેઓની ફરિયાદો સાંભળીને તેનો ઉકેલ લાવવા માટે કંપનીઓ તથા પેઢીઓ દ્વારા કસ્ટમર કેરની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થાઓ દરમિયાન કસ્ટમર કેરના ઓપરેટરો સમક્ષ રજૂ થતી મોટાભાગની ફરિયાદો સર્વિસ યોગ્ય નહીં હોવાની જ હશે, કારણ કે સર્વિસમાં લોલંલોલની બીમારી હવે માત્ર સરકારી ક્ષેત્રોમાં જ રહી નથી, પ્રાઈવેટ સેક્ટરમાં પણ પ્રવેશી ગઈ છે. આ જ કારણે કદાચ ખ્યાતનામ કંપનીઓના ફૂડ કે કોલ્ડ્રીંક્સ, પેક્ડ ખાદ્યચીજો વગેરેમાંથી કીડા, ફૂગ કે કચરો નીકળ્યો હોવાની ફરિયાદો અવારનવાર સંભળાતી હોય છે, અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવાતી હોય છે.
આ તો થઈ ખાનગી ક્ષેત્રની સેવાઓ તથા સર્વિસ સેક્ટરની વાત, પરંતુ પબ્લિક સેક્ટરમાં પણ આ જ રીતે લોલંલોલ અને પોલંમોલ ચાલતી હોય છે, અને તેના કારણે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતા જંગી ખર્ચાઓ પર પાણી ફરી વળતું હોય છે.
આપણે આવકવેરો, જીએસટી, વેટ વગેરે કરવેરાઓ ભરીએ છીએ, તેવી જ રીતે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને પણ ઘરવેરો, પાણીવેરો, ભૂગર્ભ ગટર ચાર્જ, મિલકત વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો વગેરે અનેક પ્રકારના કરવેરા પણ ભરીએ છીએ, અને તેની સાથે જે સેવાઓ માટે કરવેરાઓ લેવામાં આવે છે, તેવી સેવાઓ તથા સુવિધાઓ હકીકતમાં આપણને મળે છે ખરી?... જરા વિચારો...
જામનગરનું જ દૃષ્ટાંત લઈએ, તો નગરમાં પબ્લિક સર્વિસીઝ એટલે કે જાહેર સેવાઓ કેટલી સંતોષકારક છે, તે આપણે જાણીએ જ છીએ. ભૂગર્ભ ગટરના નેટવર્ક છતાં ઘણાં વિસ્તારોમાંથી હજુ પણ ફરિયાદો સંભળાતી રહે છે. સફાઈ વેરો લેવા છતાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળતા હોય છે. તાજેતરમાં મચ્છરનો ઉપદ્રવ અસહ્યપણે વધ્યો હોવા છતાં તેને અટકાવવાના પૂરતા કદમ ઊઠાવાઈ રહ્યા નથી. પીવાનું પાણી એકાંતરા નળ દ્વારા આવે છે, પરંતુ હજુ પણ કેટલાક સ્થળે પાણીની બૂમ ઊઠતી સંભળાતી હોય છે. નગરના મુખ્ય માર્ગો હોય, શેરી-ગલી-મહોલ્લાઓ હોય કે સોસાયટીઓ હોય, આંતરિક માર્ગો હોય કે રીંગરોડ હોય, ઠેર-ઠેર ખાડા, ચીરોડા, ઉબડખાબડ સડકો, અચાનક પડતા ભૂવા (મોટા ખાડા) વગેરેની તસ્વીરો પણ ઘણી વખત અખબારોના પાને ચમકતી હોય છે અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ નગરની દુર્દશાના દૃશ્યો પ્રસારિત પણ થતા હોય છે.
એવું પણ નથી કે મહાનગરપાલિકા દ્વારા જન-ઉપયોગી કોઈ કામ થતા જ નથી, પરંતુ ફ્લાયઓવર બ્રીજ, ટાઉનહોલનું આધુનિકરણ, ડિવાઈડરોનું રંગરોગાન, નવા ટાઉનહોલ કે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઊભા કરીને નગરજનોની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓમાં ખામીઓ અને સેવાઓમાં લોલંલોલ અને પોલંપોલ પ્રત્યે આંખ આડા કાન કરવાની માનસિક્તા યોગ્ય નથી.
નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે વાહનો તો નિયમિત રીતે દોડાવાય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં, અને ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં કચરાની ગાડીઓ ગૃહિણીઓ ઘરની બહાર આવીને કચરો નાંખી શકે, તેટલી પણ થોભતી નહીં હોવાની ફરિયાદો ઊઠતી હોય છે, અને કેટલીક કચરાગાડીઓ ઝડપથી આંટો મારીને પછી કોઈને કોઈ સ્થળે આરામ ફરમાવતી પણ જોવા મળતી હોય છે. લોકો અવારનવાર ફરિયાદ કરતા હોવા છતાં કેટલીક સેવાઓ સુધરતી નથી. કચરાની ગાડીઓ જ ગંધાતા કોથળાઓમાંથી રોડ પર કચરો વેરતી જાય, તો તેને સ્વચ્છતા અભિયાનની મશ્કરી જ ગણવી પડે ને?
આ તો ફક્ત કચરા કલેક્શનની જ વાત થઈ, પરંતુ મહાનગરપાલિકાની અન્ય સેવાઓમાં પણ કેટલું લોલંલોલ ચાલે છે અને નગરજનોને સરકારી કામો માટે કેટલી પરેશાનીઓ થઈ રહી છે, તેનો તટસ્થ સર્વે કરવામાં આવે, તો વરવી વાસ્તવિક્તા પ્રગટ થઈ શકે તેમ છે.
શાસકો-અધિકારીઓ દ્વારા આયોજનો થાય, સરકાર ફંડ ફાળવે, સેવાઓનો વ્યાપ વધારવા અને સુધારવાના પ્રયાસો થાય, તેમ છતાં જો પરિણામો ન આવતા હોય તો ક્યાં કચાશ છે, ક્યાં ઉણપ છે અને ક્યાં 'ચુવાક' છે, તેનું સંશોધન કરવું પડે તેમ છે. એક વખત આયોજન થયા પછી તેમાં 'કાપકૂપ' કેમ કરવી પડે? તેવા સવાલોના જવાબ પણ બધાને ખબર હોવા છતાં કોઈને મળી રહ્યા નથી!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશ-દુનિયામાં વિવિધ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે અને હિંસક ઘટનાઓ, હિંસક હુમલાઓ તથા હિંસક અફવાઓનો જાણે ત્રિકોણિયો સમાગમ રચાયો છે. અમેરિકાએ હુથી આતંકવાદીઓ પર હુમલો કર્યો, ઈઝરાયેલે ફરીથી ગાઝામાં આક્રમણ કર્યું અને પાકિસ્તાનમાં બળવાખોરોના ત્યાંની સેના પર હુમલાઓના કારણે અઢી હજાર જેટલા પાક. સૈનિકોએ સેનાની નોકરી છોડી દીધી હોવાના અહેવાલો રક્તરંજીત સંઘર્ષની વાસ્તવિક્તા દર્શાવે છે, તો મહારાષ્ટ્રના નાગપુરમાં જે હિંસક ઘટનાઓ બની, આગજની થઈ, પથ્થરમારો થયો અને રાતભર જુથ અથડામણો ચાલી, તેથી આપણા દેશમાં પણ હિંસાનો પંજો પડ્યો, તેની પાછળ ઉશ્કેરણીજનક અફવાઓ વધુ જવાબદાર હોવાનું કહેવાય છે.
બીજી તરફ ગુજરાત સહિત દેશમાં વિવિધ પ્રકારની ચળવળો ચાલી રહી છે, તો ક્યાંક વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને એલ્ટિમેટમ પણ અપાઈ રહ્યા છે. આગામી તા. ર૪-રપ માર્ચે ગુજરાતમાં બેંક ક્ષેત્રની હડતાલનું એલાન અપાયું છે, તો હાલાર સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન શરૂ થયું છે. દેશની રાજધાની સહિત દેશભરમાં વકફ બિલનો વિરોધ થઈ રહ્યો છે, અને સંસદમાં પણ આ મુદ્દે વોકઆઉટ થઈ રહ્યો છે અને ધરણાં કરાયા છે. બિહારમાં ચૂંટણીલક્ષી રાજકીય વ્યૂહરચનાઓ ગોઠવાઈ રહી છે, તો દક્ષિણ ભારતના રાજ્યો ભાષા વિવાદમાં અટવાયા છે. તમિલનાડુના મુખ્યમંત્રી હિન્દીવિરોધી નિવેદનો કરીને અને 'રૂપિયા'નું ચિન્હ બદલાવીને દેશની સંઘભાવનાથી અલગ વલણ અપનાવી રહ્યા છે, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હિન્દીને દેશની રાજધાની સાથેની સંપર્કભાષા ગણાવી રહ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટે સૂચવેલી પ૦ ટકાની અનામતની મર્યાદાને ઓળંગીને ઓબીસીને ૪ર ટકા સાથે ૬૦ ટકાથી વધુ અનામતનું એલાન કર્યું છે. આ બધા ઘટનાક્રમો એકંદરે રાજકીય લાભ મેળવવા માટે જ પ્લાન્ટ કરાઈ રહ્યા હોય, તેવું લાગે છે ને?
છેલ્લા દસેક વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓના જ નેગેટીવ અને પોઝિટિવ અહેવાલો અગ્રીમતાથી છપાતા હતાં, ચર્ચાતા હતાં, અને પ્રકાશિત અને પ્રસારિત થતા હતાં, પરંતુ હમણાથી તેમાં થોડો બદલાવ આવ્યો હોય તેમ જણાય છે. હવે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના કેટલાક કેન્દ્રિય મંત્રીઓના દેશ-વિદેશના પ્રવાસો તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહના દેશના વિવિધ રાજ્યોમાં થતા પ્રવાસ-કાર્યક્રમોની પણ બહોળી પ્રસિદ્ધિ થઈ રહી છે, તે ઘણો જ સાંકેતિક બદલાવ હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે.
તાજેતરની જ વાત કરીએ તો ટેરિફ મુદ્દે કેન્દ્રિય મંત્રીઓને અમેરિકા તરફ દોડાવાયા હતાં અને હાલમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગાબાર્ડ સાથે કરેલી મુલાકાતની ડિટેઈલ પબ્લિસિટી થઈ રહી છે, તે ઉપરાંત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તુલસી ગાબાર્ડ વચ્ચેની ઉચ્ચ સ્તરિય બેઠકની પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરેલા હકારાત્મક નિવેદનો પછી ચીન ગદ્ગદ થઈ ગયું છે અને ચીન તરફથી પણ પોઝિટિવ પ્રત્યાઘાતો આવ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા લોકોને ચીનના ઉત્પાદનોના બદલે અમેરિકન ચીજવસ્તુઓ વધુ પસંદ કરવાની હિમાયત કરી હોવાના અહેવાલો વહેતા થતા કન્ફ્યુઝન પણ ઊભું થયું છે. હકીકતે અત્યારે આંતરરાષ્ટ્રીય નીતિ પણ એવી છે કે પરંપરાગત દુશ્મનો ગળે મળી રહ્યા છે, અને મિત્રદેશોની પીઠમાં ખંજર ભોંકવામાં આવી રહ્યું છે, ત્યારે નીતિગત બેલેન્સ જાળવવા જતા ઘણી વખત છોકરમત જેવી હરકતો પણ કરવી પડતી હશે ને?
આપણે બધા ભૂતકાળના નોસ્ટ્રેડોમસની આગાહીઓથી પરિચિત છીએ, પરંતુ હમણાંથી બ્રિટનના ભવિષ્યવેતા કેગ હેમિલ્ટન પાર્કરની કેટલીક આગાહીઓ સાચી પડ્યા પછી લોકો તેને નવા નોસ્ટ્રેડોમસ ગણાવી રહ્યા છે. તેમની કોવિડ, દરિયાઈ અકસ્માત, બ્રિટનના મહારાણી એલિઝાબેથના નિધન સહિતની કરેલી આગાહીઓ સાચી પડી અને છેલ્લે અમેરિકામાં ચૂંટણીઓ દરમિયાન ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી સાચી પડ્યા પછી હવે વર્ષ ર૦રપ ના અંત સુધીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. બલ્ગેરિયાના એક અન્ય ભવિષ્યવેતા બાબા વેંગાચે પણ આ જ પ્રકારની ભવિષ્યવાણી કરી હતી અને ૧૬ મી સદીમાં થઈ ગયેલા નેસ્ટ્રેડોમસે પણ વર્ષ ર૦ર૦ થી આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચકરાવે ચડશે ને વર્ષ ર૦રપ ના અંત સુધીમાં વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો હતો, તેમ કહેવાય છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી જામનગરમાં બસ ડેપો કામ ચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયો છે અને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનવાનું છે, તે ઉપરાંત હાલના વર્કશોપના સ્થાને નવું આધુનિક વર્કશોપ પણ બનવાનું છે, તેથી સ્વાભાવિક રીતે જ કેટલીક પ્રારંભિક મુશ્કેલીઓ એસ.ટી. તંત્ર અને મુસાફરોને પણ થવાની છે. એટલું જ નહીં, કેટલીક આડઅસરો અન્ય ટ્રાફિક તથા ટ્રાન્સપોર્ટેશનને પણ થવાની છે. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તે કહેવત મુજબ લોકો પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી અને એસ.ટી. તંત્ર સામે પણ આ પડકાર ઝીલી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી હવે બધાએ વ્યવહારૂ અભિગમ તો અપનાવવો જ પડે તેમ છે.
જો કે, આ પ્રકારના ફેરફારો થાય, ત્યારે મુસાફરો, નગરજનો તથા અન્ય ટ્રાફિકને ઓછામાં ઓછી તકલીફ થાય, તેની જવાબદારી માત્ર એસ.ટી. તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર વહીવટીતંત્રની પણ છે. એસ.ટી.ની સેવાઓ પણ સરળ અને સુવિધાજક રીતે ચાલતી રહે અને પ્રવર્તમાન સુવિધાઓમાં પણ કોઈ વધુ તકલીફો ઊભી ન થાય, તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાગીરીની પણ ગણાય જને?
ઘણી વખત વધારે પડતો સ્નેહ કે પ્રેમ ગુંગળાવનારો હોય છે, તેવી જ રીતે વિચારોનો વંટોળ પણ અકળાવનારો બની જતો હોય છે. નવા નવા કોન્સેપ્ટ રજૂ થાય, અમલી બને અને ઢગલાબંધ વિકાસના કામો સંપન્ન થાય, તે તો આવકારદાયક જ છે, અને વિકાસ પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે થોડી-ઘણી તકલીફો પડે તો પણ નાગરિકોએ તેનો સામનો કરીને પણ વિકાસ તંત્રોને સહયોગ આપવો જોઈએ, તે પણ હકીકત છે, પરંતુ લાંબુ વિચાર્યા વગર કે વૈકલ્પિક પૂરતી વ્યવસ્થા કર્યા વગર જ્યારે અનેક પ્રકારના વિકાસના કામો એકીસાથે ચારે તરફ શરૂ કરી દેવામાં આવે, અને તે દિવસો કે અઠવાડિયાઓ નહી, પરંતુ મહિનાઓ સુધી ચાલ્યા કરે, અને રોજીંદુ જનજીવન ખોરવાઈ જાય, તો તે પણ યોગ્ય ન જ ગણાય ને?
હવે નવું બસપોર્ટ બને, ત્યારે ખરૃં, પરંતુ જે કામચલાઉ બસડેપો અથવા બસસ્ટેશન ઊભું કરાયું છે, તેમાં મુસાફરોને પૂરેપૂરી સુવિધા મળી રહે, અને ઓછામાં ઓછી તકલીફો પડે, તે જોવાની જવાબદારી તંત્રો અને નેતાગીરી નિભાવી શકશે ખરી? તેવા પ્રશ્નો ઊઠે, તે પણ અસ્થાને નથી.
નગરમાં જે ઓવરબ્રીજ બની રહ્યો છે, તેને લાંબો સમય થયો છે, અને તે ફેબ્રુઆરી-ર૦રપ માં સંપન્ન થઈ જશે, તેવી તારીખ પછી હવે જૂન મહિનાની વાતો ઊડવા લાગી છે, જો કે બે-ત્રણ મહિનામાં ફ્લાયઓવર બ્રીજનું કામ સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય, અને તેના પરથી વાહનો દોડતા થઈ જાય, તેવું લાગતું તો નથી, પરંતુ આ કામને ટૂંકાવીને કેટલીક કાપકૂપ કરીને તથા કેટલાક કામો અધુરા રાખીને અધકચરો ફ્લાયઓવરબ્રીજ ચાલુ થઈ જાય, તેવું બની શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ ખરો?
નગરમાં વધુ ટ્રાફિક સમસ્યા થતી હતી, તે અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી વગેરેને લક્ષ્યમાં લઈને પહેલા તો ટૂંકો ફ્લાયઓવરબ્રીજ બનવાનો હતો, પરંતુ તેમાં વિસ્તૃતિકરણ કરીને વિક્ટોરિયા બ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાયઓવરબ્રીજ મંજુર થયો, તે દરમિયાન રંગમતી-નાગમતી નદીઓમાં ઘણાં પાણી વહી ગયા છે. મૂળ એસ્ટીમેન્ટથી વર્તમાન ખર્ચ કદાચ સવાયો કે દોઢો થઈ જશે. એટલું જ નહીં, અંબર ચોકડી પાસે જે ડિઝાઈનથી માર્ગો બનવાના હતાં, તેમાં ફેરફાર કરીને સળંગ ફ્લાયઓવરબ્રીજ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયા પછી નગરમાં જે ચર્ચા ચાલી રહી છે, તે સૌ કોઈ જાણે છે.
આ ફ્લાયઓવરબ્રીજ બની જાય, તે પછી પણ નીચેની સડકો પરથી સ્થાનિક ટ્રાફિક બહું ઘટવાનો નથી, અને એસ.ટી. બસો, અન્ય ટ્રાવેલ્સની બસો, સ્થાનિક ટ્રાન્સપોર્ટસના વાહનો, રિક્ષાઓ, રિક્ષાછકડાઓ, ટેક્સીઓ તથા દ્વિચક્રી વાહનોનો ટ્રાફિક તો નીચેની સડકો પરથી જ વધુ રહેવાનો હોય, તો આટલા જંગી ખર્ચે નિર્માણ થઈ રહેલા ફ્લાયઓવરબ્રીજનો અર્થ શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. જોઈએ હવે આ 'નગરચર્ચા' ક્યાં સુધી પહોંચે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હૂતાશણીનું પર્વ ઉમંગપૂર્વક ઉજવાઈ ગયું અને બોર્ડની પરીક્ષાઓ પણ સંપન્ન થઈ ગઈ, બીજી તરફ બળબળતા ઉનાળની આગાહીઓ થવા લાગી અને આખું વર્ષ કેવું નિવડશે, તેના અનુમાનો પણ થવા લાગ્યા, તો આગાહીઓ, અનુમાનો તથા ભવિષ્યવાણીઓની યથાર્થતા અંગે એક જ પ્રકારની ચર્ચા થવા લાગી.
હૂતાશણી પર્વે ધૂળેટીના દિવસે રંગ ઊડાડતા ઊડાડતા અથવા મંદિરોમાં દર્શન કર્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક નેતાઓએ કરેલા નિવેદનો પછી દેશમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સંવેદનશીલ વિષયો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે, અને આ સમયમાં ગુજરાતમાં થયેલા રોડ-એક્સિડન્ટ્સની ચર્ચા પણ અલગથી થઈ રહી છે. રાજ્યમાં એકંદરે હર્ષોલ્લાસ સાથે હૂતાશણી પર્વ મનાવાયું, તો કેટલાક સ્થળે નાની-મોટી તકરારો અને મારામારી થઈ હોવાના અહેવાલો પણ આવ્યા.
આપણે ત્યાં હૂતાશણીનં પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય છે, અને કેટલાક સ્થળે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં તો ફૂલડોલ ઉત્સવ માટે ભાવિકોનો જાણે મહાસાગર ઘુઘવાતો હોય તેવા દૃશ્યો ઊભા થયા હતાં, અને લાખો ભાવિકો પદયાત્રાઓ કરીને દ્વારકા પહોચ્યા હતાં. દ્વારકામાં ભાતીગળ હોલિકાત્સવની રૂડી ભાત જોવા મળી હતી, તો દેશ-વિદેશથી દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓની બહુ રંગી આભા પણ પ્રગટતી જોવા મળી. એકંદરે હોલિકાદહ્ન, રંગોત્સવની સાથે સાથે સ્પર્ધાત્મક મનોરંજનો સાથે હોળી-ધૂળેટીનો ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો.
ભારતીય જનતા પક્ષના દિગ્ગજ પ્રાદેશિક નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ઘરઆંગણે હૂતાશણી પર્વ ઉજવ્યું અને રંગોત્સવની મજા માણી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આપેલા નિવેદનના પડઘા કદાચ દિલ્હી સુધી પડવાના છે, અને નવા પ્રદેશ પ્રમુખ નિમવાની દ્વિધાજનક સ્થિતિ વચ્ચે ભાજપની પ્રાદેશિક નેતાગીરીમાં પણ તેની ચર્ચા થવા જ લાગી હશે, કારણકે 'વિજયવાણી' ઘણી જ સૂચક, સમજી વિચારીને પ્રગટ થનારી તથા ઘણી વખત સ્ફોટક પણ હોય છે.
વિજયભાઈએ જે કાંઈ કહ્યું, તેનો સારાંશ એવો છે કે ભારતીય જનતા પક્ષે સત્તા માટે થઈને કોંગ્રેસીઓ સાથે સમજુતિ ન કરવી જોઈએ. પરોક્ષ રીતે આ નિવેદન ભાજપના ભરતી મેળાના સંદર્ભે અપાયેલી વોર્નિંગ ગણવામાં આવે છે, તો ઘણાં લોકો ભાજપના મૂળ અને વફાદાર, નિષ્ઠાવાન કાર્યકર્તાઓના અસંતોષને વાચા અપાઈ હોવાનો મત પણ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આને વ્યક્તિગત અસંતોષની અભિવ્યક્તિ ગણાવે છે, તો ઘણાં લોકો વાસ્તવિક્તાનું પ્રગટીકરણ ગણાવે છે. જે હોય તે ખરૂં, પરંતુ આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને??
કેટલાક નેતાઓ પરંપરાગત રીતે હૂતાશણી પર્વની ઉજવણી વિશેષ ઢબે કરતા હોય છે. વિજયભાઈ રૂપાણીએ હૂતાશણીનું પર્વ પરિવાર તથા અડોશ-પડોશના બાળકો સાથે રંગોત્સવ સાથે ઉજવ્યું, તો જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લીમડાલેનના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં પરિવાર તથા ગ્રુપના સભ્યો સાથે રંગોત્સવ ઉજવવા પહોંચ્યા હતાં. તેઓએ ત્યાંના વડીલો તથા અન્ય આશ્રિતોને શુકનવંતો રંગ લગાવીને શુભકામનાઓ વ્યક્ત કરી અને આત્મિયતા દર્શાવી. આ પ્રકારના દૃશ્યો આપણાં સમાજની સિક્કાની બીજી બાજુ તથા વરવી વાસ્તવિક્તા પણ રજૂ કરે છે.
પૂર્વ મંત્રી અને જામનગરના દિગ્ગજ નેતા હકુભા જાડેજા પણ દર વર્ષે હોળી-ધૂળેટી પર્વે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે 'તિલકહોળી' દ્વારા ઉજવણી કરે છે.
નેતાઓ વૃદ્ધાશ્રમોમાં વાર-તહેવારે જઈને હૂતાશણી-દીપોત્સવી જેવા તહેવારોની ઉજવણી કરીને ત્યાં રહેતા લોકોને તેના પરિવાર જેવી હૂંફ આપતા હોય છે, અને કેટલાક વડીલોના પરિવરજનો પણ ત્યાં જતા હોય છે, જો કે આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તેના પડઘા મહારાષ્ટ્રની વિધાનસભા સહિત વિવિધ ધારાગૃહોમાં પણ પડઘાતા હોય છે. અસદુદીન ઓવૈસીની પાર્ટીના એક ધારાસભ્યે પણ આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અને સંતાનો વૃદ્ધ માતા-પિતા કે વડીલોને કચરાની જેમ કચરાટોપલીમાં ફેંકવા હોય, તેવી માનસિક્તાથી વૃદ્ધાશ્રમોમાં (તરછોડીને) છોડી જતા હોય છે, તે સારી બાબત નથી. તેમણે સવાલ ઊઠાવ્યો છે કે શું આ પ્રકારના વૃદ્ધાશ્રમોને લઈને આપણા દેશમાં કોઈ નક્કર કાયદા છે ખરા? શું વૃદ્ધોને તરછોડનાર સંતાનોને દંડાત્મક કે શિક્ષાત્મક કડક કાયદાઓ હેઠળ આવરી લેવા ન જોઈએ? શું આવા કડક કાયદા ન બનાવી શકાય?
જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા હોય, ભણાવી-ગણાવીને હોશિયાર કર્યા હોય, તેને જ આવી રીતે તરછોડવા કે ઘરમાં અપમાનજનક રીતે રાખીને ત્રાસ ગુજારતા સંતાનોની શાન ઠેકાણે લાવવાના કડકકાનૂનની જરૂર જણાતા તેમણે એક પૂર્વ જજ (નિવૃત્ત જજ) પણ વૃદ્ધાશ્રમમાં મળ્યા હોવાનો દાવો પણ કર્યો હતો.
હૂતાશણીમાં આ પ્રકારની સેવા-ભાવનાઓના પ્રગટિકરણની સાથે સાથે વૃદ્ધ માતા-પિતાને તરછોડનાર સંતાનો સામે કોઈ નક્કર કાયદાની સાથે સાથે સામાજિક જાગૃતિની જરૂર પણ છે જ ને??
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પોઝિટિવ એનર્જી સર્જાઈ હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં અને શિક્ષણ સમિતિ હેઠળના કેટલાક કર્મચારીઓને પાર્ટટાઈમમાંથી કાયમી કરવાના અદાલતી હુકમ પછી બાકીના સમકક્ષ કર્મચારીઓને પણ કાયમી કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજુરી અપાતા ૩પ જેટલા પરિવારોમાં પણ આનંદ ફેલાયો હતો. 'શેરડી સાથે એરડીને પણ પિયત મળી જાય' તેવી ગામઠી કહેવતની જેમ જ સ્પેશ્યલ જનરલ બોર્ડમાં બીજી બે-ત્રણ દરખાસ્તો પણ મૂકાઈ, અને એકાદ દરખાસ્ત વિરોધ પક્ષના વાંધા સાથે બહુમતિથી પણ પસાર થઈ ગઈ. મનપામાં ખાલી જગ્યાઓ પર ભરતી થાય, ત્યારે અડધી જગ્યાઓ મનપામાં જ દસ-વીસ વર્ષથી ફરજ બજાવતા હોય, તેને પ્રાયોરિટી આપવાની દરખાસ્તને પણ વિપક્ષનું શરતી સમર્થન મળ્યું હોવાની ચર્ચા છે. આ દરખાસ્તને વિપક્ષે આવકારી અને ભરતી થાય, ત્યારે વિપક્ષને પણ સાથે રાખવાની વાત કરી, તે એડવાઈઝીંગ સ્કીલની 'ફૂદડી'વાળી 'શરતો લાગુ' જેવી કન્ડીશનલ સહમતિ તો નહોતી ને? તેવી ચર્ચા પણ થવા લાગી હતી. જે હોય તે ખરૂ, પરંતુ મનપા માટે કોન્ટ્રાક્ટ બેઇઝ હેઠળ ઘણાં બધા વર્ષો આપ્યા હોય, તેને પ્રાધાન્ય અપાય અને મેરિટ પણ જળવાય, તો તે આવકારદાયક છે.
તે પહેલા સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરમાં રૂ. પપર કરોડથી વધુની જોગવાઈઓ હેઠળ વિવિધ વિકાસકામો તથા ખર્ચ-દરખાસ્તોને મંજુરી આપી, તે સંદર્ભે પણ લોકચર્ચા સાંભળવા મળી હતી. આ મંજુર થયેલી દરખાસ્તોમાં મોટાભાગના ઈન્ફ્રાસ્ટરક્ચરના કામો હતાં, જેમાં હાપા વિસ્તારમાં મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષના નિર્માણની દરખાસ્ત ધ્યાન ખેંચનારી હતી.
ઘણાં લોકો તો સૂચિત મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ અથવા ઓડીટોરિયમના સૂચિત ખર્ચને તાજેતરમાં જેનું કામ સંપન્ન થયું છે, તે નગરના ટાઉનહોલના રીપેરીંગ અથવા નવીનિકરણ માટે થયેલા ખર્ચની સરખામણી પણ કરવા લાગ્યા હતાં.
આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તેના પર બહુ લક્ષ્ય અપાતું હોતું નથી, પરંતુ કબીરજીનો દોહરો યાદ રાખવા જેવો છે કે 'નિંદક સાયરે સખીયે, આંગન કૂટિ છવાઈ, બિન સાબુ-પાની બિના... પાપ તુમ્હારા ધોવાય...'!
લોકતંત્રમાં આલોચના થવી, વિરોધ દર્શાવવાો, સૂચનો કરવા, એ નાગરિકોનો હક્ક પણ છે, અને ફરજ પણ છે, અને તે સાંભળવાની શાસકોની ફરજ પણ છે, અને જવાબદારી પણ છે. આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓમાંથી ઘણી વખત ઉપયોગી માર્ગદર્શન પણ મળી રહેતું હોય છે. આ પ્રકારના સૂચનો ઘણી વખત અભ્યાસુઓના પોઝિટિવ થિન્કીંગમાંથી નીકળતા હોય છે, તો ઘણી વખત માત્ર શ્રેષ્ઠ જ્ઞાન કે હોંશિયારી દેખાડવા માટે પણ થતા હોય છે. આ બધા વચ્ચે સમતુલન, ધૈર્ય અને હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવા જોઈએ. આજની અદ્યતન ટેકનોલોજીના દરરોજ બદલતા યુગમાં પણ ૧૮ મી સદીની માનસિક્તા ધરાવતા લોકો એક સીમિત વર્તુળમાંથી બહાર આવતા હોતા નથી, પરંતુ તેવા પોથીના પંડિતોને આદરપૂર્વક 'ઈગ્નોર' કરીને પારદર્શક જનલક્ષી અને સર્વજન હિતાય... સર્વજન સુખાય... નિર્ણયો લેવાય, તે અત્યંત જરૂરી છે, અને આ લોકતંત્રનો સિદ્ધાંત તમામ ક્ષેત્રોમાં ટોપ-ટુ-બોટમ લાગુ પડે છે. ધડમાથા વગરના વિચારોનો કોઈ મતલબ જ નથી.
લોકતંત્રમાં સોલીડ બહુમતી હોય, તો પણ વિપક્ષના માધ્યમથી પ્રગટ થતો જનતાનો અવાજ પરખીને જ યોગ્ય નિર્ણયો લેવાય, તો તે શ્રેષ્ઠ લોકતાંત્રિક શાસન ગણાય. તેવી જ રીતે તર્કવિહીન કે વેસ્ટેડ ઈન્ટ્રેસથી થતા સૂચનો કે લેવાતા નિર્ણયોને હવે જનતા પારખવા લાગી છે, જે ભૂલવું ન જોઈએ.
પંચાયતો હોય કે પાલિકા-મહાપાલિકાઓ હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી બોર્ડ-નિગમો કે અન્ય બંધારણીય સંસ્થાઓ હોય, એ વાત યાદ રાખવાની જરૂર છે કે લોકોને કાયમ માટે ભ્રમિત રાખી શકાતા નથી. આનું તાજુ ઉદાહરણ દિલ્હીમાં થયેલું સત્તા પરિવર્તન છે.
જ્યારે કોઈ સારા નિર્ણયો લેવાતા હોય અને તેને વિપક્ષ આવકારે, તે લોકતંત્રની ખૂબસૂરતી ગણાય, અને તેવા આવકારનેે શાસકો સાથે ઈલૂ-ઈલૂ કરવાના આક્ષેપો કરવા કે મિલીભગતના આક્ષેપો કરવા યોગ્ય નથી. તેવી જ રીતે વિપક્ષોની સાચી વાત, તથ્યાપક અને લોકોની લાગણીઓ સાથેનો અવાજ અવગણવો એ પણ યોગ્ય નથી.
જામનગરની મહાનગરપાલિકાએ તાજેતરમાં કચરાની ગાડીઓના વજન આધારિત બીલો બનાવવાના બદલે ફેરા આધારિત બીલો બનાવવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો આવ્યા, તેને આવકારવા જ જોઈએ. આ પ્રકારની વિપક્ષની લાગણી અને માગણીમાં જનતાના સમર્થનનું બળ પણ હતું. એવી જ રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા વાહનોની પાછળ કે સાઈડોમાં કોથળા ટીંગાળવાથી ઊભી થતી પરેશાનીઓ તથા કેટલાક સ્થળે આ કોથળામાંથી ખરતા જતા કચરાથી (ઘટવાના બદલે) વધતી ગંદકીની રાવ ઊઠ્યા પછી કેટલીક કચરાગાડીઓએ સાઈડમાં કોથળા લટકાવવાનું ટાળ્યું હોય તેમ જણાય છે, પરંતુ હજુ પણ પાછળના ભાગે તો ગંદા દૃશ્યો ઊભા કરતા કચરાઓથી ભરેલા કોથળાઓ લટકાવાય છે. જોઈએ, હવે જનતાનો આ અવાજ કોના કોના સુધી પહોંચે છે તે...
ઘણી વખત લાંબી લાંબી કાનૂની કાર્યવાહીઓ કરીને ઘણો બધો સમય વેડફવાની સાથે સાથે તેની પાછળ જંગી ખર્ચાઓ કર્યા પછી નિર્ણયો લેવાના બદલે ન્યાયસંગત વાત હોય, એ પહેલેથી જ સ્વીકારી લેવામાં વાંધો શું???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે અને હવે તો શ્રમિકથી લઈને શ્રીમંત સુધી, ટ્યુશનથી પ્રાઈમ મિનિસ્ટર સુધી અને ગામડાથી લઈને ગ્લોબલ વ્યવહારોમાં લોકો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે. લારી-ગલ્લા-પથારાવાળા પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. એટલું જ નહીં, શાકમાર્કેટથી લઈને શેરમાર્કેટ સુધી તથા સોનીબજારથી લઈને ગ્રેઈન માર્કેટ સુધી ડિજિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટનો કોન્સેપ્ટ દસેક વર્ષ પહેલા વ્યાપક બનાવાયો અને કોરોનાકાળમાં તેને નોંધપાત્ર ઉત્તેજન પણ મળ્યું, તે પછી આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટ વધુને વધુ લોકપ્રિય બનવા લાગ્યું છે, અને તેનો સરળતાથી ઉપયોગ પણ થઈ રહ્યો છે.
હવે એવા અહેવાલો આવ્યા છે કે, યુપીઆઈ અને રૂપે દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર એમડીઆર ફરીથી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારની તૈયારી થઈ રહી હોય તો દેશના લોકો સાથે બિઝનેસમેન્સની જેમ સરકારે પહેલા ટેવ પાડીને પછી ખિસ્સા ખંખેરવાની નીતિ-રીતિ અપનાવી હોય તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ કેશલેશ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. એમડીઆરનું ફૂલફોર્મ જ વ્યાપારિક અર્થ દર્શાવે છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ફેર એટલે એમડીઆર... જો હવે સરકાર ફરીથી આ પ્રકારનો રેટ (કમિશન અથવા ચાર્જ) લાગુ કરવાની નીતિ અપનાવીને ફી માફી એટલે કે એમડીઆરમાંથી આપેલી મુક્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવા જઈ રહી હોય તો એવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊઠે કે, શું સરકાર વેપારી છે?... ડિજિટલ પેમેન્ટની પહેલા ટેવ પાડીને પછી તેના પર અપાયેલી છૂટ પાછી ખેંચી લેવી, તે પ્રજા સાથેનો વિશ્વાસઘાત ન ગણાય?... જરા વિચારો...
અહેવાલો મુજબ બેન્કીંગ સેક્ટર તરફથી કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી વધુ હોય, તેવા બિઝનેસમેન પર એનડીઆર લગાવવામાં આવે.
જો કે, આ દરખાસ્ત હજુ સરકારે મંજુર કરી દીધી નથી, પરંતુ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. સરકાર કદાચ ૪૦ લાખના ટર્નઓવરની મર્યાદા વધારીને એક કરોડ કે તેથી વધુની કરીશકે, મતલબ કે સરકાર નાના અને મધ્ય વર્ગિય વેપારી વર્ગને મુક્તિ આપીને જાયન્ટ બિઝનેસમેન પાસેથી જ એમડીઆર વસૂલવાની મંજુરી આપી શકે છે.
બેન્કીંગ સેક્ટરની દલીલ એવી છે કે જો બિઝનેસમેનો ક્રેડિટકાર્ડ, વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ પર એમડીઆર ચૂકવી રહ્યા હોય, તો યુપીઆઈ અને રૂપે પર કેમ ન ચૂકવે?
સરકારે જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે એમડીઆર નાબૂદ કરી દીધો હતો, ત્યારે ઠીક હતું, પરંતુ જ્યારે કેટલાક ડિજિટલ નાણાકીય વ્યવહારો પર એમડીઆર લેવામાં આવી રહ્યો હોય તો યુપીઆઈ અને રૂપે પર પણ હવે એમડીઆર ફરીથી લાગુ કરવો જોઈએ, કારણ કે બેંકો અને અન્ય પેમેન્ટ કંપનીઓને આ સુવિધાઓ આપવા પાછળ માળખાકીય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)નો ખર્ચ કરવો પડતો હોય છે, જેની ભરપાઈ થઈ શકે.
આ અહેવાલો પછી એવા કટાક્ષો પણ થઈ રહ્યા છે કે, સરકારે ખાનગિકરણની નીતિ હેઠળ ઘણી સેવાઓ ચાર્જેબલ કરી દીધી છે, અને હવે ખુદ સરકાર પણ વ્યાપારિક નીતિ અપનાવી રહી છે, તેથી ભારતના નાગરિકો સરકાર માટે સિટીઝન્સ નહીં, પણ 'કસ્ટમર' બની રહ્યા છે!
સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાઓ મફત હોય છે અને કેટલીક સેવાઓ માટે ટોકન ચાર્જ લેવાતો હશે, જ્યારે ખાનગી હોસ્પિટલો આ જ પ્રકારની સેવા-સુવિધાઓ કે લેબ ટેસ્ટીંગ માટે ચાર્જ વસૂલતી હોય છે. હવે સરકારી હોસ્પિટલો પણ એવો દાવો કરે કે ખાનગી હોસ્પિટલોને લોકો આ બધા ચાર્જ ચૂકવે છે, તો સરકારી હોસ્પિટલોમાં કેમ ન ચૂકવે?... તેવા પ્રકારના વ્યંગાત્મક સવાલો પણ ઊઠવા લાગ્યા છે, ત્યારે હવે સરકાર અંતે શું નિર્ણય લ્યે છે, તે જોવાનું રહે છે.
લોકોએ પણ એ સમજી લેવું પડશે કે કાંઈ તદ્ન 'મફત' મળતું નથી. તાજેતરમાં 'એપ'નું જોડાણ થયું છે, જેમાં ક્રિકેટ મેચ, ટીવી સિરિયલો વગેરે મોબાઈલ સેલફોન દ્વારા 'મફત' બતાવાશે. આ પહેલા પણ પહેલા લોકોને નિઃશુલ્ક 'ટેવો' પાડીને પછીથી તેના પર ચાર્જ લગાવીને ખિસ્સા ખંખેરવાની ખાનગી ક્ષેત્રોની બિઝનેસ પોલિસીના રવાડે ચડીને સરકાર પણ એવું જ કરશે, તો લોકોનો વિશ્વાસ વધુ ગુમાવશે, જો કે સરકાર 'મફત' આપશે, તેની વસૂલાત પણ આપણી પાસેથી જ કરશે. સરકારી ખજાનો પણ ટેક્સપેયરો જ ભરે છે ને?
ગુજરાતીમાં એક કહેવત છે કે 'વાવમાં ઉતારીને વરત કાપવું'... એટલે કે કોઈ વ્યક્તિને કોઈપણ બહાને તેમની સુરક્ષા અને પરત બહાર લાવી શકાય, તે માટે દોરડાથી કૂવામાં ઉતારવામાં આવે, અને પછી વિશ્વાસઘાત કરીને દોરડું કાપી નાંખવામાં આવે, જેથી કૂવામાં ઉતરેલી વ્યક્તિ તેમાં ડૂબી જાય, અને જીવ ગુમાવે.
બીજા અર્થમાં વરત એટલે ક્રોસ ખેંચવાનું દોરડું... વાવમાં કોસને ઉતારીને દોરડું કાપવાથી કોસ ડૂબી જાય. કૂવામાંથી પાણી ખેંચવા માટે જુના જમાનામાં કોસ ચાલતા, જેને ખેંચતા દોરડાને 'વરત' કહેવામાં આવતું. આ 'વરત'ને પકડીને જુના જમાનામાં કૂવામાં ઉતરેલા વ્યક્તિ સાથે દગાબાજી થતી, તેવું જ કાંઈક હાલમાં થઈ રહ્યું હોય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે લોકસભામાં હોબાળો થતો રહ્યો. નવી શિક્ષણ નીતિ સામે વિપક્ષના સાંસદોની તડાફડી અને મતદારયાદીઓમાં ગરબડના મુદ્દે પણ સંસદમાં પડેલા પડઘા પછી આ મુદ્દો પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાથી આગળ વધીને સરકારી ગલિયારાઓ સુધી ગૂંજી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગયા છે. ગઈકાલે આ બન્ને મુદ્દાઓ અંગે સંસદમાં કેટલીક રકઝક, કેટલાક કટાક્ષો અને કેટલીક રમૂજો પણ થતી જોવા મળી. હકીકતે આ બન્ને મુદ્દે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ તેવા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે ટકોર કરી કે મતદારયાદીઓ સરકાર થોડી જ બનાવે છે?... તેના જવાબમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તમામ વિપક્ષો વતી કેન્દ્ર સરકારને આ મુદ્દે ચર્ચા કરાવવાની અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદીઓ તૈયાર કરાતી નથી, તે તેને ખબર છે, પરંતુ વિપક્ષો જો આ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવા માંગતા હોય, અને સરકાર તેના પર સંસદમાં ચર્ચા કરવા ન ઈચ્છતી હોય, તેવા સંજોગોમાં અધ્યક્ષ દ્વારા તો લોકસભામાં ચર્ચાની મંજુરી તો મળવી જ જોઈએ ને?
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે આખા દેશમાં મતદાર યાદીમાં ગરબડો અંગે સવાલો ઊઠી રહ્યા છે અને વિપક્ષોની સરકારો છે, ત્યાંથી આ પ્રકારની વધુ ફરિયાદો આવી રહી છે, ત્યારે વિપક્ષ માત્ર આ મુદ્દે સંસદમાં ચર્ચા જ ઈચ્છે છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ મૂકીને, 'મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ગરબડોને લઈને તેમણે (રાહુલ ગાંધીએ) કરેલી પ્રેસ કોન્ફરન્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ટ્રાન્સપરન્સીને લઈને ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસે જેે માંગણીઓ કરી હતી, તે હજુ સુધી પૂરી થઈ નથી.'
ગઈકાલે કેન્દ્ર સરકાર ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી, જ્યારે કેન્દ્રિયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું એક નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.
હકીકતે તામિલનાડુ સરકાર વિદ્યાર્થીઓનું અહિત કરી રહી છે ને રાજકીય લાભ લેવા હિન્દી ભાષાનો વિરોધ કરે છે, તેવું કહેતા કહેતા મંત્રી મહોદયે ડીએમકેના સાંસદોને અપ્રામાણિક (બેઈમાન) ગણાવી દેતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. તે પછી અધ્યક્ષે એ મંત્રી મહોદ્યના કેટલાક શબ્દો રેકર્ડમાંથી કાઢી નાખવાની સૂચના આપી, અને મંત્રી મહોદયે ગૃહમાં પોતાના વિવાદાસ્પદ શબ્દો પાછા ખેંચવા પડ્યા હતાં, તો બીજી તરફ ડીએમકેના સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં.
બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યારે સંસદમાં મતદારયાદીમાં ગરબડ અને કેન્દ્રની નવી શિક્ષણનીતિના મુદ્દે વિપક્ષો એકજુથ થઈને સરકારને ઘેરી રહ્યા છે, અને સરકાર બેકફૂટ પર હોય, તેમ જણાઈ રહ્યું છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષીય શિક્ષણની જે જોગવાઈ કરી છે, તેનો દક્ષિણ ભારતમાં કેટલાક સાંસદો વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને તામિલનાડુના ટીએમકેના સાંસદો વધુ આક્રમક ઢબે વિરોધ દર્શાવી રહ્યા છે, જેના સંદર્ભે ગઈકાલે સંસદમાં હોબાળા થયા હતાં.
ડીએમકેનો આક્ષેપ એવો છે કે મોદી સરકાર તેમના (તામીલનાડુ) પર હિન્દી ભાષા ધરાર ઠોકી બેસાડવા માગે છે.
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં એક સ્થાનિક ભાષા, હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે, જેથી ભાષા વિવાદ ખતમ થઈ જાય, તેવો સરકારનો દાવો છે, જ્યારે ડીએમકેના સાંસદો કહે છે કે મોદી સરકાર આવું કરીને તામિલનાડુ પર હિન્દી ભાષા લાદવા માગે છે. આ મુદ્દે થયેલા રાજકીય ધમાસાણ વચ્ચે પ્રજાના મૂળભૂત પ્રશ્નો, સમસ્યાઓ તથા મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓ હવાહવાઈ થઈ ગયા હોય તેવા સંજોગોમાં રાહુલ ગાંધીએ ઊઠાવેલો મતદાર યાદીઓનો મુદ્દો પણ ક્યાંક હોબાળાઓમાં અટવાઈ જશે, એવું કહેવાય છે ને કે, રાજનીતિમાં જે દેખાય તેવું જ બધું હોતું નથી, અને જે હોય છે, તે દેખાતું હોતું નથી. ઘણી વખત આ પ્રકારના હોબાળાઓ અસલ મુદ્દાઓ છાવરવા માટે પણ સર્જાતા હોય છે, તો ઘણી વખત લોકોનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી હટાવવા માટે પણ વિશેષ પ્રકારની રણનીતિઓ અપનાવતી હોય છે. વિપક્ષોનો સવાલ છે કે સરકાર મતદાર યાદીમાં ગરબડના મુદ્દે ચર્ચા કરવા કેમ તૈયાર નથી? ત્રિભાષિય શિક્ષણનીતિના મુદ્દે સરકાર કેમ ફીફાં ખાંડે છે?
વિપક્ષો તરફથી ઊઠાવાતા આ પ્રકારના સવાલો ઘણાં લોકોને ગમતા હોતા નથી અને આ પ્રશ્નાર્થોના જવાબો ન મળે ત્યારે પ્રક્રિયાત્મક કે પરંપરાગત રીતે તેની પ્રશ્નાર્થો સામે જ પ્રશ્નો ઊઠાવીને તેને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થતો હોય છે. રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય, ત્યારે તેઓને પ્રશ્ન ચિન્હો ગમતા હોતા નથી, પરંતુ જ્યારે વિપક્ષમાં હોય, ત્યારે એ જ પ્રશ્ન ચિન્હોનો સહારો લેવો પડતો હોય છે. લોકતંત્રની આ જ ખૂબી અને ખૂબસૂરતી છે,. તો બીજી તરફ ઉભય પક્ષે જડતા અને સંકુચિતતાઓ પણ ભૂંડી ભૂમિકા ભજવતી હોય છે. હમામ મેં સબ નંગે હૈ...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફીની ફાયનલમાં ન્યુઝીલેન્ડને પછડાટ આપીને નવા કીર્તિમાન રચી દીધો અને દેશભરમાં ક્રિકેટરસિયાઓ જ નહીં, પરંતુ દેશપ્રેમી નાગરિકો પણ ખુશીથી જુમી ઊઠ્યા હતાં. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની અને વન-ડે એટલે કે ઓડીઆઈના 'મીની' વર્લ્ડકપ તરીકે પ્રચલિત આ ક્રિકેટ શ્રેણી જીતીને ભારતે ચેમ્પિયન ટ્રોફી અંકે કરી. હવે ક્રિકેટ રસિયાઓ ધમાકેદાર ટકાટક ક્રિકેટ ટુર્નામેનટ આઈપીએલ પર નજર માંડીને બેઠા છે.
ચેમ્પિયન શ્રેણીની વિશેષતા એ રહી કે ભારતની વિજયકૂચ અણનમ રહી અને લીગ મેચો, સેમિફાયનલ તથા ફાયનલ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો. આપણા દેશમાં હવે ક્રિકેટ ક્ષેત્રે દૂર, અંતરિયાળ, વિસ્તારોના નાના-નાના કેન્દ્રો, દુર્ગમ સ્થાનો તથા પહાડી વિસ્તારોમાંથી વિશ્વ વિક્રમ સર્જી શકે તેવા ક્રિકેટરત્નો મળી રહ્યા છે. આપણા બેટધરો વૈશ્વિક ઉચ્ચ કક્ષાની હરોળમાં રહે છે, અને હાલની આપણી ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ) માં ઓપનરો તેજરીતે છે, મીડલ ઓર્ડર પણ મજબૂત છે અને ઓલારાઉન્ડરોની ભરમાર છે. તો બીજી તરફ બોલરો પણ વિશ્વકક્ષાની ઝળહળતી સફળ મેળવી ચૂક્યા હોય તેવા છે, અને દેશભરના વિવિધ વિસ્તારોમાંથી શોધી કાઢ્યા છે. હવે તો ફિલ્ડીંગ પણ ઘણી જ મજબૂત થતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦૧૩ માં ભારતે બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક રનનો વિક્રમ પણ સર્જ્યો છે. આ પહેલા વર્ષ ર૦૦૦ માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાયનલ મુકાબલો થયો હતો, પરંતુ તેમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી દીધું હતું. તે વખતના ભારતીય કપ્તાન ગાંગુલીના ૧૧૭ રન પણ એળે ગયા હતાં. ગઈકાલની મેચમાં વિરાટ કોહલી તદ્ન સસ્તામાં આઉટ થવા છતાં અન્ય બેટ્સમેનોએ રોહિત શર્માની ૭૬ રનની તોફાની ઈનિંગ પછી નોંધપાત્ર રન કર્યા હતાં, જો કે સમયાંતરે ભારતની વિકેટો પડતી હોવાથી ફાયનલ મેચ ઘણો રોમાંચક રહ્યો જ હતો.
આ વિજય થયા પછી રોહિત શર્માએ એવી ચોખવટ પણ કરી દીધી કે તે હાલ તુરત વન-ડે માંથી રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યો નથી, અને આ પ્રકારની ચાલતી વાતો માત્ર અફવા છે.
ભારતીય ટીમના વિજયના દેશભરમાં ધમાકેદાર ઉજ્જણી થઈ અને ફટાકડા ફૂટ્યા. માત્ર શહેરોમાં જ નહીં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ઢોલ-નગારા સાથે એકબીજાના મીઠા મોઢા કરાવીને ભવ્ય ઉજવણી કરી. જામનગર સહિતના રાજ્યના શહેરી વિસ્તારમાં લોકોએ આતશબાજી તથા નૃત્ય કરીને ટીમ ઈન્ડિયાના આ વિજયને વધાવી લીધો, ધોની પછી બારવર્ષે રોહિત શર્માએ મેળવેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ધૂમ દેશભરમાં સવારોસવાર ગૂંજતી રહી.
દેશના દિગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રોના માંધાતાઓ ઉપરાંત રાજકીય ક્ષેત્રના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. આજે પણ સવારથી જ દેશભરમાં ચોરે ને ચૌટે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેળવેલી શાનદાર જીતની જ ચર્ચા થઈ રહી છે, અને પ્રેસ-મીડિયામાં પણ વિજયના વધામણા સાથે વિવિધ વિશ્લેષણો થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે દેશમાં જાણે દીપોત્સવી ઉજવાઈ રહી હોય તેવો માહોલ હતો.
આ મેચમાં રાબેતામુજબ અપાતા પ્લેયર ઓફ ધ મેચ, ઓવર ઓફ ધ સિરિઝ વગેરે સન્માનો ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રને ગોલ્ડન બેટ એવોર્ડ મેળવ્યો. તેમને આ એવોર્ડ ચાર મેચમાં ર૬૩ રન બનાવ્યા, અને આખી ટુર્નામેન્ટમાં બે વખત સદી ફટકારીને રોહિતની સિદ્ધિઓ બદલ અપાયું હતું, જ્યારે પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પણ રચિન રવિન્દ્ર જ બન્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના શ્રેયસ ઐય્યર, ઈંન્ગલેન્ડના બેટ્સમેન બેન ડકેટ, ઈંગ્લેન્ડના જો રૂટ અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારની શ્રેણી ટોપ-ફાઈવમાં રમ્યા છે.
આજે રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં કોંગ્રેસના સંદર્ભે રાહુલ ગાંધી અને તેના અનુસંધાન કોંગી નેતા દિગ્વિજયસિંહજીના નિવેદનો, મહાકુંભમાં ગંગાસ્નાન અંગે રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, અંબાલાલની નવી આગાહી, શરૂ થનારૂ સંસદીય સત્ર, પહેલી એપ્રિલથી થનારા મોટા ફેરફારો, સનાતન ધર્મ અને મોરારીબાપુનું નિવેદન, જલાબાપા અંગે એક સ્વામી સંતની બદજુબાની પછી વીરપુરમાં માફી માંગ્યા પછી રઘુવંશીઓ દ્વારા આ પ્રકરણ પર ફૂલસ્ટોપ મૂકવાની જાહેરાતને દરિયાદિલી તથા મિશ્ર ઋતુની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
ભારતીય ક્રિકેટ આજે વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે અને ભારતમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટોના કારણે વિશ્વભરની ટીમો જાણે ભારતીય ક્રિકેટનો જ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય તેવી અદ્ભુત એકાત્મતા ઊભી થઈ રહી છે અને ખેલભાવના વિકસી રહી છે, તે સારી વાત છે, પરંતુ ક્રિકેટ પર ગેરકાનૂની રીતે ચોરેને ચૌટે જાહેરમાં રમાતો જુગાર, એ આવનારી પેઢીના વિકાસમાં રૂકાવટ તથા ઘણાં વર્તમાન પરિવારની બરબાદીનું કારણ બની રહ્યો છે, ત્યારે આ વિષય માત્ર કાનૂની નથી, પરંતુ વિવિધ સમાજો તથા ખાસ કરીને ભદ્ર સમાજના લોકોએ આ માટે જાગૃતિ ઝુંબેશો ચલાવવી જોઈએ, તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ નારીશક્તિ પૂજાય છે, અને દુનિયાનો સૌથી લાંબો, મોટો અને અજાયબી સ્વરૂપ મનાતો નવરાત્રિ મહોત્સવ માતા આદ્યશક્તિના વિવિધ સ્વરૂપો પ્રત્યેની માતૃભક્તિનો જ મહોત્સવ છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતાને પૂજનિય ગણાવામાં આવે છે, અને મહિલાઓ પ્રત્યેનું સન્માન આપણી પ્રાચીન સંસ્કૃતિની મૂળભૂત ધરી છે. આપણા દેશમાં ઘણાં નારીરત્નો પાક્યા છે, અને અધર્મ, આસુરી શક્તિઓ અને અન્યાય સામેની લડતથી માંડીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી પણ મહિલા અધિકારો તથા માનવતા માટે સમર્પિત મહિલાશક્તિઓના અનેક ઉદાહરણો આપણી સંસ્કૃતિની તવારીખમાં ભરેલા પડ્યા છે. આપણે નારીશક્તિને મહાન માનીએ છીએ અને નારીને નારાયણીનો દરજ્જો આપીએ છીએ. તેમ છતાં કેટલાક વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની બીભત્સ હરકતોના કારણે આપણા જ દેશમાં દૂષ્કર્મોની ઘટનાઓ બનતી રહે છે. હજુ પણ પુત્રવધૂ અને દીકરી વચ્ચે ઘણાં સ્થળે ભેદભાવ રખાય છે. હજુ પણ સાસરિયામાં ત્રાસ અપાત હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. એટલું જ નહીં, હજુ પણ બાળલગ્નો કરીને કુમળીવયની કન્યાઓનું બાળપણ અને શિક્ષણ છીનવી લેવાની ઘટનાઓ પણ બનતી રહે છે, તે આપણી પ્રાચીન સંસ્કૃતિની શક્તિ ઉપાસનાની ભાવના પર કલંક સ્વરૂપ નથી? આજે મહિલા દિને મહિલાનું મહિમાગાન કરવાની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરફ પણ દૃષ્ટિપાત કરીને એક સામાજિક આંદોલન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?
બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છે. વડાપ્રધાને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલીક મિટિંગો-સભાઓ કરી, લોકાર્પણો કર્યા અને રોડ-શો કર્યો, અને આજે જી-મૈત્રી, જી-સફલ જેવી મહિલા અને ગ્રામ્ય લક્ષી યોજનાઓનું નવસારી જિલ્લાના વાંસી-બોરસી ગામેથી લોન્ચીંગ કર્યું, એ ઉપરાંત સ્વસહાય જુથોની અઢી લાખથી વધુ મહિલાઓને સાડાચારસો કરોડથી વધુ સહાય પહોંચતી કરાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે, અને લખપતિ દીદીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. બીજી તરફ ગુજરાતમાં આગામી આઠમી એપ્રિલની આસપાસ યોજાનારા કોંગ્રેસ અધિવેશનની પૂર્વતૈયારી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તૈયારી કરી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસની જવાબદારીઓ વધી ગઈ છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને આગામી કોંગી અધિવેશન દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાશે, અને ગુજરાતની પ્રાદેશિક નેતાગીરીથી લઈને ગ્રામ્ય-શહેરોની કક્ષા સુધીના તમામ સ્તરે મહિલા નેતાઓ-કાર્યકરોની સહભાગિતા વધારવાની રણનીતિ ઘડાઈ રહી હોય, તો તે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાંકળનો એક આવકારદાયક યોગાનુયોગ જ ગણાય ને?
આજે મહિલાઓ પુરુષ સમોવડી તો બની જ ગઈ છે, પરંતુ તેનાથી પણ આગળ નીકળી રહી છે, તેવો નોબતના લેખિકા દિપાબેન સોનીનો અભિપ્રાય તાદ્શ્ય થતો હોય, તેમ આજે પ્રેસ-મીડિયામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને પ્રગતિની વાહવાહી થઈ રહી છે. પોલીસ તંત્રમાં મહિલા અધિકારીઓ-મહિલા પોલીસકર્મીઓનો સપાટો, મહિલા કન્ક્ટરોની સાહસિક તથા નિષ્ઠાપૂર્વકની ફરજો, શિક્ષિકાઓ અને મહિલા પ્રાધ્યાપકો, બેન્કીંગ સેક્ટર, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર અને દરિયાઈ સાહસોથી માંડીને ભારતીય સેનાની ત્રણેય પાંખો સુધી પહોંચી રહેલી નારીશક્તિ તથા સ્પેસમાં પહોંચેલી સુનિતા વિલિયમ્સ સહિતના ગૌરવભેર ગુણગાન ગવાઈ રહ્યા છે. જે દેશ-દુનિયામાં પાતાળથી અંતરીક્ષ સુધી વધી રહેલા નારીક્તિની ગૌરવ ગાથાઓ જ છે ને?
રાજકીય ક્ષેત્ર પણ મહિલાઓની સહભાગિતા વધી રહી છે. હાલાર સહિત ગુજરાતમાં ઘણી ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચો છે, તાલુકા-જિલ્લા પંચાયતમાં સભ્યો છે. હાલારમાંથી સંસદમાં પૂનમબેન માડમ અને ધારાસભામાં રિવાબા જાડેજા જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એક માત્ર સંસદસભ્ય ચૂંટાયા, તે પણ મહિલા સાંસદ ગનીબેન ઠાકોર છે. મહાનગરોનગરો-શહેરોમાં મહિલા કોર્પોરેટરો તથા ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યો પણ હવે પોતેજ સક્રિયતાથી વિકાસ પ્રક્રિયાના સહભાગી બની રહ્યા છે. કેટલીક આખેઆખી ગ્રામપંચાયતો પણ મહિલાઓ ચલાવી રહી છે. સખીમંડળો-સ્વસહાય જુથોના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રને ઉત્તેજન આપવામાં પણ નારીશક્તિને અદ્ભુત સફળતાઓ મળી રહી છે. સુરક્ષાદળોથી લઈને ગુપ્તચર સંસ્થાઓ સુધી મહિલાઓ સક્રિય કે પરોક્ષ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી રહી છે. ઘણી મહિલાઓ ઘર પણ સારી રીતે ચલાવે છે, અને ઉચ્ચ હોદ્દો, ઉદ્યોગ-વ્યાપાર કે વ્યવસાય પણ સારી રીતે સફળતાપૂર્વક નિભાવે છે, તે ગૌરવપૂર્ણ છે.
મહિલાઓના પતિઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ જગ્યાએ શપથ લીધા હોવાની ઘટનાના અહેવાલો વાયરલ થયા પછી સરપંચપતિ (એસ.પી.) ની ચર્ચા ફરીથી થવા લાગી છે અને ચૂંટાયેલા મહિલા સરપંચો, સભ્યો, કોર્પોરેટરો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના બદલે મિટિંગ, કાર્યક્રમો અને ઓફિસના વહીવટમાં પણ તે મહિલા જનપ્રતિનિધિના પતિ (ક્યારેક ભાઈ, પિતા કે પુત્ર કે અન્ય પરિવારજન) હાજર રહેતા હોય કે હસ્તક્ષેપ કરતા હોય તેવા દૃષ્ટાંતો બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓ તેના કોઈપણ પરિવારજનોને આવો હસ્તક્ષેપ કરવા દેતા હોતા નથી, તેવું પણ બને છે.
આપણા દેશના રાષ્ટ્રપતિ અત્યારે એક આદિવાસી મહિલા છે. આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય પદો, જેવા કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા-રાજ્યસભાના સભાપતિ અને મુખ્યમંત્રી તથા ગવર્નર-લેફ્ટનન્ટ ગવર્નર જેવા હોદ્દાઓ પર મહિલાઓએ નિભાવેલી ગરિમાપૂર્ણ જવાબદારીઓ પણ આજે યાદ કરવી જ પડે...
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને એ પણ સ્વીકારવું પડે કે એક તરફ અનેક મહિલાઓ સિદ્ધિઓની ઊંચી ઊડાન ભરી રહી છે, તો બીજી તરફ ઘણી મહિલાઓનું શોષણ પણ થઈ રહ્યું છે, દુષ્કર્મ થઈ રહ્યા છે, બાળવિવાહ થઈ રહ્યા છે, ચાઈલ્ડ ટ્રાફિકિંગથી લઈને દેહવ્યાપાર સુધીની બદીઓમાં કુમળી કન્યાઓથી લઈને ઘણી મજબૂર મહિલાઓ પિસાઈ રહી છે. આ અસમતુલાને સમાપ્ત કરવી પડશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારીશક્તિને કોટી કોટી વંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂક થઈ, અને દેવભૂમિ દ્વારકા જિલલાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી રિપિટ થયા છે, જેની ભાજપ દ્વારા ઉજવણી થઈ રહી છે. પ્રેસ મીડિયા દ્વારા વિવિધ વિશ્લેષણો સાથે ટિપ્પણીઓ થઈ રહી છે, તો વિપક્ષી વર્તુળોમાં કટાક્ષવાણી સંભળાઈ રહી હોય, તે સ્વાભાવિક છે.
આવતીકાલે મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે તે પહેલા જ જામનગરના શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી બન્યા, તેને નગર તથા મહિલાઓના ગૌરવ તરીકે ગણાવાઈ રહ્યું છે.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની નિમણૂક પછી એવી ટકોર પણ થઈ રહી છે કે હવે 'નગરની મનની વાત' પણ 'ઉચ્ચકક્ષા' સુધી સરળતાથી પહોંચી શકશે... ખરૃં ને?... સમજદાર કો ઈશારા બહોત!!
એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવા હોદ્દેદારોની ઉજવણી ભાજપ દ્વારા થઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાત તરફ આવી રહેતી હોવાથી ગુજરાતમાં નેશનલ પોલિટિક્સ પણ ચર્ચાની એરણે ચડ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું પલડું ભારે રહ્યા પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષો પણ પરાજય પછી વધુ સક્રિય થઈને સંગઠનને મજબૂત બનાવવા વધુ સક્રિય થઈ રહેલા જણાય છે.
આજે કોંગી નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે અને હવે રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન બેઠકો યોજીને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓનો જુસ્સો વધારવો, અને સંગઠનની બુનિયાદ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરશે, તેવા મીડિયા અહેવાલો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ અઠવાડિયામાં બીજી વખત આજથી ગુજરાતની મુલકાતે છે. નવસારી અને સુરત જિલ્લાઓમાં યોજાનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન કોઈ મોટી જાહેરાત કરશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.
ભાજપના બીજા દિગ્ગજ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ વીક-એન્ડમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અને ગુજરાત બારકાઉન્સિલના એક મેગા પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
આમ, રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં નજીકમાં કોઈ ચૂંટણી નહીં હોવા છતાં કાંઈક મોટું રાજકીય ગણિત મંડાઈ રહ્યું હોય, તેવી અટકળો થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ધોવાણ થયા પછી કોંગ્રેસનું સંગઠન ધરમૂળથી બદલીને મજબૂત કરવાના ફીડબેક પણ કોંગ્રેસની હાઈકમાન્ડ સુધી પહોંચ્યા પછી કદાચ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હશે, તેવી અટકળો વચ્ચે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ તરફથી અથવા ખુદ રાહુલ ગાંધી તરફથી શું કહેવામાં આવે છે, કેવા નિવેદનો આવે છે અથવા વિશેષ પ્રેસકોન્ફરન્સ યોજીને પ્રેસ-મીડિયાને શું જણાવવામાં આવે છે, તેના પરથી કોંગ્રેસની ગુજરાતને લઈને આગામી રણનીતિ તથા વ્યૂહરચનાનો અંદાજ આવી શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રકાસ પછી હવે કોંગ્રેસને નવેસરથી સમિકરણો રચવા પડી રહ્યા હોય તેમ જણાય છે.
જો કે, ભાજપમાં પણ બધું બરાબર નથી. કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ પછી રાષ્ટ્રીય કક્ષાએ નવા પરિપ્રેક્ષ્યમાં ભાજપ મજબૂત થયું, પરંતુ જાણે કે ભરતી મેળા યોજ્યા હોય, તેમ વિરોધપક્ષના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા પછી ભાજપમાં આંતરિક જુથવાદ વધુ ને વધુ વધી રહ્યો છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
સુરેન્દ્રનગરના થાનમાં ફરીથી મગફળીનું ગોડાઉન સળગી ઊઠ્યું અને ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો વિપુલ જથ્થો ખાખ થઈ ગયો, તે દુર્ઘટનાએ ભૂતકાળના અગ્નિકાંડોની યાદ તાજી કરાવી દીધી છે. મગફળીના કૌભાંડોને ઢાંકવા આ આગ લગાડાઈ છે કે અગ્નિકાંડ જ એક કૌભાંડ છે, તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.અધિકારીઓ-કૌભાંડિયાઓની મિલીભગત છે, ખરેખર કોઈ શુદ્ધબુદ્ધિપૂર્વકની ભૂલ થઈ ગઈ છે કે પછી ટોપ ટુ બોટમ સુધી સડો પેશી ગયો છે, તે તો તટસ્થ તપાસ પછી જ ખબર પડશે ને?
આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે દિલ્હીની ભાજપ સરકારે ચૂંટણીના વાયદા મુજબ મહિલાઓના ખાતામાં રૂ. અઢી હજાર જમા કરાવવાની પ્રક્રિયા અંગે અપનાવેલી રણનીતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત અને રોડ-શો વગેરે કાર્યક્રમોની સાથે સાથે ભારતીય જનતા પક્ષની આંતરિક રણનીતિ તથા વ્યૂહરચના માટે થઈ રહેલી હલચલની અટકળ વચ્ચે કાંઈક નવું થાય, અથવા કાંઈક મોટું કદમ ઊઠાવાય, કે મોટા ફેરફારો થાય, તેવી પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
હાલારમાં નગરપાલિકાઓના નવા હોદ્દેદારો તથા તે પછી ભાજપના નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રજાની અપેક્ષાઓમાં ખરા ઉતરે, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો