Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહેતા ઝાકળવર્ષાઃ
જામનગર તા. રરઃ જામનગરના તાપમાનમાં વધ-ઘટના દોર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ મંદ રહેતા તથા લઘુતમ તાપમાનમાં થયેલા વધારાના પગલે દિવસ દરમિયાન અનુભવાતી ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ રાતથી વહેલી સવાર સુધી ગ્રામ્ય અને નગરસિમ વિસ્તારોમાં ટાઢોડું પ્રસરી જતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકાએ સ્થિર રહ્યું હતું, જેના પગલે રાતથી આજે વહેલી સવાર સુધી ઝાકળવર્ષા થતાં વાહનો ભીના થઈ ગયા હતાં. ગ્રામ્ય અને વાડી વિસ્તારો તથા ધોરીમાર્ગો પર ધુમ્મસનું પ્રમાણ વધારે રહ્યું હતું.
જામનગરમાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial