Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા રોજગાર કચેરીમાં આઈટીઆઈ પાસ ઉમેદવારોનો ભરતીમેળો

આવતીકાલ તા. ૩૧ જાન્યુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, જામનગર દ્વારા આગામી તા. ૩૧-૧-ર૦ર૬, શનિવારના સવારે ૧૦ કલાકે એક વિશેષ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં જાણીતી સંસ્થા 'જાનકી ટેકનોલોજી' નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહી આઈ.ટી.આઈ. લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરશે.

આ ભરતીમેળામાં સહભાગી થવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો અને અધ્યતન બાયોડેટા સાથે જિલ્લા રોજગાર કચેરી, જામનગરમાં નિયત સમયે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh