Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાન બંધ હોવાથી ઉભી થઈ ગુંગળામણઃ
જામનગરના ગોકુલનગર નજીક આવેલી રાજરાજેશ્વરી સોસાયટી પાસે પેટ પેલેસ નામની દુકાનમાં ગઈકાલે રાત્રે જ્યારે તે દુકાનના સંચાલક દુકાન બંધ કરીને ગયા પછી અંદર રહેલા ઈલેકટ્રોનિક્સ સામાનમાં કોઈ રીતે શોર્ટ સર્કીટ થતાં વાયર સળગ્યા હતા. જેના કારણે ધૂમાડો થવા લાગ્યો હતો. થોડીવાર પછી બાજુમાં આવેલી દુકાનના સંચાલકને તેની જાણ થયા પછી દુકાનદારને વાકેફ કરાયા હતા. સંચાલક દુકાન પર પહોંચ્યા હતા અને તેઓએ દુકાન ખોલી તે દરમિયાન અંદર કેટલાક પાંજરાઓમાં રાખવામાં આવેલા પાળતુ શ્વાન તથા કેટલાક પંખીઓ ધૂમાડામાં ગુંગળાઈ જઈને મોતને શરણ થયા હતા. તે દરમિયાન ફાયરબ્રિગેટની ટૂકડી પણ બનાવના સ્થળે ધસી આવી હતી. સળગી રહેલા વાયરોને વધુ સળગતા અટકાવવામાં આવ્યા હતા. ધૂમાડાની ગુંગળામણના કારણે અબોલ પશુ-પંખીઓના મૃત્યુથી પ્રાણીપ્રેમીઓમાં કચવાટ પ્રસર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial