Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૧: સલાયા પાસે સોડસલા તથા કુબેર વિસોત્રીની બાજુમાં નાગનાથ મહાદેવનું સાડાચારસો વર્ષ જુનું શિવમંદિર અનોખું છે.
હાલના નાગનાથ મંદિર પાસે નાગવીડી હતી જ્યાં રોજ સલાયાથી ગાયોનું ધણ ચરવા આવતું તેમાં એક ભાટિયા વેપારીની ગાય રોજ દૂધ ના દેવા લાગતા તપાસ કરતા આ ગાય એક રાફડા પર પોતાના આંચળની દૂધ નાખતી હતી તે રાફળો ખોદતા તેમાંથી સ્વયંભૂ શિવલીંગ નીકળ્યું હતું. નામ નાગવીડી પરથી નાગનાથ રખાયું તથા ભાટિયા ગૃહગૃહસ્થને સપનામાં મહાદેવે આવી આથમણા દરવાજાનું મંદિર બનાવા કહેવાતા તેમ બનાવ્યું હતું. નજીક ત્રીવેણી સંગમ પણ છે.
શ્રાવણ માસમાં વદ ચૌદસના અંતિમ દિનોમાં અહીં દર વર્ષે યજ્ઞ યોજાય છે, જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ વર્ષે પણ તા. રર-૮-ર૦રપ ના શુક્રવારના પંચકૂંડી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન થયું છે. જેમાં સાંજે પાંચ વાગ્યે બીડું હોમાશે તથા પ્રસાદ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial