Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં જીઆરડીના જવાનને એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડીઃ ફરિયાદ

અગાઉના મનદુખના કારણે કરાયો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: સલાયામાં વસવાટ કરતા અને જીઆરડીમાં નોકરી કરતા એક યુવાન પર અગાઉના મનદુખના કારણે એક શખ્સે છરીથી હુમલો કરી ઈજા પહોંચાડવા ઉપરાંત ફ્રેકચર કરી નાખ્યાની ફરિયાદ કરાઈ છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં વસવાટ કરતા અને ગ્રામ રક્ષક દળમાં નોકરી કરતા કાનજીભાઈ પુંજાભાઈ વારસાકીયા નામના બાવીસ વર્ષના યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો. અગાઉના મનદુખના કારણે સુરેશ કિરણભાઈ પરમાર નામના શખ્સે છરી વડે તૂટી પડી ઈજા પહોંચાડવા ઉપરાંત ફ્રેક્ચર કરી નાખ્યાની કાનજીભાઈએ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh