Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપહરણ કરવાની દાટી પણ મારવામાં આવીઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક વકીલને પૈસાની લેતીદેતીના વ્યવહાર બાબતે બુધવારે કોર્ટ પાસે તથા તેની ઓફિસે જઈ એક શખ્સના કહેવાથી ત્રણ શખ્સે ગાળો ભાંડી છરી બતાવવા ઉપરાંત મુંઠથી પતાવી દેવાની ધમકી આપી રૂ।.૧૦ હજાર લંૂટી લીધાની અને આ વકીલનું અપહરણ કરી તેના પરિવાર પાસેથી પૈસા કઢાવવાની દાટી મરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના હવાઈચોકમાં આવેલા ભાનુશાળી વાડની શેરી નં.૧માં રહેતા એડવોકેટ પંકજ અરવિંદભાઈ લહેરૂ નામના યુવાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુન્નાભાઈ આંબલીયા, ગટુ આસિફભાઈ, સમીર રફીકભાઈ અને અલુ આંબલીયા ઉર્ફે અલુ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પંકજભાઈને આરોપીઓ સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર હતો. આ બાબતે અલુ પટેલના કહેવાથી બુધવારે બપોરે પંકજભાઈ જ્યારે કોર્ટમાં હતા ત્યારે મુન્નાભાઈએ આવીને ગાળો ભાંડી હતી અને બોલાચાલી કરી હતી. ત્યારપછી સાંજના સમયે પંકજભાઈ હવાઈચોકમાં પોતાની ઓફિસે હતા ત્યારે અલુ પટેલના કહેવાથી આવી ચઢેલા ગટુ આસિફભાઈ અને સમીર રફીકભાઈએ ઢીકાપાટુથી માર મારી પંકજભાઈનું માથું દીવાલમાં અફળાવ્યું હતું અને સમીરે પોતાની પાસે રહેલી મુંઠ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પંકજભાઈના ખિસ્સામાંથી રૂ।.૧૦ હજાર ઝૂંટવી લીધા હતા.
ત્યારપછી આ શખ્સોએ પંકજ લહેરૂનું અપહરણ કરી લઈ તેના પરિવાર પાસેથી બાકીના રૂપિયા કઢાવવાની ધમકી આપી હતી. ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનમાં પંકજ લહેરૂએ ફરિયાદ નોંધાવી છે. નગરમાં વકીલ સાથે બનેલા આ બનાવ અંગે વકીલમંડળની બેઠક બોલાવવા તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial