Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખર્ચની રકમ પણ ચૂકવી આપવા આદેશઃ
જામનગર તા. ૬: જામનગરના ત્રણ આસામીએ લીધેલી મેડિક્લેઈમ પોલિસી અન્વયે વળતર ન ચૂકવનાર વીમા કંપનીઓ સામે ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરના રિતેશ જયંતિલાલ પંડયાએ એચડીએફસી એર્ગો જનરલ ઈન્સ્યુરન્સ કંપની લિ. પાસેથી મેડીક્લેઈમ પોલિસી લીધી હતી. તે પોલિસી ચાલુ હતી તે દરમિયાન તેઓ બીમાર થતા સારવાર લેવી પડી હતી. જેમાં રૂરૂ૯૦,૨૧૦નો ખર્ચ થતાં તેઓએ વીમા કંપની સમક્ષ ક્લેઈમ રજૂ કર્યાે હતો. વીમા કંપનીએ વળતર ન ચૂકવતા ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે છ ટકા વ્યાજ સાથે રૂ૯૦,૨૧૦ ચૂકવી આપવા આદેશ કર્યાે છે.
જામનગરના રમેશભાઈ નાથાભાઈ કમાણીએ એચડીએફસી કંપની પાસેથી મેડિક્લેઈમ લીધા પછી બીમારીની સારવાર લેવી પડી હતી. જેમાં રૂ૭પ હજારનો ખર્ચ થયો હતો. તે ક્લેઈમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે રૂ૬૦ હજાર છ ટકા વ્યાજ સાથે અને ખર્ચના રૂપ હજાર અલગથી ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના બિંદુબેન હરીલાલ ડઢાણીયાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ. કંપની પાસેથી મેડિકલેઈમ પોલિસી લીધી હતી. તે પછી લેવી પડેલી સારવારમાં રૂ૬૧૩૪૧નો ખર્ચ થયો હતો. તે કલેઈમ ન ચૂકવાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૂપ હજાર ફરિયાદ ખર્ચના પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદીઓ તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial