Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળી-નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને
જામનગર તા. ૨: જામનગર (ગ્રામ્ય) તાલુકા તથા કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકામાં દિવાળી-નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ / વેચાણ માટે હંગામી પરવાનાની જરૂર હોય તેવી વ્યક્તિઓએ નિયત નમૂનામાં જરૂરી આધાર-પૂરાવા સાથેની અરજી ફોર્મ મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ, જામનગર (ગ્રામ્ય)ની કચેરી, મહેસુલ સેવા સદન, પહેલો માળ અને મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ, કાલાવડની કચેરી મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ લાલપુર કચેરી, તાલુકા સેવા સદન લાલપુર અને મામલતદાર અને એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટ જામજોધપુર કચેરી, તાલુકા સેવા સદન જામજોધપુરમાં તા. ૨૦-૯-૨૫ સુધીમાં રજૂ કરવાની રહેશે. બાદમાં નિયમોનુસાર તપાસનીશ અધિકારીઓના અભિપ્રાયો મેળવી પરવાનો આપવા અંગેની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેના અરજી ફોર્મ જામનગર(ગ્રામ્ય) તથા કાલાવડ મામલતદાર કચેરીમાંથી મળી શકશે.
તા. ૨૦-૯-૨૫ બાદ રજૂ થયેલ ફટાકડા સંગ્રહ / વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહીં. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે. તે બાબતનેે ધ્યાને લેવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જામનગર (ગ્રામ્ય) તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ લાલપુરની યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial