Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદ દિન નિમિત્તે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ

જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીમાં બે મિનિટનું મૌન

                                                                                                                                                                                                      

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજી તથા તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે ૩૦ જાન્યુઆરી 'શહીદ દિવસ' નિમિત્તે સમગ્ર જામનગર જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સવારે ૧૧ કલાકે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી હતી. આ અવસરે જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા ઇ. નિવાસી અધિક કલેકટર શ્રીમતી શારદા કાથડની વિશેષ ઉપસ્થિતિમાં મૌન પાળવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈ દેશની આઝાદી અને સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. માત્ર જિલ્લા મથકે જ નહીં, પરંતુ જામનગર જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ, તાલુકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારીઓ, કર્મચારીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત સૌ કોઈએ દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે શહીદોના આદર્શો પર ચાલવાની અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh