Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંદર વર્ષ પહેલા અપાયું હતું બીલઃ
જામનગર તા. ૮: જામનગરના નવાગામ ઘેડમાં એક આસામીને ત્યાં ચેકીંગ કર્યા પછી વીજ અધિકારીએ રૂ.૫૮ હજાર ઉપરાંતનું બીલ આપ્યું હતું. તે બીલ ભર્યા પછી બીલ રદ્દ કરાવવા કોર્ટમાં દાવો કરાતા અદાલતે દાવો મંજૂર રાખી વ્યાજ સાથે તે રકમ પરત આપવા અને દાવાનો ખર્ચ પણ ચૂકવવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના નવાગામ ઘેડમાં ગાયત્રી ચોક નજીક ડાભી ફળીમાં રહેતા કાંતિલાલ કુરજીભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં ગઈ તા.ર-૧૧-૧૦ના દિવસે વીજ કંપનીના સ્ટાફે ચેકીંગ કરી મીટર કબજે લીધુ હતું.
ત્યારપછી લેબ રોજકામના આધારે રૂ.૫૮ હજાર ઉપરાંતનું વીજબીલ અપાયું હતું. તે રકમ ભરપાઈ કર્યા પછી કાંતિલાલે તે બીલ રદ્દ કરાવવા અને રકમ પરત મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો.
ઉપરોક્ત દાવો ચાલી જતાં ગ્રાહકના વકીલે કરેલી દલીલો અને વીજ કંપનીના અધિકારીની કરાયેલી ઉલટ તપાસમાં પાવર ચોરીનો આક્ષેપ ખોટો ઠરતા આ ગ્રાહકે ભરેલી રકમ છ ટકાના વ્યાજ સાથે પરત આપવા અને દાવાનો ખર્ચ પણ વીજ કંપનીએ ચૂકવવો તેવો આદેશ કરાયો હતો. કાંતિલાલ રાઠોડ તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial