Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરની શાંતિ ડહોળવા લુખ્ખા તત્ત્વોની દાદાગીરીની રાવ
જામનગર તા. ૩૧: જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ જાનમામદ મકરાણી ઉપર ઘાતકી હથિયારો સાથે હુમલો થયાના પ્રકરણમાં જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રતિનિધિ મંડળે જિલ્લા પોલીસ વડાને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી હુમલો કરનારા શખ્સો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં આવા લુખ્ખા તત્ત્વો દાદાગીરી કરી પ્રજાને રંજાડે છે. ભયના કારણે શાંત લોકો પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળે છે. જામનગર મકરાણી બલોચ સમાજના આગેવાન એમ.કે. બલોચ, અબ્બાસ હાજી બલોચ, મામદ ગુલમામદ બલોચ સહિતના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial