Advertisement
Author: નોબત સમાચાર

સલાયા પાસે આવેલ નાગનાથ મહાદેવ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૧: સલાયા પાસે સોડસલા તથા કુબેર વિસોત્રીની બાજુમાં નાગનાથ મહાદેવનું સાડાચારસો વર્ષ જુનું શિવમંદિર અનોખું છે.

હાલના નાગનાથ મંદિર પાસે નાગવીડી હતી જ્યાં રોજ સલાયાથી ગાયોનું ધણ ચરવા આવતું તેમાં એક ભાટિયા વેપારીની ગાય રોજ દૂધ ના દેવા લાગતા તપાસ કરતા આ ગાય એક રાફડા પર પોતાના આંચળની દૂધ નાખતી હતી તે રાફળો ખોદતા તેમાંથી સ્વયંભૂ શિવલીંગ નીકળ્યું હતું. નામ નાગવીડી પરથી નાગનાથ રખાયું તથા ભાટિયા ગૃહગૃહસ્થને સપનામાં મહાદેવે આવી આથમણા દરવાજાનું મંદિર બનાવા કહેવાતા તેમ બનાવ્યું હતું. નજીક ત્રીવેણી સંગમ પણ છે.

શ્રાવણ માસમાં વદ ચૌદસના અંતિમ દિનોમાં અહીં દર વર્ષે યજ્ઞ યોજાય છે, જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટે છે. આ વર્ષે પણ તા. રર-૮-ર૦રપ ના શુક્રવારના પંચકૂંડી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન થયું છે. જેમાં સાંજે પાંચ વાગ્યે બીડું હોમાશે તથા પ્રસાદ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh