Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના મોટાભાઈના નિવદન પરથી તપાસઃ
જામનગર તા. ૯: જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામમાં પાણીથી છલોછલ વોકળામાં કોઈ રીતે પડી ગયેલા એક પરપ્રાંતીય ખેતમજૂરનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધ્યું છે. આ શ્રમિક પોતાના વતનમાંથી ગોંડલના રાજપરામાં મજૂરીકામ માટે આવ્યો હતો.
જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામના વાડી વિસ્તારમાં આવેલા ભરતભાઈ મોઢવાડીયા નામના ખેડૂતના ખેતર પાછળ વહેતા વોકળામાં કોઈ રીતે ગઈકાલે પડી ગયેલા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અભિષેક મડીયાભાઈ વાસ્કેલ (ઉ.વ.ર૬) નામના યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ યુવાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજપરા ગામમાં શાંતિભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવ્યા પછી થોડા દિવસથી ખોજાબેરાજા આવ્યો હતો. જ્યાં તેનું ગઈકાલે અડાવાના વોકળામાં પડી જતાં પાણીથી છલોછલ વોકળામાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેના મોટાભાઈ બબલુ મડીયાભાઈ ઉર્ફે પપ્પુએ પોલીસને જાણ કરી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial