Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરમાં રહેતા ભારતીબેન જયરાજભાઈ મહેતાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ પોલિસી લીધી હતી. આ પોલિસીના સમયગાળા દરમિયાન તેમના મૃત્યુ પામનાર પતિ જયરાજભાઈ હીરાલાલ મહેતાએ સારવાર લીધી હતી. જે લાઈફ કેર હોસ્પિટલ જામનગરમાં સારવાર ચાલુ હતી તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ પછી ક્લેઈમ નોંધાવવામાં આવ્યો હતો.
ફરિયાદી દ્વારા કલેઈમ ફોર્મ તથા કાગળ, રીપોર્ટ મોકલવામાં આવ્યા હતા અને ખર્ચ મુજબની મળવાપાત્ર રકમ રૂ. ૧,૨૩,૧૭૫નો ક્લેઈમ નોંધાવવામાં આવ્યો હતો. આ પછી સામાવાળાએ ક્લેઈમ મંજૂર કરવાના બદલે કાગળો પુરા પાડેલ નથી તેવા કારણોસર ક્લેઈમ નામંજૂર કર્યાે હતો. આથી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ. કંપની વિરૂદ્ધ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ ચાલી જતાં તમામ દલીલોને ધ્યાને લઈ ગ્રાહક તકરાર નિવારણ કમીશન જામનગરના પ્રમુખ પી.સી. રાવલ તથા મેમ્બર જે.એચ. મકવાણા દ્વારા ફરિયાદ મંજૂર કરીને ફરિયાદી ભારતીબેન જયરાજભાઈ મહેતાને રૂ. ૧,૨૩,૧૭૫ની રકમ છ ટકા વ્યાજ સહિત ચૂકવી આપવી અને જો સમય મર્યાદામાં રકમ ચૂકવવામાં ન આવે તો નવ ટકા વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચના પાંચ હજાર ચૂકવી આપવા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ. કંપની વિરૂદ્ધ હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દીપક એચ. નાનાણી અને નેહલ બી. સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial