Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના વિકાસ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણાં-પ્રદર્શન

જામનગર મહાનગરપાલિકામાં ચાલીસ ટકા કટકીના ભાગીદાર કોણ-કોણ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસ કામો, રસ્તા રીપેરીંગના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે ખૂબ જ નબળા અને હલકી ગુણવત્તાના કામો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા મનપામાં સ્થાયી સમિતિની બજેટ બેઠક પૂર્વે સૂત્રોચ્ચાર-બેનરો અને ધરણાં સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાએ જણાવ્યું હતું કે મનપામાં દરેક કામ માટે ૪૦ ટકા જેવી કટકી કરવામાં આવે છે. ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓના ઈશારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આથી જે કામ માટે ઉદાહરણ તરીકે એક લાખનો ખર્ચ મંજુર થયો હોય, તે કામના કોન્ટ્રાક્ટરે ૪૦ ટકા (અર્થાત્ રૂ।. ૪૦ હજાર) ની રકમ ભેટ ધરવી પડે છે. પરિણામે એક લાખના કામમાં નિયમોનુસાર, ટેન્ડરની શરતો મુજબ મટીરિયલ વાપરવું, ગુણવત્તાયુક્ત કામ કરવું વગેરેનો છેદ ઊડી જાય છે અને તે કામ કોન્ટ્રાક્ટર તેનો નફો બાદ કરતા એક લાખના બદલે માંડ રૂ।. પ૦ હજારનું જ થઈ શકે છે. પરિણામે દરેક કામ સાવ નબળા અને હલકી ગુણવત્તાના થઈ રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો હતો. આ ધરણાં કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષનાનેતા ધવલભાઈ નંદા, પ્રદેશ હોદ્દેદાર સહારાબેન મકવાણા, કોર્પોરેટરો, કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh