Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ કેસે એક આરોપીનું થયું હતું અવસાનઃ
જામનગર તા. ૨૮: જામનગરના મારૂતીનગરમાં દસ વર્ષ પહેલાં એક વ્યક્તિના મકાનમાં ઘૂસી બે મહિલા સહિત પાંચ વ્યક્તિએ એક યુવાનની હત્યાનો પ્રયાસ કર્યાે હતો અને ઘરમાં તોડફોડ મચાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીને ત્રણ વર્ષની કેદ અને રૂ।.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. એક આરોપીનું કેસ ચાલુ હતો ત્યારે અવસાન થયું હતું.
જામનગરના મારૂતીનગર વિસ્તારમાં રહેતા ધનસુખભાઈ જીવરાજભાઈ દેગામા નામના યુવાનના ઘરે ગઈ તા.ર૩-૧૦-૧પના દિને પાઈપ, ધોકા, તલવાર ધારણ કરીને ધસી ગયેલા દીગુભા ભૂપતસિંહ ઝાલા, ડોલુભા નાથુભા જાડેજા, ઈન્દ્રાબા હેમતસિંહ જાડેજા, ચંદુબા ભૂપતસિંહ ઝાલા, હેમતસિંહ નામના પાંચ વ્યક્તિએ ધનસુખભાઈ પર જીવલેણ હુમલો કર્યાે હતો.
ઉપરોક્ત વ્યક્તિમાંથી ડોલુભાએ માથામાં તલવાર ઝીંકી દીધી હતી અને બાકીના વ્યક્તિઓએ મકાનમાં નુકસાન કર્યું હતું. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાતા હત્યા પ્રયાસ, રાયોટીંગ, હથિયારધારા ભંગ વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો.
આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકાર પક્ષ તરફથી રજૂ થયેલી સાહેદોની જુબાની, તબીબની જુબાની, હથિયારોની ઓળખ વગેરેને ગ્રાહ્ય રાખી તમામ આરોપીને આઈપીસી ૩૨૬ના ગુન્હામાં ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ, રૂ।.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૨૩ના ગુન્હામાં એક-એક વર્ષની સખત કેદ, રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ઈજા પામનાર ફરિયાદીને રૂ।.પ૦ હજાર વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કરાયો છે. ચાલુ કેસે એક આરોપીનું અવસાન થતાં તેઓને એબેટ કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial