Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં આવતીકાલે વ્યાજખોરી અંગેની રજૂઆત સાંભળશે પોલીસવડા

નાગરિકોને નિર્ભય બની રજૂઆત કરવા આહ્વાનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે જિલ્લા પોલીસવડા દ્વારા વ્યાજખોરોના મુદ્દે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી જયરાજસિંહ વાળા દ્વારા રેન્જ આઈજી નિર્લિપ્તરાયના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તા.૭-૪-૨૬ના દિને બપોરે ૧થી સાંજના પ વાગ્યા સુધી લોકદરબારનું આયોજન કરાયું છે. જેમાં નાગરિકો નિર્ભય બની પોતાની સમસ્યા કે વ્યાજખોરોથી થયેલા અન્યાય અંગે ફરિયાદ કરી શકશે તથા પોલીસ દ્વારા કાયદાકીય અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહીમાં પોલીસને મદદરૂપ થવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh