Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત દેશમાં આજથી જેઈઈની પરીક્ષાનો થયો પ્રારંભ

ગુજરાતમાં ૪૮,૮૬ર, દેશમાં ૧૩.૬૩ લાખ પરીક્ષાર્થી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જમનગર સહિત રાજ્યમાં આજથી જેઈઈ મેઈનની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં ૧૩ લાખ ૬૩ હજાર અને રાજ્યમાં ૪૮,૮૬ર પરીક્ષાર્થીઓ નોંધાયા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ જાન્યુઆરી અને એપ્રિલમાં જેઈઈ મેઈનની પરીક્ષા લેવામાં આવે છે.

બન્ને પરીક્ષામાંથી વધુ માર્ક સ્કોર મેળવનારને જેઈઈ એડવાન્સમાં ક્વોલીફાય થવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્રથમ સેશનની પરીક્ષાનો આજે તા. ર૧ થી પ્રારંભ થયો છે, જે તા. ર૯ સુધી ચાલશે.

આ માટે સમગ્ર દેશમાં ૧૩ લાખ ૬૩ હજારથી વધુ અને ગુજરાતમાં ૪૮,૮૬ર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. ૧ર સાયન્સ પછીના ઈજનેરી અભ્યાસ માટેની આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. જામનગરમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh