Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૧ - સુર્યાસ્ત : ૬-૪૧
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૦૯ :
તા. ૧૧-૦૨-ર૦૨૬, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧,
મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ અનુરાધા,
યોગઃ વ્યાઘાત, કરણઃ વણિજ
તા. ૧૧ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના કામનો ઉકેલ આવતા આનંદ રહેવા પામે. આપના કાર્યની અસર આપના સ્વાસ્થ્ય ઉપર ના પડે તેની કાળજી રાખવી. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર, લાભ અપાવી જાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ધાર્મિક-માંગલિક પ્રસંગોમાં હાજરી આપી શકો.
બાળકની રાશિઃ વૃશ્ચિક