Advertisement
Author: નોબત સમાચાર

જીઆઈડીસી ફેસ-૩ના શેડના ટ્રાન્સફર સામે કરવામાં આવેલો દાવો કરાયો રદ્દ

પ્રતિવાદીને ખર્ચ પણ અપાવતી અદાલતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના જીઆઈડીસી ફેસ-૩માં આવેલા એક પ્લોટ પર બાંધકામ કરાયા પછી તે શેડ અન્યના નામે ટ્રાન્સફર થયો હતો. આ ટ્રાન્ઝેક્શન રદ્દ કરાવવા અદાલતમાં કરાયેલો દાવો રદ્દ કરાયો છે અને અદાલતે પ્રતિવાદીને ખર્ચ પણ અપાવ્યો છે.

જામનગરના જીઆઈડીસી ફેસ-૩માં ખીમજીભાઈ ભીખાભાઈ નકુમે પોતાના પત્નીના નામે પ્લોટ ખરીદ્યો હતો. તે પ્લોટ પર બાંધકામ કરી જે.બી. પ્રોડટ્કસનું કારખાનું શરૂ કરાયું હતું. ખીમજીભાઈ તથા તેમના પત્ની કાંતાબેનના નામે બેંકમાં ખાતુ ખોલાવી તેમાં નાણાકીય વ્યવહાર કર્યા હતા.

તે પછી ખીમજીભાઈ અને કાંતાબેન વચ્ચે ઝઘડો થતાં કાંતાબેન રિસામણે ચાલી ગયા હતા. તે પછી જીઆઈડીસીમાં રજૂઆત કરી કાંતાબેને ઉપરોક્ત કારખાનાનો શેડ આશાપુરા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સફર કરી નાખ્યો હતો અને ત્યાંથી કનૈયાલાલ બારોટના નામે શેડ ટ્રાન્સફર થયો હતો.

આ બાબતની જાણ થતાં ખીમજીભાઈએ આ શેડના પોતે ખરા માલિક અને કબજેદાર હોવાનું જણાવી તેમના પત્ની કાંતાબેનને વેચાણ કે ટ્રાન્સફર માટે કોઈ હક્ક નથી અને તેઓએ ટ્રાન્સફરનો કરેલો વ્યવહાર રદ્દ કરવા અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવામાં પ્રતિવાદી પક્ષના કનૈયાલાલ બારોટે વાંધો લીધો હતો. તે અંગે કરવામાં આવેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે દાવો રદ્દ કરી પ્રતિવાદીને ખર્ચ આપવાનો હુકમ કર્યાે છે. કનૈયાલાલ બારોટ તરફથી વકીલ જે.જે. પરમાર રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh